CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 31 of 36 - CIA Live

November 8, 2018
amit.jpg
1min14210

દિવાળીનો તહેવાર ઊજવવા માટે અમદાવાદમાં પોતાના ઘરે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 6 નવેમ્બર 2018ના રોજ અમદાવાદના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તા પર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અચાનક જ દર્શન કરવા ગયા હતા. જોકે મંદિરનાં દ્વાર બંધ હોવાથી અમિત શાહે બંધબારણેથી દાદાનાં દર્શન કરીને બારણા પર હાર ચડાવી આર્શીવાદ મેળવ્યા હતા. અચાનક અમિત શાહની મુલાકાતથી નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

અમિત શાહ મોસ્ટ વીઆઇપી પર્સન હોઇ, આ મંદિરને ઇચ્છે તો પોતાના માટે ખોલાવી શક્યા હોત, પરંતુ, તેમણે એમ ન કરતા, મંદિરની બહારથી દર્શન કરવાનું મુનાસિબ માન્યું હતું.

નાગરિકોએ અમિત શાહ સાથે દિવાળીની શુભેચ્છાની આપ-લે કરી હતી અને પોતાના પસંદગીના નેતા સાથે સેલ્ફી પણ પડાવ્યો હતો.

November 1, 2018
dhanteras-1.jpg
1min8820

આઠમની સાથે જ દિવાળીના તહેવારનો પ્રારંભ થાય છે અને ધનતેરસથી પાંચ દિવસનો દિપ મહોત્સવ શરૂ થાય છે.

શું હોય છે ધનતેરસ?

દીપાવલીનો તહેવાર આજે ધનતેરસથી શરૂ થાય છે. ધનતેરસથી પંચ મહોત્સવનો આરંભ થઈ જાય છે. કઈ પણ ખરીદી કરવાનો આ શુભ દિવસ હોય છે. કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસના નામથી ઓળખવામાં આવે છે આ વર્ષે 5 નવેમ્બર 2018 સોમવારે આવશે. હિન્દૂ માન્યતાઓના અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આ દિવસે ભગવાન ધનવંતરિ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા. સાથે એવું પણ માનવામાં આવે છે કે એ દિવસે વાસણ અથવા સોના-ચાંદીના ઘરેણાં ખરીદી શકાય છે એ દિવસે ઘરેણાં અને વાસણની ખરીદીથી ધનમાં 13 ટકા વૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની સાથે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.

જાણો આ તહેવારનું મહત્વ

આ દિવસે કોઈ પણ પ્રકારનો વ્યવસાય નથી થતો. આવું કરવાથી વર્ષભર ધનની દેવી લક્ષ્મી રિસાઈ જાય છે અને વ્યવસાયમાં વૃદ્ધિ નથી થતી. ધર્મગ્રંથે ઉલ્લેખ કર્યો છે કે ધનતેરસ પર નવું વાસણ લાવવાથી સૌભાગ્ય અથવા સમૃદ્ધિમાં વધારો થાય છે. આ વર્ષે સોમવારે આવેલા ધનતેરસ અત્યંત શુભ છે, આ દિવસે ધન એકત્ર કરીને જેનું પોતાનું ઘર નથી એ પણ પોતાનુ ઘર બનાવી શકે છે. ધનતેરસના દિવસે જ યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. પૂરા વર્ષમાં એક માત્ર એ દિવસ છે જ્યારે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દિવસમાં નહીં રાતે કરવામાં આવે છે. એના માટે રાતે યમના નિમિત્ત એક દિવો પ્રગટાવવામાં આવે છ. લોટનો દીવો પેટાવી ઘરના મુખ્ય દ્રાર પર રાખો અને એની પૂજા કરો એવી માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.

એટલે ઉજવાય છે ધનતેરસ

એવી પણ માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવાથી દરિદ્રતા દૂર થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે દીવો પ્રગટાવાથી ખરીદી કરેલી વસ્તુનો વધારો થાય છે સંયુક્ત પરિવારમાં લાવવામાં આવેલી નવી વસ્તુ એકતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. ધનતેરસ પર કરેલું રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક છે. આ સમુદ્ર મંથનમાથી નીકળેલા 14 રત્નોમાંથી એક ધનવંતરિ પણ છે અને સ્વાસ્થય, સમતાન અથવા સમૃદ્ધિનું પણ પ્રતિક છે ધનતેરસ. ધનતેરસ ધનની સાથે સાથે તબિયતની સમૃદ્ધિ માટે પણ ઉજવવામાં આવે છે. આ તેહવારને ધનવંતરિ જયંતીના નામથી ઓળખવામાં આવે છે.

October 29, 2018
gurupushya_naxatra.jpg
1min6820

આસો વદ સપ્તમી, તા.૩૧મી ઓક્ટોબરના રોજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બળવાન એવું પુષ્ય નક્ષત્ર છે. વિક્રમ સંવત-૨૦૭૪નું અંતિમ પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં નૂતન વર્ષ માટેની ખરીદી પણ કરવામાં આવશે. ભારતીય પરંપરામાં શુકન માટે પણ આ દિવસે સોના-ચાંદી-ઝવેરાતની ખરીદી કરવામાં આવતી હોય છે અને તે અનુસાર શ્રદ્ધાળુઓ સોના-ચાંદીની ખરીદી કરશે. ખાસ કરીને મંત્રની સિદ્ધિ માટે પણ આ પુષ્ય નક્ષત્રનું સવિશેષ મહત્ત્વ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા.૩૧મીએ સવારે ૧૧.૧૧ મિનિટ સુધી રાજયોગ પણ થઈ રહ્યો છે તથા માલવ્ય યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. માટે જ નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ સર્વોત્તમ માનવામાં આવે છે. અનેક અશુભતાઓને દૂર કરનારું બળવાન પુષ્ય નક્ષત્ર છે. જે કોઈપણ વ્યક્તિને વારંવાર અસફળતા મળતી હોય અથવા વિલંબ સાથે કાર્ય થતાં હોય તેઓએ પણ આ દિવસે નવા કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો તેમાં સફળતા મળી શકે છે.

પુષ્ય નક્ષત્રનો દિવસ આયુર્વેદશાસ્ત્રજ્ઞાતાઓ, મંત્રસાધકો અને ઉપાસકો માટે પણ એટલો જ મહત્ત્વનો માનવામાં આવે છે. ઔષધને સિદ્ધ કરવા માટે, મંત્રોની સિદ્ધિ માટે કે અનુષ્ઠાનની સફળતા માટે પણ આ દિવસે ગુરુ દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર ઉપાસના કે આરાધના કરવામાં આવતી હોય છે. લક્ષ્મીજીની કૃપા મળે તે માટે પણ જાપ કરવામાં આવતો હોય છે.

October 24, 2018
ram_mandir.jpg
1min12040

ઇલેક્શનનો મુદ્દો બનશે અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણનો ઘટનાક્રમ રાતોરાત તેજ થઇ ગયો

  • VHPએ પથ્થરોથી ભરેલા 70થી વધુ ટ્રક મંગાવ્યા અને મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાતચીત ચાલી રહી છે
  • આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા
  • આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા સ્વાગત
  •  29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે

આર.એસ.એસ.ના સ્થાપના દિને મોહન ભાગવતે અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ થવું જ જોઇએ એવું સ્ટેટમેન્ટ શું કર્યું, અયોધ્યા સાઇટ પર રામ મંદિર નિર્માણની ગતિવિધિ રાતોરાત તેજ થઇ જવા પામી છે. ભાજપ વિરોધીઓ કહે છે કે સ્ટેટ ઇલેકશન ચાલી રહ્યા છે અને લોકસભાનું ઇલેકશન માથે આવીને ઉભું છે એટલે માઇલેજ લેવા માટે અયોધ્યા રામ મંદિરના મુદ્દાને છંછેડીને પોલિટીકલ માઇલેજ લેવાની આખી ગેમ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ભાજપના સહયોગી ગણાતા વિશ્વ હિન્દુ પરિષદએ તો મંદિર નિર્માણ માટે જરૂરી પત્થરોના ઓર્ડર આપી દીધા છે અને તેની ડિલિવરી માટે ટ્રકો નીકળી ચૂકી હોવાના ફોટોગ્રાફ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.

વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જોઇ રહ્યા છે.

દરમિયાન એવી પણ માહિતી જાણવા મળી છે કે રામ મંદિરના મુદ્દે આગામી તા.29મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં યોજાનારું હિયરિંગ અત્યંત મહત્વનું થઇ પડશે.

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી આ વાતથી નાખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, કેસ હજુ સુપ્રીમમાં ચાલી રહ્યો છે જેથી સરકારે વીએચપીને આગળ આવતા રોકવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે વીએચપી આ પ્રકારે ઉથલપાથલ મચાવે છે.

October 23, 2018
Sharad_Purnim.png
1min10220

ભારતીય સંસ્કૃતિના અનેક શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર શરદ પૂનમની મધ્યરાત્રિ બાદ માતા મહાલક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીની સુંદરતાનો આનંદ લે છે. તેઓ પૃથ્વીનો વિહાર કરતા હોવાની ચર્ચા દરેક ગ્રંથોમાં જોવા મળે છે. આ દિવસે દેશના અનેક વિસ્તારોમાં લક્ષ્મી પૂજનનો મહિમા હોય છે.

11

શરદ પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. ચંદ્રની રોશનીમાં જાણે ધરતી પણ ચાંદીની દેખાય છે. લાગે છે જાણે ચોમાસા બાદ કુદરત સ્વચ્છ અને નયનરમ્ય થઈ ગઈ છે. કહેવાય છે કે આ ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાતે આવે છે.

શરદ પૂનમ આવતીકાલ તા.24 ઓક્ટોબર 2018ને બુધવારે છે.

12

શરદ પૂનમે થયો હતો માતા લક્ષ્મીનો જન્મ 

1. માન્યતા છે કે માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમના દિવસે થયો હતો. એટલે જ દેશના કેટલાક ભાગમાં શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન પણ થાય છે.

13

શરદ પૂનમના દિવસે રાસલીલા

2. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. ત્યારે માતા લક્ષ્મી પણ રાધા રૂપે અવતર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની આ અદભૂત રાસલીલાનો પ્રારંભ શરદ પૂર્ણિમાના દિવસે થયો હોવાની માન્યતા છે.

કુમાર કાર્તિકેયનો જન્મ 

3. શિવ ભક્તો માટે પણ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ પણ શરદ પૂનમના દિવસે થયો હતો. જેને કારણે શરદ પૂનમને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ દિવસે કુંવારિકાઓ સ્નાન કરીને સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. માન્યતા છે કે આમ કરવાથી યોગ્ય પતિ મળે છે.

October 23, 2018
ganesh.jpg
1min7600

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામ એક એવું ગણેશ મંદિર છે, જ્યાં પત્ર લખવાથી પૂરી થાય છે બાધા

pujari

“ગણપતિ દાદા,

જય ભારત સાથે જણાવવાનું કે અમારા નાના દિકરાના લગ્નનું ગોઠવાય ગયું છે, પણ મોટોનો મેળ પડતો નથી, આપ અંતર્યામી છે, ઝડપથી મોટાનું ગોઠવાય એવું કરી આપશો, આપનો પરમ ભક્ત ……..”

આવા તો સેંકડોની સંખ્યામાં હસ્ત લિખિત પત્રો દરરોજ ગણપતિ મહારાજ સુધી પહોંચે છે.

સૌરાષ્ટ્રમાં એવી લોકવાયકા અને માન્યતા પ્રબળ બની છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામ ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની માનતા પૂરી કરે છે. ગામના બસસ્ટેન્ડ પાસે જ એક ગણેશ મંદિર છે. આ મંદિરમાં ગણેશજી ભક્તોની પ્રાર્થના પત્ર દ્વારા સાંભળે છે.

છેલ્લા 27 વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.

ganpati

મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામી કહે છે કે,’આ પરંપરા તેમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય તે માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થઈ. અને આ ચીલો શરૂ થયો.’

આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી ભરતગિરી ગોસ્વામી તેને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે, અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.

સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય. પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે. અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ એક માત્ર છે.

October 19, 2018
Modi_Shirdi2.jpg
1min12280
  • નરેન્દ્ર મોદી શિરડી સાઇબાબાના દરબારમાં પહોંચ્યા
  • સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ
  • સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાનો અવસર
  • વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી

મહારાષ્ટ્રના અહમદનગરમાં સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19મી ઓક્ટોબર 2018ને શુક્રવારનાર રોજ શિરડી પહોંચ્યા હતા.

સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ઉજવણી-મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સાઇબાબા મંદિરમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યુ હતું.

વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે પીએમનો કાફલો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપનાર સ્થાનિક મહિલા કાર્યકર્તા તૃપ્તી દેસાઈની પોલીસે અટક કરી હતી. ભૂમાત્મા રણરાગિણી સેનાની અધ્યક્ષ તૃપ્તી દેસાઈ સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશના મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

October 18, 2018
RSS.jpg
1min19860
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
  • સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
  • નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’

તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.

October 11, 2018
pavagadh.jpg
1min14980

શહેરથી ૪૫ કિ.મી. દૂર આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી બે લાખ શ્રદ્ધાળુ ઊમટી પડ્યા હતા. આજે ભક્તોના દર્શન માટે વહેલી સવારે ૪ વાગે મંદિરના નિજ દ્વાર ખુલ્લા કરી દેવામાં આવ્યા હતાં. નવરાત્રિના પહેલા નોરતે હાલોલના માર્ગો ઉપરથી પાવાગઢ તળેટી ડુંગર તરફ લાખોની સંખ્યામાં ભક્તોની વણઝાર જોવા મળી હતી.

જય મહાકાળીના જયધોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. રોપ-વે ઉડન ખટોલાની સેવા માટે પરોઢે ત્રણ વાગે બુકિંગ શરૂ કરી ચાર વાગે રોપ-વે સેવા શરૂ કરાઇ હતી. પાવાગઢ ખાતે રાત્રિના ૧૧ કલાકે નિજ મંદિરના દ્વાર બંધ કરાશે. મંદિર જવાના પગથિયાં પાસે આવેલા બાવાબજારમાં ભારે ભીડ થતી હોઇ જ્યાં અગાઉ દોરડા બાંધી સંચાલન કરાતું હતું. ત્યાં લોખંડની રેલિંગ લગાવાઇ છે. સુરક્ષાના ભાગ રૂપે દુધિયા તળાવની ફરતે પણ રેલિંગ લગાવી થાંભલા ઊભા કરી લાઇટિંગની વ્યવસ્થા કરાઈ છે.

પોલીસ તંત્ર દ્વારા માંચી તેમ જ ડુંગર પર ક્ધટ્રોલરૂમ ઊભા કરાયા છે. આકસ્મિક ઘટના માટે માચી ખાતે ૧૦૮.ફાયર બ્રિગેડ સહિત મેડિકલની ટીમ સટેન્ડ બાય રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

October 9, 2018
Navratri_9swaroop.jpg
1min10280

તા.10મી ઓક્ટોબર 2018થી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિ દરમિયાન વિવિધ રાશિના જાતકોએ કયા દેવી માં ના સ્વરૂપની પૂજા, આરાધના વિધિવિધાન પૂર્વક કરવી જોઇએ, એ અંગે મોટા ભાગના ભાવિકો અગર તો જાતકોને ખ્યાલ હોતો નથી. અહીં વાચકોને તેમની રાશિ પ્રમાણે કયા દેવી માં ની પૂજા કરવી જોઈએ, જેથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય અે અંગેની માહિતી નિષ્ણાંત અને વિધ્વાન પંડિતો પાસેથી મેળવ્યા બાદ અત્રે નીચે મુજબના તારણો મેળવી શકાયા છે.

શાસ્ત્રોમાં નિર્દેશ છે કે શારદીય નવરાત્રિમાં નવે-નવ દિવસ કયા માં ની પૂજા-અર્ચના, આરાધના કરવી, એ મુજબ પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

  • પ્રથમ દિવસે શૈલપુત્રી,
  • બીજા દિવસે બ્રહ્મચારિણી,
  • ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
  • ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
  • પાંચમા દિવસે સ્કંદમાતા,
  • છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
  • સાતમા દિવસે કાલરાત્રિ,
  • આઠમા દિવસે મહાગૌરી અને
  • નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી

આ પૈકી રાશીવાર જાતકોએ પોતાની રાશી અનુસાર કયા માતાજીને રીઝવવા તે અંગે નિષ્ણાંત પડિતજીઓનો એક સૂર આ મુજબનો છે.

મેષઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.

વૃષભઃ આ રાશિના જાતકોએ ભગવતી ષોડશી-શ્રી વિદ્યા કે માતા બ્રહ્મચારિણીની સાધના કરવી જોઈએ.

મિથુનઃ આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

કર્કઃ આ રાશિના લોકોએ માતા કમલા અથવા માતા સિદ્ધ દાત્રીની પૂજા કરવી જોઈએ.

સિંહઃ તમારે માતા પીતામ્બરા, માતા કાલરાત્રિની પૂજા કરવી જોઈએ.

કન્યાઃ  આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

તુલાઃ આ રાશિના લોકોએ શ્રી વિદ્યામાં માતા ષોડશી અથવા માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ.

વૃશ્વિકઃ તમારે ભગવતી તારા કે માતા શૈલપુત્રીની આરાધના કરવી જોઈએ.

ધનઃ આ રાશિના લોકોએ માતા કમલા કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી જોઈએ.

મકરઃ તમારે માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી

કુંભઃ આ રાશિના લોકોએ માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની પૂજા કરવી જોઈએ.

મીનઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.