CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 29 of 36 - CIA Live

January 10, 2019
somnath_temple-1280x720.jpg
1min13180

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે

સોમનાથ મંદિરની વધી આવક

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની આવકમાં વધારો થયો છે. 2018ના વર્ષમાં કરોડો ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, જેને કારણે મંદિરની આવકમાં પણ વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2018 સુધી સોમનાથ મંદિરને 33 કરોડ રૂપિયાની આવક થઈ છે. હજી આમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની ગણતરી બાકી છે. ત્યારે 2018ની મંદિરની કુલ આવક 40 કરોડને પાર થાય તેવું અનુમાન છે.

સોમનાથ મંદિરમાં વર્ષ 2018માં આવતાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા મંદિરની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો. જેમાં ગોલખ દાન, પૂજા વિધિ, અતિથિ ગૃહોનું ભાડું, સુવર્ણદાન, તેમજ ભોજનાલયો સહિતનાં ટ્રસ્ટનાં આવકના સ્ત્રોત દ્વારા સોમનાથ ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ છે. જો કે સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

વર્ષ 2012થી મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટને 120 કિલોથી વધુ સોનાનું દાન મળ્યું છે. જેનાથી મંદિરની આગળના 10 પિલરો, ગર્ભગૃહ, શિખર, તથા મંદિર 1500 જેટલા કળશ પૈકી 300થી વધારે કળશ મઢાઈ ચૂક્યા છે. બાકીના કળશોને પણ સોને મઢવાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરાશે. જે સંદર્ભે શ્રદ્ધાળુઓનો સારો એવો પ્રતિસાદ મળતા નોંધણી શરૂ થઈ ચૂકી છે.

વર્ષ 2018 દરમિયાન VIP શ્રદ્ધાળુનું આગમન પણ વધ્યું હતું. જેમાં અમિત શાહ, વિજય રૂપાણી સહિત પ્રથમ વખત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાં અનેક મહાનુભાવો સોમનાથ દાદાનાં દર્શને આવ્યા હતા. તો મંદિર ખાતે ગત વર્ષે અનેક પ્રકારની સુવિધાઓમાં પણ વધારો કરાયો હતો. જેમાં ભોજનાલયથી માંડીને સમગ્ર મંદિર ખાતે સીસીટીવીનો પણ સમાવેશ થાય છે. અને યાત્રાળુઓ કોઈ પણ જાતની સમસ્યા વગર સોમનાથ મહાદેવના દર્શન કરે છે.

January 5, 2019
solar_eclipse_2019.png
1min12150

ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં દેખાય કે તેની અસર નહીંવત્ વર્તાશે

ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે થશે

(વિશ્વની તસ્વીરમાં દ્રશ્યમાન લંબગોળાકાર ડાર્ક ભાગમાં આવેલા દેશોમાં તા.6 જાન્યુઆરી 2019નું સૂર્યગ્રહણ દેખાશે કે તેની અસર વર્તાશે )

સૂર્ય અને ચંદ્ર પર લાગતા ગ્રહણની સીધી યા આડકતરી અસર પૃથ્વી પર વસતા સામાન્ય માનવીના જીવન પર પડતી હોય છે. કોઇક માટે આ અંધશ્રદ્ધાનો વિષય પણ હોય છે જ્યારે જ્યોતિષ શાસ્ત્રીઓ માટે આ મહત્વની ઘટના સમાન બની રહે છે. આધ્યાત્મિક જગત માટે આ ઘટના મહત્વપૂર્ણ હોય છે. 2019નું પહેલું સૂર્યગ્રહણ તા.6 જાન્યુઆરી 2019ને રવિવારે આકાર પામવાનું છે.

જોકે, રવિવારે 6 જાન્યુઆરી 2019 ના રોજ આંશિક સૂર્યગ્રહણ થવાનું છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. ખગોળીય ઘટનાક્રમ અનુસાર ઓછામાં ઓછા બે ગ્રહણ આસપાસમાં સર્જાયા હોય છે. ક્યારેક એક સાથે ગ્રહણની સંખ્યા ત્રણ-ચાર સુધી પણ પહોંચી ગયાનો ઇતિહાસ છે. રવિવારના સૂર્યગ્રહણ બાદ ચાલુ માસમાં જ ચંદ્રગ્રહણ પણ સર્જાવાનું છે.

તા.6 જાન્યુઆરીએ આકાર પામનારા સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવશે, એ જેટલો સમય રહેશે તેને ગ્રહણ સમય તરીકે ગણવામાં આવશે. ચંદ્રનું પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવવાથી ધરતી પર તેની છાયા પડશે, જેને ગ્રહણ કહેવામાં આવે છે. જોકે આ આંશિક સૂર્યગ્રહણ છે અને ભારતમાં નિહાળી શકાશે નહીં.

આંશિક સૂર્યગ્રહણ ઉત્તર-પૂર્વી એશિયા અને ઉત્તરી પેસિફિક દેશોમાં જોવા મળશે. જાપાન, કોરિયા, મંગોલિયા, તાઇવાન અને રશિયા તેમજ ચીનના પૂર્વીય કિનારા ઉપરાંત અમેરિકાના પશ્ચિમી હિસ્સામાં પણ આ ગ્રહણ દેખાશે. બેઇજિંગમાં સૂર્યનો 20 ટકા હિસ્સો, ટોક્યોમાં 30 ટકા અને વ્લાદિવોસ્ટકમાં 37 ટકા હિસ્સો ચંદ્રમાની પાછળ છુપાઈ જશે. ભારતીય સમયાનુસાર ગ્રહણ સવારે 5.04 વાગે શરૂ થશે અને 9.18 વાગે પૂર્ણ થશે.

કેલેન્ડર વર્ષ 2019ના અંતે 26 ડિસેમ્બરના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણ 2 કલાક 40 મિનિટ 6 સેકન્ડ સુધી ચાલશે. આ ગ્રહણની શરૂઆત સવારે 8.17 વાગે થશે અને 10.57 વાગે પૂરું થશે. સવારે 9.30 વાગે ગ્રહણ તેના ચરમ પર હશે. આ વર્ષનું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ હશે. દક્ષિણ ભારતમાં તેને વધુ સ્પષ્ટ રીતે જોઇ શકાશે. ખાસકરીને કન્નૂર, કોઝીકોડ, મદુરાઈ અને ત્રિશૂર ક્ષેત્રોામં તે સૌથી વધુ સ્પષ્ટ રીતે દેખાશે.

આ જ મહિને પૂર્ણ ચંદ્રગ્રહણ

2019ના આખા વર્ષમાં ઘણાં ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. ચાલુ જાન્યુઆરી 2019 મહિનામાં જ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. 20-21 જાન્યુઆરીના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ યોજવાનું છે. જોકે આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય.

December 26, 2018
shirdiwale_modi.jpeg
1min11650

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

December 26, 2018
balaji-mbbs.jpg
1min6860

ગુજરાતમાં ફેલાઈ રહેલા રોગચાળાની સામે રક્ષણ મળે એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી હનુમાનજી ને ડૉક્ટરનો ડ્રેસ, ઇક્વિપમેન્ટસ સમેતનો શણગાર કરવામાં આવ્યો હતો.

BALAJI MBBS

રાજકોટમાં બાલાજી મંદિર ખાતે બિરાજમાન બાલાજી હનુમાનજી સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં બલ્કે જગવિખ્યાત ભગવાન છે. લાખો લોકોની આસ્થાનું પ્રતિક સમા બાલાજી ભગવાનને ગયા શનિવાર તા.26મી ડિસેમ્બર 2018ના રોજ તબીબના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને બાલાજી મંદિરને બાલાજી હોસ્પિટલના નામથી શણગાર કરીને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે ગુજરાત તેમજ દેશના સામાન્ય લોકોના આરોગ્યનું રક્ષણ કરજો ભગવાન….

ગુજરાતમાં વધી રહેલા ડેન્ગ્યુ ફીવર અને સ્વાઇન ફ્લુ જેવી જીવલેણ બીમારીના કેસો ઘટે અને લોકોનું આરોગ્ય જળવાય એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી મંદિરના બાલાજીને ડૉક્ટરના વાઘા પહેરાવીને એ મુજબનો શણગાર કરી આ પ્રકારના રોગચાળા સામે રક્ષણ કરવા માટે તા.24મી ડિસેમ્બર 2018ના રોજ શનિવારે આરતી કરવામાં આવી હતી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિરમાં બાલાજી ભગવાનને ક્યારેય આ પ્રકારના વાઘા પહેરાવવામાં નથી આવ્યા. આ પહેલો પ્રસંગ હતો કે જેમાં ભગવાનને ડૉક્ટર બનાવવામાં આવ્યા હોય.

December 24, 2018
siddhi_vinayak_pal.jpg
1min21340

સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે પણ આસ્થાનું પ્રતિક બનેલા સુરતના પાલ આરટીઓ બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આવતીકાલ મંગળવાર તા.25મી ડિસેમ્બર 2018ના અંગારકી ચૌથના પર્વે ખાસ ગણેશાર્ચનમ્ પૂજા વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગણેશાર્ચનમ્ પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ પણ અંગારકી ચૌથના પર્વે તેનું વિશેષ મહાત્મ્ય હોય છે.

પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલ ખાતે દર વખત કરતા આ વખતની અંગારકી ચૌથની ઉજવણી કંઇક અનોખી રીતે કરવામાં આવશે. મંદિર સંચાલકગણએ આવતીકાલે ગણેશ યાગ આયોજન તો કર્યું જ છે પણ તેમાં આકર્ષણ ભારતવર્ષ માં ગજરાજ (હાથી)ના પૂજન-વિધાન સાથે તથા કેરળના પારંપરિક અને સાંસ્કૃતિક શણગારથી પરીસર બની રહ્યું છે. કેરળના જુદા જુદા વાદ્યોનું વાદન સાથે સમગ્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે વેદપારાયણ પણ કરવામાં આવશે. આ તમામ પૂજાઓ સુરતમાં ભાગ્યે જ થતી હોય છે.

વડોદરા, કાશી અને નાશિકના પ્રખર વિદ્વાન પંડિતોના સાનિધ્યમાં ગણેશયાગ અને અન્ય પૂજન વિધી હાથ ધરવામાં આવશે. કુલ ૧૦૮ યુગલ આ યાગ માં બેસશે. મંગળવાર તા.25મી ડિસેમ્બર સવારથી પાલ સ્થિત અન્નપુર્ણા (સિધ્ધી વિનાયક ) મંદિર , પાલ ( આર.ટી. ઓ. ની બાજુ માં) કાર્યક્રમો શરૂ થશે.

સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે આ આયોજન મંદિર મેનેજમેન્ટ દ્વારા ઘણાં દિવસો પૂર્વેથી શરૂ કરી દેવાયું હતું. અનેક પ્રકારની તૈયારીઓ કરવાની હતી, આખરે આ મહાપૂજા સમાન ગણેશાર્ચનમ્ માટે અમે પૂર્વ સંધ્યાએ સજ્જ થઇ શક્યા છીએ. ગણેશ યાગમાં આમ તો 101 યુગલ બેસવાના હતા પરંતુ, ભક્તજનોની માગણીને પગલે 125થી વધુ યુગલ પૂજામાં બેસશે. તેમણે કહ્યું કે સુરત, તાપી, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ગણેશાર્ચનમ્ આયોજન અંગે ખાસ્સી ચર્ચા છે અને આવતીકાલે મંદિર પરીસરમાં વીસથી પચ્ચીસ હજાર ભક્તજનો અંગારકી ચૌથના પર્વે ભગવાન શ્રી ગણેશના દર્શનાર્થે તેમજ ગણેશયાગનો લાભ લેવા પધારશે એવી ગણતરી છે. તેમણે કહ્યું કે ભક્તજનોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તજનોએ સ્વયં સેવકોને અનુસરીવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

December 23, 2018
ganga.jpg
1min17420

ગંગા નદી જે 39 જગ્યાએથી પસાર થઈ રહી છે તેમાંથી ચોમાસા બાદ માત્ર એક જ જગ્યા એવી છે જ્યાં ગંગાનું પાણી સ્વચ્છ જોવા મળ્યું હતું, એમ સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (સીપીસીબી)એ હાથ ધરેલા અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું છે.

ગંગા નદી જ્યાંથી પસાર થાય છે તે 41માંથી 37 જગ્યાએ ચોમાસા અગાઉના સમયગાળામાં હળવાંથી લઈને ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું બાયોલોજિકલ વૉટર ક્વૉલિટી અસેસમેન્ટ ઑફ રિવર ગંગા (2017-18)ના સીપીસીબી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કૉર્ટના આદેશને પગલે સીપીસીબી દ્વારા આ અહેવાલ તૈયાર કરી જાહેર કરવામાં આવ્યો હતો.

ચોમાસા અગાઉના સમયગાળામાં 41માંથી માત્ર ચાર જ જગ્યાએ ગંગા નદીનું પાણી સ્વચ્છ કે આંશિક પ્રદૂષિત હોવાનું જોવાં મળ્યું હતું તો ચોમાસા બાદ 39માંથી માત્ર એક જ જગ્યાએ ગંગાનું પાણી સ્વચ્ચ જોવા મળ્યું હતું.

ચોમાસા અગાઉ અને બાદ લેવામાં આવેલા ગંગા નદીનાં પાણીનાં નમૂનાઓનું પૃથ્થકરણ કર્યા બાદ તેને ગુણવત્તાની અલગ અલગ પાંચ શ્રેણી (સ્વચ્છ, આંશિક પ્રદૂષિત, હળવું પ્રદૂષિત, ભારે પ્રદૂષિત અને ભયંકર પ્રદૂષિત)માં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. અહેવાલમાં જણાવ્યાનુસાર ચોમાસા અગાઉ 34 જગ્યાએ ગંગાનું પાણી હળવું પ્રદૂષિત તો ત્રણ જગ્યાએ ભયંકર પ્રદૂષિત હોવાનું જણાઈ આવ્યું હતું.

ઉત્તર પ્રદેશની બે ઉપનદી (પાન્ડુ અને વરુણા)ઓ ગંગા નદીમાં પ્રદૂષણ વધારી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ જ્યાંથી પસાર થાય ત્યાં કોઇ પણ જગ્યાએ ભયંકર પ્રદૂષણ જોવા નહોતું મળ્યું.

મોટાભાગનાં સ્થળોએ હળવું પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

December 23, 2018
morari_bapu-1280x720.jpg
1min8190

ગુજરાતના રામાયણી સંત અને જાણીતા કથાકાર મોરારી બાપુ અયોધ્યામાં ચાલી રહેલી રામકથામાં મુંબઇથી પહોંચેલી કેટલીક સેક્સ વર્કર્સ મહિલાની ઉપસ્થિતિના મુદ્દે અયોધ્યા સમેત ઉત્તર પ્રદેશમાં ભારે વિવાદ થયો છે. યુપીના કેટલાક રાજકીય, સામાજિક નેતાઓએ મોરારી બાપૂ સામે મુખ્યમંત્રી આદિત્યનાથ સુધી ફરીયાદો કરી છે.

એક તરફ મુંબઇથી અયોધ્યા પહોંચેલી સેકસ વર્કર્સ મહિલાઓ પોતાને કાર્યક્રમમાં આમંત્રિત કરાયાને બહુમાન સમજી રહી છે ત્યારે બીજી તરફ દક્ષિણપંથી જુથોએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી દીધી. તેમનું કહેવું છે કે તેનાથી અયોધ્યાની છબિ ખરાબ થઈ રહી છે.

મોરારી બાપુએ શનિવારે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મુંબઈથી અયોધ્યા ગયેલી 200 સેક્સ વર્કર્સને પ્રવચન આપ્યું હતુ. તેમણે તુલસીદાસની માનસ ગણિકા સંભળાવી હતી. આ વાત પર ડંડિયા મંદિરનાં મહંત ભારત વ્યાસે વિરોધ કરતા કહ્યું હતું કે ભગવાન રામની જન્મભૂમિ પર સેક્સ વર્કર આવતા ખોટો સંદેશ જશે. આ પવિત્ર શહેરમાં શ્રદ્ધાળુઓ પોતાના પાપ ધોવા આવે છે.

જ્યોતિષ શોધ સંસ્થાનાં પ્રમુખ પ્રવીણ શર્માએ સીએમને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, “મે મોરારી બાપુની ફરિયાદ સીએમને કરી છે. જો તેઓ સેક્સ વર્કર્સનાં જીવનમાં બદલાવ ઇચ્છે છે તો તેમને રામકથા પર ખર્ચ કરવાની જગ્યાએ તેમની વચ્ચે પૈસા વહેંચવા જોઇએ.” ધર્મ સેના પ્રમુખ અને બાબરી મસ્જિદ ઘટનાનાં આરોપી સંતોષ દુબેએ કહ્યું કે મોરારી બાપુ શહેરની પવિત્રતા ભ્રષ્ટ કરે છે.

December 18, 2018
Shiva-Rudraksha.jpg
1min10820

હિન્દુ ધર્મના પુરાણોમાં  પારદ શિવલિંગનો ઉલ્લેખ છે કે વૈજ્ઞાનિક રીતે મરક્યુરી એટલે કે પારાને હિલિંગ (ઉપચાર માટેનું શ્રેષ્ઠ માધ્યમ) માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.

અધ્યાત્મિક વિશ્વમાં પારદ્ શિવલીંગનું વિશેષ મહાત્ત્મય છે. પારદ્ શિવલીંગના સાનિધ્યમાં મેડીટેશન એટલે કે ધ્યાન ધરવાથી અનેક ગણા વધારે ફાયદાઓ મેળવી શકાયાના દાખલાઓ, પરચાઓ હાજરાહજૂર છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણે પણ પારદ શિવલીંગની ઉપાસના થકી અખુટ સમ્પદા અને લંકાની સોના પ્રાપ્ત કરી હતી. પારદને ભગવાન શિવના રજ અંશ તરીકે ઓળખવામાં આવે છે. પારદ્ શિવલિંગના આધ્યાત્મને નવી ઉંચાઈ તરફ લઈ જશે.

આગામી દિવસોમાં ભારત જ નહીં બલ્કે વિદેશોથી પણ લોકો શાંતિ મેળવવા વલસાડના રોલા ખાતે પધારશે કેમકે વલસાડ ખાતે વિશ્વનું સૌથી મોટું પારદ્ શિવલિંગની રચના કરવાનું મહાકાર્ય શરૂ થઇ ચૂક્યું છે.

યજ્ઞમૂર્તિ દાદાશ્રી અને ધ્યાન મૂર્તિ પૂજ્ય ગુરુશ્રી દ્વારા સૌથી મોટા પારદ્ શિવલિંગની રચના કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાના ભગીરથ પુરુષાર્થ બાદ આ પારદ્ મહાલિંગમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પારદ્ મહાલિંગમના નિર્માણમાં 3,333 કિલો પારો (મરક્યુરી)નો ઉપયોગ કરવામાં આવશે. આ આખાય કાર્યને દાદાશ્રી ફાઉન્ડેશનનો સહકાર સાંપડી રહ્યો છે.

ધ્યાનમૂર્તિ ગુરુશ્રીના કહેવા પ્રમાણે હાલ વિશ્વમાં સમસ્યાઓ વધી રહી છે. લોકો સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છે, સાથે જ કેન્સર જેવા અસાધ્ય રોગો પણ વધી રહ્યા છે. આવા સમયમાં જો પારદના શિવલિંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરીક રીતે અનેકગણો ફાયદો થાય છે. એટલે જ અમે શિવલિંગનું મંદિર નહીં પરંતુ ધ્યાન કેન્દ્ર બનાવી રહ્યા છીએ.

તો દાદાશ્રીનું કહેવું છે કે પારદના શિવલીંગની સામે ધ્યાન કરવાથી અનેકગણા ફાયદો મળે છે. એટલે જ યોગીઓ ધ્યાન કરવા માટે પારદના શિવલીંગને પસંદ કરે છે

December 18, 2018
pramikh-swami-mandir.jpg
1min5220

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુરમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં અક્ષરપુરુષોત્તમ મંદિર અને યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરની વચ્ચે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર આકાર લેશે. સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજે ગઈ કાલે સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્મૃતિમંદિરની શિલાન્યાસવિધિ કરી હતી.

૨૦૧૬ની ૧૩ ઑગસ્ટે અંતર્ધાન થયા બાદ વંદનીય પ્રમુખસ્વામી મહારાજની ઇચ્છા મુજબ જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ પડે એ સ્થળે તેમના શ્રીવિગ્રહની અંતિમ વિધિ કરવામાં આવી હતી એ સ્થળે મહંતસ્વામીની પ્રેરણાથી સંગેમરમરનું સ્મૃતિમંદિર બનવા જઈ રહ્યું છે.

ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના કલામંડિત મંદિરનો શિલાન્યાસ મહંતસ્વામી મહારાજે ગઈ કાલે સંતો અને હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો. તેમણે કળશસ્થાપના અને શિલાપૂજનવિધિ કરી હતી. વરિષ્ઠ સંતો દ્વારા મહાપૂજાની વિધિ થઈ હતી.

December 17, 2018
kumbh_allhabad.jpg
1min4880

કુંભમેળા-૨૦૧૯ માટે મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રેલવેએ વિવિધ સ્ટેશનોથી પ્રયાગરાજ સુધી ૮૦૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ કર્યો છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (એનસીઆર) દ્વારા દોડાવાતી ટ્રેનો ઉપરાંતની આ ટ્રેનો હશે.  કુંભમેળા માટે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિવિધ રેલવે ઝોનમાંથી છ સ્પેશિયલ ટ્રેનો પ્રયાગરાજ આવશે.

પ્રયાગરાજથી નવી દિલ્હી સુધી ૫૦૦૦ પ્રવાસી ભારતીયને લઇ જવા માટે રેલવે પાંચ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો વિચાર કરી રહી છે. વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી બાદ તેઓ પ્રયાગરાજ આવવાના છે. એમને પ્રયાગરાજથી દિલ્હી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે લઇ જવામાં આવશે.

શરૂ થતી ટ્રેનો અને સ્પેશિયલ ટ્રેનોના ૧૪૦૦ ડબ્બાઓ પર વિનિલ વ્રેપિંગથી આખા દેશમાં આ ધાર્મિક મેળાનો સંદેશ પહોંચાડવા માટે કુંભમેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. ડબ્બાઓ પર કુંભમેળા અને પ્રયાગરાજના અગત્યના સ્થળોના આકર્ષક અને રંગીન ફોટાઓ લગાવવામાં આવશે.

રેલવેએ ‘પેઇન્ટ માય સિટી’ અભિયાન માટે રેલવે સ્ટેશનો અને રેહવાસી કોલોનીઓમાં ચિત્રો દોરવાની પરવાનગી આપી છે અને ત્યાં કુંભ મેળાની બ્રાન્ડિંગ કરવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રેલવેના નોર્થ સેન્ટ્રલ ઝોન સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અલાહાબાદ અને આસપાસના વિસ્તારોની સંસ્કૃતિ, કલા અને પરંપરાનું પ્રદર્શન કરતા સ્ટોલ્સ પેસેન્જર એનક્લોઝર્સમાં મૂકવામાં આવશે. અલાહાબાદ જંક્શન રેલવે સ્ટેશન પર ૧૦,૦૦૦ શ્રદ્ધાળુઓ સમાઇ શકે એવા ચાર મોટા એનક્લોઝર્સઊભા કરવામાં આવ્યા છે. એમાં વેન્ડિંગ સ્ટોલ્સ, પાણીના પ્યાઉ અને ટિકિટ કાઉન્ટર્સ, એલસીડી ટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને મહિલાઓ અને પુરુષ માટે સ્વતંત્ર ટોઇલેટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આવા જ એનક્લોઝર્સ અન્ય સ્ટેશનો પર પણ ઊભા કરવામાં આવશે.

કુંભમેળાના કમાન્ડ, ક્ધટ્રૉલ સેન્ટરનું મોદી દ્વારા ઉદ્ઘાટન

પ્રયાગરાજ: કુંભમેળા માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કમાન્ડ અને ક્ધટ્રોલ સેન્ટરનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ઉદ્ઘાટન કર્યું હતું. એમણે ગંગા પૂજન કર્યું હતું અને સ્વચ્છ કુંભ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કુંભમેળા અગાઉ ગંગા અને ઘાટોની સફાઇ માટેના વિવિધ વિકાસકાર્યો રાષ્ટ્રને અર્પણ કરવા અંડાવા જવા અગાઉ મોદીએ પ્રયાગરાજમાં અક્ષયાવતની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ તેઓ બમરૌલી એરપોર્ટ, પ્રયાગરાજ ગયા હતા અને ત્યાં એમણે એરપોર્ટના નવા ટર્મિનલ મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું.