CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 31 of 44 - CIA Live

October 29, 2021
Dilip_Walse_Patil.jpg
1min378

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલ એક વર્ષમાં બીજી વખત કોરોના પોઝિટિવ થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે વળસે-પાટીલે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. વળસે-પાટીલે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે હું કોરોના પોઝિટિવ છું. મારી સ્થિતિ સ્થિર છે. હું ડૉક્ટરોની સલાહનું પાલન કરી રહ્યો છું. નાગપુર અને અમરાવતીની મુલાકાત વખતે અને અન્ય કાર્યક્રમોમાં મારા સંપર્કમાં આવેલા બધા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપું છું. 

October 28, 2021
sensex_down.jpg
1min537

Dt. 28/10/21 ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં 60 હજારનું મહત્વનું લેવલ ગુમાવતા હવે તેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ધોવાણ ક્યાં જઈને અટકશે તેને લઈને અટકળો લગાવાઈ રહી છે. ગયા સપ્તાહે 62 હજારનું લેવલ તોડનારા સેન્સેક્સમાં આ સપ્તાહે સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમાંય આજે ગુરુપુષ્ય નક્ષત્ર યોગમાં dt.28/10/21 તો 1158 પોઈન્ટનું ગાબડું પડતાં રોકાણકારો ટેન્શનમાં આવી ગયા છે.

બુધવારે 61,143ના સ્તરે બંધ થયેલો સેન્સેક્સ આજે ઘટાડા સાથે 61,081 પોઈન્ટ્સની સપાટી પર ખૂલ્યો હતો. જોકે, માર્કેટમાં સતત વેચવાલી જોવા મળતાં તેમાં સતત ઘટાડો નોંધાયો હતો, અને એક તબક્કે તો તે 59,777 પર પહોંચી ગયો હતો. આખરી કલાકોમાં તેમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો, અને બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 60 હજારનું લેવલ તોડી 59,984 પર હતો.

આજે સૌથી વધુ ઘટેલા શેર્સની વાત કરીએ તો, બીએસઈના સેન્સેક્સમાં સામેલ 30 શેર્સમાંથી આઈટીસી 5.58 ટકાના ઘટાડા સાથે 225 રુપિયા પર બંધ આવ્યો હતો. આ સપ્તાહે જોરદાર ઉછાળો દર્શાવનારો ICICI બેંકનો શેર પણ આજે 4.10 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત, કોટક બેંક, એક્સિસ, એચડીએફસી બેંક, એસબીઆઈમાં પણ આજે ગાબડું પડ્યું હતું. બેંક શેર્સમાં થયેલા ધોવાણને કારણે સેન્સેક્સમાં મોટું ગાબડું પડ્યું હતું.

એક તરફ, પ્રાઈવેટ બેન્કોના શેર્સમાં આજે ઘટાડો જોવાયો હતો, તો બીજી તરફ ઈન્ડસિન્ડ બેન્કનો શેર 2.63 ટકા વધી 1171 રુપિયાના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય એલએન્ડટીનો શેર 1.92 ટકા સાથે 1817 રુપિયાના સ્તર પર બંધ આવ્યો હતો. એશિયન પેઈન્ટ્સ અને મારુતિમાં પણ આજે સામાન્ય વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો, અદાણી પોર્ટ્સમાં આજે સૌથી વધુ 7.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, સિપ્લા, NTPC, JSW સ્ટીલ, હિન્દાલ્કો, પાવરગ્રીડમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

October 28, 2021
gurupushya.jpg
1min606

આજે ગુરુપુષ્યામૃત યોગ સાથે પાંચ શુભ યોગ બની રહ્યા છે

દિવાળી પહેલાં ખરીદદારી માટે 28 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર ઉદય થઈ રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે તિથિ, વાર અને ગ્રહો મળીને 5 શુભયોગ બની રહ્યા છે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી ખરીદદારી શુભ રહેશે. ખરીદદારીના આ મુહૂર્તમાં ઘરેણાં, વાહન, ફર્નીચર, કપડા, ઇલેક્ટ્રોનિક સામાન અને ઘર માટે સજાવટનો સામાન ખરીદી શકાય છે. આ દિવસે પ્રોપર્ટી ખરીદવા કે વેચવાની સાથે જ રિયર અસ્ટેટ અને શેરબજારમાં રોકાણ માટે પણ દિવસ ખાસ રહેશે.

આ દિવસે ગુરુવાર હોવાથી ગુરુ પુષ્ય યોગ બને છે. આખા દિવસ દરમિયાન અમૃતસિદ્ધિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે માટે ખરીદી અને રોકાણ માટે આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. ગુરુપુષ્યના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે ગુરુ અને શનિ, શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને તેમના પર ચંદ્રની દ્રષ્ટિ પડે છે. જેને કારણે ગજકેસરી યોગ બને છે. ચંદ્ર ધનનો કારક ગ્રહ છે. આ યોગ દરેક પ્રકારે મંગળકારી ગણાય છે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને ગુરુ પુષ્ય યોગ બન્યો હતો.

આજના દિવસે ખરીદી માટે શુભ મુહૂર્ત નીચે મુજબ છે. જેમાં અમૃત કાલ મુહૂર્ત સવારે 7.02થી 8.48 વાગ્યા સુધી

  • અભિજિત મુહૂર્ત – સવારે 11.42થી બપોરે 12.26 સુધી
  • નિશિતા મુહૂર્ત – સવારે 11.16થી બીજા દિવસે બપોરે 12.07 સુધી રહેશે
  • વિજય મુહૂર્ત – બપોરે 1.34થી 2.19 સુધી રહેશે.
  • ગોધૂલિ મુહૂર્ત – સાંજે 5.09થી 5.33 સુધી રહેશે
  • સંધ્યા મુહૂર્ત – સાંજે 5.20થી 6.36 સુધી રહેશે

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે દાન, પુણ્ય કરો

પુષ્ય નક્ષત્રના દિવસે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલુ ઘાસ અને ગાયોની સંભાળ માટે ધનનું દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજા-સામગ્રી ભેટમાં આપો. મહાદેવજીને બેસનના લાડુનો ભોગ ધરાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવો.

October 28, 2021
aryan.jpg
1min536

ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબર 2021ના રોજ પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન અંગે સુનાવણી આજે તા.28 ઓક્ટોબરને ગુરુવાર માટે મુલતવી રાખી છે. આજે તા.28મી ઓક્ટોબરને ગુરુવારે બપોરે 2.30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે. સુનાવણી ટળતાં આર્યનને આર્થર રોડ જેલમાં રાત વિતાવવી પડી હતી.

આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. વકીલ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. તા.27મીએ કોર્ટમાં અરબાઝ મર્ચન્ટનો કેસ લડી રહેલા વકીલ અમિત દેસાઈએ આર્યન ખાનના જામીનનો પક્ષ રાખીને પોતાની દલીલો શરૂ કરી હતી. જ્યારે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ એનસીબી દ્વારા આર્યનની ધરપકડના આધાર પર વાત મૂકી હતી.

વકીલ અમિત દેસાઈએ જામીનની તરફેણમાં દલીલ કરતાં કહ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે બન્યો જ નથી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65B હેઠળ કોર્ટમાં એનસીબીના આ પૂરાવા માન્ય નથી.

જ્યારે વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન જામીન મંજૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ વસૂલાત (નશીલા પદાર્થ) થઇ નથી. તેણે ડ્રગ્સનું સેવન પણ કર્યું ન હતું, તેથી તેની ધરપકડ જ ખોટી હતી.

October 26, 2021
rajnikanth.jpg
1min442
Rajinikanth surprises after receiving Dadasaheb Phalke award

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તને સોમવારે દેશના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ફિલ્મ એવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. ૬૭મા નેશનલ ફિલ્મ એવૉર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાન્તને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાન્તને ૫૧મો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો. 

મનોજ બાજપેયી, કંગના રનૌત અને ધનુષને શ્રેષ્ઠ અભિનય બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.  નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે રજનીકાન્તે ઉપરાષ્ટ્રપતિ એમ. વોકૈયા નાયડુના હાથે આ એવૉર્ડ સ્વીકાર્યો હતો. 

ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે અગાઉ રજનીકાન્ત બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. 
રજનીકાન્તે તેના જૂના બસ ડ્રાઈવર મિત્રને આ એવૉર્ડ સમર્પિત કર્યો હતો.  આ બસ ડ્રાઈવર મિત્રએ જ રજનીકાન્તને ફિલ્મમાં કામ કરવાનું સૂચન કર્યું હતું. 

રજનીકાન્તની પ્રથમ ફિલ્મ અપૂર્વ રાગાન્ગલના દિવંગત નિર્માતા-નિર્દેશક કે. બાલાચંદર, ભાઈ સત્યનારાયણ રાવ તેમ જ અન્ય નિર્માતા, નિર્દેશક, થિયેટર માલિકો, ટૅક્નિશિયન અને પ્રશંસકોને દાદાસાહેબ ફળકે એવૉર્ડ સમર્પિત કર્યો હતો. 

અસૂરન ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મેળવનાર જમાઈ ધનુષ સાથે રજનીકાન્તે એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી.  રજનીકાન્તની પત્ની લતા અને ધનુષ સાથે પરણેલી પુત્રી ઐશ્ર્વર્યાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.

October 24, 2021
karva.jpg
1min1054
करवा चौथ के दिन नहीं भूलकर भी न करें ये 8 काम

 કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

આ સિવાયે રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુભ પ્રભાવ પણ આ વ્રત પર પડશે. આ નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વ્રત કરનારી દરેક સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખશે અને રાતે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલશે.

મહિલાઓ રાખશે નિર્જળા વ્રત
માતા પાર્વતી, ભગવાન શિવ, કાર્તિકેય અને ગણેશ સહિત શિવ પરિવારનું પૂજન કરી મહિલાઓ માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યની કામના કરે છે. સાથે જ વ્રત દરમિયાન કરવામાં જળ ભરીને કથા પણ સંભળશે. મહિલાઓ સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે. આજે ચંદ્રોદય કેટલા વાગ્યે થશે, સૌથી વધારે રાહ તેની જ જોવામાં આવે છે.

મુંબઇમાં ચંદ્રોદયનો સમય
મુંબઇમાં ચંદ્રોદય 8.45 વાગ્યે થવાની શક્યતા છે. જો કે, ચંદ્રદર્શન 10-15 મિનિટના અંતરાળમાં થઈ શકે છે.

કરવાચૌથના શુભ મુહૂર્ત
કૃષ્ણ  પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ- રવિવારે સવારે 3 કલાક 1 મિનિટે
ચતુર્થી તિથિ સમાપ્ત- સોમવાર સવારે 5 કલાક 43 મિનિટે.

કરવાચૌથ પૂજન મુહૂર્ત
અમૃત મુહૂર્ત – 10.40થી 12.05 સુધી
શુભ મુહૂર્ત – 1.29થી 2.54 સુધી શિવ પરિવારનું પૂજન
સાંજે-  શુભ મુહૂર્ત- 5.43થી 7.18 સુધી કરવા ચૌથ કથા પૂજન
અમૃત મુહૂર્ત- 7.18થી 8.54 સુધી ઇંદ્ર ઇંદ્રાણી, ચંદ્ર પૂજન

October 24, 2021
indopak.jpg
1min436

ટી-ર0 વિશ્વકપમાં તા.ર4ને રવિવારે સાંજે 7:30 કલાકથી દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મહામુકાબલો થશે. પ વર્ષના લાંબા સમય બાદ ટી-ર0 વર્લ્ડકપમાં બન્ને ટીમ આમને સામને આવી હોવાથી બંન્ને દેશના ક્રિકેટપ્રેમીઓ આ હાઈવોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર આ મેચનું જીવંત પ્રસારણ થશે. સાંજે 7 કલાકે ટોસ ઉછાળાશે. સુપર-1રમાં બંન્ને ટીમનો આ પહેલો મેચ છે.

મેચના એક દિવસ અગાઉ પાકિસ્તાને 1ર સભ્યોની ટીમ જાહેર કરી હતી જેમાંથી 11 ખેલાડીને મેદાનમાં ઉતારશે ભારતે છેલ્લી ઘડીએ પ્લેઈંગ-11 જાહેર કરવાની રણનીતિ ઘડી છે. ભારત સામેના મુકાબલા પહેલા પાકિસ્તાનની ટીમે આત્મવિશ્વાસના અતિરેક જેવું વલણ દર્શાવ્યું છે.
બીજીતરફ પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકની વાપસી થઈ છે. જેણે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. સાથે મોહમ્મદ હાફિઝ જેવા સિનિયર પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરફરાઝ અહેમદને ટીમમાં સામેલ કરાયો નથી.

અમારૂં ફોકસ મેચ પર, શ્રેષ્ઠ રમીશું: કોહલી
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યંy કે અમારૂ ફોકસ સંપૂર્ણ રીતે મેચ પર છે અને અમે અમારી શ્રેષ્ઠ રમત બતાવીશું. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા રમવા માટે સંપૂર્ણ ફિટ છે. કોહલીએ પાકિસ્તાનની ટીમને મજબૂત ગણાવી કહ્યું કે તેની સામે બેસ્ટ રમવું પડશે. તેમની પાસે પણ ગેમ ચેન્જર્સ ખેલાડીઓ છે. અમારે પ્લાન પર ધ્યાન આપવું પડશે.

ઈમરાન ખાને ‘અનુભવ’ શેર કર્યો : બાબર
યુએઈ જવા રવાના થતાં પહેલા પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં ખુલાસો કર્યો કે 199ર વર્લ્ડકપ વિનિંગ ટીમના કેપ્ટન રહી ચૂકેલા વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત વખતે તેમણે (ઈમરાન ખાને) પોતાના અનુભવ શેર કર્યા હતા. જો કે તેમણે ટીમને કોઈ સંદેશો આપ્યો નથી. બાબરે કહ્યું કે અમે ઈતિહાસને બદલે ભવિષ્ય પર ધ્યાન આપવાનું પસંદ કરીશું.

ટીમ ઈન્ડિયા સ્કવોડ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

પાકિસ્તાની સ્કવોડ : બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, હસન અલી, હરીસ રઉફ, હૈદર અલી

October 23, 2021
t20_world.jpg
1min629

ઓસ્ટ્રેલિયાની ટીમ આઇસીસી ટી-20 વિશ્વ કપમાં Dt.23/10/21 શનિવારે જ્યારે દ. આફ્રિકા વિરૂધ્ધ તેના અભિયાનની શરૂઆત કરશે ત્યારે તેના ટોચના ક્રમના બેટધરો પાસે ફોર્મમાં વાપસી કરીને શાનદાર દેખાવની આશા રહેશે.

ટી-20 વિશ્વ વિજેતા બનવામાં અત્યાર સુધી નિષ્ફળ રહેનાર આ બન્ને ટીમો તેમના સપનાને સાકાર કરવા માટે સુપર-12ના ગ્રુપ-વનમાં જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનું લક્ષ્યાંક રાખશે. જો કે ઓસ્ટ્રેલિયાની બાજુ ચિંતા વધુ છે. અહીં પહોંચ્યા પહેલા તેને બંગાલદેશ, વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ, ભારત અને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની દ્રિપક્ષીય ટી-20 શ્રેણીમાં હાર સહન કરવી પડી છે. આ દરમિયાન કાંગારૂ ટીમ ફકત પાંચ જીત મેળવી શકી છે અને 13માં હારનો સામનો કરવો પડયો છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ચિંતા આક્રમક ઓપનર ડેવિડ વોર્નરનું ખરાબ ફોર્મ છે. આઇપીએલમાં યૂએઇમાં તેને શૂન્ય અને બે રનની ઇનિંગ બાદ સનરાઇઝર્સની ઇલેવનની બહાર કરી દેવાયો હતો. અભ્યાસ મેચમાં પણ સર્જરી બાદ વાપસી કરનાર કેપ્ટન એરોન ફિંચની પણ ક્રિઝ પર કસોટી થશે. ઉપસુકાની પેટ કમિન્સે આઇપીએલમાં બ્રેક લીધો હતો. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ ગત વિજેતા વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને અહીં પહોંચી છે. ટીમે બન્ને અભ્યાસ મેચ પણ જીત્યા છે. જો કે આ વખતની આફ્રિકાની ટીમમાં કોઇ મોટા ખેલાડીઓ નથી. આથી ટૂર્નામેન્ટમાં તેને જીતની પ્રબળ દાવેદાર ગણવામાં આવતી નથી. તેના ટોચના ક્રમના બેટધરો સુકાની તેમ્બા બાવુમા, ડિ’કોક, માર્કરમ, હેંડ્રિકસ અને ડુસાન કોઇ પણ બોલિંગ લાઇનઅપને ભારે પડી શકે છે. ખાસ કરીને આફ્રિકાની બોલિંગ વધુ મજબૂત છે. જેમાં રબાડા, નોત્ઝે, એન્ડિગીની ત્રિપુટી’ છે. જયારે સ્પિન મોરચે ટી-20નો વિશ્વ નંબર વન બોલર તબરેજ શમ્શી છે. ડેવન પ્રિટોરિયસ અને વિયાન મુલડર તેના ઓલરાઉન્ડર છે.

ટી-20 વર્લ્ડ કપના Dt.23/10/21, શનિવારે રમાનારા બીજા મેચમાં વર્તમાન વન ડે ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને વર્તમાન ટી-20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ આમને-સામને હશે. ત્યારે ઇંગ્લેન્ડની નજર છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડ કપમાં આખરી ઓવરમાં બ્રેથવેટના ચાર છકકાથી મળેલી હારનો હિસાબ ચૂકતે કરીને વિન્ડિઝને હાર આપવાનો રહેશે. વોર્મઅપ મેચમાં ઇંગ્લેન્ડ ભારત સામે અને વિન્ડિઝને પાક સામે હાર મળી હતી. જેમાંથી બોધપાઠ લઇને બન્ને ટીમ ભૂલોથી બચવા કોશિશ કરશે.

ઇંગ્લેન્ડને તેના સ્ટાર ખેલાડીઓ બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરની ખોટ પડશે. કેપ્ટન ઇયોન મોર્ગનનું કંગાળ ફોર્મ ટીમની સૌથી મોટી ચિંતા છે. આ સામે બટલર, મોઇન અલી, બેયરસ્ટો અને મલાન જેવા ખેલાડી સારા ફોર્મમાં છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફટાફટ ક્રિકેટની સૌથી ખતરનાક ટીમ ગણાય છે. તેની પાસે ગેલ જેવા અને અનુભવી અને હેટમાયર જેવા યુવા ફટકાબાજો છે. ટીમનો કેપ્ટન પોલાર્ડ છે અને તે કેરેબિયન ટીમને ટી-20 વિશ્વ કપમાં ત્રીજીવાર ચેમ્પિયન બનાવવાનો વિશ્વાસ ધરાવે છે.

October 23, 2021
paytm.jpeg
1min389

આઇપીઓ માર્કેટમાં ફરી ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. દેશમાં સૌથી મોટી રકમની પબ્લિક ઓફર લાવીને પેટીએમ આ ક્ષેત્રમાં ડંકો વગાડવાની છે. આ વર્ષે આઇપીઓ માર્કેટમાં ધૂમ તેજી છે. એમાં હવે પેટીએમના આઇઇપીઓથી રોનક છવાઇ જાય એમ છે કારણકે સેબીએ કંપનીના રૂ.16,600 કરોડના આઇપીઓને મંજૂરી આપી છે. અગાઉ 2010માં કોલ ઇન્ડિયાનો આઇપીઓ રૂ. 15,000 કરોડનો આવ્યો હતો.

કંપની નવેમ્બરના આરંભમાં આઇપીઓ બહાર પાડે તેવી શક્યતા છે. જોકે ઝડપથી લિસ્ટેડ થવા માટે કંપની શેર વેચાણની યોજના પ્રથમ બનાવી રહી છે.’

કંપની રૂ.1.47થી 1.78 લાખ કરોડનું મૂલ્યાંકન ઇચ્છી રહી છે. અમેરિકા સ્થિત વેલ્યૂએશન કંપનીએ એક શેરની કિંમતનું મૂલ્યાંકન રૂ. 2950 જેટલું કર્યું છે. એ રીતે આઇપીઓનો ભાવ ઘણો ઉંચો રાખવામાં આવે તેમ છે. આ આઇપીઓ સફળ રહે તો દેશનો સૌથી મોટો આઇપીઓ હશે.આઇપીઓનું સંચાલન મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ ગ્લોબલ, જેપી મોર્ગન ચેઝ છે. મોર્ગન સ્ટેનલીની દાવેદારી મોટી છે.

પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્મા પાછલા એક વર્ષથી કંપનીની આવક વધારીને સેવાઓને મોનેટાઇઝ કરવામાં અત્યંત વ્યસ્ત છે. સ્ટાર્ટઅપે ડિજીટલ ઉપરાંત હવે બાંકિંગ, ક્રેડિટ કાર્ડ,ફાયનાન્સિયલ સર્વિસ, વેલ્થ મેનેજમેન્ટ અને ડિજીટલ વોલેટ જેવા ક્ષેત્રોમાં પણ કારોબાર ફેલાવી દીધો છે.

કંપનીએ હવે ફોન પે, ગુગલ પે, એમેઝોન પે અને વોટ્સ એપ પે તરફથી સર્જાયેલી હરિફાઇને પણ મજબૂતીથી સહન કરી લીધી છે. મર્ચન્ટ પેમેન્ટ ક્ષેત્રમાં પેટીએમનો બજાર હિસ્સો સૌથી વધારે છે. કંપનીના 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર છે અને તેના યુઝરો મહિને 1.4 અબજ જેટલા વ્યવહારો કરે છે. પેટીએમ માટે 2021ના નાણા વર્ષના પ્રથમ ત્રણ માસ ખૂબ સારાં રહ્યા છે. એ વખતે કોવિડની બીજી લહેરમાં ડિજીટલ વ્યવહારોમાં ખૂબ જ તેજી આવી હતી.’

October 22, 2021
modi.jpg
1min791

આજે તા.22મી ઓક્ટોબર 2021ની સવારે 10 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનની શરુઆત વૈદિક વિધાનથી કરતા કહ્યું કે ‘कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः ।’ જો આપણે આને ભારતના સંદર્ભમાં જોઈએ તો તેનો સીધો અર્થ એ છે કે આપણા દેશે એક તરફ ફરજ બજાવી અને બીજી તરફ તેને મોટી સફળતા મળી છે. તેમણે આગળ કહ્યું કે ગઈકાલે 21 ઓક્ટોબરે, ભારતે 1 અબજ એટલે કે 100 કરોડ રસીના ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. આ સિદ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્યનિષ્ઠા છે. એટલે જ આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે દરેક દેશવાસીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

તેમણે વધુમાં આગળ કહ્યું કે 100 કરોડ રસી ડોઝ માત્ર એક આંકડો નથી. આ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. ઈતિહાસમાં એક નવો અધ્યાય રચાઈ રહ્યો છે. આ એક નવા ભારતનું ચિત્ર છે જે જાણે છે કે કેવી રીતે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે તેના સંકલ્પોની પરિપૂર્ણતા માટે સખત મહેનતની પરાકાષ્ઠા છે.

15 નવેમ્બર 2018ના રોજ કુમાર વિશ્વાસે આ જ વિધાન ટ્વીટ કર્યું હતું : कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः