CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 18 of 36 - CIA Live

July 1, 2020
CIAlive_lalbaug_2020.jpg
1min5160
મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ

કોરોના વાયરસની મહામારીની અસર આ વખતે ગણપતિ મહોત્સવ પર પણ પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક લાલબાગ દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ વિસર્જનનો ઉત્સવ કરે છે પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલબાગ ગણપતિ મંડળે મૂર્તિ વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ ચાલુ કરવામાં આવશે.

દેશમાં કોરોના વાયરસની મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત શહેરમાં મુંબઈ મોખરે છે. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં ન આવે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગણપતિની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટથી વધારે ન હોવી જોઈએ.

લાલબાગ મંડળના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાલબાગચા રાજાની મૂર્તિની લંબાઈ નાની કરી શકાય તેમ નથી. તેમ છતા પણ જો નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવશે તો પણ મોટી સંખ્યામાં લોકો જમા થશે જ. તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ વર્ષે નાની કે મોટી કોઈ પણ મૂર્તિની ન તો સ્થાપના કરવામાં આવશે અને ન તો વિસર્જન.

June 25, 2020
mahnat_k_sath_rupnai.jpg
1min4500

ભગવાન જગન્નાથજી ૧૪૩મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જગન્નાથજીના રથ મંદિરની બહાર નીકળી ન શકવા મામલે સરકાર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ લીધા વિના તેમની સામે બળાપો ઠાલવ્યો હતો. મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, તેમને છેક સુધી અંધારામાં રાખવામાં આવ્યા હતા અને છેલ્લી ઘડીએ તેમની સાથે ગેમ થઈ ગઈ. તેમણે જે માણસ પર વિશ્ર્વાસ રાખ્યો હતો અને જેની બધી વાત માની હતી તેણે જ તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. અમારી સાથે બહુ મોટી ગેમ થઈ ગઈ છે. હું તમને શબ્દોમાં કહી શકું તેમ નથી. પણ મેં જેના પર ભરોસો રાખ્યો હતો તે મારો ભરોસો ખોટો પડ્યો. તમે જે કહો.. જે રીતે કહો… પણ અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે.

રથયાત્રાની સવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી ત્યાં સુધી મહંત દિલીપદાસજીને એવું જ હતું કે રથને મંદિરના ગેટ સુધી લઈ જવાશે અને તેમણે તે મુજબ ખલાસીઓને ઈશારો પણ કર્યો હતો. પરંતુ પોલીસે રથને દરવાજા સુધી લઈ જવા ન દેતા દિલીપદાસજી તે સમયે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને અંદર ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં કોઈની સાથે ટેલિફોન પર વાત કરાવી હતી એવું મંદિરના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

June 22, 2020
rath2.jpg
1min4450

ઓરીસ્સાના જગન્નાથ પુરીમાં તા.23મી જુન 2020ને મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રાને ચોક્કસ શરતોને આધીન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ વિતેલા સપ્તાહે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં ભારતમાં કરોડોની આસ્થાનું પ્રતિક સમી જગન્નાથપૂરીની રથયાત્રા પર સ્ટે મૂક્યો હતો.

પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં 3 જજોની બેન્ચે સોમવારે રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનું સમર્થન કર્યું હતું.

સર્વોચ્ચ કોર્ટે હવે કહ્યું છે કે હવે આ જગન્નાથ ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ અને ઓડિશા સરકારની જવાબદારી છે કે તેઓ ભક્તોની ભીડ એકઠી થયા વગર કેવી રીતે રથયાત્રાનું આયોજન કરે છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તેઓ રથયાત્રા મામલે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.

અગાઉ કેન્દ્રએ સુપ્રીમને કહ્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરીમાં રથયાત્રાને ભક્તોની હાજરી વગર મંજૂરી આપવી જોઈએ અને કહ્યું હતું કે સદીઓ જૂની આ પરંપરાને રોકવી જોઈએ નહીં. ઓડિશા સરકારે પણ કેન્દ્રની વાતનું સમર્થન કર્યું હતું.

June 22, 2020
kuber-1.jpg
1min7140

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ભક્તો માટે સોમવારથી ખુલ્લુ મુકવામાં આવશે. આ મંદિરમાં વડોદરા અને ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશથી લાખો દર્શનાર્થીઓ આવે છે, ત્યારે જાતે ચેપ મુક્ત રહેવાની અને સૌને ચેપ મુક્ત રાખવાની તમામ તકેદારી પાળીને દર્શન કરવા એ પ્રત્યેક દર્શનાર્થીનું કર્તવ્ય માનીને બધાને સહયોગ આપવા મંદિર ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.

ટ્રસ્ટના પદાધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારથી કુબેર દાદાના દર્શનનો ભક્તો આનંદ માણી શકશે. ધાર્મિક વિધિવિધાન ફળ ફૂલનો ચઢાવો કરી શકાશે નહીં, માત્ર દર્શન કરી શકશે. નિયમ પ્રમાણે ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને મંદિરમાં પ્રવેશ મળવાપાત્ર નથી, એટલે એમને સાથે ન લાવવા. હેન્ડ વોશની વ્યવસ્થાનો ઉપયોગ કરવો. હાલમાં પરિસ્થિતિને લઈને અન્નક્ષેત્ર પ્રસાદ વ્યવસ્થા બંધ રહેશે.

June 18, 2020
rath2.jpg
1min5320

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખીને આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની પૂરી ખાતે યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મૂકવા સંદર્ભનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં CJI શરદ અરવિંદ બોબડેએ આ પ્રતિબંધ લાદતા ટાંક્યું હતું કે આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવશે તો ભગવાન અમને ક્યારેય માફ નહી કરે. મહામારીના સમયમાં એવા આયોજન ન થવા જઈએ જેનાથી લોકોના આરોગ્યને ખૂબ મોટાપાયે નુકસાન પહોંચવાની શક્યતા હોય. આ વખતે 23 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નીકળવાની હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નહી નીકળે.

અમદાવાદની યાત્રા પર ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક રીટ

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા સામે PIL થઈ છે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. પુરી સિવાય બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળે છે. રાજ્ય સરકારે રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. જોકે, મંદિરના સંચાલકોનું કહેવું છે કે સરકાર પરવાનગી આપશે તો રથયાત્રા નીકળશે. જોકે, આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે PIL કરાઈ છે.

June 18, 2020
dakor.jpg
1min5180

કોરોના વાઈરસના સંક્રમણની ભીતિને કારણે મોટાભાગનાં મંદિરોને બંધ કરી દેવામાં આવ્યાં હતા. જે હવે ધીરે ધીરે ખુલી રહ્યાં છે. ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર પણ ૧૮ જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ ઉપરાંત આગામી ૧૮થી ૨૩ જૂન સુધી ફક્ત ડાકોરના સ્થાનિકો માટે જ દર્શન ખોલવામાં આવશે.

બીજી બાજુ સાળંગપુરનું હનુમાનજીનું મંદિર અને સૌરાષ્ટ્રમાં બીજા કેટલાક સ્વામિનારાયણ મંદિરો પણ આજથી ખૂલ્યાં હતા.

ડાકોર ટેમ્પલ કમિટિની યાદીમાં જણાવ્યા અનુસાર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આગામી ૧૮ જૂનથી રણછોડરાયજી મંદિર ખોલવામાં આવશે.

દર્શન કરવા માટે યાત્રાળુઓએ હવે મંદિરની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી દર્શનાર્થીને ટોકન નંબર રજિસ્ટર્ડ મોબાઇલમાં મેસેજમાં મોકલવામાં આવશે. જે દર્શન સમય બતાવવાનો રહેશે. આગામી ૧૮થી ૨૩ જૂન દરમિયાન માત્ર સ્થાનિકો જ દર્શન કરવા આવી શકશે. જેના માટે તેમને ઓનલાઇન બુકિંગ અથવા આધારકાર્ડ બતાવવાથી પ્રવેશ અપાશે.

કોરોનાને કારણે મંદિરમાં આરતીના સમય, રવિવાર, પૂનમ, તહેવારો, ઉત્સવ, ગ્રહણના દિવસે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે. મંદિરમાં ફૂલ, તુલસી, શ્રીફળ, માળા, પ્રસાદ જેવી ચીજવસ્તુ લઇને પ્રવેશ નહીં કરવાની દર્શનાર્થીઓને સૂચના અપાઇ છે.

આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના, સગર્ભા, વ્હીલચેરવાળા, બીમાર હોય તેમને સાથે નહીં લાવવા પણ અપીલ કરાઇ છે.

June 16, 2020
jalarambapa.jpg
1min8620

વિશ્ર્વનું સુપ્રસિદ્ધ જલારામ મંદિર સોમવારથી ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવી રહ્યા છે. ૫૦ લોકોના ગ્રુપને ટોકન આપીને દર્શન કરવા દેવામાં આવશે. ૫૦ લોકોના દર્શન થઈ ગયા બાદ જ અન્ય ગ્રુપને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરની અંદર ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે. સરકારના આદેશ અનુસાર હાલ ભોજનાલય અને પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી જ થઈ શકશે. સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશ નહીં મળી શકે. ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. સરકારની આગલી ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ પણ રહેશે.

June 9, 2020
ram-1.jpg
1min12260

અયોધ્યામાં બુધવારથી ઇંટ મૂકીને રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ થશે, એવી મંદિર ટ્રસ્ટના પ્રવક્તાએ માહિતી આપી હતી.

ગયા નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ મંદિર માટે ફાળવવામાં આવેલા કુબેર ટીલાના મંદિરમાં ભગવાન શિવને પ્રાર્થના દ્વારા નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે.

ભગવાન રામે લંકા પર હુમલો કરતા પહેલા શિવની પ્રાર્થના કરી હતી. આ પ્રથાને અનુસરતા રુદ્રાભિષેકની ધાર્મિકવિધિ શરૂ કરવામાં આવશે, એમ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ત્યાર બાદ મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.

મહંત નૃત્ય ગોપાલ દાસ વતી કમલ નયનદાસ અને અન્ય પૂજારીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવશે. સવારે આઠ વાગ્યાની આસપાસ વિધિનો પ્રારંભ થશે.

કમલ નયન દાસે જણાવ્યું હતું કે ધાર્મિક સમારોહ ઓછામાં ઓછા બે કલાક ચાલશે.

માર્ચ મહિનામાં મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ કરીને સ્થળ પરના કામચલાઉ મંદિરથી રામલલ્લાને વિધિપૂર્વક નવી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ૧૧ મેના રોજ જગ્યાને સમથળ બનાવવા માટે મશીનરી તહેનાત કરવામાં આવી હતી.

અયોધ્યાના વિવાદિત સ્થળે ૧૬મી સદીની બાબરી મસ્જિદ હતી, જેને કારસેવકો દ્વારા ૧૯૯૨માં તોડી પાડવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે આ સ્થળે અગાઉ રામ મંદિર હતું.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદિત સ્થળ અંગેનો ચુકાદો સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળે મંદિરના બાંધકામની તરફેણમાં આપ્યો હતો અને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય કોઇ જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.

June 8, 2020
siddhi_vinayak_pal.jpg
1min6320

તા.8મી જુનથી ભારતમાં લૉકડાઉન પછી ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવાની શરતી પરવાનગી આપવામાં આવી છે. ધાર્મિક સ્થળો પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ છે આવી સ્થિતિમાં સૂરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર અને અન્નપૂર્ણા માતાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે હાલમાં કોવીડ-19ની પરિસ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા આયુર્વેદિક ઉકાળો પ્રસાદી સ્વરૂપે પીવડાવવામાં આવશે.

વધુ માહિતી આપતા મંદિર પરીસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઈન્સનો મંદિર પરીસરમાં ચૂસ્ત અમલ કરવા સાથે તા.9મી જુનથી મંદિર ભાવિકો માટે ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ખાસ આત્માનંદ સરસ્વતી ફાર્મસી નિર્મિત આયુર્વેદિક ઉકાળો જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, જાળવવામાં મદદરૂપ થાય છે, એ દર્શનાર્થીઓને પ્રસાદી સ્વરૂપે પીડાવવામાં આવશે.

શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત.

સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસની મહામારીના કારણે ભક્તજનો માટે બંધ રહેલ I શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત. સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તારીખ-09/06/2020 (મંગળવાર)થી ભક્તજનો માટે દર્શનાર્થે ખોલવામા આવશે.

જરૂરી સુચના

દરેક ભાગ્યશાળીઓએ અચૂક માસ્ક બાંધવાનું રહેશે. તથા પોતાના ચપ્પલ બુટ પોતાના વાહનમાં જ મૂકીને આવવાનુ રહેશે.

દર્શન દરમિયાન દરેક ભક્તો એ લાઇનમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે.

મંદિરે ભક્તજનો ને ફક્ત દર્શન જ કરવા દેવામા આવશે. મંદિરમાં પાઠ કરવા નો રહેશે નહીં, ફક્ત દર્શન કરીને બહાર નીકળી જવાનું રહેશે.

મંદિરનો સમય સવારે 06:30 કલાક થી બપોરે 12:00 કલાક સુધી અને સાંજે 04:00 કલાક થી રાત્રે 08:00 કલાકનો રહેશે. સાંજે ૦૭:૦૦ કલાકે આરતીમા કોઈ પણ ભક્ત ને એંટ્રી મળશે નહીં.

કોરોના વાઈરસની મહામારી ને ધ્યાનમા લઈ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી નો આયુર્વેદિક ઉકાળો ભક્તજનો ને પ્રસાદી રુપે આપવામા આવશે.

આ નિયમો આપણા સૌના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને બનાવેલા છે, સહકાર આપવા વિનંતી.

June 6, 2020
temple_pujari_mask.jpg
2min7070

8/6/20 : સોમવારથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, મૉલ્સ અને હોટલ્સ શરૂ થશે

ગુજરાતમાં આગામી સોમવાર એટલે કે તા. 8મી જુન 2020થી ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો, શોપિંગ મૉલ્સ અને હોટલ્સ-રેસ્ટોરેન્ટસ અઢી મહિનાના લાંબા અંતરાય બાદ ફરીથી શરૂ થશે. જોકે, સરકારના જણાવ્યા અનુસાર આ સ્થળો પબ્લિક ગેધરિંગના સ્થળો હોઇ તમામ સ્થળોની મુલાકાત લેનારા લોકોએ સરકારે જાહેર કરેલા કેટલાક નિયમો અનુસરવા પડશે.

દર્શનાર્થી-પૂજારીઓ સમેત તમામ માટે માસ્ક ફરજિયાત

ગુજરાતમાં તા.8 જુનથી પુનઃ મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના આદેશ અનુસાર મંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન વગેરે ઉપરાંત પ્રસાદ વહેંચી શકાશે નહીં કે ક્યાંય સ્પર્શ કરી શકાશે નહીં. તસ્વીર સોશ્યલ ડિસ્ટન્સિંગથી દર્શન કરતા દર્શનાર્થીઓની છે. પ્રતિકાત્મક તસ્વીર

દર્શનાર્થીઓ માટેની આચારસંહિતા

  • ક્યાંયો અડવું નહીં, મૂર્તિ કે ગ્રંથને સ્પર્શ કરવો નહીં
  • મંદિરમાં ઘંટ વગાડવો નહીં
  • પગરખાં વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો
  • ચરણામૃત કે પંચામૃત વહેંચી શકાશે નહીં
  • કોઇપણ પ્રકારનો પ્રસાદ વહેંચવો નહીં
  • માસ્ક પહેરીને જ મંદિરમાં જઇ શકાશે
  • સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે

રાજ્ય સરકારની એવી પણ સ્પેશિફિક ગાઇડલાઇન છે કે મંદિરોમાં દર્શન કરી શકાશે પરંતુ, દર્શનાર્થીઓમાં કોઇપણ પ્રકારનો કે કોઇપણ સ્વરૂપે પ્રસાદ વિતરણ કે વહેંચી શકાશે નહીં. પ્રસાદમાં ચરણામૃત પણ વહેંચી શકાશે નહીં. ભાવિકો ઘંટ પણ વગાડી નહિ શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહિ કરી શકે.

મંદિરોમાં આ પ્રકારે પૂજારીઓ, સહકર્મચારીઓ વગેરેએ પણ ફરજિયાત માસ્ક પહેરવા પડશે. પ્રતિકાત્મક તસ્વીર

મંદિર, મસ્જિદ, ચર્ચ કોઇપણ ધાર્મિક સ્થળો માટે કડક ગાઇડલાઇન્સ

દર્શનાર્થીઓ મંદિરમાં ભગવાનને કે અન્ય કોઇ સ્થળે હાથથી સ્પર્શ કરે નહીં એ પ્રકારની વ્યવસ્થા મંદિર મંડળોએ કરવાની રહેશે. પૂજા કરતી વખતે ઓછામાં ઓછું 7થી 8 ફૂટનું અંતર રાખવું પડશે. દર્શનાર્થીઓએ પોતાના પગરખાં ઘણું ખરું પોતાના વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે.

દર્શનાર્થીઓને ધાર્મિક સ્થળો પર, કે રેસ્ટોરન્ટ અને મોલમાં જનારા મુલાકાતીઓએ મોઢા પર માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇએ, નહીં તો એમને મંદિર કે અન્ય પ્રીમાઇસીસમાં પ્રવેશ નિષેધ કરવાનો રહેશે.

મંદિર, મોલ્સ, રેસ્ટોરેન્ટ્સમાં સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનીંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવુ પડશે.

કોરોનાને દૂર રાખવા માટે આ ગાઇડલાઇન્સ અનુસરો