CIA ALERT
29. April 2024

ટ્રેન્ડિંગ Archives - Page 3 of 44 - CIA Live

August 15, 2022
gujarat_rain_map.jpg
6min211

છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ – ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી માત્ર ૩૭ ટકા વરસાદ હતો

-૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ : કપરાડામાં ૧૨૭, ધરમપુરમાં ૧૦૩ ઈંચ : કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ં ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે  પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય  ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ  દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.

રાજ્યના જે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેમાં દાહોદ મોખરે છે. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાઇ શક્યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ

રીજિયન પ્રમાણે

રીજિયન        વરસાદ સરેરાશ

કચ્છ            ૨૪.૨૨ ૧૩૫%

દક્ષિણ           ૫૪.૫૨ ૯૪%

સૌરાષ્ટ્ર         ૨૧.૧૨ ૭૯%

ઉત્તર           ૨૧.૧૫ ૭૫%

પૂર્વ મધ્ય       ૨૩.૦૨ ૭૩%

સરેરાશ       ૨૮.૨૦ ૮૪.૨૬%

કયા તાલુકામાં સૌથી વધુ?

તાલુકો       વરસાદ       સરેરાશ

કપરાડા      ૧૨૭.૦૮       ૧૧૪%

ધરમપુર      ૧૦૩.૦૦       ૧૦૬%

વાપી           ૮૭.૩૬         ૯૯%

ખેરગામ        ૮૬.૬૫       ૧૧૫%

વાંસદા          ૮૭.૦૦       ૧૧૨%

કયા જિલ્લામાં સૌથી વધુ?

જિલ્લો        વરસાદ સરેરાશ

વલસાડ        ૯૦.૯૪ ૧૦૧%

ડાંગ            ૭૬.૬૯ ૯૪%

નવસારી        ૭૦.૩૧ ૯૭%

નર્મદા        ૫૩.૨૬ ૧૨૭%

સુરત        ૪૯.૦૦ ૮૫.૩૦%

કયા જિલ્લામાં સૌથી ઓછો?

જિલ્લો       વરસાદ સરેરાશ

દાહોદ       ૧૩.૦૭ ૪૫.૯૭%

સુરેન્દ્રનગર  ૧૪.૧૩ ૬૦.૫૩%

ભાવનગર   ૧૫.૧૫ ૬૩.૦૦%

અમદાવાદ   ૧૫.૨૭ ૫૬.૩૮%

મોરબી      ૧૫.૭૪ ૭૨.૩૯%      


છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધી વરસાદ

વર્ષ    વરસાદ સરેરાશ

૨૦૧૫ ૧૯.૯૩૬૩.૪૯%

૨૦૧૬ ૧૭.૭૪ ૫૬.૫૪%

૨૦૧૭ ૨૬.૬૩ ૮૩.૫૧%

૨૦૧૮ ૧૮.૨૭ ૫૫.૮૭%

૨૦૧૯ ૨૭.૦૧ ૮૪.૦૯%

૨૦૨૦ ૨૩.૦૦ ૭૦.૩૨%

૨૦૨૧ ૧૨.૧૮ ૩૬.૮૪%

૨૦૨૨ ૨૮.૨૦ ૮૪.૨૬%

(*વરસાદના આંકડા ઈંચમાં.)

August 15, 2022
modi.jpg
2min291

નવી દિલ્હી,તા.15.ઓગસ્ટ,2022 સોમવાર

પીએમ મોદીએ આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નવમી વખત દેશને લાલ કિલ્લા પરથી સંબોધન કર્યુ હતુ.

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો .તેમણે સતત 83 મિનિટ સુધી ભાષણ કર્યુ હતુ. 

આ પણ વાંચો: Independence day: PM મોદીએ 5 સંકલ્પ સાથે આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ જણાવી

પીએમ મોદીનુ લાંબુ ભાષણ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યુ છે.જોકે એવુ નથી કે, આ પીએમ મોદીનુ લાંબામાં લાંબુ ભાષણ છે.આ પહેલા 2-21માં 15 ઓગસ્ટનુ તેમનુ ભાષણ 88 મિનિટનુ હતુ.2014માં જ્યારે તેઓ પહેલી વખત પીએમ બન્યા અને લાલ કિલ્લા પરથી ભાષણ કર્યુ ત્યારે તેનો સમયગાળો 64 મિનિટનો હતો.

આ પણ વાંચો: Independence Day: PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો નવો નારો

પીએમ મોદીએ 2015માં 86 મિનિટનુ ભાષણ આપીને દેશના પહેલા પીએમ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડયો હતો.નહેરુએ 1947માં 72 મિનિટનુ ભાષણ આપ્યુ હતુ.

આ પણ વાંચો: વાંચો PM મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનના અંશો

પીએમ મોદી અત્યાર સુધીમાં દેશને નવ વખત લાલ કિલ્લા પરથી સંબોધિત કરી ચુકયા છે.જેમાં  માત્ર એક જ વખત 2017માં એક કલાકથી ઓછા સમયનુ ભાષણ આપ્યુ હતુ.જાણો પીએમ મોદીના અત્યાર સુધીના ભાષણોનો સમયગાળો

2014 65 મિનિટ

2015 86 મિનિટ

2016 96 મિનિટ

2017 56 મિનિટ

2018 82 મિનિટ

2019 93 મિનિટ

2020 86 મિનિટ

2022 83 મિનિટ

August 14, 2022
rakesh_joonjoonwala.jpg
2min230

શેર માર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ગત 2-3 સપ્તાહ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે આજે સવારે  6:45 કલાકે દિગ્ગજ કારોબારીના અવસાનની પુષ્ટિ કરી હતી. 

મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે ઝુનઝુનવાલાનું મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. ડોક્ટર્સની ટીમ તેમને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહી હતી. તેમને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી.

સ્ટોક માર્કેટમાં રોકાણકાર એવા રાકેશ ઝુનઝુનવાલાના નામે આજે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાસ વાત એ છે કે, તેમની કારકિર્દીની શરૂઆત માત્ર 5,000 રૂપિયાથી થઈ હતી. 

આજે તેમની નેટવર્થ આશરે 40 હજાર કરોડ રૂપિયાની છે. આ કારણે જ ઝુનઝુનવાલાને ઈન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ તથા ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા. સામાન્ય રોકાણકારો જ્યારે શેર માર્કેટમાં નુકસાનીમાં હોય ત્યારે પણ ઝુનઝુનવાલા કમાણી કરી લેવામાં સફળ રહેતા હતા. 

– ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો

મુંબઈ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર

શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે. મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા તેમના મૃત્યુની પષ્ટિ કરવામાં આવી છે. તેમને 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ગઈકાલે ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ શેર માર્કેટના કિંગ, દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન

ભારતના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા માત્ર શેર માર્કેટના જ કિંગ નહોતા પરંતુ તેમને બોલિવુડ સાથે પણ એક ખાસ કનેક્શન હતું. 

જાણો શું હતું એ કનેક્શન

રાકેશ ઝુનઝુનવાલાને શેર માર્કેટ ઉપરાંત ફિલ્મોનો પણ ખૂબ જ શોખ હતો. આ કારણે તેમણે બોલિવુડની અનેક ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. તેમણે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’, ‘શમિતાભ’ તથા ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી. 

રાકેશ ઝુનઝુનવાલાએ 2012માં આવેલી શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ને પ્રોડ્યુસ કરી હતી. તે ફિલ્મનું બજેટ આશરે 10 કરોડ રૂપિયાનું હતું. તે ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ‘શમિતાભ’ અને ‘કી એન્ડ કા’ને પણ પ્રોડ્યુસ કરી હતી. 

અમિતાભ બચ્ચન, ધનુષ તથા અક્ષરા હાસનની ફિલ્મ ‘શમિતાભ’ને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે કરીના કપૂર તથા અર્જુન કપૂરની ફિલ્મ ‘કી એન્ડ કા’એ થિયેટર્સમાં સારૂં એવું પ્રદર્શન આપ્યું હતું. તે ફિલ્મને આશરે 100 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું હતું. 

August 10, 2022
cng.png
3min215

એક વર્ષમાં CNGમાં 30 રૂપિયાનો ભાવ વધારો

છેલ્લા એક વર્ષમાં ૧ કિલો ગેસમાં ૩૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઇ જતા રિક્ષા ચાલકો સહિત તમામ સીએનજી ગેસ વાહન ધરાવતા લોકો પર આર્થિક બોજ વધી ગયો છે. ગેસ સસ્તો પડે છે તેવી માનસિકતાથી સીએનજી વાહનો ખરીદનાર લોકો હાલ પસ્તાઇ રહ્યા છે. 

સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી  વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી રિક્ષા સહિતના વાહનો વસાવી રહ્યા છે. એક વર્ષ પહેલા જે વાહનચાલકો ૫૬.૩૦ રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં ૮૭.૩૮ રૂપિયે કિલો ગેસ ભરાવવા મજબૂર બન્યા છે !

ઇ તારીખે ગેસમાં કેટલો ભાવ વધ્યો ?

તારીખભાવ વધારોનવો ભાવ
૧૭-૨-૨૧૦.૯૫૫૪.૬૨
૮-૭-૨૧૦.૬૮૫૫.૩૦
૬-૮-૨૧૧.૦૦૫૬.૩૦
૨-૧૦-૨૧૨.૫૬૫૮.૫૬
૬-૧૦-૨૧૧.૩૦૫૯.૮૬
૧૦-૧૦-૨૧૧.૬૩૬૧.૪૯
૧૮-૧૦-૨૧૧.૫૦૬૨.૯૯
૨-૧૧-૨૧૨.૦૦૬૪.૯૯
૫-૧૨-૨૧૦.૭૫૬૫.૭૪
૧૯-૧૨-૨૧૧.૮૫૬૭.૫૯
૧-૧-૨૨૨.૫૦૭૦.૦૯
૧-૩-૨૨૧.૦૦૭૧.૦૯
૧૦-૩-૨૨૨.૦૦૭૩.૦૯
૨૪-૩-૨૨૧.૫૦૭૪.૫૯
૧-૪-૨૨૭.૦૦૮૧.૫૯
૧૬-૪-૨૨૧.૦૦૮૨.૫૯
૩-૭-૨૨૧.૩૧૮૩.૯૦
૨-૮-૨૨૧.૯૯૮૫.૮૯
૪-૮-૨૨૧.૯૯૮૫.૮૯
૪-૮-૨૨૧.૪૯૮૭.૩૮
August 9, 2022
nitishkumar.jpg
1min244

પટના, તા. 09 ઓગષ્ટ 2022, મંગળવાર 

બિહારમાં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મૂકાય ગયો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડ (JDU) વચ્ચેનું ગઠબંધન તૂટી ગયુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના આવાસ પર થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બિહારમાં જનતા દળ યુનાઈટેડ અને ભાજપની યુતિ સરકાર પડી ભાંગી છે. આ પહેલા રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી કુમારે જે સમય માંગ્યો હતો તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ સાથે બેઠકમાં કુમાર રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને કુમારના જનતા દળ યુનાઈટેડ વચ્ચેની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. નીતિશ કુમાર બીજેપીનો સાથ છોડશે તેવી અટકળો સતત ચાલી રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. જો કે જેડીયુ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે. CM નીતિશ કુમાર મહાગઠબંધન સાથે સરકાર બનાવશે જેમાં આરજેડી, લેફ્ટ અને કોંગ્રેસ સામેલ છે. સાંજે જ્યારે તેઓ રાજ્યપાલની મુલાકાત કરશે ત્યારે મહાગઠબંધનના નેતા પણ તેમની સાથે હાજર રહેશે અને ગવર્નરને સમર્થન પત્ર સોંપશે.

August 9, 2022
birmingham_common_wealth.jpg
2min287

– બેડમિંટનમાં ત્રણ ગોલ્ડ મેડલની સિદ્ધિ 

– ટેબલ ટેનિસમાં 40 વર્ષીય શરથ કમલે ગોલ્ડ જીત્યો : 2006થી 13 મેડલ જીતવાની સિદ્ધી : પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઝળક્યા

બર્મિંગહામ : ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ એમ કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.

ભારતે આજે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ, પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ૪૦ વર્ષની વયે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં ૨૦૦૬માં તે બે ગોલ્ડ જીત્યો હતો. આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ ૧૩ મેડલ જીત્યા છે જે એક રેકોર્ડ છે. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતનો આજે મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી શરમજનક પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું. તેવી જ રીતે મહિલા ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. ગોલ્ડ મેડલ જીતવાની રીતે ભારતનો જો કે આ કોમનવેલ્થ દેખાવ શ્રેષ્ઠ નથી.  ૨૦૧૦માં ભારતે ૩૮, ૨૦૦૨માં ૩૦, ૨૦૧૮માં ૨૬, ૨૦૦૬માં ૨૨ અને હવે ૨૦૨૨માં પણ ૨૨ ગોલ્ડ મેડલ જીત્યા છે.

India At Commonwealth Games 2022 Medal Tally Live Updated: Indian Team Bag  Silver in Men's Hockey, India Finish Fourth on Medal Table | 🏆 LatestLY

મેડલ ટેબલ

દેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
ઓસ્ટ્રેલિયા૬૭૫૭૫૪૧૭૮
ઈંગ્લેન્ડ૫૭૬૬૫૩૧૭૬
કેનેડા૨૬૩૨૩૪૯૨
ભારત૨૨૧૬૨૩૬૧
ન્યુઝીલેન્ડ૨૦૧૨૧૭૪૯
સ્કોટલેન્ડ૧૩૧૧૨૭૫૧
નાઈજીરિયા૧૨૦૯૧૪૩૫
વેલ્સ૦૮૦૬૧૪૨૮
સા.આફ્રિકા૦૭૦૯૧૧૨૭
મલેશિયા૦૭૦૮૦૮૨૩
August 8, 2022
sandhu.jpg
1min322

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.

પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.

August 8, 2022
khatushyam.jpg
1min238

રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગના કારણે 3 લોકોના મોત થઈ ગયા છે અને આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આજે સવારે 5:00 વાગ્યાની આસપાસ મંદિરમાં માસિક મેળા દરમિયાન આ નાસભાગ મચી હતી. ઘાયલોને જયપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

પોલીસને જણાવ્યા પ્રમાણે લગભગ સવારે 5:00 મંદિરના પ્રવેશ દ્વાર પર નાસભાગ મચી ગઈ હતી. ગેટ ખુલવાની રાહ જોતા મંદિરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. ગેટ ખોલતાની સાથે જ એક મહિલા બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે તેની પાછળ અન્ય લોકો પણ પડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો અને બે ઘાયલ થયા હતા. સીકર પોલીસના એસપી કુંવર રાષ્ટ્રદીપે જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી છે.

આજે ચંદ્ર કેલેન્ડરનો 11મો દિવસ ખાટુ શ્યામજીના દર્શન માટે શુભ ગણાય છે. જેને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.

આ દુર્ઘટના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નાસભાગમાં ઘણા શ્રદ્ધાળુઓનું મૃત્યુ આઘાતજનક છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તમામ ભક્તોને સંયમ જાળવવા નમ્ર વિનંતી છે. તંત્રએ રાહત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવી જોઈએ. ભક્તો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં વહીવટીતંત્રને સહકાર આપે છે.

ખાટુ શ્યામજી મંદિર રાજસ્થાનના સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને ત્યાં પૂજા કરવા માટે એક મોટો હોલ છે જેને જગમોહનના નામથી ઓળખવામાં આવે છે.

August 5, 2022
rbi.jpeg
1min185

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોંઘવારીને કાબુમાં લેવા માટે દેશની મુદ્રા નીતિનું અકોમોડેશન મોડ પરત ખેંચ્યું છે.

ગત સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના 28 વર્ષના બીજા સૌથી મોટા વ્યાજ દર વધારા બાદ ગઈકાલે બેંક ઓફ ઇંગ્લેન્ડે 1995 બાદનો સૌથી મોટો વ્યાજ દર વધારો કર્યો હતો અને આજે તા.5મી ઓગસ્ટ 2022ના રોજ પૂરી થયેલી આરબીઆઇની મોનેટરી પોલીસીમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 0.50% નો વધારો કર્યો છે માર્ચ થી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેંચામાર્ક ગણાતા રેપોરેટમાં આ ત્રીજો સળંગ વધારો છે.

આરબીઆઈએ 5 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરીને રેપોરેટ 4.9થી વધારી 5.4 કર્યા છે. આ સાથે જ ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે.

બજાર એક્સપર્ટના અંદાજ અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ મોનિટરી પોલિસીમાં 0.35%ના વ્યાજ દર વધારાની અપેક્ષા હતી પરંતુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ કડકાઈ દાખવીને વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરીને અગ્રેવિસ પોલિસી બતાવી છે.

રેપોરેટમાં વધારાની સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા SDF પણ વધારીને 5.15% કરવામાં આવે છે.  આ સિવાય MSF દર પણ 0.50 ટકા વધાર્યા છે.

મોનીટરી પોલિસીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે ભારતમાં હાઉસહોલ્ડ મોંઘવારી આગામી સમયમાં ઘટવાની અપેક્ષા છે પરંતુ આરબીઆઈના નિર્ધારીત અંદાજ કરતા વધુ રહેશે. આ સાથે આરબીઆઇએ જુલાઈ સપ્ટેમ્બર માટેના ગ્રાહક સ્તરના મોંઘવારી દરનું અનુમાન 7.1% નક્કી કર્યું છે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર ડિસેમ્બર માટે CPI ઇન્ફલેશન 6.4 ટકા અને અંતિમ ક્વોટર જાન્યુઆરી માર્ચ માટે ઇન્ફ્લેશન 5.8% રહેવાનો અંદાજ મુક્યો છે સમગ્ર નાણાકીય વર્ષ 2023 માટે ગ્રાહક સ્થરનો મોંઘવારી દર 6.7 ટકા રહેવાનો અંદાજ આજની મોનિટરી પોલિસીમાં મૂકવામાં આવ્યો છે

August 5, 2022
sudhir.jpg
2min284

– ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

બર્મિંગહામ, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર

કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે. તેઓ પેરા પાવરલિફ્ટિંગ (દિવ્યાંગ એથ્લીટ્સ માટેનું વેઈટલિફ્ટિંગ)માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. અગાઉ 2014માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. સુધીરે પુરૂષો માટેની હેવી વેઈટ કેટેગરીમાં 212 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 

87.30 કિગ્રા વજન ધરાવતા સુધીરે રેક હાઈટ 14 સાથે પ્રથમ પ્રયત્નમાં 208 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયત્નમાં તેમણે 212 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. સુધીરે 212 કિગ્રા વજન લિફ્ટ કરવાની સાથે જ એક નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર 217 કિગ્રા વજન ઉઠાવવામાં અસફળ રહ્યા હતા. જોકે 134.5 પોઈન્ટ્સ સાથે સુધીર ટોપ પર રહ્યા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ભારતનો છઠ્ઠો ગોલ્ડ

આ ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો મેડલ છે. અગાઉ મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. જ્યારે મહિલા લોન બોલ ટીમ તથા પુરૂષ ટેબરલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 

ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે. 

જાણો કોને મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ

27 વર્ષીય સુધીરે ગોલ્ડ મેડલ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા રમતોમાં મેડલ્સનું ખાતું ખોલ્યું છે. મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર બાદ નાઈજિરીયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ 133.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે 130.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

સુધીરે અગાઉ જૂન મહિનામાં દક્ષિણ કોરિયામાં વિશ્વ પેરા પાવરલિફ્ટિંગ એશિયા-ઓશિનિયા ઓપન ચેમ્પિયનશિપમાં પુરૂષોની 88 કિગ્રા વેઈટ કેટેગરીમાં 214 કિગ્રાના સર્વશ્રેષ્ઠ લિફ્ટિ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત સુધીરે 2022ની હાંગ્ઝૂ એશિયાઈ પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે. 

પાવરલિફ્ટિંગમાં એથલીટ્સને 3 અટેમ્પ્ટ્સ આપવામાં આવે છે. વજન ઉઠાવવા પર શરીરના વજન તથા ટેક્નિકના આધારે પોઈન્ટ્સ મળે છે. સમાન વજન ઉઠાવવા પર શારીરિકરૂપે ઓછું વજન ધરાવતા ખેલાડીને અન્યની સરખામણીએ વધુ પોઈન્ટ્સ મળે છે. સુધીર 5 વર્ષની ઉંમરમાં પોલિયોનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ 2013માં તેમણે પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પાવરલિફ્ટિંગની શરૂઆત કરી હતી.