CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 37 of 44 - CIA Live

September 24, 2021
somnath.jpg
1min673

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થાય તે માટે ટ્રસ્ટી મંડળ પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સહિતના અનેક ભાગો સુવર્ણ મઢીત કરવામાં આવેલ છે. ત્યારે હવે આ કડીમાં સોમનાથ મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિચાર કરવામાં આવેલ છે. આ કામગીરી કરાવવા બાબતે ટ્રસ્ટ દ્રારા એક વિજ્ઞાપન પ્રસિઘ્ઘ કરી કામ કરનાર ઇચ્છકુને આમંત્રિત કર્યા હોવાનું જાણવા મળેલ છે.

” પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટએ હાથ ધરી છે. જેમાં મંદિર દરિયા કિનારે હોવાથી કઇ રીતે આ કામગીરી શકય બને તે માટે જરૂરી વિચારણા કરવામાં આવી રહેલ છે. જેમાં આ સુવર્ણની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટ આપવા એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી અરજી ઓનલાઈન જમા કરાવી શકાશે. જેમાં મંદિર સમુદ્રના કિનારે જ હોવાથી આ બાબતે વધુ તકેદારી રાખવી પડશે, મંદિરના શિખરની ઉંચાઈ અંદાજે 10 ફૂટ હશે તેમજ ઈઓઆઈ જમા કરાવ્યા બાદ જે તે ઇચ્છુકો સર્વે કરી શિખરને સુવર્ણ મઢવાની કામગીરી કંઇ રીતે થશે, કેટલી ટકાઉ હશે, તેમાં સોના ઉપરાંત શું શું ઉપયોગ કરવાની જરૂરીયાત રહેશે, કેટલા કિલો સોનાની જરૂરિયાત પડશે. તેવી બાબતોનું તારણ કાઢવામાં આવશે.

શિખર પર અન્ય ધાતુઓ લગાવવામાં આવે તો તેને કાટ લાગવાની શકયતા વધુ રહેશે જ્યારે કિંમતી ધાતુ સોનાને એ બાબતનું જોખમ ઘણું ઓછું રહે છે. શિખરને સુવર્ણ મઢીત કરવાની યોજના માટે દેશભરમાંથી શિવભકતોને ભાગીદારી માટે આમંત્રિત કરવામાં આવશે. આ પ્રોજેકટ હાથમાં લેનાર જે કોઇએ પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ 10 વર્ષ સુઘી મેન્ટેનન્સની જવાબદારી નિભાવવાની રહેશે.’

ભુતકાળમાં સોમનાથ મંદિર સોનાનું હોવાનું ઇતિહાસમાં અંકાયેલુ છે. ત્યારે ફરી સોમનાથ મંદિર સુવર્ણનું બને તે માટે છેલ્લા ઘણા વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ તબકકાવાર કામગીરી કરી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સ્થંભ, દરવાજા, શિવલીંગનું થાળુ, શિખર પરની ઘ્વજા, કળશ, ડમરૂ સહિત 100 કીલો વઘુ સોનાથી સુવર્ણ મઢીત થઇ ચુકી છે. જ્યારે હાલ મંદિરના નૃત્ય મંડપના શિખર પરના કળશોને સુવર્ણ મઢીત કરવાની યોજના ચાલી રહી છે. જેમાં ઘણા કળશો દાતાઓના સહયોગરૂપી દાનથી સુવર્ણ મઢીત થઇ જતા ફીટ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ઘણા મંદિરો સુવર્ણ મઢીત છે. જેમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના મીનારાને 70 કિલો સોનેથી મઢવામાં આવ્યા છે તો 2015 માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ 115 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.

September 23, 2021
IPL_cia.jpg
1min390

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં 23/9/21 ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે.

આઇપીએલની ગયા વખતની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા પોતાની ટીમ માટે આ મૅચમાં પ્રેરણાદાયક બની રહેવાની આશા રખાય છે. મુંબઈ ઇન્ડિયન્સ ગયા રવિવારે રોહિત શર્મા અને સ્ટાર ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામેની મૅચમાં ૨૦ રને હારી ગઇ હતી. આ બન્ને ખેલાડીને તકેદારીના પગલાંના ભાગરૂપે રવિવારની મૅચમાં આરામ અપાયો હતો. આમ છતાં, મુખ્ય પ્રશિક્ષક મહેલા જયવર્દેનેએ જણાવ્યું હતું કે રોહિત શર્મા ગુરુવારની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં રમવા માટે શારીરિક રીતે સુસજ્જ થઇ જશે.

કોલકાતા નાઇટ રાઇડર્સે આ લીગના બીજા તબક્કાની પ્રારંભિક મૅચમાં રોયલ ચૅલેન્જર્સ બેંગલોરને નવ વિકેટથી હરાવ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ આઠ પૉઇન્ટની સાથે ચોથા ક્રમે છે. ગયા વખતની વિજેતા આ ટીમે લીગ ટૅબલમાં આગળ આવવા માટે હવે વિજય મેળવવો જરૂરી છે. રોહિત શર્મા અત્યાર સુધી સારા ફૉર્મમાં રમી રહ્યો છે અને તે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે પોતાનું આ ફૉર્મ જાળવી રાખે અને પોતાની ટીમમાં જુસ્સાનો સંચાર કરે એવી આશા છે.

આ ઉપરાંત, સૌરભ તિવારીની આક્રમક બૅટિંગ પણ ઉપયોગી થઇ શકે છે. તેણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મૅચમાં અણનમ અડધી સદી કરી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની અગાઉની મૅચ મોટા તફાવતથી જીતી હોવાથી તેને નવું જોમ મળ્યું છે.

September 23, 2021
madhuban_dam.jpg
1min399

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. મંગળવારથી બુધવારની સવાર સુધીમાં ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે નદી-નાળાં છલકાઈ ગયાં છે. સેલવાસમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડયો હતો, જ્યારે ખાનવેલ વિસ્તારમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયો છે.

વલસાડના કપરાડામાં સવારે ૬ થી બપોર સુધી સાડા ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડેમમાં ૧ લાખ ૯૨ હજાર ૩૫૮ ક્યુસેક પાણીની આવક વધતા ડેમના ૧૦ દરવાજા ૩.૨૦ મીટર ખુલ્લા રાખીને ડેમમાંથી દર કલાકે ૧ લાખ ૭૯ હજાર ૨૪૮ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.  

ડેમના ઉપરવાસમાં ૪૮૪ મિમી વરસાદ ચાર કલાકમાં ખાબકતા દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા સેલવાસ, દમણ અને વલસાડ જિલ્લાના ગામડાઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

September 23, 2021
covid_cia.jpg
1min375

કોવિડને કારણે મરનાર પ્રત્યેક વ્યક્તિના કુટુંબીને રાજ્ય સરકાર રૂ. ૫૦,૦૦૦નું વળતર આપશે તેવુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બુધવારે કહ્યું હતું.

કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બર 2021ના રોજ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે આ વળતર કોવિડને કારણે ભૂતકાળમાં થયેલા મોત માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં થનાર મોત માટે પણ આપવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારે 22મી સપ્ટેમ્બર 2021ને બુધવારે રજૂ કરેલા શપથપત્રમાં જણાવાયું હતું કે આ વળતર રાજ્ય સરકાર આપશે અને એ માટેના નાણાં તેઓ પોતાના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી કાઢીને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અથવા તો જિલ્લા પ્રશાસન મારફત આપવામાં આવશે. 

જાન્યુઆરી ૨૦૨૦માં શરૂ થયેલા કોરોનાના રોગચાળા બાદ ભારતમાં ૪.૪૫ લાખથી વધુ વ્યક્તિનાં મોત થયાં હતાં. રાજ્ય સરકારે આપેલા ફોર્મની સાથે સંબંધિત કુટુંબ મૃત્યુનું કારણ દર્શાવતા સર્ટિફિકેટ સહિતના ચોક્કસ દસ્તાવેજ રજૂ કરશે. 

જરૂરી દસ્તાવેજ સહિતના દાવાનો નિકાલ દાવો કર્યાના ૩૦ દિવસમાં કરવાનો રહેશે અને વળતર આધાર સાથે જોડેલી ડીબીટી પ્રણાલી હેઠળ આપવાના રહેશે એવી વાત પણ શપથપત્રમાં જણાવવામાં આવી હતી. 

જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડને કારણે મરણ પામનાર વ્યક્તિના કુટુંબને નાણાકીય વળતર મળવું જોઇએ અને નેશનલ ડિસાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને વળતરની રકમ અને માર્ગદર્શિકા નક્કી કરવા માટે છ સપ્તાહનો સમય આપ્યો હતો.

September 22, 2021
modi.jpg
1min368
Narendra Modi in US LIVE Updates: PM Leaves for Visit, Calls it Occasion to  Strengthen Global Strategic Partnership

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો અમેરિકા પ્રવાસ આજથી 22/9/21થી શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ શ્રૃંગલા પણ હશે.

Narendra Modi Visiting US From September 22 to September 27

વડાપ્રધાન અમેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન વચ્ચે બે વાર વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી છે પરંતુ પહેલી વાર તેમની રુબરુ મુલાકાત થશે. 

Agenda

  • અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય મીટિંગ.
  • અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત.
  • ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત.
  • જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મુલાકાત.
  • QUAD દેશોની મીટિંગમાં વડાપ્રધાન ભાગ લેશે.
  • કોવિડ સંબંધિત ગ્લોબલ મીટિંગમાં ભાગ લેશે.
  • અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
  • યુએનની વાર્ષિક સભાને પણ સંબોધિત કરશે.

25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિફોર્મ બાબતે સ્પષ્ટ વાત કરી શકે છે. અત્યારે જ્યારે ભારત આઝાદીની 75મી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન યુએનમાં પોતાની ભાગીદારી વધારવા અને તેમાં જરુરી પરિવર્તન બાબતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોને લગતી ચિંતાઓ પર પણ વડાપ્રધાન પોતાની વાત મૂકશે. ભારતે જણાવ્યું છે કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ગઠબંધનની ક્વોડ દેશો પર કોઈ અસર નહીં થાય. આ નવા ગઠબંધનને ઓક્સ નામ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા એવા સમય દરમિયાન જઈ રહ્યા છે જ્યારે દુનિયાભરના દેશો પોતાની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ અફઘાનિસ્તાનનું નેતૃત્વ હવે તાલિબાનના હાથમાં છે. આ સ્થિતિમાં અમેરિકા સહિત આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર છે.

September 21, 2021
rain_forecast.png
1min498

આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.

21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.

dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.

September 21, 2021
IPL_cia.jpg
1min432

અહીં મંગળવારે રમાનારી આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચેની મૅચમાં બંને ટીમ પૉઈન્ટ ટેબલમાં મધ્યમ ક્રમમાં પોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસ કરશે. 

છેલ્લી અમુક સિઝન દરમિયાન આ બંને ટીમનું રમત પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોવાને કારણે બંને ટીમ પોતાની યોગ્યતા અને ખેલપ્રદર્શન સુધારવાના પ્રયાસ કરશે. આઈપીએલની છેલ્લી ૧૪ સિઝનથી પંજાબની ટીમમાં સ્થિરતા જોવા નથી મળી રહી. કૅપ્ટન અને કોચ સહિતના ખેલાડીઓની સંગીત ખુરશીની જેમ બદલી કરવામાં આવી રહી છે. 

પંજાબની ટીમના કૅપ્ટન કે. એલ. રાહુલની કસોટી થશે કેમ કે તે અનિલ કુંબલેના માર્ગદર્શન હેઠળ તે કેવી બૅટિંગ કરે છે તેના પર જ નહીં, પરંતુ ટીમનું નેતૃત્વ કઈ રીતે કરે છે તેના પર પણ લોકોની નજર હશે. કુંબલે પણ ટીમના કોચ તરીકે પોતાની ક્ષમતા પુરવાર કરવાના પ્રયાસ કરશે. જોકે, પંજાબની નબળી બૉલિંગ રાજસ્થાન રોયલ્સ માટે લાભકારક પુરવાર થશે. 

ટીમ: 
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કૅપ્ટન), લીઆમ લિવિંગસ્ટન, ઈવિન લૅવિસ, ડૅવિડ મિલર, ક્રિસ મૉરિસ, ઑશાન થૉમસ, મુસ્તફિઝુર રહેમાન, ટાબ્રૅઈઝ શામસી, ગ્લૅન ફિલિપ્સ, ચેતન સાકરિયા, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, આકાશસિંહ, અનુજ રાવત, કે. સી. કેરિઅપ્પા, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મયંક માર્કન્ડે, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, મહિપાલ લોમરોર. 

પંજાબ કિંગ્સ: કે. એલ. રાહુલ (કૅપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદીપસિંહ, ઈશાન પોરેલ, શાહરૂખ ખાન, મોહમ્મદ શમી, નાથન ઍલિસ, આદિલ રાશિદ, મુરુગન અશ્ર્વિન, હરપ્રીત બ્રાર, મૉસિસ હૅન્રિક્સ, ક્રિસ જૉર્ડાન, ઍડન માર્કરામ, મનદીપ સિંહ, દર્શન નાલકંડે, પ્રભસિમરનસિંહ, રવિ બિશ્ર્નોઈ, ઉત્કર્ષસિંહ, ફાબિઅન ઍલન, સૌરભકુમાર, જાલજ સક્સેના. 

September 21, 2021
dams.jpg
1min412

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની  સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.  

રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

September 20, 2021
IPL_cia.jpg
1min480

આ વર્ષે આઇપીએલના પહેલા તબક્કામાં સાતમાંથી પાંચ મેચમાં જીત મેળવનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનું આ શાનદાર ફોર્મ જાળવી રાખવાના લક્ષ્ય સાથે સોમવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાને પડશે.

આરસીબી હાલ 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. આ સામે ઇયોન મોર્ગનના કપ્તાન પદ હેઠળની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સાત મેચમાં ફક્ત બે જીત સાથે ચાર અંક ધરાવે છે અને સાતમા સ્થાને છે. પ્લેઓફ માટે કેકેઆરને બીજા તબક્કાના પ્રથમ મેચથી જ કરો યા મરોનો જંગ ખેલવો પડશે.

કોલકતાની ટીમને બીજા તબક્કાથી ભાગ્ય બદલાશે તેવી આશા છે. 2014માં આવી સ્થિતિમાં સતત નવ મેચ જીતીને ખિતાબ તેનાં નામે કર્યો હતો. ટીમના મેન્ટર ડેવિડ હસ્સીએ કહ્યંy છે કે યુએઇની બદલાયેલી પરિસ્થિતિમાં ટીમ સારાં પરિણામ હાંસલ કરશે. જો કે પહેલા મેચમાં જ કેકેઆરની રાહ કઠિન રહેશે. સામે મજબૂત આરસીબી છે. જેનો કેપ્ટન કોહલી વર્લ્ડ કપ બાદ સુકાન છોડવાની જાહેરાત કરી ચૂક્યો છે. તે હવે મોટી ઈનિંગો રમવા બેતાબ છે.

બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં 27 ટક્કર થઈ છે. જેમાં કેકેઆરે 14 અને આરસીબીએ 13 જીત મેળવી છે. આ સિઝનના પહેલા ભાગના મેચમાં કેકેઆરનો આરસીબી સામે 38 રને વિજય મેળવ્યો હતો. કેકેઆરને સુકાની ઇઓન મોર્ગન, યુવા શુભમન ગિલ, સ્ટાર આંદ્રે રસેલ, અનુભવી દિનેશ કાર્તિક અને શકિબ અલ હસન પાસેથી સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ આરસીબીને સુકાની કોહલી, સ્ટાર ડિ’વિલિયર્સ, યુવા પડીકકલ અને ગ્લેન મેકસવેલ પાસેથી ધમાકેદાર ઇનિંગની આશા રહેશે. હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, જેમિસન અને ચહલ જેવા સારા બોલર બેંગ્લોરની ટીમને વધુ મજૂબત કરી રહ્યા છે. શ્રીલંકન સ્પિનર હસરંગા છૂપો રૂસ્તમ બની શકે છે.

September 20, 2021
drugs.jpg
1min450

કચ્છના મુંદ્રા બંદરેથી કરોડોનું ડ્રગ્સ પકડાયા પછી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ કચ્છમાં ધામા નાંખીને બેઠા હતાં એ સમયે ભારતીય જળસીમામાંથી અજાણ્યા સેટેલાઇટ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કરી ગુજરાત એટીએસે કોડ લેગ્વેજને ઉકેલતા પોરબંદર અને ઓખાની વચ્ચે મોટા પાયે ડ્રગ્સ લેન્ડ થઇ રહ્યું હોવાની વિગત મળતા ગુજરાત એટીએસે કોસ્ટ ગાર્ડની મદદથી ઓખા અને પોરબંદરની વચ્ચે 200 નોટિકલ માઇલ દૂર 250 કરોડનું 50 કિલો હેરોઇન સાત ઇરાનીઓ સાથે ઝડપી પાડયું હતું.

અત્યાર સુધી ડ્રગ્સ પાકિસ્તાની બોટમાં આવતું હતું. પરંતુ ડ્રગ પેડલરોએ અફઘાનિસ્તાનની બોટનો ડ્રગ્સની હેરાફેરીમાં પહેલો પ્રયોગ કર્યો, મુંદ્રા બંદરેથી ટેલ્કમ પાવડરની આડમાં 3500 કરોડનુ ડ્રગ હસન હુસેન કંપની દ્વારા કંદહારથી ઇન્ટરસિડની જહાજમાં લાવ્યા પછી તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી.

આ જ કેસની તપાસમાં મુંદ્રા પહોચેલી એટીએસની ટીમે કંદહારથી આવેલા ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટમાં કનેક્શન શોધવા માટે દરિયામાં વપરાતા સેટેલાઇટ સિગ્નલ્સને ઇન્ટરસેપ્ટ કરવાનું ચાલુ કર્યું. આ સિગ્નલોને આંતરી રહ્યા હતા ત્યારે શુક્રવારે બપોરે અલગ ફ્રિકવન્સીથી ભારતીય જળસીમા પાસે સેટેલાઇટ સિગ્નલ આવી રહ્યા હતાં. અરબી અને ઉર્દુ ભાષામાં આવતા કોડના સિગ્નલ શુક્રવારે મોડી સાંજ સુધીમાં ઉકેલાઇ ગયા. કોસ્ટ ગાર્ડના કમાન્ડર ચંદ્રા મહાપાત્રાએ જણાવ્યું કે, અમને એટીએસ તરફથી માહિતિ મળી. પેટ્રાલિંગ દરમિયાન અમે અમારી બોટ સિગ્નલની દિશા તરફ વાળી દીધી જ્યાં એક ઇરાની બોટ અમનૈ નજરે પડી હતી. ભારતીય જળસીમાં ઘુસેલી આ ઇરાની બોટ 200 નોટિકલ માઇલ દૂર હતી. ઇરાનની આ કોમર્શિયલ બોટમાં અમારી ટીમે હલ્લો બોલ્યો ત્યારે એમાં સાત ઇરાની હતા અને બોટની તપાસ કરતાં અંદરથી 250 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું.

આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ભૂતપૂર્વ અધિકારી એ. કે. શર્માએ કહ્યું કે, સામાન્ય રીતે ઇરાન અને અફઘાનથી આવતી બોટમાં ડ્રગ્સ આવતા ન હતાં. ઇરાન અને અફઘાન વચ્ચે 40 મિલિયન ડોલરનો વેપાર છે. અફઘાનિસ્તાન જ્યાં સુધી તાલિબાનના કબજામાં ન હતું ત્યાં સુધી એમણે પોતાની બોટમાં કે ઇરાનની મદદ લઇને કોઇની બોટમાં ભારતમાં ડ્રગ્સ પહોંચાડવાની હિંમત કરી ન હતી, પણ હવે અફઘાનમાં તાલિબાની રાજ આવી ગયું છે ત્યારે અફઘાની બોટ ઉપરાંત ઇરાની બોટનો પણ ડ્રગ ટ્રાફાકિંગમાં ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગે છે. ‘