CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 30 of 36 - CIA Live

December 10, 2018
kumbh_allhabad.jpg
2min12610

ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં આગામી ૧૫ જાન્યુઆરીથી શરૂ થતા ૪૫ દિવસના કુંભમેળાનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે અલાહાબાદમાં કુંભમેળાની તૈયારીનું નિરીક્ષણ કરતાં પહેલાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એ બાબતમાં ચર્ચા કરી હતી.આગામી વર્ષે ૧૪મી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થશે અને ૫૦ દિવસ ચાલશે તેમ પ્રયાગરાજ મેળા પ્રાધિકરણે માહિતી આપી હતી. તીર્થસ્થાનોમાં માઘ, અર્ધકુંભ અને કુંભ મેળાનું આયોજન આ સંસ્થા સંભાળે છે. તેમણે ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રથમ શાહી સ્નાન થશે અને આખરી સ્નાન ૪ માર્ચ અને મહાશિવરાત્રિએ થશે.

  • સ્નાન પોષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી
  • મૌની અમાવસ્યા ૪ ફેબ્રુઆરી
  • વસંત પંચમી ૧૦મી ફેબ્રુઆરી
  • માઘી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરી

અલ્હાબાદ ડિવિઝનના કમિશ્નર અષિશ ગોયલના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે આ જાહેરાત કરવામા આવી હતી જેમાં અન્ય મહત્ત્વના સ્નાન પોષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી, મૌની અમાવસ્યા ૪ ફેબ્રુઆરી, વસંત પંચમી ૧૦મી ફેબ્રુઆરી અને માઘી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરીએ યોજાશે.

જો કે, આ કાર્યક્રમની તૈયારી તેમજ ગોઠવણમાં અખિલ ભારતીય અખાડા પરિષદને મહત્ત્વ ન અપાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેના વડા સ્વામી નરેન્દ્ર ગીરીએ કહ્યું હતું કે, કુંભના આયોજનમાં અખાડા પરિષદની મંજૂરી વિના કાર્યક્રમ ગોઠવાય છે તે બાબત કમનસીબ છે તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ધ્યાન દોરવામાં આવશે તે છતાં અમારી ઉપેક્ષા ચાલુ રખાશે તો ૨૦૧૯ના કુંભ મેળાનો સાધુ-સંતો બહિષ્કાર કરશે. જો કે આ મેળા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૃા. ૨૫૦૦ કરોડની ફાળવણી કરી દીધી છે.

 

પહેલી જાન્યુઆરીથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. કુંભ મેળાની તૈયારીઓને રાત દિવસ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કુંભ મેળામાં દેશભરના સાધુઓથી લઈને દેશવિદેશના પ્રવાસીઓ પણ ઉમટશે. પરિણામે સુરક્ષા વ્યવસ્થા પણ જડબેસલાક ગોઠવી દેવાઈ છે. 

તેમણે આ પણ જણાવ્યું કે આ વખતે મેળાના વિસ્તારમાં 41 ઘાટમાંથી 37 ઘાટ પરથી બોટ નહીં ચલાવી શકાય. આ વખતે બધાં જ અખાડા ગંગાપાર વિસ્તારમાં લગાવાય છે. સ્નાન પર્વ પર ભીડ ન થાય તે માટે વિશેષ આયોજનો કરાય છે. બેઠકમાં એડીજી એસએન સાબત, આઈજી મોહિત અગ્રવાલ, એસએસપી કુંભ મેળા કવીન્દ્ર પ્રતાપ સિંહ, એસએસપી નિતિન તિવારી, સુરક્ષા અધિકારી આશુતોષ મિશ્રા, આઈપીએસ સુકીર્તિ માધવ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં.

કુંભ મેળાની ભીંતરમાં

ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ. 

ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલાહાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવુ જ મહત્વ છે. આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે.

શુ તમે જાણો છો કે આ મેળો 12 વર્ષે જ કેમ આવે છે ? 

આ મહાકુંભમેળો દર 12 વર્ષે યોજાય છે તેની પાછળ પણ એક કારણ છે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ પર હક જમાવવા માટે યુદ્ધ થયુ હતુ. દાનવો અમૃત પી ને અમર થઈ જવા માંગતા હતા, અને દેવતાઓ એવુ નહોતા ઈચ્છતા. તેથી અમૃત માટે બંને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ અને આ ખેંચાખેંચીમાં અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા 
હતા. એ ટીપાં જ્યા જ્યા પડ્યા હતા તે જગ્યા હતી પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક.
 
કહેવાય છે કે આ યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યુ હતુ. દેવ-દાનવોના એ 12 દિવસ પૃથ્વીવાસીઓ માટે 12 વર્ષ ગણાય છે. તેથી જ ભારતમાં દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન આ ચાર સ્થાનો પર થાય છે. 

12 વર્ષના આ યુદ્ધમાં 12 કુંભ હતા, તેમાંથી 4 કુંભ પૃથ્વી પર હતા જ્યારે બાકીના આઠ કુંભ દેવલોકમાં હતા. યુદ્ધ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને શનિ વગેરે દેવતાઓએ કળશની રક્ષા કરી હતી, એટલે ત્રણ વર્ષના અંતરે આ ચારેય પવિત્ર સ્થાનો પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

કુંભ મેળામાં કેટલો ખર્ચ થશે

આગામી વર્ષે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ યોગી સરકારે શરૂ કરી દીઘી છે. જેનો અંદાજીત બજેટ લગભગ 4200 કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને તેનો અડઘો ખર્ચ ઉઠાવવા સૂચન કર્યુ છે. આ અત્યાર સુધીનુ સૌથી મોંધુ તીર્થ આયોજન હશે. આ પહેલા વર્ષ 2013ના અંતિમ પૂર્ણ કુંભ મેળામાં 2019ના અંદાજીત બજેટના ત્રીજા ભાગની રકમ કરતા પણ ઓછો ખર્ચ થયો હતો.

અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે કહ્યુ છે કે વર્ષ 2019માં આયોજીત થનાર કુંભ મેળા માટે 4236 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો એક ડ્રાફટ તૈયાર કર્યો છે. રાજ્ય સરકારે જેના માટે 2000 કરોડ રૂપિયા ઇશ્યૂ પણ કરી દીઘા છે. સાથે જ 2200 કરોડ રૂપિયા ઇશ્યૂ કરવા કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં યોજાયેલા કુંભ મેળા પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.તે સમયે કેન્દ્રની કોંગ્રેસના નેત્ત્રુત્વ હેઠળની યૂપીએ સરકારે 1017 કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપ્યા હતા.

દર છ વર્ષે અર્ધ કુંભનુ આયોજન કરવામાં આવે છે.જ્યારે 12 વર્ષમાં એક વખત કુંભ મેળાનુ આયોજન કરવામાં આવે છે. યોગી સરકારે અર્ધકુંભને કુંભ અને કુંભનુ નામ બદલીને મહાકુંભ કર્યુ હતુ. આ કુંભ મેળાના બહાને કેન્દ્રની મોદી સરકાર અને યૂપીની યોગી સરકાર આગામી વર્ષે યોજાનારી લોક્સભાની ચૂંટણીમાં મોટો રાજકીય લાભ કમાવા ઇચ્છી રહી છે. આ આયોજનને એક મોટી મતબેંકને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસના ભાગરૂપે પણ જોવામાં આવી રહ્યુ છે.

ઉત્તર પ્રદેશના એક મોટા અધિકારીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી દીઘી છે. જ્યારે 2200 કરોડ રૂપિયાની કુલ માંગ પર વિચારણા કરવામાં આવી રહી છે. 4236 કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી 3000 કરોડ રૂપિયા સ્થાનિક પરિયોજનાઓ અને અલ્હાબાદ શહેરના વિકાસ પર ખર્ચ કરવામાં આવશે.જ્યારે બાકીની રકમ મેળાના ક્ષેત્ર પાછળ ખર્ચ કરાશે.દરમિયાન કુંભ મેળામાં આવવા માટે કેન્દ્ર સરકાર 192 દેશના પ્રતિનિધિઓ અને દેશના છ લાખ ગામના લોકોને બોલાવવાની તૈયારી કરી રહી છે.

 

 

December 5, 2018
pramukh_main.jpg
1min18600

પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી મહોત્સવની ઉજવણીની શરૂઆત આજરોજ તા.5મી ડિસેમ્બર 2017ના સવારથી થઈ ચૂકી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે તા.5મી ડિસેમ્બરને બુધવારે વહેલી સવારે મહંતસ્વામી સાથે મળીને આ મહોત્સવ ખુલ્લો મૂક્યો. મહોત્સવને ખુલ્લો મૂક્યા વિજય રૂપાણીએ કહ્યું,’પ્રમુખસ્વામી મહારાજનો રાજકોટ સાથે અતૂટ સંબંધ રહ્યો હતો.’

રાજકોટમાં થઇ રહી છે પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી

પ્રમુખસ્વામીની જન્મજયંતીની ઉજવણીના ધર્મોત્સવમાં 22 દેશના હરિભક્તો સહિત હજારો લોકો હાજરી આપી રહ્યા છે. આ ઉજવણી માટે માધાપર-મોરબી હાઈવે પર 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરાયું છે. જેમાં રોજ 22 હજાર જેટલા સ્વયંસેવકો અને 700 સંતોસેવા આપી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિ અને સંવાદિતાને વૈશ્વિક ફલકે ઉજાગર કરનાર ખરેખરના લોક હ્રદય સમ્રાટ જેને ગણવામાં આવે છે એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી વિક્રમ સંવત-૨૦૭૫માં તિથિ અનુસાર તા.૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ના આવી રહી છે. કેલેન્ડર વર્ષ અનુસાર તા.૭ ડિસેમ્બરે આ અવસર આવી રહ્યો છે. 2018માં બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ૯૮મા જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ રાજકોટ ખાતે પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં તા.૫ ડિસેમ્બર, ૨૦૧૮થી કરવામાં આવ્યો છે.

  • મુખ્ય ઉજવણી કાર્યક્રમ તા.15મી ડિસેમ્બર 2018ના રોજ રાજકોટ ખાતે યોજાશે

વિરાટ વ્યક્તિત્વ કંઇ એમેજ નથી ખડું થયું

  • 17,000થી વધુ ગામોમાં વિચરણ
  • 2,50,000થીય વધુ ઘરોની મુલાકાત
  • 7,00,000થીય વધુ પત્રોનું લેખન
  • કરોડોની વ્યક્તિગત મુલાકાત

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્યવર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધો, ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સૂત્રધાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કઠિન પુરુષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. 17,500થી વધુ ગામડાઓમાં સાદગીપૂર્ણ રીતે વિચરણ, 3,00,000થી વધુ ભક્ત નિવાસોની સ્વયં મુલાકાત, 7,00,000 ઉપરાંત પત્રોનું લેખન અને કરોડો ભક્તજનો સાથે વ્યક્તિગત મુલાકાત, આવા નકરા પુરુષાર્થને કારણે જ વિશ્વ સમાજ તેમને વંદનીય અને વિરાટ પ્રગટ બ્રહ્મસ્વરૂપ માને છે. આ મહાન સંતે સ્વયં પુરુષાર્થ કરીને અસંખ્ય લોકોનો જીવન-ઉત્કર્ષ કર્યો છે.

ભલભલી બ્રાન્ડને ટક્કર મારે એવી ખ્યાતિ અને આભા ખડી કરી અક્ષરધામની

અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થી ય વધુ મંદિરોનું સર્જન કરીને શ્રી પ્રમુખ સ્વામી મહારાજએ સંસ્કૃતિનાં સનાતન સ્મારકો વિશ્વ ફલક પર વિસ્તાર્યા છે. અનેક કુદરતી આપત્તિઓ દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં તારાજ થયેલા લોકો માટે આ કરુણામૂર્તિ સંતની કરુણા સતત વહી છે અને તેમણે ધખાવેલી આ ધૂણી અવિરત અને અટલ પણે ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ એ ક્યારેય બંધ નહીં થાય. સાધુતાના શિખર સમાન આ મહાન સંતની વિરાટ સિદ્ધિઓનું રહસ્ય એટલે પરમાત્માનો સાક્ષાત્કાર. અસંખ્યોએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ અધ્યાત્મ-શિખર પ્રાપ્ત કર્યું છે.

 

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છતા ભાવિકો માટે ખાસ સૂચના

વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર્વના ઉપક્રમે આ વર્ષે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્યતા અને ભવ્યતાથી રાજકોટ ખાતે ઉજવાશે. આ અણમોલ અવસરનો લાભ લેવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી:

  • જન્મજયંતી મહોત્સવ તા. ૧૫-૧૨-૨૦૧૮, માગશર સુદ ૮, શનિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઉજવાશે.
  • જન્મજયંતી મહોત્સવના દિવસે સૌ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા ઉત્સવ સ્થળે એટલે કે ‘સ્વામિનારાયણ નગર’માં બપોરે  ૨:00 સુધી રાખેલ છે. આ દિવસે સારંગપુર, ગઢડા કે ગોંડલમાં મહાપ્રસાદની વ્યવસ્થા થઈ શકશે નહીં.
  • જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે સભાસ્થળે પ્રવેશ બપોરે ૩:00 વાગ્યા પછી પ્રાપ્ત થશે.
  • મહોત્સવના દિવસે કોઈપણ હરિભક્તે રાજકોટ મંદિરે દર્શન માટે ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોચવું. સભા પૂર્વે ઠાકોરજીનાં લાઈવ દર્શન સમયે સમયે થતાં રહેશે.
  • જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો ઉત્સવમાં ન આવે એ ઇચ્છનીય છે. તેઓ મહોત્સવનું જીવંત પ્રસારણ ઘરે બેઠાં માણી શકશે.

આ જન્મજયંતી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પધારવાના હોવાથી ઉતારા અંગે નીચેની સૂચનાઓ અવશ્ય ધ્યાનમાં લઈએ:

  • ગુજરાતના હરિભક્તો મહોત્સવના દિવસે નીકળી ઉત્સવ સમયે રાજકોટ પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈપણ હરિભક્તો માટે ઉત્સવના દિવસે રાજકોટ, ગોંડલ, ગઢડા કે સારંગપુરમાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, મહોત્સવની વિશાળતાને અનુલક્ષીને આ પ્રકારની વ્યવસ્થા અનિવાર્ય છે. તેથી ઉતારા માટે કોઈપણ પ્રકારનો આગ્રહ રાખવો નહીં.
  • ફક્ત પરપ્રાંત અને પરદેશના તથા વલસાડ અને તેથી દક્ષિણ વિસ્તારના હરિભક્તોને તા. ૧૪-૧૨-૨૦૧૮, શુક્રવારના દિવસે ઉતારા વિભાગ તરફથી ઉતારો પ્રાપ્ત થશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલાં ન આવે તે ઇચ્છનીય છે.
  • ઉતારા માટે તા. ૧૯-૧૧-૨૦૧૮, સોમવાર સુધીમાં ઉતારા રિક્વેસ્ટ ફોર્મ ભરી સબમીટ કરવાથી આપને રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તથા કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા રાજકોટ કે આજુબાજુના વિસ્તારોમાં વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવશે. આ માટે આપનું વાહન અવશ્ય સાથે રાખવું.
  • પરદેશથી અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તને રાજકોટની નજીકમાં પોતાનું કે સંબંધીનું નિવાસસ્થાન હોય તો ઉતારો ત્યાં જ રાખવો. અને પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

ઉતારા માટે હોટલ બુકિંગની વ્યવસ્થાઃ

જે હરિભક્તો હોટલમાં રૂમ બુક કરાવવા ઇચ્છતા હોય, તેમણે મહોત્સવ-સ્થળની નજીક આવેલી હોટલોની વિગત માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરવો. ત્યાંથી હોટલોની માહિતી મેળવ્યા બાદ આપને હોટલ સાથે સીધો વ્યવહાર કરવાનો રહેશે.

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

ઉતારા વિભાગ
ફોન નંબરઃ +91 999 899 2136
ઇમેલઃ psm98utara@gmail.com

અન્ય સૂચનાઃ

તા. ૦૫-૧૨-૨૦૧૮ થી ૧૪-૧૨-૨૦૧૮ દરમ્યાન ‘સ્વામિનારાયણ નગર’ માં પ્રાતઃપૂજાદર્શન, વિશ્વશાંતિ મહાયાગ, જીવનપ્રેરક પ્રદર્શનો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદ્‌ઘોષ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળશે. રાજકોટ ઉપરાંત નજીકના વિસ્તારના હરિભક્તો તેનો લાભ લઈ શકશે, પરંતુ આ દિવસોમાં બહારગામના હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં.

મહોત્સવ સ્થળઃ

‘સ્વામિનારાયણ નગર’, માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ.

December 4, 2018
vadtal.jpg
1min8050
સંખેડા, નસવાડી અને તિલકવાડાના ૭૫ ઉપરાંત ગામડાના પટેલ, બ્રાહ્મણ, તડવી, વસાવા, વાણીયા, ભોઇ, માછી, બારીયા
વગેરે જ્ઞાતિઓના પાંચ હજાર જેટલા નવા સત્સંગીઓ સમૈયા અંતર્ગત શ્રીજી મહારાજનું પૂજન કરી ધન્યતા અનુભવશે!
       મૂળ સત્સંગીઓ સાથે નવદિક્ષિત સત્સંગીઓને પણ કથાપૂજનનો લ્હાવો મળે એ માટે પૂજ્ય નૌતમ સ્વામીનો અહીં ભારોભાર પ્રયાસ રહ્યો હોય તેમ જણાય આવે છે..! અર્થાત્ આ ઉત્સવ સરકાર જેનુંં વધુ જતન કરે છે તેવી આદિવાસી સહિતની પછાત જ્ઞાતિઓ માટેના સંસ્કાર નિરુપણનું આ એક પ્રશસ્ય પગલું છે અને આને માટે જો કોઇ સાચા યશના અધિકારી હોય તો તે પૂજ્ય નૌતમ સ્વામી
છે..!
¶ સત્સંગ માટે ઊંડાણના ગામડાં ખૂંદનાર પાંચે ય સંતો જગતપ્રકાશદાસજી, વેદાંતપ્રકાશદાસજી,રઘુનંદનદાસજી, ભક્તિચરણદાસજી તથા પ્રિયદર્શનદાસજી સ્વામીને  ધન્યવાદ..! ¶
            ———————-
¶ અહીંની પ્રથમ સત્સંગિજીવન કથા ¶
        આ વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથ સત્સંગિજીવનની આ પ્રથમ પારાયણ છે અને જેના વક્તાઓ છે વિદ્વાન કથાકાર શાસ્ત્રી શ્રી સરજુદાસજી [ ભરુચ ] તથા યુવા કથાકાર શ્રી રઘુનંદનદાસજી [ કતારગામ ] તા.૮/૧૨/૨૦૧૮ ના રોજ શુભમુહૂર્તે
સવારે ૧૦ વાગ્યે પોથીપૂજન સાથે કથા શ્રવણ જ્ઞાનયજ્ઞનો આરંભ થશે.
       સંપ્રદાયના ભામાશાઓ ગણાતા પરમ હરિભક્તો ઘનશ્યામભાઈ ખાંધલી, ઘનશ્યામભાઈ મહેસાણા, પંકજભાઈ પટેલ તથા  મનોજભાઇ અજમેરા જેવા અનેક શ્રેષ્ઠિઓ માલપુરના પ્રથમ અતિથિ બનશે.
♦ અહેવાલ: વરિષ્ઠ પત્રકાર બાલુભાઇ વડતાલ સેન્ટર આણંદ
November 24, 2018
ayodhyay3.jpg
1min8720

આવતીકાલ રવિવાર તા.25મી નવેમ્બર 2018ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાઇ રહેલી ધર્મસભામાં દેશભરમાંથી બે લાખથી વધુ લોકો ઉમટી પડવાની વાતે લઘુમતિ સમુદાયના પરિવારોની અસુરક્ષા અહેવાલો વાઇરલ થતાં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવડાવી છે. રાજ્ય સરકારે લખનઉ ઝોનના એડીજી આશુતોષ પાંડેય અને ઝાંસી રેન્જના આઈજી એસએસ બઘેલને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે સતત સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી છે. અયોધ્યામાં આજે ધર્મસભાના અેક દિવસ પૂર્વે એવો માહોલ છે કે જાણે કોઇ મોટી નવાજૂની થવાની ન હોય.

વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર તા.25મી નવેમ્બરની ધર્મસભામાં 1,322 બસો અને 1,546 ફોર વ્હીલર્સમાં 80 હજારથી વધુ કાર્યકરો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 14 હજાર કાર્યકરો મોટરસાઈકલ પર આવશે અને 15 હજાર કાર્યકર્તાઓ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે સતત સક્રીય રહેતા દેશના બે સંગઠનો આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ પૈકી અેકાદ લાખ સમર્થકો આરએસએસના અને દોઢેક લાખ જેટલા વીએચપીના કાર્યકરો રવિવારે અયોધ્યામાં હશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. વીએચપીના આયોજકોનું કહેવું છે કે રવિવારના મેગા મેળાવડા માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રની ભાજપ સરકાર પર વટહુકમ લાવીને રામ મંદિરના નિર્માણનું દબાણ લાવવાની તૈયારી છે.

November 24, 2018
Mataji_meldi.jpg
1min36330

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં નરોડા–દહેગામ રોડ પર આવેલી સ્મશાનભૂમિ સંકુલમાં મસાણી મેલડી માતાના મંદિરમાં પૌરાણિક રીતિ-રિવાજોને પગલે માતાજીને દારૂ ચઢાવવાનું ચલણ એટલું વધી ગયું કે સામાન્ય લોકો તેમજ મંદિર સંચાલકો માટે ઉપદ્રવજનક બનતા મંદિરના સંચાલકોએ રીતસર બોર્ડ મારીને સૂચના લખવી પડી છે કે માતાજીને દારુ ચઢાવવો નહીં. સામાન્ય રીતે ચોક્કસ જ્ઞાતિના લોકોમાં આ રિવાજ છે પણ અહીં સ્વજનની અંતિમ વિધીમાં આવતા અજાણ્યા લોકો માટે આ બોર્ડ કૂતુહલ સર્જી રહ્યું છે અને આ બાબતથી અજાણ લોકો હવે આ મંદિરના ફોટા અને સ્ટોરી વાઇરલ કરી રહ્યા છે.

અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર આવેલી આ સ્મશાન ભૂમિ આ જ કારણે આજકાલ સોશ્યલ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ બની છે. સ્મશાનભૂમિમાં ઉપરોક્ત તસ્વીરમાં જોઇ શકાય છે એમ મસાણી મેલડી માતાનું નાનકડું મંદિર છે અને પૌરાણિક પરંપરા એવી છે કે અહીં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓના લોકો માતાજીને દારૂ ચઢાવે છે અને પોતાની માનતા-અાખડી-બાધા વગેરે દૂર કરે છે. આ રીવાજ ધીરે ધીરે એટલો ફૂલ્યોફાલ્યો કે મંદિરમાં અન્ય લોકો પણ મસાણી મેલડી માતાને દારૂ ચઢાવવા માંડ્યા છે. એક તબક્કે લોકો દેશી દારૂની પ્લાસ્ટીકની કોથળીઓ, બાટલીઓ વગેરે મંદિરમાં ચઢાવી જતા હતા અને તેના જથ્થાનો નિકાલ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે અને અહીં વર્ષોથી શ્રદ્ધાળુઓ બેરોકટોક મસાણી મેલડી માતાને દારૂ ચઢાવી રહ્યા હતા. આખરે મંદિર સંચાલકોએ બોર્ડ મારી દેવું પડ્યું છે કે આ મંદિરમાં માતાજીને દારૂ ચઢાવવો નહીં.

 

November 20, 2018
girnar.jpg
1min6300

અવિધિસર રીતે તા. 17 નવેમ્બર 2018 ની મધરાતથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમામાં સોમવાર તા.19મી નવેમ્બર 2018ની સાંજ સુધીમાં 12 લાખ ઉપરાંત યાત્રિકો ઊમટી પડ્યા હતા.

આ વિક્રમજનક સંખ્યા હોવા છતાં અને વિધિવત્ પરિક્રમાનું ઉદ્ઘાટન સોમવારે મધરાતે જ થયું હતું, આ લખાય રહ્યું હતું ત્યારે મંગળવાર તા.20મી નવેમ્બર 2018ની બપોરે પણ માનવપ્રવાહ ઘૂઘવતા સાગર ની જેમ પરિક્રમના પંથે સંચરી રહ્યો હતો. દરમિયાન હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરતા એવું જણાય છે કે, હજુ સંખ્યામાં વધારો થશે. વનખાતાના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 6 લાખ લોકો, પરિક્રમા પૂરી કરીને ઘરે જવા રવાના થઈ ગયા છે. એક દાયકાની આ રેકર્ડબ્રેક સંખ્યા 12 લાખથી વધુ યાત્રિકોની નોંધાઈ છે. હજુ આ સંખ્યા વધવાની સંભાવના વનખાતાએ કરી હતી.

November 19, 2018
bmef_ravishankar.jpg
1min8590

આર્ટ ઓફ લિવિંગ અને સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે આાગામી તા. 3 ડિસેમ્બર 2018ના રોજ વેસુ રોડ સ્થિત ભગવાન મહાવીર સંકુલ ખાતે યુવા રંગ નામે એક ગ્રાન્ડ યુથ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા રંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના વિશ્વગુરુ શ્રી શ્રી રવિશંકર સંબોધન કરશે. યુવાઓ માટે આ યુથ ઇવેન્ટમાં એન્ટ્રી બિલકુલ ફ્રી છે પણ અગાઉથી તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

સુરતના આંગણે યોજાઇ રહેલી આ યુથ ઇવેન્ટને ગુજરાત રાજ્યની ગ્રાન્ડ યુથ ઇવેન્ટ તરીકે માનવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી યુવાઓ આ ઇવેન્ટમાં જોડાય એમ માનવામાં આવે છે. યુથ ફોર ગુજરાત સંસ્થાનું સંચાલન કરી રહેલા શ્રી જિજ્ઞેશ પાટીલ અને તેમની ટીમે આ ઇવેન્ટને સપોર્ટ જાહેર કર્યો છે. યુથ ફોર ગુજરાતના હજારો મેમ્બર્સ આ ઇવેન્ટસમાં ઉપસ્થિત તો રહેશે જ સાથોસાથ શ્રમદાન પણ કરશે.

પંડિત શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં તા.3જી ડિસેમ્બર 2018ના રોજ યોજાનારા કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સાર્વજનિક કરી રહેલા જિજ્ઞેશ પાટીલ, ભગવાન મહાવીર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલ જૈન તેમજ અન્ય સહાયકો દ્રશ્યમાન છે.

તા.3જી ડિસેમ્બર 2018ના રોજ સવારે 9થી 11 દરમિયાન સુરત ખાતે યોજાનારા યુવા રંગ કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર યુવાનોમાં રહેલી અસલામતીની લાગણી દુર કરવા , તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જળવાઇ રહે તે માટે પ્રેરક પ્રવચન આપશે. સુરતનો કાર્યક્મ વિશ્વભરમાં 155+ દેશોમાં આર્ટ ઓફ લિવિંગના સત્તાવાર સોશિયલ  મીડિયા હેન્ડલ્સ પર લાઇવ થશે.

વધુ માહિતી માટે www.yuvarang.com પર લોગઇન કરવા માટે જણાવાયું છે.

November 18, 2018
girnar.jpg
1min6450

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે. 

સોમવાર, તા 19 નવેમ્બર 2018 થી શરૂ થઇ રહેલી સૌરાષ્ટ્રમાં પવિત્ર મનાતી ગિરનારની પરિક્રમા આ વખતે ગિરનારની તળેટીથી લઇને પર્વત માર્ગ પર પ્લાસ્ટીક ફ્રી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ તેમની સાથે પ્લાસ્ટીકની બેગની જગ્યાએ કાગળની થેલીઓ લઇ જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવશે. દર વર્ષ કરતા આ વર્ષે ગિરનારની પરિક્રમા કરનારાઓની સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે.

આવનારાઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા તા 18 થી 24 દરમ્યાન વધારાની ટ્રેનો તેમ જ હાલ દોડતી અને જૂનાગઢથી ઉપડતી તેમ જ આવતી ટ્રેનોમાં વધારાના કોચ લગાડાયા છે. જ્યારે એસ.ટી.તંત્રે 40 ઉપરાંત વધુ બસો દોડાવી છે. દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જંગલ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે વિવિધ સંસ્થાઓ પરિક્રમા રૂટ ઉપર યાત્રિકોને કાગળની થેલીઓનું વિતરણ કરનાર છે. જેમાં પ્રકૃતિ મિત્ર મંડળ, બોલબાલા ટ્રસ્ટ, સિનિયર સિટીઝન મંડળ, નેચર નિસર્ગ કલબ અને બાબા મિત્ર મંડળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓના સભ્યો, જંગલમાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક ન જાય તેની ખાસ તકેદારી રાખશે.

કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરિક્રમા કરવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનના ડબ્બા પર બેસી જૂનાગઢ આવી રહ્યા છે. ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા એક યુવાન નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢ આવી રહ્યા છે. એસટી બસો અને ટ્રેનોમાં ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ટ્રેનના ડબ્બા પર ચડી લોકો જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા લોકોને નીચે ઉતારવા મહેનત કરી પરંતુ લોકો માન્યા નહિ. જોખમી સવારીમાં ઊનાના હરમડિયા પાસે ડબ્બા પર એક યુવાન સેલ્ફીના ચક્કરમાં નીચે પટકાયો હતો. આથી તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

  • ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢમાં ઠલવાયા
  • ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન હાઉસફૂલ, લોકો ડબ્બા પર ચડી ગયા, સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી
  • ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા
  • 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી

એસ.ટી. વિભાગે પણ બસોની સંખ્યા વધારી છતાં ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ લીલી પરિક્રમા પૂર્ણ કરશે. તેમજ 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આજે લીલી પરિક્રમા કરવા માટે 2 લાખ ભાવિકો જૂનાગઢ પહોંચી ગયા હતા અને ઘણા બધા પદયાત્રીઓએ લીલી પરિક્રમાનો પ્રારંભ પણ કરી દીધો છે.

જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચડીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ હાઉસફૂલ હોવાથી લોકો ડબ્બા પર ચડી ગયા હતા. સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે.

પરિક્રમા કરવા આવતા લોકો એક દિવસમાં જ જંગલની બહાર નીકળી જાય છે. રાત્રિ રોકાણ તો ભાગ્યે જ કરે છે. તેમજ પહેલા પરિક્રમા દરમિયાન ભોજન પણ જંગલમાં બનાવતા હવે ગણ્યા ગાંઠ્યા લોકો જ રસોઈ બનાવે છે.

November 16, 2018
sabri.jpg
1min9300

sabrimala

A to Z of Sabrimala

ધાર્મિક આસ્થાઓ શ્રેષ્ઠ છે કે પછી પરંપરાઓ તોડવાવાળો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય? કાયદા નિષ્ણાતો અને આસ્થાવાન લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આ કારણે દેશનો એક મોટો ભાગ અદાલતના નિર્ણય વિરુદ્ઘ થઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગેનો નિર્ણય કોના પક્ષમાં જાય છે. જો કે આ બાબતે રાજકારણ પણ ચાલી રહ્યું છે. આ સમગ્ર વાદ વિવાદની વચ્ચે આપણે જાણીએ આખરે આ વિવાદ શરૂ ક્યાંથી થયો ?

સબરીમાલા મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે. આ મંદિરમાં 10 થી 50 વર્ષની તથા રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ પાછળ એવી માન્યતા છે કે મંદિરના મુખ્ય દેવતા અયપ્પા બ્રહ્મચારી હતા અને આવામાં મહિલાઓના પ્રવેશથી અયપ્પાનું ધ્યાન ભંગ થઈ શકે છે. અહીંયા નાની બાળકીએ તથા વૃદ્ધ મહિલાઓ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બર થી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે, બાકીના સમયમાં મંદિર બંધ રહે છે. શ્રદ્ધાળુઓ માટે મકરસંક્રાતિનો દિવસ મહત્વનો હોય છે આ દિવસે મહત્તમ લોકો અહીં આવતા હોય છે.

800 વર્ષ જૂની પ્રથા પર દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા કહ્યું કે સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવે. હવે સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓ પણ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે. મંદિરની આ પ્રથાને અદાલતની એક બેન્ચે ગેરકાયદેસર જાહેર કરી છે.

કેરળ કોર્ટે 1991 અને 2015માં કહ્યું હતું કે સબરીમાલા મંદિરને તેમની પરંપરા જાળવવાનો અધિકાર છે. ત્યારબાદ અદાલતે કહ્યું કે મંદિરમાં પ્રવેશની રોક મહિલા હોવાના કારણે નહિ પરંતુ તેમની ઉંમર આધારિત છે. આ પરંપરામાં બદલાવ લાવવા એક વિદ્વાનોનું એક દળ બનાવવાની વાત કરી હતી. પરંતુ કેરળ સરકારના પોતાના ઍફિડેવિટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ ન આપવો એ અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું હતું.

પૌરાણિક કથા પ્રમાણે અયપ્પાને ભગવાન શિવ અને મોહિની ( વિષ્ણુજી નું એક સ્વરૂપ)ના પુત્ર માનવામાં આવે છે. તેમનું એક નામ હરિહરપુત્ર પણ છે. આ સિવાય ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા, મણિકાંતાના નામથી પણ ઓળખવામાં આવે છે. અયપ્પાના દક્ષિણ ભારતમાં ઘણા મંદિરો આવેલા છે જે પૈકી સબરીમાલા મુખ્ય તીર્થસ્થળ છે.

ગયા વર્ષે 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે અનુચ્છેદ 14માં આપેલા સમાનતાનાં અધિકાર, અનુચ્છેદ 15માં ધર્મ અને જાતિના આધારે ભેદભાવ રોકવા અને અનુચ્છેદ 17માં છૂત-અછૂત દૂર કરવી જેવા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી પાંચ જજોની બેન્યને હવાલે કરી હતી. આ મામલે 7 નવેમ્બર 2016ના રોજ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટને સુચિત કર્યું હતું કે તેઓ આ મંદિરમાં કોઈ પણ ઉંમરની મહિલાઓના પ્રવેશના સમર્થનમાં છે.

November 14, 2018
vadtal.jpg
1min12870
પાંચ હજાર પદયાત્રીઓ સાથે રથમાં આવી રહેલા શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથનું આજે તા.16મી નવેમ્બર 2018ના રોજ સાંજે વડતાલમાં  
પૂષ્પવૃષ્ટિ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત !! 
     ————————————–
પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ
      તથા સંતો દ્વારા થશે વધામણાં ॥
          —————————-
        ❏ શ્રી હરિચરિત્રામૃતસાગર ❏
સ્વામિનારાયણ સંપ્રદાયનો હિન્દી સાહિત્ય માં આલેખાયેલો આ સૌથી મોટો અને
પ્રથમ મહાગ્રંથ છે..!! હિંદી સાહિત્યની
દ્રષ્ટિએ આ ગ્રંથ અદ્વિતીય છેઃ એટલું જ
નહિ રાષ્ટ્રિય એકતા તથા સાંપ્રદાયિક
એકતા સિધ્ધ કરતો મહા સેતુ છે..!!
    સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન
નંદ સંત સદગુરુ આધારાનંદ સ્વામીએ
૫૯ વર્ષની વયે વડતાલની પ્રસાદીભૂત
સંત ધર્મશાળાના પૂર્વ તરફના છેડે આવેલ
ગોળ ઓરડા પ્રકારના બુરજમાં હિન્દી
ભાષામાં આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ
વિ.સં.૧૯૧૪, જેઠ સુદ-૮ ના રોજ લખવાની શરૂઆત કરી હતી.! આ ગ્રંથની
હસ્તપ્રતો પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ
સંપાદિત કરી તેના પરથી આ તમામ પ્રકરણ પ્રતોને લેસર ટેકનોલોજી દ્વારા ટીટેનીયમ ધાતુમાં પેઝ રૂપે ઢાળી આખો
ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે..!!

❏ વિશ્વનો આવો મોટો પ્રથમ ગ્રંથ જેનું વજન અધધધ…એક ટન !! ❏

     ——————————————

અગ્નિ બાળી શકે નહિ, પાણી ભીંજવી
શકે નહિ ! એટલું જ નહિ Long Life
ઓહોહોહો ! દસ હજાર વર્ષનું તેનું  આયુષ્ય.!!!
———————
   સંત, શાસ્ત્ર અને મંદિર એ તો સંસ્કૃતિના
આધારસ્થંભ છે અને એને લઇને સંસ્કૃતિ
ટકે છે એમ યુવા સંત શાસ્ત્રી પૂજ્ય
પૂર્ણવલ્લભદાસજીએ માહિતી આપતા
જણાવ્યું હતું. ” હરિ કે ચરિત્ર હરિ સ્વરૂપ
જાના….! ” ગ્રંથ એ ભગવાનનું સ્વરૂપ છેઃ
સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ શાસ્ત્ર સ્વરૂપ પરમાત્માની મોટી સેવા
કરી છેઃ
  આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ વડતાલમાં
રચાયો હોય તેથી વડતાલનો આ વૈભવી
ગ્રંથ વડતાલને જ અર્પણ કરવાનો પૂજ્ય
સ્વામીએ સંકલ્પ કર્યો હતો જે તા.૨૦ મી
ને મંગળવારે સવારે શુભમુહૂર્તે વડતાલને
અર્પણ થનાર છેઃ
       વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ
મંદિરેથી આ ગ્રંથને એક કલાત્મક રથમાં
પધરાવી તા. ૧૬ મીએ પદયાત્રા સાથે વડતાલ લવાશે અને તા.૧૯ મીએ
શોભાયાત્રા સાથે તેનો મહાઅભિષેક થશે.!! ગ્રંથની અર્પણવિધિ સમારંભમાં
ગુજરાતના અગ્રણી સાહિત્યકારો પણ
ઉપસ્થિત રહે તેવી સંભાવના છેઃ
      આ ભવ્ય સાગર સમર્પણ પદયાત્રા વડતાલ આવી પહોંચે ત્યારે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, બોર્ડના
ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, બોર્ડના સભ્યો, મુખ્ય કોઠારી પૂજ્ય ઘનશ્યામપ્રકાશદાસજી તથા પૂજ્ય નૌતમ સ્વામી સહિતના સંપ્રદાયના વિદ્વાન સંતો તથા સત્સંગીઓ વધામણાં કરશે