આધ્યાત્મિક Archives - Page 19 of 37 - CIA Live

June 8, 2020
siddhi_vinayak_pal.jpg
1min6380

તા.8મી જુનથી ભારતમાં લૉકડાઉન પછી ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવાની શરતી પરવાનગી આપવામાં આવી છે. ધાર્મિક સ્થળો પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ છે આવી સ્થિતિમાં સૂરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર અને અન્નપૂર્ણા માતાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે હાલમાં કોવીડ-19ની પરિસ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા આયુર્વેદિક ઉકાળો પ્રસાદી સ્વરૂપે પીવડાવવામાં આવશે.

વધુ માહિતી આપતા મંદિર પરીસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઈન્સનો મંદિર પરીસરમાં ચૂસ્ત અમલ કરવા સાથે તા.9મી જુનથી મંદિર ભાવિકો માટે ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ખાસ આત્માનંદ સરસ્વતી ફાર્મસી નિર્મિત આયુર્વેદિક ઉકાળો જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, જાળવવામાં મદદરૂપ થાય છે, એ દર્શનાર્થીઓને પ્રસાદી સ્વરૂપે પીડાવવામાં આવશે.

શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત.

સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસની મહામારીના કારણે ભક્તજનો માટે બંધ રહેલ I શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત. સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તારીખ-09/06/2020 (મંગળવાર)થી ભક્તજનો માટે દર્શનાર્થે ખોલવામા આવશે.

જરૂરી સુચના

દરેક ભાગ્યશાળીઓએ અચૂક માસ્ક બાંધવાનું રહેશે. તથા પોતાના ચપ્પલ બુટ પોતાના વાહનમાં જ મૂકીને આવવાનુ રહેશે.

દર્શન દરમિયાન દરેક ભક્તો એ લાઇનમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે.

મંદિરે ભક્તજનો ને ફક્ત દર્શન જ કરવા દેવામા આવશે. મંદિરમાં પાઠ કરવા નો રહેશે નહીં, ફક્ત દર્શન કરીને બહાર નીકળી જવાનું રહેશે.

મંદિરનો સમય સવારે 06:30 કલાક થી બપોરે 12:00 કલાક સુધી અને સાંજે 04:00 કલાક થી રાત્રે 08:00 કલાકનો રહેશે. સાંજે ૦૭:૦૦ કલાકે આરતીમા કોઈ પણ ભક્ત ને એંટ્રી મળશે નહીં.

કોરોના વાઈરસની મહામારી ને ધ્યાનમા લઈ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી નો આયુર્વેદિક ઉકાળો ભક્તજનો ને પ્રસાદી રુપે આપવામા આવશે.

આ નિયમો આપણા સૌના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને બનાવેલા છે, સહકાર આપવા વિનંતી.

June 6, 2020
temple_pujari_mask.jpg
2min7080

8/6/20 : સોમવારથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, મૉલ્સ અને હોટલ્સ શરૂ થશે

ગુજરાતમાં આગામી સોમવાર એટલે કે તા. 8મી જુન 2020થી ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો, શોપિંગ મૉલ્સ અને હોટલ્સ-રેસ્ટોરેન્ટસ અઢી મહિનાના લાંબા અંતરાય બાદ ફરીથી શરૂ થશે. જોકે, સરકારના જણાવ્યા અનુસાર આ સ્થળો પબ્લિક ગેધરિંગના સ્થળો હોઇ તમામ સ્થળોની મુલાકાત લેનારા લોકોએ સરકારે જાહેર કરેલા કેટલાક નિયમો અનુસરવા પડશે.

દર્શનાર્થી-પૂજારીઓ સમેત તમામ માટે માસ્ક ફરજિયાત

ગુજરાતમાં તા.8 જુનથી પુનઃ મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના આદેશ અનુસાર મંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન વગેરે ઉપરાંત પ્રસાદ વહેંચી શકાશે નહીં કે ક્યાંય સ્પર્શ કરી શકાશે નહીં. તસ્વીર સોશ્યલ ડિસ્ટન્સિંગથી દર્શન કરતા દર્શનાર્થીઓની છે. પ્રતિકાત્મક તસ્વીર

દર્શનાર્થીઓ માટેની આચારસંહિતા

  • ક્યાંયો અડવું નહીં, મૂર્તિ કે ગ્રંથને સ્પર્શ કરવો નહીં
  • મંદિરમાં ઘંટ વગાડવો નહીં
  • પગરખાં વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો
  • ચરણામૃત કે પંચામૃત વહેંચી શકાશે નહીં
  • કોઇપણ પ્રકારનો પ્રસાદ વહેંચવો નહીં
  • માસ્ક પહેરીને જ મંદિરમાં જઇ શકાશે
  • સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે

રાજ્ય સરકારની એવી પણ સ્પેશિફિક ગાઇડલાઇન છે કે મંદિરોમાં દર્શન કરી શકાશે પરંતુ, દર્શનાર્થીઓમાં કોઇપણ પ્રકારનો કે કોઇપણ સ્વરૂપે પ્રસાદ વિતરણ કે વહેંચી શકાશે નહીં. પ્રસાદમાં ચરણામૃત પણ વહેંચી શકાશે નહીં. ભાવિકો ઘંટ પણ વગાડી નહિ શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહિ કરી શકે.

મંદિરોમાં આ પ્રકારે પૂજારીઓ, સહકર્મચારીઓ વગેરેએ પણ ફરજિયાત માસ્ક પહેરવા પડશે. પ્રતિકાત્મક તસ્વીર

મંદિર, મસ્જિદ, ચર્ચ કોઇપણ ધાર્મિક સ્થળો માટે કડક ગાઇડલાઇન્સ

દર્શનાર્થીઓ મંદિરમાં ભગવાનને કે અન્ય કોઇ સ્થળે હાથથી સ્પર્શ કરે નહીં એ પ્રકારની વ્યવસ્થા મંદિર મંડળોએ કરવાની રહેશે. પૂજા કરતી વખતે ઓછામાં ઓછું 7થી 8 ફૂટનું અંતર રાખવું પડશે. દર્શનાર્થીઓએ પોતાના પગરખાં ઘણું ખરું પોતાના વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે.

દર્શનાર્થીઓને ધાર્મિક સ્થળો પર, કે રેસ્ટોરન્ટ અને મોલમાં જનારા મુલાકાતીઓએ મોઢા પર માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇએ, નહીં તો એમને મંદિર કે અન્ય પ્રીમાઇસીસમાં પ્રવેશ નિષેધ કરવાનો રહેશે.

મંદિર, મોલ્સ, રેસ્ટોરેન્ટ્સમાં સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનીંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવુ પડશે.

કોરોનાને દૂર રાખવા માટે આ ગાઇડલાઇન્સ અનુસરો

June 6, 2020
babaamarnath_2020.jpg
1min10180

કોરોના વાઈરસને કારણે ઈતિહાસમાં પહેલી જ વાર વાર્ષિક અમરનાથ યાત્રા માટે જ્યેષ્ઠ પૂર્ણિમાને દિવસે કરવામાં આવતી પ્રથમ પૂજા શુક્રવારે (5 June 2020) ચંદનવાડીને બદલે જમ્મુમાં સંપન્ન થઈ હતી.

જોકે, અમરનાથ યાત્રાના આરંભ અંગે હજુ પણ અચોક્કસતા પ્રવર્તી રહી હોવા વચ્ચે અમરનાથ સાઈન બોર્ડ યાત્રા ૧૫મી જુલાઈએ શરૂ કરી રક્ષાબંધનના દિવસે એટલે કે ૩ ઑગસ્ટે પૂરી કરવા મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આ બાબતને હજુ સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું.

સૈદ્ધાંતિક રીતે આ યાત્રાને રદ કરતા યાત્રાનું પ્રતીક ગણાતી છડી મુબારકને આ વરસે હૅલિકોપ્ટર મારફતે ગુફા સુધી લઈ જવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર બાલતાલ માર્ગે થોડાક હજાર લોકો માટે યાત્રાનું આયોજન કરવાની પણ કવાયત ચાલી રહી છે. જોકે, પ્રશાસન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને તેને ટાળવાની કોશીશ કરી રહ્યું છે.

આ પૂજામાં શ્રી અમરનાથ શ્રાઈન બૉર્ડના મુખ્ય સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ રાજેશ ગુપ્તા સહિતના લોકોએ ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીર સહિત દેશમાં કોરોના વાઈરસના પ્રકોપનો અંત આવે તેવી પ્રાર્થના સાથે ઉપસ્થિત તમામ લોકોએ હવન-યજ્ઞમાં આહૂતિ આપી હતી.

પ્રથમ જ વાર એવું બન્યું છે કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને લીધે વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ જ શરૂ નથી થઈ શકી અને યાત્રાના બંને માર્ગ (ચંદનવાડી અને બાલતાલ) બરફથી ઢંકાયેલા છે.

અગાઉ આ પૂજા ચંદનવાડીમાં કરવામાં આવતી હતી, પરંતુ આ પહેલી જ વાર છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને કોરોનાને કારણે આ પૂજા ચંદનવાડીને બદલે જમ્મુમાં કરાવવી પડી છે.

બૉર્ડના કાર્યાલયમાં વિધિવત પૂજા-અર્ચના કરીને એક રીતે જોવા જઈએ તો યાત્રાનો આરંભ કરી જ દેવામાં આવ્યો છે.

જોકે, શ્રાઈન બૉર્ડે યાત્રાનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો.

સૂત્રોના જણાવ્યાનુસાર બૉર્ડે યાત્રા શરૂ કરવાની પ્રસ્તાવિત તારીખ ૨૩ જૂન નક્કી કરી રાખી છે.

આ વખતે અમરનાથ યાત્રાને ૧૫ દિવસ પૂરતી સીમિત રાખવામાં આવે તેવી શક્યતા છે.

આગામી થોડાક દિવસમાં શ્રાઈન બૉર્ડની મળનારી બેઠકમાં યાત્રા શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ઑનલાઈન કે ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે દેશના મોટાભાગના શ્રદ્ધાળુઓ બરફના શિવલિંગનાં દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવા અંગે પણ બૉર્ડ ચર્ચાવિચારણા કરી રહ્યું છે એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે ઑનલાઈન રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

June 1, 2020
rathyatra_2019.jpg
1min5440

સમગ્ર ભારતમાં મુંબઇ પછી જ્યાં કોરોનાના સૌથી વધુ કેસો મળી આવ્યા છે અને હજુ મળી રહ્યા છે એવા અમદાવાદ ખાતે આગામી તા.23મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા તો નીકળશે પરંતુ, બિલકુલ સાદાઇથી કાઢવા અને લોકો ભેગા ન થાય એ રીતે યોજવા માટે તંત્ર અને મંદીર ટ્રસ્ટીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

જગન્નાથજી મંદિરમાં ટ્રસ્ટીઓ, મહંતોની રથયાત્રા સંદર્ભની પ્રાથમિક ચર્ચા માટેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે રથયાત્રા સાદાઈથી નીકળશે. જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, આ વખતે રથયાત્રામાં અખાડા, ટ્રક, ભજનમંડળીઓ નહીં જોડાય.  

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રા મહોત્સવ કે જે ખૂબ જ ધામ-ધૂમ પૂર્વક ઉજવાતો હોય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતાં હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ઊભા થયેલા સંજોગોને કારણે 5મી જૂન, 2020 શુક્રવારે જેઠ સુદ પૂર્ણિમાએ જળયાત્રાનું આયોજન પણ અત્યંત સાદાઈથી યોજાશે. જેમાં નગરજનો જોડાઈ શકશે નહીં. 

જળયાત્રામાં મંદિરના મહંત, પૂજારી અને માત્ર ગણતરીનાં વ્યક્તિઓ જ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને ભગવાનનાં જળાભિષેક માટે સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરે જશે. જ્યાંથી વિધિવત્ ગંગાપૂજન વિધિ બાદ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. 

રથયાત્રાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ ઘરે બેસીને જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરી શકશે. આ રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ અન્ય કોઈ નગરજનોને હાજર નહીં રહે. ભગવાનના મામેરામાં પણ આ વખતે માત્ર એક કે બે વ્યક્તિને જ આમંત્રિત કરવામાં આવશે. 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે, પરંતુ સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે. 

May 31, 2020
navkar.jpg
1min6580

આજે રવિવાર તા.31મી મે સવારે પોણા નવ વાગ્યાના અરસાથી સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને તે માટે 10 લાખ જૈનો દ્વારા 99 કરોડ નવકારમંત્ર જાપ શરૂ કરવામાં આવ્યા છે.

જૈન ધર્મના અનુયાયીઓ પણ આજે રવિવારે 99,99,99,999 વાર નવકાર મંત્રનો જાપ કરીને વિશ્વ આ મહામારીથી મુક્ત થાય તે માટે પ્રાર્થના શરૂ કરી છે. આજે રવિવારે સવારે 8.41 વાગ્યાથી નવકારમંત્ર જાપ શરૂ થયા હતા. જે બપોરે 12.41 વાગ્યા સુધી જારી રહ્યા હતા. ચાર કલાક માટે સમગ્ર વિશ્વના જુદા જુદા ખૂણામાંથી આશરે 10 લાખ જેટલા જૈન ધર્માનૂયાયીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર ભેગા થયા હતા. આ નવતર પ્રયોગ પહેલી વખત હાથ ધ વામાં આવ્યા હતો અને ઓનલાઇન મંચ પર એક મિલિયન લોકો દ્વારા નવકાર મંત્રનો જાપ કરવામાં હતા.

કોરોના મહામારીના સંકટ સામે વિજ્ઞાનની સાથે સાથે ધર્મ પણ લોકોનો આશરો બની રહ્યો છે. આ મહામારીથી બચવા માટે દરેક ધર્મના વ્યક્તિઓ પોતપોતાની શ્રદ્ધા અનુસાર વિશ્વની પરમશક્તિને પ્રાર્થના કરી રહ્યા છે.

May 26, 2020
1min5370

આજે 26.05.2020 ને મંગળવારના રોજ ચુંદડીવાળા માતાજી દેહાવસાનથી સમસ્ત બ્રહ્મસમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત પાસે નિવાસ સ્થાન બનાવીને રહેતા ચુંદડીવાળા માતાજીએ 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કર્યો હતો. 

ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા પ્રહલાદભાઈ જાનીએ અરવલ્લીની ગિરિકંદરાઓમાં અન્નજળનો ત્યાગ કરીને તપસ્વીની જેમ ધુણી ધખાવી હતી. તેમને તેમના વતન ચરાડામાં અંતિમ શ્ર્વાસ લીધા. આજે મંગળવાર અને બુધવાર સુધી તેમના પાર્થિલ દેહને અંબાજી ખાતે દર્શનાર્થીઓ માટે રાખવામાં આવેલ છે. 

May 11, 2020
moraribapu.png
1min9990

 મોરારિબાપુની સૂચનાનુસાર અને એમનાં વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂપિયા ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરૂઆતમાં શરૂઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ દ્વારા પૂજ્ય બાપુની સૂચનાનુસાર પ્રધાનમંત્રી ફંડમાં રૂપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

એ પછીથી મહુવા તાલુકાના વંચિત પરિવારો હોય કે રાજસ્થાનના લોક ગાયકો હોય, બાપુ દ્વારા રોકડ રકમ અને અનાજની કીટ સ્વરૂપે અવિરત સહાય પહોંચી રહી છે. સાત હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. એ ઉપરાંત કોરોના મહામારીને નાથવાના કાર્યમાં લાગેલા મેડીકલ, પોલીસ અને સફાઈ કર્મીઓ વગેરે માટે રૂપિયા છ લાખની પીપીઈ કીટનું પણ વિતરણ કરવાનું આયોજન થયેલ છે.

અલંગમાં અનેક પરપ્રાંતિય મજૂરો માટે ભોજન રસોડું શરૂ થયું અને એ પ્રમાણે મહુવામાં ‘ભૂખ્યાને ભોજન’ સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિને રૂ. ૨૫ લાખની સહાય મોકલવામાં આવેલી છે. બનારસ, મુંબઈ અને સુરતની ગણિકા બહેનોને પણ અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ મોકલવામાં આવી છે.

જ્યારે જ્યારે આવી વિકટ સ્થિતિ આવી છે ત્યારે પૂજ્ય બાપુની સંવેદના સમાજના તમામ લોકો માટે સમાનભાવે વહી છે.

April 23, 2020
amarnath-yatra-.jpg
1min5270

કેન્દ્ર સરકારે સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ચાલુ વર્ષે 2020માં હવે અમરનાથ યાત્રા પૂર્વવત રીતે યોજાશે, પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.  

આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. 

આ બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં 77 રેડ ઝોન છે આ કારણસર પવિત્ર અમરનાથ યાત્રા રદ કરી દેવી જોઇએ. પવિત્ર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ આજ રુટ્ પરથી યાત્રાના અંતિમ પડાવ સુધી દોરી જવાય છે. મહામારીને કારણે શ્રદ્ધાળુઓ માટે કેમ્પ લગાવવા, મેડિકલ ફેસિલિટીઝ, લંગર અને બરફ હટાવવા જેવા જરુરી કામ અશક્ય છે.  

ઉપરાજ્યપાલે કહ્યુ હતું કે ભારત સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યુ છે અને આગામી સમય માટે સ્થિતિ સ્પષ્ટ નથી. એવામાં પવિત્ર અમરનાથ યાત્રાની મંજૂરી આપવી યોગ્ય નથી, અમારા માટે તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રથમ સ્થાને છે. 

April 23, 2020
1min5320

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન ઘરેથી જ પૂજા અને બંદગી કરી કોરોના વાયરસની આ મહામારીમાં સહયોગ આપવા અમે તમામ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અનુરોધ કર્યો છે. DGPએ કહ્યું કે ધર્મગુરૂઓ લોકોને ભેગા ન થવા દે અને લોકડાઉનમાં ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરશે અને ઘરની બહાર ભેગા થશે તો એવા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

DGPએ કહ્યું કે લોકોના ભેગા થવાથી કોરોના સંક્રમણ વધી શકે છે. જો લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ રામનવમી તથા હનુમાન જયંતીના તહેવારોમાં પણ પોલીસે લોકોને પૂજા-અર્ચના માટે ભેગા થવા દીધા ન હતા અને જ્યાં આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ હતી, ત્યાં ગુના પણ દાખલ કર્યા હતા.

April 17, 2020
kedarnath2020.jpg
1min5440

ઉત્તરાખંડ કેબિનેટે નક્કી કર્યું છે કે, ચારધામોના કપાટ ખુલતી વખતે સામાન્ય જનતાને ચારેય ધામના દર્શનની અનુમતિ નહીં મળે. અત્યારે સામાન્ય જનતાને લૉકડાઉન સુધના સમયગાળા માટે ધાર્મિક સ્થળો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કેબિનેટે એ પણ નક્કી કર્યું છે કે, ઉત્તરાખંડમાં 17 એપ્રિલથી સચિવાલય અને વિધાનસભા ખુલશે.

કેબિનેટના નિર્ણય અનુસાર, 17 એપ્રિલથી જ મંત્રી પણ વિધાનસભામાં બેસી શકશે. અનુસચિવથી ઉપરના કર્મચારી સચિવાલય અને વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ઉદ્યોગ ચલાવવા માટે છૂટ આપવામાં આવી શકે છે પણ આના માટે સરકારની પરવાનગી લેવી પડશે. ઉદ્યોગ શરૂ કરવા માટે જે-તે જિલ્લાના કલેક્ટરની પરવાનગીની જરૂર રહેશે.

કેબિનેટે એ પણ નક્કી કર્યું કે, લગ્ન કરવા તથા અંત્યેષ્ટિ કરવાની છૂટ મળશે પણ આના માટે તંત્રની પરવાનગી જરૂરી રહેશે. 5 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગ્નને પરવાનગી મળશે જ્યારે અંત્યેષ્ટિમાં 20 લોકોને મંજૂરી હશે.

કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે, લૉકડાઉનમાં 5થી વધુ વ્યક્તિઓથી વધુ કોઈપણ સાર્વજનિક સ્થળે પાબંદી રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કેબિનેટે એ નિર્ણય પણ લીધો કે, આ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં રોડ, રેલવે અને હવાઈ એમ તમામ પ્રકારનાો વાહન વ્યવહાર બંધ રહેશે.