CIA ALERT

રમત જગત Archives - Page 22 of 45 - CIA Live

March 31, 2021
Rishabh-Pant-Delhi-Capitals-captain-IPL-2021.jpg
1min434

વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત આઇપીએલની 14મી સિઝન માટે આજે દિલ્હી કેપિટલ્સનો કપ્તાન જાહેર થયો છે. તેણે શ્રેયસ અય્યરની જગ્યા લીધી છે. અય્યર ખભાની ઇજાને લીધે આઇપીએલની બહાર થઇ ગયો છે. 23 વર્ષીય ઋષભ પંતે આ પહેલા ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. આઇપીએલમાં તે પહેલીવાર સુકાની નિયુકત થયો છે. પંત 2017માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં દિલ્હીનો કેપ્ટન હતો.

દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ આજે રાત્રે ઋષભ પંતને નવો કેપ્ટન બનાવ્યાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. પંતે કહ્યંy છે કે દિલ્હીમાં હું મોટો થયો છું. અહીં 6 વર્ષ પહેલા આઇપીએલની યાત્રા શરૂ કરી હતી. હવે આ ટીમનો કેપ્ટન બનવું સપના જેવું લાગી રહ્યંy છે. ઋષભ પંતનું હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યંy છે. જેનું તેને આ ઈનામ મળ્યું છે. આઇપીએલ-14માં દિલ્હી કેપિટલ્સ તેના અભિયાનની શરૂઆત 16 એપ્રિલે ચેન્નાઇ સામે રમીને કરશે. દિલ્હીના સુકાનીની રેસમાં સ્ટીવન સ્મિથ અને આર. અશ્વિન પણ હતા.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min539

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.

March 26, 2021
indiavsengland.jpg
1min490
India vs England ODI series 2021: Fixtures, Time-Table, Squads, Broadcast &  Live Streaming Details

સૂર્યકુમાર યાદવને શુક્રવારે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ઇલેવનમાં મોકો મળવાની પૂરી સંભાવના હશે. જ્યારે ટીમ ઇન્ડિયાની નજર આ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી 2-0ની અતૂટ સરસાઇ સાથે કબજે કરવા પર રહેશે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે શ્રેણીમાં જીવંત રહેવા માટે બીજો વન ડે મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. શ્રેયસ અય્યર ખભાને ઇજાને લીધે સિરીઝ બહાર થઇ ગયો છે. આથી ફોકસ સૂર્યકુમારના વન ડે ક્રિકેટમાં પદાર્પણ પર રહેશે. તેણે ટી-20માં શાનદાર ડેબ્યૂ કરીને તેનો દાવો સધ્ધર કર્યોં છે. મેચ શુક્રવારે બપોરે 1-30થી શરૂ થશે.

કોરોના મહામારી પહેલા શ્રેયસ અય્યર વન ડે ફોર્મેટનો મહત્ત્વનો ખેલાડી હતો, પણ હવે ભારતની બેંચ સ્ટ્રેંથ એટલી મજબૂત છે કે નવોદિત ખેલાડી પણ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ખતરનાક લાગી રહ્યા છે. આથી ટીમ મેનેજમેન્ટ માટે પસંદગીની દુવિધા છે. સ્ટાર રવીન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી ટીમ બહાર છે, પણ અક્ષર પટેલે ટેસ્ટમાં અને કુણાલ પંડયાએ તેની ખોટ મહેસૂસ થવા દીધી નથી. જયારે આઇપીએલથી મશહૂર બનેલા મીડિયમ પેસર પ્રસિધ્ધ કૃષ્ણાએ વન ડે પદાર્પણ સાથે 4 વિકેટ લઇને ટીમ ઇન્ડિયામાં શાનદાર એન્ટ્રી કરી છે.

ભારત માટે રાહતની વાત એ છે કે શિખર ધવન અને કેએલ રાહુલે ફોર્મમાં વાપસી કરી લીધી છે. ધવને 98 અને રાહુલે અણનમ 62 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રોહિત શર્માને પહેલા મેચમાં કોણીની ઇજા થઇ છે, પણ તે ફિટ થઇ જશે તેવી આશા છે. જો રોહિતને બ્રેક અપાશે તો ધવન સાથે યુવા શુભમન ગિલને દાવનો પ્રારંભ કરવાનો મોકો પ્રાપ્ત થશે. ચાઇનામેન બોલર કુલદિપ યાદવે પહેલા મેચમાં 9 ઓવરમાં 68 રન આપ્યા હતા. તેના સ્થાને યજુર્વેન્દ્ર ચહલને તકની પ્રબળ સંભાવના છે. ભુવનેશ્વર-શાર્દુલ-કૃષ્ણાની ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ લીધી હતી. આથી આ કોમ્બીનેશનમાં પ્રયોગનો કોઇ અવકાશ નથી. નટરાજન અને સિરાઝમાંથી કોઇ એકને શ્રેણી જીત બાદ આખરી મેચમાં મોકો મળી શકે છે.
બીજી તરફ ઇંગ્લેન્ડનો ઇરાદો શ્રેણી જીવંત રાખવાનો રહેશે.

કપ્તાન ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ ઇજાગ્રસ્ત છે. આથી બન્નેનું રમવું શંકાસ્પદ છે. પહેલા મેચમાં બેયરસ્ટો અને રોયની ઓપનિંગ જોડીએ ધસમસતી શરૂઆત આપી હતી, પણ બાદમાં સમયાંતર વિકેટો પડવાથી ઇંગ્લેન્ડની ટીમ 66 રને હારી હતી. ઇંગ્લેન્ડે બીજા વન ડેમાં મોટો સ્કોર કરવા માટે બટલર, સ્ટોકસ અને મોઇન અલીએ પાસેથી મોટી ઇનિંગ નીકળે તેવી આશા રાખવી પડશે. જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની પેસ બેટરી ઢીલી પડી છે. જેનો ફાયદો વન ડે શ્રેણીમાં ભારતને મળી રહ્યો છે.

March 21, 2021
india_won.jpg
1min467
India vs England: India outplay England in high-scoring 5th T20I to seal  series 3-2 | Cricket News - Times of India

અમદાવાદમાં રમાય રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં બન્ને ટીમ 2-2થી બરાબરીએ રહ્યા બાદ આજે શ્રેણીને નામે કરવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની આતશી ઈનિંગથી ભારતે 224 રનનો સ્કોર ઉભા’ કર્યા બાદ લક્ષ્યાંકને પાર પાડવામાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી અને ભારતનો 36 રને વિજય થયો હતો. મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની સ્થિતિ પણ મજબુત બની ગઈ હતી અને તોફાની બેટિંગથી ભારતના હાથમાંથી બાજી ફસકી રહી હોય તેવો માહોલ બન્યો હતો. જો કે 13મી ઓવરમાં બટલરની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારને બે અને ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયા અને નટરાજનને એક એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલરે 52 અને મલાને 68 રન કરીને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાકીના કોઈ બેટ્સમેન સફળ ન રહેતા હારનો સામનો કરવો પડયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના નિર્ણાયક પાંચમા ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખુબ જ મજબુત રહી હતી અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ સાથે મળીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમણ વલણ અપનાવતા તાબડતોડ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ કોહલીએ એક છેડેથી રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત શર્મા 64 રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 8.6 ઓવરમાં 94 રન હતો. ત્યારબાદ વન ડાઉન આવેલા સુર્યકુમાર યાદવે પણ આક્રમણ વલણ યથાવત રાખ્યું હતું અને માત્ર 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 32 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવને આદિલ રાશિદે આઉટ કર્યો હતો.

‘આ દરમિયાન કોહલીએ પણ કેપ્ટન ઈનિંગ રમતા શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયા અને કોહલીએ સાથે મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વેકેટ 224 રન સુધી પહોંચાડયો હતો. વિરાટ કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 80 રન અને હાર્દિક પંડયા 17 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો દરેક બાબતમાં ઈંગ્લેન્ડના બોલરો ઉપર ભારે રહ્યા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. જો કે ભારતને વિશાળ સ્કોર કરતા રોકવામાં સફળતા મળી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન સૌથી વધારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.

March 20, 2021
indiavsenglandt20.jpg
1min413

ભારતીય ટીમ આજરોજ તા.૨૦મી માર્ચને શનિવારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે અંતિમ T-20 મેચ સાથે આગામી વર્લ્ડ કપ T-20 પહેલાની અંતિમ મેચ પણ ભારત રમશે. હાલ પાંચ મેચની શૃંખલા 2-2ની બરાબરી પર ચાલી રહી છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

ટીમ ઇન્ડિયા શ્રેણી જીતીને આગામી ટી-20 વર્લ્ડ કપનો વિજયી મંચ તૈયાર કરવા અને તેની તરફ મજબૂત રીતે આગેકૂચ કરવાનું’ લક્ષ્ય રાખે છે. ભારતીય ટીમે આ શ્રેણી દરમિયામ નીડર અને સાહસિક રવૈયો અપનાવ્યો છે. પાંચમા મેચનું પરિણામ જે પણ હોય, પણ વિશ્વ કપની તૈયારી સાચી દીશામાં આગળ વધી રહી છે તેવું કહી શકાય. શ્રેણી દરમિયાન કોહલીની ટીમને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં બે હુકમના એક્કા મળી ગયા છે. જો કે આ શ્રેણીમાં રોહિત અને રાહુલ જેવા અનુભવી ખેલાડીઓના નબળા પ્રદર્શનથી ટીમની ચિંતા જરૂર વધી છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ જે પાછલા ત્રણ વર્ષથી એક પણ ટી-20 શ્રેણી હારી નથી. તે પણ વર્લ્ડ કપને ધ્યાને રાખીને આગળ વધી રહી છે. તેનો ઇરાદો આખરી મેચમાં આક્રમક બેટિંગ અને ઝડપી બોલિંગ આક્રમણથી ટીમ ઇન્ડિયાની ભીંસમાં લેવાનો રહેશે. ઇંગ્લેન્ડના બે ઝડપી બોલર આર્ચર અને વૂડ શાનદાર ફોર્મમાં છે. જે નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય બેટધરો પર ભારે પડી શકે છે. જો કે તેને ક્રિસ જોર્ડન તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. બેટિંગમાં બટલર અને મલાનમાં નિરંતરતાનો અભાવ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ પહેલા રેડ સિગ્નલ જેવો છે.

ભારતીય ટીમની તેના સ્ટાર બેટસમેન રોહિત શર્મા પાસેથી એક સારી ઇનિંગની આશા રહેશે. કેએલ રાહુલને વિશ્રામ મળી શકે છે. તે સતત નિષ્ફળ રહ્યો છે. તેના સ્થાને યુવા ઇશન કિશનની વાપસી શકય છે. ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિકે પાછલા મેચમાં અસરકારક બોલિંગ પ્રદર્શન કર્યું છે, પણ તે હજુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જેવો બેટિંગ ફોર્મમાં હતો તેવો આ શ્રેણીમાં હજુ સુધી જોવા મળ્યો નથી. નિર્ણાયક મેચમાં ટીમ મેનેજમેન્ટ અનુભવી શિખર ધવન પર ભરોસો મુકે છે કે નહીં તે પણ જોવું રહ્યંy. તે પહેલા મેચ પછીથી ઇલેવનની બહાર છે.

ઇંગ્લેન્ડે અંતિમ ટી-20 શ્રેણી જુલાઇ 2018માં ભારત સામે જ ગુમાવી હતી. આ પછીથી પાછલી 8 સિરીઝમાં ઇંગ્લેન્ડે સાત જીતી છે અને એક ડ્રો રહી છે. ઇંગ્લેન્ડ હવે ભારતને તેની સરજમીં પર ટી-20માં હાર આપવા માંગે છે. ટીમના કેપ્ટન મોર્ગને કહ્યંy છે કે અમે દબાણભર્યા મેચ રમવા માંગીએ છીએ. જેથી વિશ્વ કપની તૈયારી થઇ શકે. વિદેશી ધરતી પર ટી-20 શ્રેણી જીતવી શાનદાર બની રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 18 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં બન્ને બળિયા બરાબરી પર છે. ભારત અને ઇંગ્લેન્ડ બન્નેના નામે 9-9 જીત છે. ભારતની ધરતી પર બન્ને વચ્ચે 10 ટી-20 ટક્કર થઇ છે. જેમાં પણ બન્ને પ-પ વિજય સાથે સમતોલ છે.

March 18, 2021
ritika_phoghat.jpg
1min436
Babita Phogat cousin Ritika commits suicide after losing wrestling match |Ritika  Phogat Suicide: पहलवान Babita और Geeta Phogat की बहन रितिका ने की  आत्महत्या, जानिए क्या थी वजह | Hindi News

ભારતની સ્ટાર રેસલર બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકા ફોગાટે કુશ્તી સ્પર્ધામાં મેચ હારી જતાં આત્મહત્યા કરી લીધી છે. રિતિકાએ કુશ્તીની ફાઇનલ મેચમાં મેળલી હાર સહન ન થતાં ગંભીર પગલુ ઉઠાવી લીધુ હતું, પિતરાઇ બહેનને આત્મહત્યા કરી લેવાના કારણે ગીતા ફોગાટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. ગીતા ફોગાટે પ્રતિક્રિયા આપતાં કહ્યુ હતું કે, હાર અને જીત જીવનનો ભાગ હોય છે. કોઇપણ ખેલાડીએ આવુ પગલુ ન લેવું જોઇએ.

ગીતા ફોગાટે ટ્વીટર પર લખ્યું હતું કે ભગવાન મારી નાની બહેન અને મારા મામાની દિકરી રિતિકાની આત્માને શાંતિ આપે. મારા પરિવાર માટે દુખનો સમય છે. રિતિકા પ્રભાવશાળી રેસલર હતી. હાર અને જીત ખેલાડીના જીવનનો હિસ્સો હોય છે, આપણે આવુ પગલુ ન લેવુ જોઇએ.

17 વર્ષની રિતિકા ફોગાટે રાજસ્થાનના ભરતપુરમા લોહાગઢ સ્ટેડિયમમાં આયોજીત સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો. સ્પર્ધાની ફાઇનલ મેચમાં પહોંચ્યા બાદરિતિકા માત્ર એક અંકથી મેચ હારી ગઇ હતી અને આ હારથી નિરાશ થઇ તેણે ફાંસી લગાવી લીધી હતી.

માહિતી મુજબ રિતિકાએ બુધવારની રાતે આશરે 11 વાગે પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રિતિકાએ પોતાના ફુઆ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટ પાસેથી કુશ્તીની તાલીમ મેળવી હતી. રિતિકાની ફાઇનલ મેચ દરમિયાન મહાવીર ફોગાટ હાજર હતા.

March 12, 2021
indiavsenglandt20.jpg
1min476

ટીમ ઈન્ડિયા સામે હવે ટી20 ચેલેન્જ છે. ઈંગ્લેન્ડ સામે પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો શુક્રવારે રમાશે. ભારતીય ટીમની નજર શ્રેણી જીતવા ઉપરાંત ભારતમાં જ આયોજીત ટી20 વર્લ્ડકપ માટે પરફેક્ટ સંયોજન શોધવા ઉપર રહેશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

કેપ્ટન વિરાટ કોહલીનું મુખ્ય લક્ષ્ય શ્રેણી મારફતે ઓક્ટોબરમાં થનારા વિશ્વકપ માટે ખેલાડીઓને પસંદ કરવા ઉપર રહેશે. ભારતીય કેપ્ટન આ માટે ઈયોન મોર્ગનની આગેવાનીની દુનિયાની નંબર 1 ટી20 ટીમથી વધારે સારા પ્રતિદ્વંદ્વીની આશા કરી શકે નહી.

શ્રેણી દરમિયાન સપાટ પીચ ઉપર ખૂબ રન બનવાની સંભાવના છે. તેવામાં ભારતીય બોલરો માટે સ્થિતિ સરળ નહી રહે. ઈંગ્લેન્ડના આક્રમક વિકેટકીપર જોશ બટલરે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ માટે આ શાનદાર તક છે કે અલગ પરિસ્થિતિમાં રમવાનો મોકો મળી રહ્યો છે અને જ્યાં વિશ્વકપ પણ રમાવાનો છે.

ભારત પાસે દરેક સ્થળ માટે અલગ અલગ વિકલ્પ છે અને તેવામાં આ કેપ્ટન માટે સારો માહોલ છે. જો કે ઘણી વખત મુશ્કેલ સ્થિતિ પણ બની શકે છે. જેમ કે 2019માં ટૂર્નામેન્ટમાં ભારત પાસે નિયમિત રૂપે ચોથા ક્રમાંકનો બેટ્સમેન નહોતો.

અનુભવને ધ્યાને લઈને કોહલી અને મુખ્ય કોચ રવિ શાત્રી ઈચ્છશે કે તેઓ નિર્ણય કરે કે વિશ્વકપમાં રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કોણ કરશે. તેમની પાસે કેએલ રાહુલ અને શિખર ધવનના રૂપમાં બે વિકલ્પ છે.

સામાન્ય રીતે સીમિત ઓવરના અંતિમ ઈલેવનમાં રાહુલની પસંદગી લગભગ નક્કી છે. પરંતુ વૈશ્વિક પ્રતિયોગિતામાં શિખર ધવને હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમના સૌથી સીનિયર ખેલાડીઓમાંથી એક છે. કોહલી જો ધવનને તક આપવાનો નિર્ણય કરશે તો રાહુલને ચોથા ક્રમાંકે ઉતરવું પડશે.

આ મુશ્કેલ નિર્ણય છે જે કોહલીએ લેવાનો છે. કારણ કે બન્ને રમશે તો શ્રેયસ અય્યર અથવા આકરી મહેનત બાદ ટીમમાં જગ્યા મેળવનારા સૂર્યકુમાર યાદવને બહાર બેસવું પડશે. શ્રેયસ અને સૂર્યકુમાર ચોથા કે પાંચમા ક્રમાંકે આક્રમક બેટિંગ કરે છે.’ ટીમ પ્રબંધન તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

મોટેરા પીચ નિશ્ચિત રીતે સપાટ રહેશે. બન્ને ટીમમાં ઘણા આક્રમક બેટ્સમેન છે અને તેવામાં દર્શકોને ઢગલાબંધ બાઉન્ડ્રી જોવા મળી શકે છે.

ભારત પાસે ઉપકેપ્ટન રોહિત ઉપરાંત ઋષભ પંત અને હાર્દિક પંડયા જેવા તોફાની બેટ્સમેન છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં ઈયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ડેવિડ મલાન અને જેસન રોય જેવા આક્રમક બેટ્સમેન છે.

ટી નટરાજન ઉપલબ્ધ ન હોવાથી બોલિંગ આક્રમણની આગેવાની વાપસી કરનારો ભૂવનેશ્વર કુમાર કરશે. જ્યારે સીનિયર સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેનો સાથ આપશે. ચહલને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ બન્નેનો સાથ મળી શકે છે. ત્યારબાદ શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને નવદીપ સૈનિમાંથી કોઈ એકને તક મળશે.

March 9, 2021
wtc_final.jpg
1min477

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારો ફાઇનલ મેચ લોર્ડસના મેદાન પર નહીં, પણ સાઉથમ્પટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ જાણકારી આજે બીસીસીઆઇના ઉપપ્રમુખ રાજીવ શુકલાએ આપી છે. લંડનમાં કોવિડ-19ના વધતા કેસને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી જૂનમાં 18થી 22 દરમિયાન રમાનાર ડબ્લ્યૂટીએનો ફાઇનલ મેચ લોર્ડસના બદલે સાઉથમ્પટનના સ્ટેડિયમમાં રમાશે.

ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 3-1ની જીતથી ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા અને ચોથા ટેસ્ટ મેચમાં અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની ફિરકીથી ભારતનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ બે અને ત્રણ દિવસમાં જ વિજય થયો હતો.

March 8, 2021
IPL_2021.jpg
1min423

આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.

મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે

કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.

આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.

લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.

૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.

આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.

February 24, 2021
QT-Motera.jpg
1min370

દુનિયાના સૌથી મોટા અને અદ્યતન ક્રિકેટ સંકુલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ (મોટેરા) ખાતે 24/2/21 બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુલાબી દડાથી ડે-નાઇટ મુકાબલો શરૂ થશે. ત્યારે મોટેરાની નવી-નવેલી પિચ પર ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને સંકટમાં મુકવા માટે ટીમ ઇન્ડિયાએ ગુલાબી દડાના પાછલા ભયાવહ દેખાવને ભૂલીને ઉચિત પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પહેલા ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો 36 રનમાં ધબડકો સર્જાયો હતો. આ હાર કેપ્ટન કોહલી અને ટીમને કયાંક ને કયાંક ખટકી રહી હશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે પણ આ મેચ બન્ને ટીમ માટે કરો યા મરો સમાન જેવો છે.

24/2/21 ભારતનો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા મોટરાના મેદાન પર તેનો 100મો ટેસ્ટ મેચ રમવા ઉતરશે અને કપિલ દેવ બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ભારતીય ઝડપી બોલર બની જશે. ઇશાંતની ઇલેવનમાં પંસદગી હાલ નિશ્ચિત માનવામાં આવે છે. તેની સાથે લોકલ બોય જસપ્રિત બુમરાહ હશે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ છે.

સરદાર પટેલ સ્ટેડિયમનું નવિનીકરણ થયું છે. તે હવે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. જો કે અહીં લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે. આથી ટીમ ઇન્ડિયા પર સાવધાની સાથે મેદાને પડશે. ભારતીય ટીમ ઇચ્છશે કે અહીંનો ટ્રેક સંપૂર્ણ ઝડપી બોલરોને મદદ આપે તેવો નહીં, પણ સ્પિનરોને પણ મદદ મળે તેવો હોય, જેથી શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી શકે. પરંતુ મોટેરાની નવી પિચનો વ્યવહાર કેવો હશે તે સમય જ કહેશે. રોહિત શર્મા પિચને લઇને તેનો મત સ્પષ્ટ કરી ચૂકયો છે. તેણે કહ્યંy હતું કે અમે એવી પિચ ઇચ્છીએ છીએ કે જેમાંથી અશ્વિન અને અક્ષર જેવા બોલરોને મદદ મળે.’ ઠીક એવી રીતે જે રીતે ઇંગ્લીશ કપ્તાન જો રૂટ હેડિંગ્લે કે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા આપે છે.

જો કે કેટલાક એવા સવાલ છે જે બન્ને ટીમે શોધવા પડશે. ડે-નાઇટ ટેસ્ટ અને પિન્ક બોલને લીધે સંધ્યાટાણે બન્ને ટીમના બેટધરોની કસોટી થશે. ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનું માનવું છે કે આ દરમિયાન પિન્ક બોલ વધુ સ્વિંગ થાય છે. મેચ બપોરે 2-30થી શરૂ થવાનો છે. આથી અંતિમ સત્રમાં ઝાકળની ભૂમિકા પણ મહત્વની બની રહેશે. એ સમયે સ્પિનરો માટે બોલ પર ગ્રીપ બનાવવી મુશ્કેલ બનશે. આ મુદા પર ઇશાંત શર્માએ સ્વીકાર્યું છે કે આ મેચ ડે-નાઇટમાં રમવાનો છે અને નવી પિચ હશે. એટલે અમે પણ જાણતા નથી કે કેમ પાર પાડશું. જો કે ઇંગ્લેન્ડની ટીમનું માનવું છે કે મોટારાની નવી પિચ પાછલા મેચમાં જેવી ચેપોકની પિચ હતી તેવી જ હશે.

ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. તેણે ભારતમાં રમાયેલા ગુલાબી દડાના ટેસ્ટમાં સદી કરી હતી. તે પાછલા એક વર્ષથી સદી કરી શકયો નથી. આથી અમદાવાદમાં તેના બેટમાંથી સદીની મોટી ઇનિંગ નીકળે તેવું ચાહકો ઇચ્છી રહ્યા છે. ભારતની બેટિંગ લાઇનઅપ મજબૂત છે. જેમાં ફેરફારને અવકાશ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોને તક નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત ક્રાઉલીનો પણ સમાવેશ થઇ શકે છે. એન્ડરસન અને આર્ચર વાપસી કરશે.

ભારતીય ક્રિકેટની અનેક ઉપલબ્ધિઓનું અમદાવાદ સાક્ષી
અમદાવાદ ભારતીય ક્રિકેટની ઘણી ઉપલબ્ધિઓનું સાક્ષી રહી ચૂકયું છે. મહાન સુનિલ ગવાસ્કરે અહીં જ તેના 10000 ટેસ્ટ રન પૂરા કર્યાં હતા. કપિલ દેવે અહીં 83 રનમાં 9 વિકેટ લઇને તેનું સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોં હતો. બાદમાં રિચર્ડ હેડલીનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ પણ કપિલે અમદાવાદમાં જ તોડયો હતો. સચિન તેંડુલકરે તેની પહેલી બેવડી સદી અહીં જ ફટકારી હતી, તો રવિચંદ્રન અશ્વિન પાસે અહીં તેની 400 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની તક છે. આ માટે તેને 6 વિકેટની જરૂર છે.