કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા કરી છે. યૂએન ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ને ભારચ વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે.
આ સંકટની ઘડીમાં ભારત અમેરિકા સહિત અનેક દેશોને HCQ દવા પૂરી પાડી રહ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત દ્વારા અન્ય દેશોને મોકલવામાં આવી રહેલી દવાઓ અને અન્ય સામગ્રીઓ માટે પણ ગુટરેસે ભારતની પ્રશંસા કરી હતી.
દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી આ દવાની માંગ વધી છે. આ પહેલા ભારત આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પર વિચાર કરી રહ્યુ હતું, પરંતુ વિશ્વસ્તરે કોરોના કેસો વધતા તેની વધતી જરુરિયાતને ધ્યાનમાં રાખી ભારતે પ્રતિબંધ હટાવી લીધો હતો.
અમેરિકા, મોરેશીયસ, સેશેલ્સ જેવા દેશોને ભારત આ દવાનો પહેલો જથ્થો મોકલી ચૂક્યુ છે. જ્યારે અન્ય દેશો સુધી પણ આગામી દિવસોમાં દવા પહોંચી જશે. ભારત તેના પડોસી દેશો અફઘાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને આ દવા મોકલવાની પ્રક્રિયા કરી રહ્યુ છે.
ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન
કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી
કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.
ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે
કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર
મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો
શોધવામાં સરળતા રહેશે.
CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત
બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની
એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને
કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન
બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી
શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન
વધુ એક બાબત બની છે.
સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાંથી ૫ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો જ કર્યો નથી. પરંતુ આ જિલ્લાવાસીઓએ સાવચેતી, સલામતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એટલું જ જરૂરી છે. જો ક્યાંય ચૂક રહી જશે તો કોરોના આ જિલ્લાઓની બોર્ડર પણ પાર કરી અંદર આવી જશે.
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાંથી અમરેલી, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં કોરોનાએ હજુ સુધી પગપેસારો કર્યો નથી. જ્યારે રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર, ગીરસોમનાથમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાને કારણે હજી સુધી કોઈનું મોત નીપજ્યું નથી. જ્યારે કોરોનાના એપી સેન્ટર ગણાતા ભાવનગરમાં ૧૧ પોઝિટિવ કેસ અને તેમા બે ના મોત નીપજ્યા છે. જ્યારે કોરોનામુક્ત આ પાંચ જિલ્લામાં લોકોની સાવચેતી અને લોકડાઉનનું પાલન કર્યું તે મહત્વનું સાબિત થયું છે. લોકડાઉનમાં જ પોલીસે અન્ય જિલ્લામાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી હતી. હવે તો એક ગામથી બીજા ગામે પણ નથી જવા દેતા. જેને કારણે લોકોના સંપર્ક નથી થતા અને ચેઇન તૂટી છે. આથી લોકોએ પણ આમ જ પાલન કરવાનું છે જેથી કોરોનાથી દૂર રહી શકે અને આંતરરાજ્યની જેમ આંતર જિલ્લા બોર્ડર બંધ થતા લોકોની અવર જવર પર પ્રતિબંધ લાગ્યો હતો. આથી કોરોનાનું સંક્રમણ થતું અટક્યું છે. લોકો હજુ આ જ સાવચેતી રાખે અને લોકડાઉનનું પાલન કરશે તો કોરોનાની ચેઇન તમારા જિલ્લાની બોર્ડરને સ્પર્શ પણ નહીં કરી શકે. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનનું પાલન કરો અને પોલીસ, આરોગ્ય વિભાગને બનતો સહયોગ આપો.
વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.
Symbolic photo of recovery
દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.
અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
વિશ્વમાં કુલ 155,965
ભારતમાં કુલ 1000
ગુજરાતમાં કુલ 02
કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ
વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.
હાલના એક્ટીવ કેસ
હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.
ગર્ભાવસ્થાના અંતિમ દિવસ સુધી કોરોનાની ઇન્ડીયન ટેસ્ટીંગ કીટ વિકસાવવા કામ કર્યું : કીટને મંજૂરી મળીને બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
પૂણા ખાતે સ્થિત ભારતની સૌથી મહત્વની લેબોરેટરીમાં ફરજ બજાવતા મિનલ દાખવે ભોંસલે નામની મહિલાએ પોતે ગર્ભાવસ્થામાં હોવા છતાં કોરોના વાયરસની તપાસ માટેની એવી કિટ તૈયાર કરી છે જે વિદેશી કિટની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે.
देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम
ખાસ વાત એ છે કે મીનલ દાખવે ભોંસલે નામની મહિલાએ તેની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ જઇ રહ્યા હોવા છતાં દેશ માટે આ કિટ પર કામ કર્યું અને એનું પરીણામ લાવીને રહ્યા.
દેશની આ પહેલી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ છે જે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે.
વાયરોલોજિસ્ટ મીનલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના પ્રોજેક્ટ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રેગ્નેન્ટ હતા અને ગત અઠવાડિયે જ બાળકીને જન્મ આપ્યો છે. મીનલે જણાવ્યું કે આ જરૂરી હતું, મેં એક પડકારના ભાગરૂપે આ કિટ તૈયાર કરી છે.
મિનલ દાખવે તેમની ટીમના તમામ 10 સભ્યોએ કઠિન પરિશ્રમ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. તેમણે તૈયાર કરેલી ટેસ્ટિંગ કિટને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને તારીખ 18 માર્ચના દિવસે સોંપવામાં આવી હતી. અને તેના એક દિવસ પછી મીનલ દાખવેએ બાળકીને જન્મ આપ્યો હતો.
દેશી ટેસ્ટિંગ કીટ કેમ વિદેશી કીટથી બહેતર છે વાંચો અહીં
મિનલ દાખવે અને તેમની ટીમે તૈયાર કરેલી કોવીડ-19 ટેસ્ટીંગ કીટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટિંગનું રિઝલ્ટ આપે છે જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગ માટે 6થી 7 કલાકનો સમય લાગે છે. દરેક માઈલેબ કિટથી 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે અને તપાસ માટેનો ખર્ચ 1200 રૂપિયા થાય છે. જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગનો ખર્ચો 4500 રૂપિયા થાય છે. માઈલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સની પાસે દરરોજ 15 હજાર ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની ક્ષમતા છે.
देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम
देश का पहला कोरोना टेस्टिंग किट मार्केट में आ चुका है
पुणे की वायरॉलजिस्ट मीनल दाखवे भोंसले ने कमाल कर दिखाया
उन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में प्रॉजेक्ट पर काम किया और डेडलाइन मीट की
अब हर दिन 15 हजार किट तैयार हो रहे हैं जो विदेशी किट के मुकाबले किफायती हैं
कुछ करने का जज्बा हो तो मुश्किलें हल हो जाती हैं। मिनल दाखवे भोंसले ने जो कर दिखाया है, उसे जानकर तो यह फिर से साबित हो रहा है। उन्होंने कोरोना वायरस की जांच के लिए ऐसा किट तैयार किया जो विदेशी किट के मुकाबले बेहद सस्ता है। खास बात यह है कि मीनल ने अपनी प्रेग्नेंसी के आखिरी महीनों में इस किट पर काम किया। देश का यह पहला टेस्टिंग किट कोरोना के खिलाफ लड़ाई में बड़ी भूमिका अदा कर सकता है।
वायरॉलजिस्ट मीनल ने पुणे के एक डायग्नोस्टिक फर्म माइलेब डिस्कवरी सोल्युशन्स के प्रॉजेक्ट पर फरवरी में काम शुरू किया था। वह प्रेग्नेंट थीं। पिछले हफ्ते ही उन्हें बच्ची हुई। उन्होंने कहा, ‘यह जरूरी था, इसलिए मैंने इसे चुनौती के रूप में लिया। मुझे अपने देश की सेवा करनी है।’ उन्होंने बताया कि उनकी टीम के सभी 10 सदस्यों ने कठिन परिश्रम किया है। प्रॉजेक्ट पूरा होने पर टेस्टिंग किट नैशनल इंस्टिट्यूट ऑफ वायरॉलजी (NIV) को 18 मार्च को सौंप दिया गया और अगले दिन ही मीनल को बेटी हुई।
ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર એ મળ્યા છે કે અમદાવાદની એક મહિલા પેશન્ટ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.
સૂરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સૂરતની યુવતિ કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ હતો એનો પણ પહેલો નેગેટીવ ટેસ્ટ આવી ચૂક્યો છે. હવે સૂરતની આ યુવતિનો 24 કલાકમાં દ્વિતીય ટેસ્ટ નેગેટિવ આવશે એટલે તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટીવ આવે તો તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.
અમદાવાદની હોસ્પિટલે ફેસબુક વોલ પર આપી માહિતી, ક્લીક કરો લિંક
હાલમાં સમગ્ર દુનિયા જ્યારે કોરોના વાઇરસ સામે એક થઇને લડી રહી છે ત્યારે ભારતમાં કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે. મોદી સરકારની ટીકાઓ કરવાવાળા આ સમયમાં પણ ઓછા નથી. અહીં એ હકીકત દર્શાવી રહ્યા છે કે ભારત સરકારે છેક જાન્યુઆરીથી નોવેલ કોવીડ-19 વાઇરસને ભારતમાં અટકાવવા માટે પગલાંઓ ભરવાના શરૂ કરી દીધા હતા. જેમ જેમ સમય આવ્યો તેમ તેમ ભારતે આંતર રાષ્ટ્રીય સીમાઓ પર પ્રવેશ રિસ્ટ્રીક્ટ કર્યા હતા. વાંચો અહીં તારીખવાર ભારતે કોવીડ19ને અટકાવવા ભરેલા શ્રેણીબદ્ધ પગલાઓની તવારીખ
નીચે પોસ્ટ કરવામાં આવેલી તસ્વીર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં તલોદના પૂંસરી ગામ ખાતે દરજી પરિવારમાં યોજાયેલા બેસણાંની છે. દરજી પરિવારના મોભીનું નિધન થતાં પરિવારજનોએ બેસણાની વિધી માટે ડિજિટલ બેસણું રાખ્યું હતું. ખુદ મૃતકના મુંબઇ રહેતા પુત્રએ પણ પિતાને ડિજીટલ શ્રદ્ધાંજલિ આપી હતી. પુત્ર પાસે કોઇ છુટકો ન હતો કે એ લૉકડાઉન વચ્ચે ગામમાં પહોંચી શકે. બનાસકાંઠાના ભીલોડાના પૂંસરી ગામના દરજી પરિવારના આ પગલાંને વિશ્વભરમાં બિરદાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતની પહેલું ડિજિટલ વિલેજ ગણાય છે બનાસકાંઠાના તલોદનું પૂંસરી ગામ
કોરોનાની મહામારીની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલત્વી રાખી રહ્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખ્યું હતું.
દેશમાં સૌ પ્રથમ સ્માર્ટ વિલેજ પુંસરીમાં કોરોનાની મહામારી વચ્ચે બુધવારે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી બેસણું રાખવામાં આવે તો દુ:ખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તો કોરોના વાઈરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું ડિજિટલ બેસણું પુંસરી ગ્રામ પંચાયતના આઈ.ડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના એફ.બી.આઈ.ડીનો ઉપયોગ કરી ફેસબુક લાઈવ અને વિડીયો કોન્ફરન્સથી યોજ્યું હતું, જેમાં મૃતકના મુંબઈ રહેતા પુત્ર અને રાજ્ય અને દેશમાં વસવાટ કરતા સગા-સંબંધીઓએ શોકાંજલિ પાઠવી હતી. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુ:ખદ પરિસ્થિતિમાં લોક ડાઉનની સ્થિતિમાં કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જો ભાઇ લૉકડાઉનથી તકલીફ તો રે’વાની, પણ સૌથી મોટો ફાયદો સૂરતીઓને મળી રહ્યો છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સૂરત શહેર અને જિલ્લાને લૉકડાઉનથી સૌથી મોટો ફાયદો એ મળી રહ્યો છે કે ગઇ તા.22મીથી લગભગ મોટા ભાગે વ્હીકલ મૂવમેન્ટ બંધ થઇ ગઇ છે. 72 કલાક દરમિયાન વાહનોની અવરજવર સૂરતના માર્ગો પર 90 ટકા જેટલી ઘટી છે અને તેનો સીધો ફાયદો સૂરતના વાતાવરણને થયો છે. એક સમયે દિવાળીના દિવસોમાં સૂરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) 400ને પાર પહોંચી ગયો હતો ત્યાં આજે તા.26મી માર્ચ 2020ની સવારે 10.10 કલાકે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપડેટ કરાયેલી સૂરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની માહિતી મુજબ સૂરતના વરાછા વિસ્તારમાં મૂકાયેલા પ્રદૂષણ માપક યંત્રમાં 96 એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) દર્શાવી રહ્યો છે. જે સૂરતનું વાતાવરણ સંતોષકારક હોવાનું જણાવે છે.
છેલ્લા 24 કલાકના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) નો ગ્રાફ
સૂરત મહાનગરપાલિકાએ વરાછા અને લિંબાયત વિસ્તારમાં હવા માપક યંત્રો મૂક્યા છે. જે સતત ચોવીસે કલાક સૂરતની એર ક્વોલિટીને મેઝર કરે છે.
લૉકડાઉનથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે પણ સિક્કાની બીજી બાજુ સકારાત્મક ફેરફારો પણ આપણા સ્વાસ્થયને ફાયદો થાય એવા છે
લોકડાઉનથી કેટલાક લોકોને મુશ્કેલીઓનો સામનો જરૂરથી કરવો પડી રહ્યો છે, પરંતુ કહેવાઈ છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. લોકડાઉનની પણ બીજી બાજુ છે, જે સકારાત્મક છે. ફેક્ટરીઓ, વાહનોની અવર-જવર તેમજ કંસ્ટ્રક્શન કામ વગેરે બંધ થવાના કારણે હવાનું પ્રદૂષણ ઘટ્યું છે. આખો દેશ લોકડાઉન છે તેથી હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે.
દેશના અન્ય મહાનગરોના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની સ્થિતિ
મુંબઈનું AQI લેવલ 53, ચેન્નઈનું 59 અને કોલકાતાનું 50 છે. દેશના અન્ય શહેરોમાં પટનાનું AQI લેવલ 130, રાંચીનું 68, ભોપાલનું 226, જયપુરનું 101, લખનઉનું 116 જ્યારે દહેરાદુનનું AQI લેવલ 126 છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે અને દૈનિક ધોરણે કમાઈને ખાતા પરિવારોની ચિંતા કરતા સંવેદનશિલ સરકાર દ્વારા જેમની પાસે રાશનકાર્ડ છે તેવા મજૂરોને અને ગરીબ કુટુંબોને 1લી એપ્રિલે વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, કુટુંબ દીઠ એક કિલો ખાંડ, દાળ તેમજ મીઠું મફત આપવાનો નિર્ણય કરાયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
એપ્રિલમાં રેશનિંગની દુકાનોમાં આ 60 લાખ કુટુંબોને તમામ અનાજ તેમજ ખાવા-પિવાની વસ્તુઓનું એક મહિના સુધી મફતમાં વિતરણ કરાશે. રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આશરે 60 લાખ કુટુંબ, સવા ત્રણ કરોડ લોકોને તકલીફ ના પડે તે માટે આ નિર્ણય કરાયો છે તેમ બેઠક બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. 21 દિવસ કામધંધા બંધ થવાથી નાના માણસો અને ગરીબ લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. આ સરકાર આવા લોકોની સમસ્યાને સમજે છે અને અન્ય સહાયતા આપવા પણ વિચારણા કરી રહી છે. જેમ જેમ સરકાર વિચારણા કરી રહી છે તેમ તેમ રાજ્યના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખશે અને ભવિષ્યમાં વધુ સહાયતા અંગે સમયાંતરે જાહેરાત કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.