CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 28 of 44 - CIA Live

November 15, 2021
sigachi.png
1min688

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સનું આજે સ્ટેક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે અને તેણે તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સ બીએસઈ ખાતે 252.76 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયા હતી અને બીએસઈ ખાતે તે 570 રૂપિયા સાથે લિસ્ટિંગ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર તે 570 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટિંગ થયો છે.

સિગાચીનો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1થી 3 નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ માટે ઓપન થયો હતો. કંપનીએ આ આઈપીઓ દ્વારા 125.43 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 161-163 રૂપિયા પ્રતિ શેર હતી.

લિસ્ટિંગના 24 કલાક અગાઉ ગ્રે માર્કેટમાં તેનું તડગું પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 220-230 રૂપિયા બોલાઈ રહ્યું હતું. રોકાણકારો તરફથી પણ આ ઈસ્યુને અદ્દભુત પ્રતિસાત મળ્યો હતો અને તે 120 ગણો ભરાઈ ગયો હતો.

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગને લઈને રોકાણકારો ઉપરાંત નિષ્ણાતો પણ આતુર હતા. એનાલિસ્ટોએ અપેક્ષા રાખી હતી કે હૈદરબાદાની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસ (એમસીસી) બનાવતી કંપની બીજી પારસ ડિફેન્સ ટેક્નોલોજીસ સાબિત થઈ શકે છે. જોકે, આ કંપનીએ તો પારસ ડિફેન્સનો પણ રેકોર્ડ તોડી દીધો છે જેનું લિસ્ટિંગ 175 ટકાના પ્રીમિયમે થયું હતું.

એમસીસી ફાર્માસ્યુટિકલ, ફૂડ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને કોમ્સેટિક્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિગાચીના ત્રણ પ્લાન્ટ છે જેમાંથી એક હૈદરાબાદમાં અને બાકીના બે ગુજરાતમાં છે. સિગાચીના શેર્સનું 220 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે જે તેના ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયાથી 135 ટકા વધારે છે.

ગ્રે માર્કેટને ટ્રેક કરી રહેલા ડીલર્સે જણાવ્યું હતું કે, કંપનીના ફન્ડામેન્ટલ્સ ઘણા જ મજબૂત છે તથા ગ્રોથ પણ ઘણો જ મજબૂત છે. આ ઉપરાંત તેનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે, ઈસ્યુ થોડો નાનો છે અને તેને જોરદાર સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની પાસે રોકાણકારોને આપવા માટે ઘણું છે. કંપનીનો ગ્રોથ સાતત્યપૂર્ણ રહ્યો છે. શરૂઆતના થોડા દિવસોમાં આ સ્ટોક સર્કિટથી સર્કિટ મૂવ કરશે.

November 15, 2021
t20_world.jpg
1min430

ન્યૂ ઝીલેન્ડે રવિવારે ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતા ૨૦ ઑવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા અને તેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઑવરમાં  બે વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય થયો હતો. ડેવિડ વોર્નરે ૫૩, મિશેલ માર્શે ૭૭ અને ગ્લેન મેક્સવેલે ૨૮ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની બૅટિંગમાં કેન વિલિયમ્સને ૪૮ બૉલમાં ૮૫ રન કર્યા હતા. હેઝલવૂડ ઑસ્ટ્રેલિયાનો સૌથી વધુ સફળ બૉલર રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

એડમ ઝમ્પાએ ચાર ઑવરમાં ૨૬ રન આપીને એક વિકેટ લીધી હતી. માર્ટિન ગપ્ટિલે ૩૫ બૉલમાં ૨૮ રન કર્યા હતા. ઝમ્પાની બૉલિંગમાં સ્ટોઇન્સે તેનો કૅચ પકડ્યો હતો. ડેરીલ મિશેલ આઠ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. હેઝલવૂડની બૉલિંગમાં વેડે તેનો કૅચ પકડ્યો હતો. કેન વિલિયમ્સનની વિકેટ પણ હેઝલવૂડે લીધી હતી. સ્મિથે તેનો કૅચ પકડ્યો હતો.

ગ્લેન ફિલિપ્સે ૧૭ બૉલમાં ૧૮ રન કર્યા હતા. હેઝલવૂડની બૉલિંગમાં મેક્સવેલે તેનો કૅચ પકડ્યો હતો. જેમ્સ નીશેમે સાત બૉલમાં ૧૩ રન અને ટિમ સેફર્ટે છ બૉલમાં આઠ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની પહેલી વિકેટ ૨૮ રને, બીજી વિકેટ ૭૬ રને, ત્રીજી વિકેટ ૧૪૪ રને અને ચોથી વિકેટ ૧૪૮ રને પડી હતી. ઑસ્ટ્રેલિયાના બૉલર્સમાં સૌથી વધુ ખર્ચાળ મિશેલ સ્ટાર્ક રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં ૬૦ રન આપ્યા હતા.   

November 14, 2021
girnar-arohan.jpg
1min533
ફાઇલ ફોટો. આ વખતે સતત બીજા દિવસે સામાન્ય જનતા માટે લીલીની પરિક્રમા બંધ રાખવામાં આવી છે. તા.14મી નવેમ્બરે મધરાતે ફક્ત 400 સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે.

ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલ તા.14/11/21ના મધરાતથી વિધિવત્ પ્રારંભ થશે પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇનને કારણે માત્ર 400 સાધુ-સંત દ્વારા જ પ્રતિકાત્મક પરિક્રમા હોવાથી તળેટી અને ગિરનારની ગોદ ખાલીખમ રહેશે.

આદિકાળથી યોજાતી લીલી પરિક્રમા કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે ભાવિકો માટે બંધ રખાય છે. તેથી ભાવિકોમાં કચવાટ પ્રસર્યો છે પરંતુ માત્ર લોકોની સુખાકારી માટે સરકારે નિર્ણય કર્યો છે તેથી ભાવિકોએ પણ મનોમન પરિક્રમાંથી સંતોષ માન્યો છે.

14/11/21 મધરાતથી યોજાનાર પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર 400 સાધુ સંતો જ જોડાઈ શકશે. તેની વિગતો સાધુ સમાજ દ્વારા હજુ જાહેર કરાઈ નથી. દર વર્ષની માફક દેશના વિવિધ ભાગોમાંથી સાધુ સંતો તળેટીમાં’ પહોંચ્યા છે. સાધુ સંતોની સંખ્યા 400 સરકારે નિર્ધારિત કરી છે પણ આ સંખ્યા પૂર્ણ થાય તેવી સંભાવના ઓછી છે. સાધુ સંતો જ પરિક્રમા કરનાર હોવાથી તેઓની વહારે અન્નક્ષેત્ર પણ આવી શકે તેમ નથી. તેથી તેઓએ સીધો-સામાન સાથે લઈ જવો પડશે.

પરિક્રમામાં સાધુ સંતો સિવાય કોઈ ઘૂસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરાંત પરિકમા માર્ગ ઉપર પણ વનતંત્ર દેખરેખ રાખશે અને ગેરકાયદે પ્રવેશનારાઓ સામે વન વિભાગ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હોવાથી જંગલમાં કોઈ ચોરીછૂપીથી પ્રવેશશે તો તેઓને કાયદાકીય સજા સહન કરવી પડશે.

November 14, 2021
sabji_market-1280x720.jpg
1min529

ઓકટોબર મહિનામાં થયેલાં પાછોતરા વરસાદ તથા ઇંધણના ભાવમાં થયેલા વધારાના કારણે કેટલાંક દિવસોથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે.  છૂટક બજારમાં અમુક શાકભાજીના ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને વટાવી જતાં મધ્યમ વર્ગના નાગરિકોનું મહિનાનું બજેટ ખોરવાઇ ગયુ છે.

પાછોતરા વરસાદના કારણે શાકભાજીની ખેતીના ઉત્પાદનને બહું મોટો ફટકો પડયો હતો અને ઉત્પાદન ઓછું થયું હતું. આના કારણે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા છે, એમ થાણેના છૂટક બજારના વેપારીએ જણાવ્યું હતું.

ઇંધણના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ વધારો થયો છે. જેના કારણે જીવનાવશ્યક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.  શાકભાજીના ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયા છે.

કોબી માગ ઓછી હોવાના કારણે છૂટક બજારમાં તેનો ભાવ ૬૦ રૂપિયા પ્રતિકિલો છે. જ્યારે સિમલા મિરચા અને ગવાર છૂટક બજારમાં ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

Surat કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ શાકભાજીની ૬૦૦થી ૭૦૦ ગાડીઓની આવક રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ગાડીઓની આવકમાં ધટાડો થયો છે એમ, સૂત્રો દ્વારા જાણવા મળ્યું  હતું.  

શાકભાજીના ભાવ ( રૂપિયા પ્રતિ કિલો)શાકભાજી હોલસેલ બજાર ભાવ છૂટક બજાર ભાવ

  • ભીંડા ૫૦ ૧૦૦
  • ફણસી ૫૦ ૮૦
  • રીંગણ ૩૦ ૧૦૦
  • ફલાવર ૨૫ ૮૦
  • ગવાર ૬૦ ૧૨૦
  • સિમલા મિરચ ૫૦ ૧૨૦
  • કારેલા ૩૦ ૬૦
  • કોબી ૧૬ ૬૦
  • પરવળ ૪૦ ૮૦
  • સુરણ ૧૬ ૬૦
  • ટામેટા ૩૫ ૬૦થી૮૦ 
November 14, 2021
t20_world.jpg
1min423

દુબઈ રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપની આજે 14/11/21 રમાનારી ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. 

ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડની ટીમે જે રીતે સેમિફાઈનલમાં તેમની પ્રતિસ્પર્ધી ટીમ સામે મૅચ જીતી હતી તે જોતા ફાઈનલમાં પણ નાટ્યાત્મક અંત જોવા મળે તેવી શક્યતા છે. વન ડેમાં પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ઑસ્ટ્રેલિયાની ટીમ આશ્ર્ચર્યજનક રીતે ટી-૨૦માં હજુ સુધી એક પણ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની શક્યું નથી. 

બીજી તરફ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલૅન્ડનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો છે અને કૅન વિલિયમ્સનના નેતૃત્વ હેઠળ ટીમ ખીલી ઊઠી છે. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલી જ વાર ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું છે અને જો તે આ વર્લ્ડકપ જીતશે તો તેમના માટે આ અસાધારણ સિદ્ધિ હશે. જોકે, ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહેશે. સૌથી સારું બૉલિંગ આક્રમણ ધરાવતી ન્યૂ ઝીલૅન્ડની ટીમે સેમિફાઈનલમાં સુંદર બૅટિંગ પ્રદર્શન કર્યું હતું. 

ઑસ્ટ્રેલિયાની ટીમ: 
આરોન ફિન્ચ (કૅપ્ટન), ઍશ્ટોન અગર, પૅટ કમિન્સ, જૉશ હૅઝલવુડ, જૉશ ઈન્ગલીશ, મિશૅલ માર્શ, ગ્લૅન મૅક્સવેલ, કૅન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશૅલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઈનિસ, 
મિશૅલ સ્વેપસન, મૅથ્યુ વૅડ (વિ.કી.), ડૅવિડ વૉર્નર, આદમ ઝમ્પા. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), ટૉડ ઍસ્લે, ટ્રૅન્ટ બૉલ્ટ, માર્ક ચૅપમેન, આદમ મિલ્ને, માર્ટિન ગપ્તીલ, કાયલે જૅમિસન, ડૅરિલ મિશૅલ, જિમી નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સાન્ટનર, ટીમ સૅફર્ટ (વિ,કી.), ઈશ સોઢી, ટીમ સાઉધી.

November 10, 2021
t20_world.jpg
1min509

ખિતાબની પ્રબળ દાવેદાર પણ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યામાંથી પસાર થઈ રહેલી ઇંગ્લેન્ડની ટીમ ટી-20 વિશ્વ કપના બુધવારે Dt.10/11/21 રમાનાર પહેલા સેમિ ફાઇનલમાં સતત અપેક્ષાકૃત દેખાવ કરનાર ન્યુઝિલેન્ડની ટીમ સામે ટકરાશે ત્યારે વન ડે વર્લ્ડ ચેમ્પિયન ઇયોન મોર્ગનની ટીમનો ઇરાદો કિવિઝ પર હાવી થવાનો રહેશે. વિશ્વ કપની શરૂઆતથી ઇંગ્લેન્ડની ટીમને હોટ ફેવરિટ ગણવામાં આવે છે પણ આખરી લીગ મેચમાં દ. આફ્રિકા સામેની હારથી તેની કેટલીક ખામીઓ સામે આવી ગઈ છે.

બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમે અપેક્ષા અનુસારનો દેખાવ કરીને સેમિ ફાઇનલની તેની રાહ ખુદ તૈયાર કરી છે. કિવિઝ ટીમ ઉલટફેરમાં માહિર છે. તેની નજર ઇંગ્લેન્ડ સામે વન ડે વર્લ્ડ કપના ફાઇનલની કમનસીબ હારનો હિસાબ ચૂકતે કરવા પર હશે. અબુધાબીની પીચ બેટિંગ માટે અનુકુળ છે. આથી મેચમાં મોટો સ્કોર બની શકે છે. ટોસ અને ઝાકળની ભૂમિકા નિર્ણાયક રહેશે.
ઇજાને લીધે જેસન રોય ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. આથી ઇંગ્લેન્ડના દાવનો પ્રારંભ જોસ બટલર સાથે જોની બેયરસ્ટો કરી શકે છે. ઇંગ્લેન્ડ માટે બટલર, બેયરસ્ટો, મોઇન અલી જેવા ખેલાડી વિશેષ રહેશે. જે મેચનો નક્શો બદલી શકે છે.

રોયના સ્થાને આખરી ઇલેવનમાં સેમ બિલિંગ્સને તકની સંભવાના છે. સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદની ભૂમિકા ઇંગ્લેન્ડ માટે મહત્ત્વની બની રહેશે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો માર્ક વૂડ, ક્રિસ વોક્સ વગેરેની કિવિ બેટધરો સામે કસોટી થશે, કારણ કે કિવિ બેટધરો ફાસ્ટ બોલરો વિરુદ્ધ આક્રમક બેટિંગ માટે જાણીતા છે.

બીજી તરફ ન્યુઝિલેન્ડના મગજમાં 2019ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલની હાર હશે. જેમાં તેને મેચ ટાઇ થયા બાદ ઓછી બાઉન્ડ્રીને લીધે હાર સહન કરવી પડી હતી. આ હાર કિવિઝ માટે દિલ તોડનારી હતી. આ પછી કેન વિલિયમ્સનની ટીમે આઇસીસીની સ્પર્ધામાં નિરંતર શાનદાર દેખાવ કર્યો છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ છે. ન્યુઝિલેન્ડ પાસે નિશ્ચિત રીતે ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ બોલિંગ લાઇન અપ અને ફિલ્ડિંગ યુનિટ છે. ટ્રેટ બોલ્ટ અને ટિમ સાઉધીની ખતરનાક જોડીનો સામનો કરવો ઇંગ્લેન્ડ માટે કઠિન બની રહેશે. લોકી ફરગ્યૂસનની ઉણપ એડન મિલ્નેએ પડવા દીધી નથી. બન્ને સ્પિનર ઇશ સોઢી અને મિચેલ સેન્ટરન પ્રભાવી પ્રદર્શન કરી રહ્યા છે. બન્ને ઓપનર અનુભવી માર્ટિન ગુપ્ટિલ અને યુવા ડેરિલ મિશેલ શાનદાર ફોર્મમાં છે. કપ્તાન કેન વિલિયમ્સન વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. સેમિ ફાઇનલમાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે.

November 8, 2021
demonitaisan.jpg
1min757

પ્લાસ્ટિક કાર્ડસ, નેટ બૅંકિંગ અને યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ વડે ડિજિટલ પેમેન્ટસના પ્રમાણમાં ધૂમ વધારો થયો છે. ઑક્ટોબર મહિનામાં યુપીઆઈ (યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ) દ્વારા કુલ ૪૨૧ કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા હતા. મૂલ્યની દૃષ્ટિએ ઑક્ટોબર મહિનામાં રૂપિયા ૭.૭૨ લાખ કરોડ અથવા ૧૦૦ અબજ ડોલરથી વધુના ટ્રાન્ઝેકશન્સ થયા હતા. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી હતી.

૮મી નવેમ્બર-૨૦૧૬ તારીખે વડા પ્રધાન મોદીએ રૂા. ૧૦૦૦ અને ૫૦૦ની બેન્ક નૉટ રદ થયેલી જાહેર કરી હતી. કાળાં નાણાનો પ્રવાહ ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટસને ઉત્તેજન આપવા નૉટબંધી જાહેર કરવામાં આવી હતી. પાછલા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટસનું ચલણ તો વધ્યું પણ રોકડનો ઉપયોગ હજુ ધીમી ગતિએ વધી રહ્યો છે. ૪ નવેમ્બર-૨૦૧૯ તારીખે નૉટસ ઈન સર્ક્યુલેશન (એનઆઈસી) એટલે કે રૂા. ૧૭.૭૪ લાખ કરોડ મૂલ્યની ચલણ નૉટ વપરાશમાં હતી. જે ૨૯ ઑક્ટબર-૨૦૨૧ તારીખે વધીને રૂા. ૨૯.૧૭ લાખ કરોડ થઈ હતી, તેવું આરબીઆઈ ડેટા જણાવે છે.

૩૦ ઑક્ટબર-૨૦૨૦ તારીખે રૂા. ૨૬.૮૮ લાખ કરોડ મૂલ્યની ચલણી નૉટ સર્ક્યુલેશનમાં હતી. નૉટબંધી અગાઉ ઑક્ટોબર-૨૦૧૪થી ઑક્ટોબર-૨૦૧૬ના સમયગાળા દરમિયાન એનઆઈસી (ચલણી નૉટનું પ્રમાણ)ના સરેરાશ વૃદ્ધિદર ૧૪.૫૧ ટકા હતો. ૨૦૧૯-૨૦ દરમિયાન મૂલ્ય અને સંખ્યાની દૃષ્ટિએ અનુક્રમે ૧૪.૭ ટકા અને ૬.૬ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ૨૦૨૦-૨૧ દરમિયાન આ જ વૃદ્ધિદર અનુક્રમે ૧૬.૮ ટકા અને ૭.૨ ટકા હતો.

November 7, 2021
t20_world.jpg
1min404

ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે શરૂ થનારી ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ આ સ્પર્ધામાં ભારતની આગેકૂચનું ભાવિ નક્કી કરવાની છે. અફઘાનિસ્તાન જો ન્યૂ ઝીલેન્ડને હરાવે તો ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાની શક્યતા ઘણી વધી જશે.

ન્યૂ ઝીલેન્ડનો વિજય થશે તો તેના આઠ પૉઇન્ટ થઇ જશે અને ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાનું લગભગ અશક્ય બની જશે.

અફઘાનિસ્તાન જો આ મૅચ જીતે તો તેના માટે પણ આગેકૂચ કરવાની થોડી આશા જન્મશે.
ભારતે પોતાની નામિબિયા સામેની અંતિમ મૅચ મોટા તફાવતથી જીતવી પડશે.

ન્યૂ ઝીલેન્ડનો આ મૅચમાં વિજય થાય તો ભારતની સોમવારે રાતે ૭.૩૦ વાગ્યે નામિબિયા સામે રમાનારી મૅચનું ખાસ મહત્ત્વ નહિ રહે. અફઘાનિસ્તાને આ મૅચ જીતવા મોટો જુમલો કરવાની જરૂર છે. તેની બૉલિંગ અત્યાર સુધીની મૅચમાં સારી રહી હતી.        

November 7, 2021
Ramayana-Yatra-train.jpg
1min388

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશન (આઇઆરસીટીસી) સાતમી નવેમ્બરથી શ્રી રામાયણયાત્રા ટ્રેન શરૂ કરશે. ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક આવી ટ્રેન દોડાવાશે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશને જણાવ્યું હતું કે યાત્રા માટેની ખાસ ટ્રેન અને ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેનને યાત્રાળુઓની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દોડાવાશે.
તેણે જણાવ્યું હતું કે રામાયણ સર્કિટ ટ્રેન નવી દિલ્હીથી સાતમી નવેમ્બરે ઊપડશે અને બાદમાં અન્ય ચાર ટ્રેન પણ ચાલુ મહિને દોડાવાશે.

શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – મદુરાઇ ટ્રેન ૧૮ નવેમ્બરે ઊપડશે. તેમાં સ્લિપર વર્ગના ડબા હશે. આ પૅકેજ ૧૨ રાત અને ૧૩ દિવસનો રહેશે.

આ ઉપરાંત, શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – શ્રી ગંગાનગર યાત્રા માટેની ખાસ ટ્રેન ઉત્તર ભારતમાં દોડાવાશે.

November 7, 2021
sierra.jpg
1min466

સિયેરા લિયોનની રાજધાનીમાં શનિવારે ઑઇલ ટૅન્કરમાં વિસ્ફોટ થયા બાદ તેલ એકઠું કરવા ભેગા થયેલા ૯૮ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. 
સૂત્રોના જણાવ્યા અનુસાર વેલિંગ્ટનમાં શુક્રવારે Dated 5/11/21 સાંજે બસ સાથે ટૅન્કર અથડાયા બાદ વિસ્ફોટ થયો હતો. ઢોળાયેલા ઈંધણમાં આગ કેવી રીતે લાગી હતી તે સ્પષ્ટ થયું ન હતું, પણ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, તેવું સત્તાવાળાઓએ કહ્યું હતું


હૉસ્પિટલના કર્મચારી ફોદાય મુસાએ જણાવ્યું હતું કે કનાટ હૉસ્પિટલના શબઘરમાં Dt.6/11/21 શનિવારે સવારે ૯૨ મૃતદેહ લવાયા હતા. અત્યંત દાઝી ગયેલા અન્ય ૩૦ જણના બચવાની શક્યતા ઓછી છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘની પર્યાવરણ સમિટમાં ભાગ લઇ રહેલા રાષ્ટ્રપતિ જુલિયસ માદા બીઓએ આ ગોઝારી ઘટના બદલ અફસોસ વ્યક્ત કરતા ટ્વિટર પર જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર અને દાઝી જનારા પ્રત્યે હું સહાનુભૂતિ દર્શાવું છું.