તા.10મી ઓક્ટોબર 2018થી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિ દરમિયાન વિવિધ રાશિના જાતકોએ કયા દેવી માં ના સ્વરૂપની પૂજા, આરાધના વિધિવિધાન પૂર્વક કરવી જોઇએ, એ અંગે મોટા ભાગના ભાવિકો અગર તો જાતકોને ખ્યાલ હોતો નથી. અહીં વાચકોને તેમની રાશિ પ્રમાણે કયા દેવી માં ની પૂજા કરવી જોઈએ, જેથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય અે અંગેની માહિતી નિષ્ણાંત અને વિધ્વાન પંડિતો પાસેથી મેળવ્યા બાદ અત્રે નીચે મુજબના તારણો મેળવી શકાયા છે.

શાસ્ત્રોમાં નિર્દેશ છે કે શારદીય નવરાત્રિમાં નવે-નવ દિવસ કયા માં ની પૂજા-અર્ચના, આરાધના કરવી, એ મુજબ પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.
- પ્રથમ દિવસે શૈલપુત્રી,
- બીજા દિવસે બ્રહ્મચારિણી,
- ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
- ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
- પાંચમા દિવસે સ્કંદમાતા,
- છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
- સાતમા દિવસે કાલરાત્રિ,
- આઠમા દિવસે મહાગૌરી અને
- નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી
આ પૈકી રાશીવાર જાતકોએ પોતાની રાશી અનુસાર કયા માતાજીને રીઝવવા તે અંગે નિષ્ણાંત પડિતજીઓનો એક સૂર આ મુજબનો છે.
મેષઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.
વૃષભઃ આ રાશિના જાતકોએ ભગવતી ષોડશી-શ્રી વિદ્યા કે માતા બ્રહ્મચારિણીની સાધના કરવી જોઈએ.
મિથુનઃ આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.
કર્કઃ આ રાશિના લોકોએ માતા કમલા અથવા માતા સિદ્ધ દાત્રીની પૂજા કરવી જોઈએ.
સિંહઃ તમારે માતા પીતામ્બરા, માતા કાલરાત્રિની પૂજા કરવી જોઈએ.
કન્યાઃ આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.
તુલાઃ આ રાશિના લોકોએ શ્રી વિદ્યામાં માતા ષોડશી અથવા માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ.
વૃશ્વિકઃ તમારે ભગવતી તારા કે માતા શૈલપુત્રીની આરાધના કરવી જોઈએ.
ધનઃ આ રાશિના લોકોએ માતા કમલા કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી જોઈએ.
મકરઃ તમારે માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી
કુંભઃ આ રાશિના લોકોએ માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની પૂજા કરવી જોઈએ.
મીનઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.