
તા.8મી જુનથી ભારતમાં લૉકડાઉન પછી ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવાની શરતી પરવાનગી આપવામાં આવી છે. ધાર્મિક સ્થળો પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ છે આવી સ્થિતિમાં સૂરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર અને અન્નપૂર્ણા માતાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે હાલમાં કોવીડ-19ની પરિસ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા આયુર્વેદિક ઉકાળો પ્રસાદી સ્વરૂપે પીવડાવવામાં આવશે.
વધુ માહિતી આપતા મંદિર પરીસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઈન્સનો મંદિર પરીસરમાં ચૂસ્ત અમલ કરવા સાથે તા.9મી જુનથી મંદિર ભાવિકો માટે ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ખાસ આત્માનંદ સરસ્વતી ફાર્મસી નિર્મિત આયુર્વેદિક ઉકાળો જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, જાળવવામાં મદદરૂપ થાય છે, એ દર્શનાર્થીઓને પ્રસાદી સ્વરૂપે પીડાવવામાં આવશે.
શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત.
સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસની મહામારીના કારણે ભક્તજનો માટે બંધ રહેલ I શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત. સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તારીખ-09/06/2020 (મંગળવાર)થી ભક્તજનો માટે દર્શનાર્થે ખોલવામા આવશે.
જરૂરી સુચના
દરેક ભાગ્યશાળીઓએ અચૂક માસ્ક બાંધવાનું રહેશે. તથા પોતાના ચપ્પલ બુટ પોતાના વાહનમાં જ મૂકીને આવવાનુ રહેશે.
દર્શન દરમિયાન દરેક ભક્તો એ લાઇનમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે.
મંદિરે ભક્તજનો ને ફક્ત દર્શન જ કરવા દેવામા આવશે. મંદિરમાં પાઠ કરવા નો રહેશે નહીં, ફક્ત દર્શન કરીને બહાર નીકળી જવાનું રહેશે.
મંદિરનો સમય સવારે 06:30 કલાક થી બપોરે 12:00 કલાક સુધી અને સાંજે 04:00 કલાક થી રાત્રે 08:00 કલાકનો રહેશે. સાંજે ૦૭:૦૦ કલાકે આરતીમા કોઈ પણ ભક્ત ને એંટ્રી મળશે નહીં.
કોરોના વાઈરસની મહામારી ને ધ્યાનમા લઈ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી નો આયુર્વેદિક ઉકાળો ભક્તજનો ને પ્રસાદી રુપે આપવામા આવશે.
આ નિયમો આપણા સૌના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને બનાવેલા છે, સહકાર આપવા વિનંતી.

















