CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 24 of 42 - CIA Live

September 21, 2019
gauri-shankar-lake-bhavnagar.jpg
1min5610

ગુજરાતમાં નર્મદા ડેમની પૂર્ણ સપાટી એટલે કે ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશિ ભરાતાં ભાવનગર ખાતે ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’નું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમ ગૌરીશંકર તળાવ થાપનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, આગામી સમયમાં લિન્ક ચારથી ગૌરીશંકર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે, જેથી ભાવનગરને પીવાના પાણીની સમસ્યા નહીં રહે. મહોત્સવમાં ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રીકૃષ્ણકુમારસિંહજીનો પ્રજાપ્રેમ રજૂ કરતું નાટક ભજવાયું હતું અને નર્મદાની આરતી તેમજ પૂજન-અર્ચન કરાયું હતું અને મેઘલાડુના પ્રસાદનું વિતરણ કરાયું હતું.

September 20, 2019
aadhar.png
1min6190

 બેન્ક ખાતાથી માંડીને પાસપોર્ટ માટે જરૂરી દસ્તાવેજ એવા આધારકાર્ડમાં નામ કે જન્મની તારીખ ખોટી હશે તો એને સુધારવા માટે ઘણી મહેનત-માથાકૂટ કરવી પડશે. અત્યાર સુધી એવું જોવાયું કે લોકો પોતાની સગવડ પ્રમાણે નામ-ઠામમાં ફેરફારો કરાવ્યે રાખતા હતા. પરંતુ, હવે આધાર ઓથોરિટીએ છટકબારીઓ બંધ કરી દીધી છે. બેથી વધુ વખત નામ સુધારવાના કેસમાં આખો આધારકાર્ડ જ નવો બનાવવો પડશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા (યુઆઈડીએઆઈ) એ નામ તેમજ જન્મ તારીખ બદલાવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે.
જો કે મોબાઈલ નંબર કે અન્ય બદલાવો માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં રહે, પરંતુ જન્મ તારીખમાં બદલાવની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર હશે તો’ સંબંધિત દસ્તાવેજ સાથે સુવિધા કેન્દ્રમાં જઈને સુધારો કરાવી શકાશે.
ત્રણ વર્ષથી વધુનું અંતર હશે તો પ્રાદેશિક આધાર કેન્દ્રમાં જવું પડશે. આધારમાં’ લિંગ સુધારવાની સુવિધા હવે એક જ વાર મળશે. વધુમાં નામ ખોટું છપાયું હશે તો તેમાં સુધારો કરાવવા માટે હવેથી માત્ર બે તક મળશે. ત્યારપછી પણ ખોટું નામ હશે, તો ઈનવેલિડ કરાવીને નવા કાર્ડ માટે અરજી કરવી પડશે.
નામ સુધારવા પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર ડ્રાઈવિંગ માટે જન્મનો દાખલો,’ પાનકાર્ડ લેટરહેડ પર ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર પાસપોર્ટ, જેવા દસ્તાવેજ જરૂરી રહેશે.

September 19, 2019
tejaswani_bus.jpg
1min624

મહારાષ્ટ્રના થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) દ્વારા તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજથી મહિલાઓ યાત્રીઓ માટે ખાસ બસ ટ્રીપ શરૂ કરી છે.

મહિલાઓને ડેડીકેટેડ 50 બસ અલગથી ફાળવવામાં આવી છે. આ બસ પર મોટા અક્ષરોમાં ‘તેજસ્વિની’ નામ આકલન કરવામાં આવ્યું છે.

માત્ર મહિલા મુસાફરો માટેની તેજસ્વીની નામની ૫૦ બસમાં પૅનિક અલાર્મથી માંડીને સીસીટીવી કૅમેરા અને જીપીએસ ટ્રેકર સહિતની મહિલાઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ટોકન બસ શરૂ કરવામાં આવી છે અને હવે તબક્કાવાર 50 બસને મહિલા મુસાફરોને સમર્પિત કરવામાં આવશે.

સુરત શહેરમાં પણ મહિલાઓ માટે આ પ્રકારની બસ સર્વિસ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. હાલમાં બસ સર્વિસમાં મહિલાઓની બેઠકો પર પુરુષો બેસી રહે છે, કન્ડકટરો પણ તેમને ઉઠાડતા નથી. ભીડભાડવાળી બસો હોય છે આથી મહિલા મુસાફરો પ્રવાસ કરવાનું ટાળે છે. મહિલાઓ માટેની ડેડીકેટેડ બસ હશે તો મહિલાઓ સામે ચાલીને બસમાં મુસાફરી કરવાનું પસંદ કરશે.

September 19, 2019
keral.jpg
1min13700

સરકારના પ્રોત્સાહનને કારણે સસ્તુ ભોજન બનાવવા અને વેચવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યા બાદ હવે કેરળના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરવાની તૈયારી કરી રહ્યા છે. તમિળનાડુ અને પંજાબ પાસેથી પ્રેરણા મેળવીને જેલ પ્રશાસન કેરળની ત્રણ સેન્ટ્રલ જેલના પરિસરમાં ચોક્કસ પસંદ કરાયેલા કેદીઓ દ્વારા પેટ્રોલપંપ ચલાવવાની તૈયારી થઇ રહી છે. જેલ પ્રશાસને પસંદ કરેલા સ્થળે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) પેટ્રોલપંપ શરૂ કરશે. દરેક પેટ્રોલપંપ માટે સજા પામેલા કેદીઓમાંથી પંદર કેદીની પસંદગી કરવામાં આવશે. એમને તાલીમ આપવામાં આવશે અને તેઓ આ પેટ્રોલપંપ પર શિફ્ટ પ્રમાણે જે ડ્યૂટી કરશે એ માટે જેલ પ્રશાસનના નિયમ પ્રમાણે એમને પગાર આપવામાં આવશે.

September 17, 2019
ibps.jpg
2min91480

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf

September 13, 2019
bike-taxi.jpg
6min10590

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

15 વર્ષ પહેલા સુરતમાં, સુરતના માર્ગો પર ટ્રાફિક, પાર્કિંગની જે સ્થિતિ હતી એ આજે એટલી વકરી ચૂકી છે કે સુરતીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સુરતમાં એવા ઘર ઓછા હશે કે જેમાં પુખ્તવયના લોકોની સંખ્યા જેટલા ટુ વ્હીલ વાહનો ન હોય. આવી સ્થિતિમાં સુરતના માર્ગો પર ટ્રાફિક ગીચતા એટલી હદે વકરી રહી છે કે લોકો પાસે અલ્ટરનેટીવ નથી.

સુરતમાં મહાનગરપાલિકાએ બસ સર્વિસીઝ શરૂ કરી છે પરંતુ, બસ સર્વિસીઝમાં બેસવા માટે મધ્યવર્ગ સામે આવ્યો નથી. સૌથી મોટું પરિબળ એ પણ છે કે પોતાના ડેસ્ટીનેશનથી બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડથી પોતાના ડેસ્ટીનેશન પર જવા માટેના રૂટ પર ચાલીને જવાનું સુરતીઓને પસંદ નથી. આમ સુરતનો એક મોટો વર્ગ બસ સર્વિસીઝ માટે અમદાવાદ કે મુબઇગરાઓની જેમ ઉપભોક્તા બની શક્યો નથી.

સી.આઇ.એ. લાઇવનું વિઝન કહે છે કે સુરતમાં માર્ગ પરિવહનના ઢાંચાની મુશ્કેલીઓને જોતા હવે સુરતીઓ શહેરના આંતરીક પરિવહન માટે અલ્ટરનેટિવ શોધી રહ્યા છે અને એ અલ્ટરનેટિવ બાઇક ટેક્સી (ટુ વ્હીલ ટેક્સી) બને તેવા સંજોગો અને સમયનો તકાજો પણ જોવાય રહ્યો છે.

C.I.A. Vision જો કોઇ પહેલ કરે તો સુરતીઓ બાઇક ટેક્સીને અપનાવવા તૈયાર છે

કયા કારણોસર સુરતમાં બાઇક ટેક્સીના સંજોગો ઉજળા બન્યા

  • માર્ગો પર ટ્રાફિક ગીચતા, કામ ધંધા માટે આખો દિવસ એક જ સ્થળે રહેનારા લોકોને ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન પીકઅપ એન્ડ ડ્રોપ મળે તો તેઓ પોતાના ટુ વ્હીલ વાહનો કે ફોર વ્હીલ વાહનો રોજેરોજ રોડ પર ડ્રાઇવ કરવાનું ટાળશે એમાં બે મત નથી
  • શહેરમાં વાહનો એટલા વધી ગયા છે કે કમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગ પ્લેશ નથી, ડેસ્ટીનેશ ટુ ડેસ્ટીનેશ પીક અપ એન્ડ ડ્રોપ હશે તો પોતાના વાહનો લઇને નીકળવાવાળા લોકો ઓછા થશે અને પાર્કિંગની સમસ્યા ઓછી થશે. બાઇક ટેક્સીવાળા બહુ લાંબો સમય પોતાના વાહનો પાર્કિંગ અવસ્થામાં નહીં રાખે. તેમની મોબિલિટી જેટલી તેટલી કમાણી હશે.
  • ભારતમાં જે રીતે નવા ટ્રાફિક રૂલ્સ અને તેનું એન્ફોર્સમેન્ટ થઇ રહ્યું છે તે જોતા ગુજરાતમાં હજુ આ દૌર આવવાનો બાકી છે અને ટ્રાફિક રૂલ્સ એન્ફોર્શમેન્ટ વખતે જે દ્રશ્યો સર્જાશે તેનાથી શોખીન સુરતીઓ દૂર રહેવાની માનસિકતા ધરાવે છે એટલે તેઓ બાઇક ટેક્સીનો વિકલ્પ પસંદ કરીને જફા ઝંઝટથી દૂર રહેવાનું પસંદ કરશે.
  • હાલમાં ડેસ્ટીનેસન ટુ ડેસ્ટીનેસન પરિવહન માટે રીક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ, રીક્ષાચાલકો ઇન્ટર્નલ ડેસ્ટીનેશ માટે વધુ રૂપિયા માગતા હોય છે. એક કે બે મુસાફરો માટે સ્પેશયલ રિક્ષાનો ચાર્જ વધુ ઉસેટતા હોવાથી લોકો હવે બાઇક ટેક્સીના વિકલ્પને એટલે અપનાવશે કેમકે તેમાં પર પર્સન લેખે ચાર્જ ચૂકવવાનો થશે જે રીક્ષા કરતા પણ સસ્તો વિકલ્પ બની શકે.

એવા ઘણા સાધન સંપન્ન સુરતીઓ છે જેઓ પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે

સુરતમાં સાધન સંપન્ન હોય તેવા અનેક પરિવારો છે, જેમની પાસે મોટરકારો, ટુ વ્હીલ વાહનોની કમી નથી પરંતુ, તેઓ અનિવાર્ય સંજોગો સિવાય સામાન્ય કામકાજ, વેપાર ધંધા માટે પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે. તમારી આસપાસ નજર દોડાવશો તો એવા અનેક લોકો હશે જેઓ શટલિયા રીક્ષા, લિફ્ટ કે અન્ય વિકલ્પો અપનાવીને પોતાના ડેસ્ટીનેશન પર જવાનું પસંદ કરતા હશે.

સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી, મધ્યમવર્ગ સિટી બસથી દૂર રહ્યો

સુરતમાં બેશક સિટી બસનું જબરદસ્ત નેટવર્ક ઉભું થયું છે પરંતુ, મોટા ભાગે શ્રમજીવી પરિવારો સિટીબસનો ઉપયોગ કરી રહ્યા છે. મધ્યવર્ગીય પરિવારોનો વિશાળ વર્ગ હજુ સુધી સિટી બસમાં ટ્રાવેલ કરતો ઓછો જોવા મળે છે, જેનું મુખ્યકારણ એ જ છે કે સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી. પોતાના ઘર, ધંધાકીય સ્થળોથી બસ સ્ટેન્ડ દૂર હોઇ, લોકોએ બસને અપનાવી નથી. હાલમાં બાઇક ટેક્સીની ગેરહાજરીમાં એકલ-દોકલ લોકો રીક્ષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો માટે બાઇક ટેક્સી સૌથી બેસ્ટ વિકલ્પ બની રહેશે.

દેશના 200 શહેરોમાં બાઇક ટેક્સીનો યુગ આવે તેવી શક્યતા

According to a driving habits’ survey conducted by Ford Motor Company in 2015, Indian commuters spend more time behind the wheel as compared to their counterparts residing in China, Thailand, the Philippines and Australia. 4 years on, the situation has become even worse as our metro cities grapple with harrowing traffic congestions. With the growing population, the infrastructure of urban Indian cities has failed to keep pace. Be it Delhi, Mumbai or Bangalore, getting stuck in a jam is a common thing for intracity travellers. Overpopulation, outdated infrastructure and unplanned growth of metropolises are the major reasons why the carrying capacity of Indian roads is declining rapidly.

Affordable and Quick Rides

By offering value-for-money rides, bike taxis have emerged as the preferred mode of transportation for the price-sensitive Indian middle class. Commuters who use bike taxis spend significantly less money in comparison to their counterparts who take cabs. In addition to being affordable, bike taxis reach the destination faster as they can slide through the traffic. This explains why intracity travellers in tier I cities are making a switch to bike taxis with much enthusiasm.

Employment Opportunities for India’s Youth

The bike taxi industry is providing employment opportunities to thousands of Indians. And it is expected to create new jobs for many in the days to come. Whether it’s carrying passengers or parcels, two-wheeler taxis have become the source of livelihood for many of India’s skilled youth. Not only full-time employees, but college students are also taking up bike-taxi driving to earn some extra cash in their free time.

Reduced Traffic Congestion

Bike taxis can lessen the traffic congestion in urban Indian cities to a great extent once their adoption is accelerated. At a time when most cities in India are struggling with the number of four-wheelers on the roads, bike taxis can help in reducing the nightmarish jams commuters face every day. This is one of the main reasons why the concept of bike taxis has become so popular and is receiving support from all quarters.  

Less Carbon Footprint

Two-wheelers emit less carbon dioxide than cabs and buses. With the whole world striving for a sustainable future, environmentally-cautious commuters are inclining toward vehicles that do not have adverse effects on our surroundings.

Addressing the First and Last Mile Connectivity Issue

In cities like Chennai and Bangalore, commuters’ biggest challenge is to reach the metro stations on time. Factors like infrequency of bus services, unavailability of autos and steep cab fares have added to the problem. This is where bike taxis come in, offering a viable solution to urban India’s first and last mile connectivity problems, and encouraging more people to opt for public transportation. Realizing the market opportunity, a few of the aggregators have already tied up with various metro stations across the country.

September 12, 2019
Tokyo-2020-Olympics.png
1min6110

૨૦૨૦ની સાલમાં જાપાનના પાટનગર ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ માટેના હૉકની મૅચોને લગતા અમ્પાયરોની મહિલાઓની પૅનલમાં એક પણ ભારતીયનો સમાવેશ નથી કરાયો, પરંતુ પુરુષ અમ્પાયરોની પૅનલમાં બે ભારતીય અમ્પાયરોને સમાવવામાં આવ્યા છે જેમાં રઘુ પ્રસાદ અને જાવેદ શેખનો સમાવેશ છે. જે ત્રણ મેડિકલ ઑફિસરોને યાદીમાં સમાવાયા છે એમાંના એક (બિભુ નાયક) ભારતના છે.

ઑલિમ્પિક્સમાં હૉકીની મૅચો ૨૫ જુલાઈથી ૭ ઑગસ્ટ સુધી રમાશે.

September 12, 2019
modi_gifts.jpg
1min6350

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ગિફટ મળેલી છે, તે પૈકી ૨૭૦૦થી વધુ ગિફ્ટનું લિલામ ૧૯ ઑકટોબરે હાથ ધરાશે એમ સાંસ્કૃતિક ખાતાના પ્રધાન પ્રહલાદ પટેલે જણાવ્યું હતું. ૨૭૭૨ ગિફ્ટનું ઓનલાઈન ઓકશન કરાશે. જેનો લઘુતમ બેઝ ભાવ રૂ. ૨૦૦ અને મહત્તમ ભાવ રૂ. ૨.૫૦ લાખ છે.આ વર્ષના પ્રારંભમાં ૧૮૦૦થી વધુ ગિફ્ટનું ઓકશન કરાયું હતું.

હિમાચલના ગવર્નર તરીકે દત્તાત્રયે શપથ લીધા

સિમલા: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંદારુ દત્તાત્રયે હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે શપથ લીધા હતા. તેઓ હિમાચલ પ્રદેશના ૨૭મા ગવર્નર બનશે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકારમાં તેઓ લેબર અને ઍમ્પ્લોયમેન્ટ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. હિમાચલ પ્રદેશના અગાઉના ગવર્નર કલરાજ મિશ્રા હવે રાજસ્થાનના ગવર્નર છે.

August 30, 2019
sda.jpg
1min12060

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિકરી તો પારકી થાપણ કહેવાય….આ લોકપ્રિય ગુજરાતી ગીતની કડી સાથે ગૌરવભેર ઉમેરાય એવી કડી જોડી છે સુરતની રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલના કર્તાહર્તાઓએ.

દિકરીઓને પારકી થાપણ સમજતા સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસે એ માટે અને ભારત સમેત ગુજરાતમાં જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષે 823 સ્ત્રી સુધી નિમ્નસ્તરે પહોંચી ચૂક્યો છે એવા સંજોગોમાં સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલના સંચાલકોએ બેટી બચાવો અભિયાન હાથ ધર્યું અને પરિવારમાં બીજી દિકરીને જન્મ આપતા માબાપને ધન્યતાથી વધાવવા સાથે તેમના ઘરે જન્મેલી (લોકગીત મુજબ પારકી થાપણ) દિકરીઓના નામે પોતીકી (પોતાની) થાપણ મૂકીને તેમનું જાહેર અભિવાદન કરવામાં આવે છે.

ભારત બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે ચૌતરફા પ્રયાસો થઇ રહ્યા છે. સરકારથી શરૂ કરીને બિનસરકારી સંસ્થાઓ અને વ્યકિગત પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ, કહેવા દો કે બેટી બચાવો માટેનો સૌથી નક્કર અને પરીણામદાયી પ્રયાસ માનવામાં આવે છે સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલની બોન્ડ વિતરણના કન્સેપ્ટને.

RTSV ડાયમંડ હોસ્પિટલ, સુરતના મંત્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેઓ આગામી તા.31મી ઓગસ્ટને શનિવારે 250 દિકરીઓના મા-બાપને (પ્રત્યેક) 1-1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવા જઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલએ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો અભિયાન હાથ ધરીને અત્યાર સુધીમાં હજારો દિકરીઓને જન્મ મળે એ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે જે પરિવારમાં એક દિકરી પછી બીજી દિકરી જન્મે એ પરિવારનું જાહેર અભિવાદન કરવા સાથે એ માબાપને દિકરીના નામે રૂ.1 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1018 દિકરીઓને આ પ્રમાણે રૂ.1-1 લાખના બોન્ડ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. એક લાખ રૂપિયાના બોન્ડ દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં જમા થઇ જાય એ પ્રકારની વેલિડીટી ધરાવે છે.

આમ પારકી થાપણોના નામે પોતીકી થાપણ આપવાનો આવકારદાયક પ્રયાસ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ કરી રહી છે.

August 26, 2019
danh-girl_d.jpg
1min7720
દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવાર કે જેણે સાયન્સફેરમાં રજૂ કરેલા ડ્રેેનેજ ક્લીનીંગ મશીનના પ્રોજેક્ટ આંતર રાષ્ટ્રીય સ્તરે જાપાન ખાતે યોજાઇ રહેલા સ્કુલ સાયન્સ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, આ નિમિત્તે નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવારે પોતાના જિલ્લા સ્તરની શાળાકીય વિજ્ઞાન મેળાની હરીફાઇમાં ગટર સાફ કરવાનું વર્કિંગ મોડેલ બનાવીને રજૂ કર્યું હતું, જે જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે વિજેત બન્યા બાદ ભારતમાં રાષ્ટ્રકક્ષાના સાયન્સ ફેરમાં પણ આ બાળવિજ્ઞાનીનો ડ્રેનેજ ક્લીનીંગ મશીન પ્રોજેક્ટ વાહવાહી લૂંટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવારનો ડ્રેનેજ ક્લીનીંગ મશીનનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાનના આંતર રાષ્ટ્રીય સ્તરના સ્કુલ સાયન્સફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવાર પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચૂકી છે. છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારે ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ, પરંતુ આ વિદ્યાર્થિનીએ સ્કૂલના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે.

દેશમાંથી આવેલી ૮૫૦ કૃતિઓમાંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી, જેમાંની દગડીઆંબા ગામની સ્કૂલની આશાનું ગટર સાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે.

એક વર્ષમાં આપણા ભારત દેશમાં સર્વે મુજબ અંદાજિત ૩૦ હજાર સફાઈ કામદારો ગટરમાં ઊતરવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જે ન બને એ માટે આશાએ એક આશા બાંધી હતી અને એમાં સફળતા મળતાં આશા પવારે મશીન બનાવ્યું છે જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે જે પ્રોજેક્ટને તૈયાર કરવા માટે દગડીઆંબાના શિક્ષકે પણ આશાને સારો સહકાર આપ્યો છે.

નવસારીના વિરવાડી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓને ખિલવવા માટે સદાય અગ્રેસર રહેતા લોકોએ આ દીકરીને સન્માની છે, જેના કારણે કામ કરવાની વધુ ધગશ મળી છે.