તા.5 જુલાઇ 2020ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે સવારે અમરનાથ બાબાની બર્ફાની ગુફા ખાતે સૌપ્રથમ આરતી સાથે અમરનાથયાત્રાને ઔપચરિક રીતે શરુ કરવામાં આવી હતી. આ તસવીર બાબા અમરનાથની આરતી વખતની સૌથી પહેલી તસ્વીર છે.
વિશ્વભરમાં જેના લાખો નહીં પણ કરોડો ચાહકો છે એ ભારતની શીખર યાત્રા ગણાતી બાબા બર્ફાની, અમરનાથ યાત્રામાં આ વખતે કોવીડ-19ના કારણે જઇ નહીં શકાય એવી સ્થિતિ હોઇ, બાબા અમરનાથ યાત્રા મેનેજમેન્ટએ ભાવિકો માટે એક નવો રસ્તો કાઢ્યો છે અને એ રસ્તો ઘરે બેઠા જ ઓનલાઇન બાબા અમરનાથની લાઇવ આરતીનો લહાવો માણવાનો છે.
ગુરુપૂર્ણિમા એટલે કે આજરોજ તા.5મી જુલાઇથી ઘરે બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકાય એ માટે પવિત્ર ગુફામાં સવાર-સાંજ દિવ્ય આરતીની શરૂઆત થઈ છે. જેનું પહેલીવાર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે.
શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ દૂરદર્શન પર પવિત્ર હિમલિંગના દર્શન કરી શકે છે. દૂરદર્શન પર સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે દૂરદર્શન સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરી છે. આ માટેની પૂરતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે.
કોરોના વાયરસના પગલે અમરનાથ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રોજ માત્ર 500 ભક્તોને જમ્મૂના રોડ પરથી જવા દેવાશે. યાત્રા માટે કઠુઆના લખનપુરમાં ભક્તોનો ટેસ્ટ થશે. ટેસ્ટ બાદ જ તેમને આગળ મોકલાશે. વયોવૃદ્ધ લોકોને યાત્રા માટેની અનુમતિ નથી. યાત્રાના માર્ગ પર સુરક્ષાદળો તહેનાત કરી દેવાયા છે.
દૂરદર્શન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવશે. રોજ સવારે 6થી 6.30 અને સાંજે 5થી 5.30 સુધી પ્રસારણ
Baba Amarnath Aarti will be telecast live on Doordarshan this year every morning and evening. This will be the first time that the aarti will be telecast live. Earlier, recorded videos and visuals were seen. The devotees will be able to watch it from 6:00 am to 6:30 am and 5:00 pm to 5:30 pm daily starting July 6, 2020. \
સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
*श्री साईबाबा संस्थान विश्वस्तव्यवस्था,शिर्डी* *????????!! गुरुपौर्णिमा मुख्य दिवस !!????????* *रविवार दि.०५ जुलै २०२०* *????माध्यान्ह आरती ????* pic.twitter.com/HUHy4rL5WQ
સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
આવતીકાલ તા.5 જુલાઇને રવિવારે ખગોળીય તખ્તા પર ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ આકાર પામશે. રવિવાર તા.5મી જુલાઇએ ગુરૂપૂર્ણિમા અવસર છે જે ભારતમાં રંગેચંગે ઉજવાશે પરંતુ, ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી વિધ્વાનો, પંડિતોએ રવિવારના ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતકના નિયમો માનવા ભાવિકોને ના પાડી છે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.
5 જુલાઇ રવિવારે ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. એક મહિનાની અંદર આવતું આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ ન થતાં એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને ધાર્મિક રીતે વધારે માન્યતા આપવામાં નથી આવતી. 5 જુલાઇના લાગનારું આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગ્યે 37 મિનિટે શરૂ થશે જે 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.
ભારતમાં નહીં દેખાય ચંદ્રગ્રહણ
તા.5મી જુલાઇનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના અમુક ભાગમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. ગ્રહણ કાળમાં ચંદ્ર ક્યાંયથી પણ કપાયેલું નહીં પણ સંપૂર્ણ આકારમાં દેખાશે. ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાઁ ધનુ રાશિમાં હશે.
5 જુલાઇના લાગનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં નથી આવતું, તેથી આ દિવસે કોઇપણ કાર્ય પર પ્રતિબંધ પણ નહીં હોય. જો કે, જ્યોતિષવિદ કેટલીક સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે. આ ગ્રહણ ધનુ રાશિમાં પૂર્વાષાઠા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુરૂપૂર્ણિમા પણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.
5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ એક મહિનામાં લાગનારું ત્રીજું ગ્રહણ હશે. 5 જૂનના ચંદ્ર ગ્રહણ હતું, 21 જૂને સૂર્ય ગ્રહણ હતું અને હવે ફરી 5 જુલાઇના ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.
ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે
उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून की रात 2 बजकर 32 मिनट के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा।
चंद्र ग्रहण भी सूर्य ग्रहण की तरह ही एक खगोलीय घटना है। वैज्ञानिक रूप से ये जितना महत्वपूर्ण माना गया है उतना ही महत्वपूर्ण ये धार्मिक व ज्योतिषीय दृष्टि से भी है। चंद्रमा पर धरती की छाया पड़ने से चंद्र ग्रहण लगता है। लेकिन 5 जून को लगने वाला ग्रहण उपच्छाया चंद्र ग्रहण होगा। ये ग्रहण भारत, यूरोप, अफ्रीक, एशिया और ऑस्ट्रेलिया में दिखाई देग। उपच्छाया चंद्र ग्रहण होने के कारण सूतक काल का प्रभाव कम रहेगा। ज्योतिष में उपच्छाया को ग्रहण का दर्जा नहीं दिया गया है। जिस कारण इसका सूतक काल भी नहीं माना जाता। ये ग्रहण वृश्चिक राशि और ज्येष्ठा नक्षत्र में लगने जा रहा है। जो भारत में भी दिखाई देगा। जानिए इस ग्रहण के बारे में पूरी डिटेल…
ग्रहण का समय: उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून 2.32 AM के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा। चंद्र ग्रहण का सूतक ग्रहण लगने से 9 घंटे पहले शुरू हो जाता है।
चंद्र ग्रहण और उपच्छाया चंद्र ग्रहण में अंतर? इससे पहले इसी साल 10 जनवरी को भी उपच्छाया चंद्र ग्रहण लगा था और अब 5 जून को ज्येष्ठ पूर्णिमा के दिन लगने वाला ग्रहण भी ऐसा ही होगा। चंद्र ग्रहण तब माना जाता है जब पृथ्वी सूर्य और चंद्रमा के बीच में आ जाती है और धरती की पूर्ण या आंशिक छाया चांद पर पड़ती है। इससे चांद का बिंब काला पड़ जाता है। इसे खुली आंखों से देखा जा सकता है।
तो वहीं उपच्छाया चंद्र ग्रहण देखने में सामान्य पूर्णिमा के चांद की तरह ही नजर आएगा। जिसमें अंतर कर पाना मुश्किल होगा। बता दें कि ग्रहण लगने से पहले चंद्रमा पृथ्वी की उपच्छाया में प्रवेश करता है जिसे चंद्र मालिन्य कहते हैं अंग्रेजी में इसको (Penumbra) कहते हैं। इसके बाद चांद पृथ्वी की वास्तविक छाया यानी भूभा (Umbra) में प्रवेश करता है। जब ऐसा होता है तब ही वास्तविक ग्रहण होता है। लेकिन कई बार चंद्रमा धरती की उपच्छाया में प्रवेश करके बिना भूभा में जाए ही बाहर निकल कर आ जाता है। इसलिए उपच्छाया के समय चंद्रमा का बिंब केवल धुंधला पड़ता है, काला नहीं। इस धुंधलापन को सामान्य रूप से देखा भी नहीं जा सकता है। इसलिए चंद्र मालिन्य मात्र होने की वजह से ही इसे उपछाया चंद्र ग्रहण कहते हैं ना कि चंद्र ग्रहण।
કોવીડ-19ના ફેલાય રહેલા સંક્રમણની સામે સુરતવાસીઓ પૈકી કેટલાક લોકો ભારે બેદરકારી દાખવી રહ્યા છે જેને લઇને સુરતમાં દિનપ્રતિદિન કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અનેક ગણ્યમાન્ય વ્યક્તિઓ, સેલિબ્રિટીઓ, રાજકીય નેતાઓ અપીલ કરી ચૂક્યા છે કે કોવીડ 19માં ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે. પણ હજુ 25 ટકા લોકો માસ્ક વગર, સૂચનાઓનું પાલન કર્યા વગર બેધકડ ફરી રહ્યા છે.
બેદરકાર સુરતીઓએ હવે સમજવું પડશે
બેદરકાર રહેલા સુરતીઓ હવે સમજવું પડશે. સુરતમાં બિરાજમાન અને વિશ્વવિખ્યાત અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાએ પણ આજે માસ્ક ધારણ કરવો પડ્યો છે. સુરતવાસીઓને સમજાવવા માટે આજે અંબિકાનિકેતન ટ્રસ્ટના મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લઇને માં અંબાને માસ્ક પરિધાન કરાવવામાં આવ્યો હતો.
સુરતમાં અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાના કરોડો ભક્તો છે. માં અંબાને ખુબ માને છે. અબાલવૃદ્ધોમાં માં અંબા માનીતા છે. કોવીડ 19નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો ખાસ તકેદારી રાખે, બિનજરૂરી ફર્યા ન કરે, માસ્ક પહેરે, વારેઘડીયા હાથ ધુએ વગેરે કાળજી રાખે એ માટે અંબિકાનિકેતન ટ્રસ્ટએ અપીલ કરી છે.
અંબિકાનિકેતન ટ્રસ્ટના ઓફિશ્યલ ફેસબુક હેન્ડલ પર આ સ્ટેટસ તા.2 જુલાઇ 2020ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું
મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ
કોરોના વાયરસની મહામારીની અસર આ વખતે ગણપતિ મહોત્સવ પર પણ પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક લાલબાગ દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ વિસર્જનનો ઉત્સવ કરે છે પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલબાગ ગણપતિ મંડળે મૂર્તિ વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ ચાલુ કરવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસની મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત શહેરમાં મુંબઈ મોખરે છે. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં ન આવે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગણપતિની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટથી વધારે ન હોવી જોઈએ.
લાલબાગ મંડળના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાલબાગચા રાજાની મૂર્તિની લંબાઈ નાની કરી શકાય તેમ નથી. તેમ છતા પણ જો નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવશે તો પણ મોટી સંખ્યામાં લોકો જમા થશે જ. તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ વર્ષે નાની કે મોટી કોઈ પણ મૂર્તિની ન તો સ્થાપના કરવામાં આવશે અને ન તો વિસર્જન.
ભગવાન જગન્નાથજી ૧૪૩મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જગન્નાથજીના રથ મંદિરની બહાર નીકળી ન શકવા મામલે સરકાર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ લીધા વિના તેમની સામે બળાપો ઠાલવ્યો હતો. મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, તેમને છેક સુધી અંધારામાં રાખવામાં આવ્યા હતા અને છેલ્લી ઘડીએ તેમની સાથે ગેમ થઈ ગઈ. તેમણે જે માણસ પર વિશ્ર્વાસ રાખ્યો હતો અને જેની બધી વાત માની હતી તેણે જ તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. અમારી સાથે બહુ મોટી ગેમ થઈ ગઈ છે. હું તમને શબ્દોમાં કહી શકું તેમ નથી. પણ મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યો. તમે જે કહો.. જે રીતે કહો… પણ અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે.
રથયાત્રાની સવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી ત્યાં સુધી મહંત દિલીપદાસજીને એવું જ હતું કે રથને મંદિરના ગેટ સુધી લઈ જવાશે અને તેમણે તે મુજબ ખલાસીઓને ઈશારો પણ કર્યો હતો. પરંતુ પોલીસે રથને દરવાજા સુધી લઈ જવા ન દેતા દિલીપદાસજી તે સમયે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને અંદર ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં કોઈની સાથે ટેલિફોન પર વાત કરાવી હતી એવું મંદિરના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.
ઓરીસ્સાના જગન્નાથ પુરીમાં તા.23મી જુન 2020ને મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રાને ચોક્કસ શરતોને આધીન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ વિતેલા સપ્તાહે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં ભારતમાં કરોડોની આસ્થાનું પ્રતિક સમી જગન્નાથપૂરીની રથયાત્રા પર સ્ટે મૂક્યો હતો.
પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં 3 જજોની બેન્ચે સોમવારે રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનું સમર્થન કર્યું હતું.
સર્વોચ્ચ કોર્ટે હવે કહ્યું છે કે હવે આ જગન્નાથ ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ અને ઓડિશા સરકારની જવાબદારી છે કે તેઓ ભક્તોની ભીડ એકઠી થયા વગર કેવી રીતે રથયાત્રાનું આયોજન કરે છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તેઓ રથયાત્રા મામલે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.
અગાઉ કેન્દ્રએ સુપ્રીમને કહ્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરીમાં રથયાત્રાને ભક્તોની હાજરી વગર મંજૂરી આપવી જોઈએ અને કહ્યું હતું કે સદીઓ જૂની આ પરંપરાને રોકવી જોઈએ નહીં. ઓડિશા સરકારે પણ કેન્દ્રની વાતનું સમર્થન કર્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ભક્તો માટે સોમવારથી ખુલ્લુ મુકવામાં આવશે. આ મંદિરમાં વડોદરા અને ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશથી લાખો દર્શનાર્થીઓ આવે છે, ત્યારે જાતે ચેપ મુક્ત રહેવાની અને સૌને ચેપ મુક્ત રાખવાની તમામ તકેદારી પાળીને દર્શન કરવા એ પ્રત્યેક દર્શનાર્થીનું કર્તવ્ય માનીને બધાને સહયોગ આપવા મંદિર ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.
ટ્રસ્ટના પદાધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારથી કુબેર દાદાના દર્શનનો ભક્તો આનંદ માણી શકશે. ધાર્મિક વિધિવિધાન ફળ ફૂલનો ચઢાવો કરી શકાશે નહીં, માત્ર દર્શન કરી શકશે. નિયમ પ્રમાણે ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને મંદિરમાં પ્રવેશ મળવાપાત્ર નથી, એટલે એમને સાથે ન લાવવા. હેન્ડ વોશની વ્યવસ્થાનો ઉપયોગ કરવો. હાલમાં પરિસ્થિતિને લઈને અન્નક્ષેત્ર પ્રસાદ વ્યવસ્થા બંધ રહેશે.
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખીને આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની પૂરી ખાતે યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મૂકવા સંદર્ભનો આદેશ આપ્યો છે.
સુપ્રિમ કોર્ટમાં CJI શરદ અરવિંદ બોબડેએ આ પ્રતિબંધ લાદતા ટાંક્યું હતું કે આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવશે તો ભગવાન અમને ક્યારેય માફ નહી કરે. મહામારીના સમયમાં એવા આયોજન ન થવા જઈએ જેનાથી લોકોના આરોગ્યને ખૂબ મોટાપાયે નુકસાન પહોંચવાની શક્યતા હોય. આ વખતે 23 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નીકળવાની હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નહી નીકળે.
અમદાવાદની યાત્રા પર ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક રીટ
બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા સામે PIL થઈ છે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. પુરી સિવાય બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળે છે. રાજ્ય સરકારે રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. જોકે, મંદિરના સંચાલકોનું કહેવું છે કે સરકાર પરવાનગી આપશે તો રથયાત્રા નીકળશે. જોકે, આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે PIL કરાઈ છે.
કોરોના વાઈરસના સંક્રમણની ભીતિને કારણે મોટાભાગનાં મંદિરોને બંધ કરી દેવામાં આવ્યાં હતા. જે હવે ધીરે ધીરે ખુલી રહ્યાં છે. ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર પણ ૧૮ જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ ઉપરાંત આગામી ૧૮થી ૨૩ જૂન સુધી ફક્ત ડાકોરના સ્થાનિકો માટે જ દર્શન ખોલવામાં આવશે.
બીજી બાજુ સાળંગપુરનું હનુમાનજીનું મંદિર અને સૌરાષ્ટ્રમાં બીજા કેટલાક સ્વામિનારાયણ મંદિરો પણ આજથી ખૂલ્યાં હતા.
ડાકોર ટેમ્પલ કમિટિની યાદીમાં જણાવ્યા અનુસાર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આગામી ૧૮ જૂનથી રણછોડરાયજી મંદિર ખોલવામાં આવશે.
દર્શન કરવા માટે યાત્રાળુઓએ હવે મંદિરની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી દર્શનાર્થીને ટોકન નંબર રજિસ્ટર્ડ મોબાઇલમાં મેસેજમાં મોકલવામાં આવશે. જે દર્શન સમય બતાવવાનો રહેશે. આગામી ૧૮થી ૨૩ જૂન દરમિયાન માત્ર સ્થાનિકો જ દર્શન કરવા આવી શકશે. જેના માટે તેમને ઓનલાઇન બુકિંગ અથવા આધારકાર્ડ બતાવવાથી પ્રવેશ અપાશે.
કોરોનાને કારણે મંદિરમાં આરતીના સમય, રવિવાર, પૂનમ, તહેવારો, ઉત્સવ, ગ્રહણના દિવસે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે. મંદિરમાં ફૂલ, તુલસી, શ્રીફળ, માળા, પ્રસાદ જેવી ચીજવસ્તુ લઇને પ્રવેશ નહીં કરવાની દર્શનાર્થીઓને સૂચના અપાઇ છે.
આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના, સગર્ભા, વ્હીલચેરવાળા, બીમાર હોય તેમને સાથે નહીં લાવવા પણ અપીલ કરાઇ છે.
વિશ્ર્વનું સુપ્રસિદ્ધ જલારામ મંદિર સોમવારથી ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવી રહ્યા છે. ૫૦ લોકોના ગ્રુપને ટોકન આપીને દર્શન કરવા દેવામાં આવશે. ૫૦ લોકોના દર્શન થઈ ગયા બાદ જ અન્ય ગ્રુપને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરની અંદર ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે. સરકારના આદેશ અનુસાર હાલ ભોજનાલય અને પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી જ થઈ શકશે. સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશ નહીં મળી શકે. ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. સરકારની આગલી ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ પણ રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.