CIA ALERT
06. June 2023

ટ્રેન્ડિંગ Archives - CIA Live

February 18, 2023
SOMNATH_MAHADEV.jpg
1min146

ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી શિવના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશના પ્રમુખ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ, મહાકાલેશ્વર અને રામેશ્વરમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથમાં ભક્તો સાથે સાધુ-સંતોનો મેળાવડો. સાંજે ભવનાથમાં ભવ્ય રવેડી નિકળશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

February 3, 2023
Cia_business_news-1280x936.jpg
1min233

ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે તાત્કાલિક અસરથી મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યોમાં દૂધ બનાવટો પર ભાવ વધારો લાગૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હજુ ભાવ વધારાનો અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તાજા દૂધ પર રૂ. 3/લિટર સુધીના વધારાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ સમાચાર આજે તા.3 ફેબ્રુઆરીએ ભારે વાઇરલ થયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે હાલ મુંબઇમાં ભાવ વધાર્યા છે પણ ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ભાવ વધારાશે.

અમૂલ ગુજરાતમાં સૌથી મોટી ડેરી ગણાય છે અને અમૂલના ભાવ વધારા બાદ હવે ગુજરાતની નાની ડેરીઓ પણ પોતાના દૂધના ભાવ વધારશે અને સમગ્ર ગુજરાતની જનતાને હવે દૂધના ભાવોમાં તોતીંગ વધારો સહન કરવો પડે એ દિવસો દૂર નથી.

આ રિવિઝન પછી, અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા પ્રતિ 1 લિટર અને અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત હવે 70 રૂપિયા પ્રતિ લિટર થશે. ગુરુવારે એક નિવેદન.

અમૂલે છેલ્લે ઓક્ટોબરમાં તેના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

અમૂલ દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવો હવે આ મુજબ રહેશે

November 9, 2022
election_coverage-1280x1047.jpg
3min154

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ ૩૯ રાજકીય પક્ષોના ઉમેદવારો છે.૩૯ પક્ષોના કુલ ૭૮૮ ઉમેદવારોમાં ૭૦ મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં ૩૩૯ અપક્ષ ઉમેદવારો છે.

ચૂંટણી પંચ દ્વારા આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ ૧૦ ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની ૩૯ રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.

ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ ૫૭ ઉમેદવારો બીએસપી દ્વારા અને ૧૪ ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા ૧૦ ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉબા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે ૩૩૯ ઉમેદવારો છે.જેમાં ૩૫ મહિલાઓ છે અને ૩૦૪ પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના ૮૯ ઉમેદવારોમાં ૯ મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના ૮૮ ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે. મહત્વનું છે કે ગત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને ૬૫ રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ ૧૮૨ બેઠકો સામે જ્યાં ૧૮૨૮ ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો સામે ૭૮૮ ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ ૯થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.

10/11/22: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BJPના ઉમેદવારોની પહેલી યાદી : વાંચો અહીં

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પહેલી સત્તાવાર યાદી આજે તા.10મી નવેમ્બરે સવારે જાહેર કરવામાં આવી હતી. આ ઉમેદવારોની ઉમેદવારીપત્રક ભરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
૩૬ ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ

૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી

૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા

૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

૭૯ જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા

૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા

૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા

૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી

૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)

૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ

૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ

૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ

૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ

9/11/22: BJP દ્વારા આજથી સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં અગ્રેસર ગુજરાત કેમ્પેન

ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમ લોન્ચ કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવામાં આવશે. આવતી કાલે ટેકસટાઇલ માર્કેટમાં Date 9/11/22 કેમ્પઇન શરૂ કરવામાં આવશે.

આ અંગે સુરત ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવા આ કાર્યક્રમ છે. ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ છે. લોકો દ્વારા મળેલા સૂચનોને સંકલ્પ પત્રમાં સમાવીશું.

અગ્રેસર ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ નંબર પર પોતાનો અભિપ્રાય અને સૂચન આપી શકે છે. જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવી જગ્યાએ આ સુચનપેટીઓ મુકાશે તે સૂચન પણ ધ્યાનમાં લેવામાં આવશે. સુરતની દરેક વિધાનસભા દીઠ 50 જેટલી સૂચન પેટીઓ મુકવામાં આવશે. જેમાંથી ગુજરાતના નાગરિકોના અભિપ્રાય, તેમના સૂચનો, તેમની લાગણીઓ જાણવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રનાથ પાંડે સુરત આવી રહ્યા છે તેઓ પણ જોડાશે. ભાજપના નેતા ગિરિરાજ સિંહ પણ સુરત આવશે તે સચિન વિસ્તારમાં આ કેમ્પઇનમાં ભાગ લેશે.

September 2, 2022
SOMNATH_MAHADEV.jpg
1min214

ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ દાદાના લાઇવ દર્શન અમારા વાચકો કરી શકે તે માટે આ લિંક કાયમી ધોરણે અહીં શેર કરવામાં આવી છે.

August 31, 2022
siddhivinayak_Mumbai.jpg
1min239

દેશભરમાં આજે 31મી ઓગસ્ટ બુધવારથી ગણેશ ઉત્સવનો શુભારંભ થયો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ કોઇ પણ પ્રકારના પ્રતિબંધ અને અંકુશ વગર આ વખત ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે લોકો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય સુરત, ગુજરાત સમેત પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના મુંબઇ, પૂણે, નાગપુર સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવની ભારે ધૂમ છે.

સીઆઇએ લાઇવ વેબસાઇટ તેમના વાચકો માટે મુંબઇના પ્રભાદેવી સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન ઘરે બેઠા કરી શકે તે માટે અહીં લાઇવ દર્શનની વ્યવસ્થા કરી છે.

મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની મહિમા અપરંપાર છે. આ ગણેશ ઉત્સવ દરમિયન તમે ઘરબેઠાં દરરોજ મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શનનો કરો…

સિદ્ધિ વિનાયક મંદિરના Live દર્શન..

August 31, 2022
ganapati-1280x720.jpg
1min137

દેશમાં એકબાજુ  ગણેશ ચતુથી પહેલાં ગણપતિ બાપ્પાના આગમનનો જયજયકાર ગુંજી ઊઠયો છે તેવા સમયે ભારતીય શેર બજારોમાં પણ મંગળવારે તેજીના જયજયકાર ગૂંજી ઉઠયા હતા. શેરબજારોમાં સોમવારનો મંદીનો કડાકો પચાવીને મંગળવારે  સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટ કૂદીને ૫૯૫૩૭.૦૭ જ્યારે નિફ્ટી ૪૪૬.૪૦ પોઈન્ટની છલાંગ લગાવી ૧૭,૭૫૯.૩૦ની ઊંચાઈએ પહોંચી ગયા હતા. ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશી સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના અર્થશાસ્ત્રીઓ, ફંડોના પોઝિટીવ અર્થઘટને પગલે બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. આ સાથે સેન્સેક્સ, નિફટીમાં મંગળવારે વર્ષ ૨૦૨૨નો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

ભારતીય શેરબજારોમાં તેજીની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ વર્ષના તળીયેથી ઉંચકાઈ ૫૧ પૈસાનો વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઉછાળો નોંધાવી ૭૯.૪૫ પહોંચી ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ પોણા ચાર ડોલર ઘટી આવ્યા સાથે શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. શેરોમાં રોકાણકારોની સંપતિ પણ આજે એક દિવસમાં જ રૂ.૫.૬૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૨૫ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. જે ૧૮,ઓગસ્ટની રૂ.૨૮૦.૫૨ લાખ કરોડની વિક્રમી ઊંચાઈની નજીક પહોંચી ગઈ હતી.

ફુગાવાને લઈ અમેરિકાની તીવ્ર વ્યાજ દર વધારાની નીતિને લઈ ગત સપ્તાહમાં અમેરિકી શેર બજારોમાં કડાકા પાછળ ગઈકાલે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત આંચકા આવ્યા હતા. પરંતુ ભારત અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ દેતો નહીં હોવાથી અને ફુગાવાને અંકુશમાં રાખવા રશિયા પાસેથી સસ્તા ક્રુડની આયાત કરવી, ખાદ્ય ચીજોનો પુરવઠો જળવાઈ રહે એની ખાતરી માટેના આવશ્યક પગલાં લઈ અપનાવાયેલી આર્થિક નીતિની સરાહના કરી વિદેશી ફંડોએ ભારત મજબૂત આર્થિક સ્થિતિમાં હોવાના અર્થઘટન સાથે આજે શેરોમાં કેશમાં રૂ.૪૧૬૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. સોમવારના કડાકાને લઈ હરખાયેલા મંદીવાળાઓને આજે તેજીવાળાઓએ મિચ્છામી દુક્કડમ કહેતાં હોય એમ શ્વાસ લેવા નહીં દેતી એકધારી તોફાની તેજી કરી હતી. સાર્વત્રિક તેજીએ તમામ સેકટરલ ઈન્ડેક્સ આજે પોઝિટીવ બંધ રહ્યા હતા.  બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી થતાં બજાજ ફિનસર્વ  ૫.૪૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૮૬ ટકા, ઈન્ડસઈન્ડ બેંક ૪.૩૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૩.૨૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૭૨ ટકા વધી આવતાં  બીએસઈ બેંકેક્સ ૧૪૫૮.૮૪ પોઈન્ટની છલાંગે ૪૫૨૯૫.૮૮ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટના પોણા ચાર ડોલર ઘટીને ૧૦૧.૩૫ ડોલર થઈ જતાં અને નોમુરાએ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે  ઉજળું ભાવિ રજૂ કરી પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૯ ટકા વૃદ્વિનો અંદાજ મૂકતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓની આક્રમક ખરીદી થઈ હતી. ટાટા મોટર્સ ૩.૮૯ ટકા, મારૂતી ૨.૯૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૦ ટકા, અશોક લેલેન્ડમાં ૩.૯૮ ટકા ભાવ ઉછળી આવતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૬૨.૦૪ પોઈન્ટ ઉછળીને ૩૦૩૩૪.૧૮ પહોંચી ગયો હતો. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ મોટી ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૬.૩૦ પોઈન્ટ  ઉછળી ૪૨૭૧૧.૪૨ પહોૅચી ગયો હતો.

વૈશ્વિક ફંડ બેંકિંગ-ઈન્વેસ્ટમેન્ટ જાયન્ટ બાર્કલેઝ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૧૬ ટકાની આર્થિક-જીડીપી વૃદ્વિ હાંસલ કરશે એવી આગાહી કરતાં  વિશ્વભરના શેર બજારોમાં આજે સર્વાધિક ઉછાળો ભારતીય શેર બજારોમાં નોંધાયો હતો. અન્ય વૈશ્વિક શેર બજારોમાં એશીયામાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૧૭ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૭૪.૧૯ પોઈન્ટ ઘટાડો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટનો ઘટાડો, યુરોપના બજારોમાં સાંજેજર્મનીનો ડેક્ષ ૧૨૦ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો સાંજે ખુલતામાં વધુ ઘટી આવી ડાઉ જોન્સ ૧૬૧ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૬૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. 

August 29, 2022
garba.jpg
1min151

પારંપરિક નૃત્યનો અવિનાશી સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ સંભવ

યુનેસ્કોની હેરિટેજ યાદી માટે ગુજરાતના ગરબાને નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારતે ગુજરાતના વિખ્યાત પારંપરિક નૃત્ય ગરબાને યુનેસ્કોની અમૂર્ત (અવિનાશી) સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કર્યા છે.

અધિકારી સૂત્રો અનુસાર આગામી વર્ષે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગત વર્ષ ડિસેમ્બરમાં કોલકત્તાના દુર્ગાપૂજા ઉત્સવને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાનાં નોમિનેશન કરવા સાથે જોડાયેલી વિગતો પ્રસ્તુત કરી હતી. અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા પર યૂનેસ્કોએ વર્ષ ર003નાં સંમેલનની આંતર સરકારી સમિતિએ કોલકત્તામાં દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યું હતું.

કર્ટિસે કહ્યંy કે આગામી વર્ષ માટે નવીનતમ નામાંકન પર વિચાર કરાશે અને ર0ર3ના મધ્ય સુધીમાં નામાંકન ફાઇલનની તપાસ કરાશે ત્યાર બાદ વર્ષના અંત સુધીમાં નામો પર આખરી ફેંસલો આવી જશે. કર્ટિસના પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી. જેનું શીર્ષક હતું – ગુજરાતના ગરબા : ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ. વર્તમાન સમયમાં યૂનેસ્કોની આ યાદીમાં ભારતના 14 સાંસ્કૃતિક વારસા તત્ત્વ સામેલ છે જેમાં રામલીલા, વૈદિક મંત્ર, કુંભમેળો, દુર્ગાપૂજા વગેરે સામેલ છે.

August 29, 2022
babar_kohli-1280x843.jpg
1min120

હાર્દિક પંડયાએ આખરી ઓવરના તનાવ વચ્ચે વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-૨૦માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૧૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ. ભારતે ૧૪૮ના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

એક તબક્કે ૮૯ રનમાં ચાર વિકેટ ગુમાવનારા ભારતને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા જાડેજા અને હાર્દિક પંડયાએ ઉગાર્યું હતુ. બંને વચ્ચે ૨૯ બોલમાં ૫૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. જાડેજાએ ૨૯ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જોકે તે આખરી ઓવરના પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી અને ત્યાર બાદ હાર્દિકે એક ડોટ બોલ પછી ખુબ જ ઠંડા દિમાગ સાથે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.

અગાઉ ભુવનેશ્વર કુમારે ચાર અને હાર્દિકે ત્રણ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમાં ખખડી ગયું હતુ. ડીઆરએસમાં બે વાર બચી ગયેલા રિઝવાને સૌથી વધુ ૪૩ રન ફટકાર્યા હતા. ભારતના ફાસ્ટરોએ પહેલીવાર ટી-૨૦માં હરિફ ટીમની તમામ ૧૦ વિકેટ ઝડપી હતી.

August 27, 2022
niraj.jpg
1min149

ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે. 

નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે. 

ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા. 

August 26, 2022
ghulam-nabi-azad.jpg
1min136

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ મોટું એલાન કર્યું છે. તેઓ જમ્મુ કાશ્મીર પાછા આવશે અને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે બીજેપીમાં સામેલ થવાની ખબરોને પણ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, મારા વિરોધી છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જઈ રહ્યો છું. તેઓએ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા.

તેમણે જણાવ્યું કે, તેઓ નવી પાર્ટી બનાવશે. તેની સાથે જ તેમણે ફરી એક વખત રાષ્ટ્રીય રાજકારણથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પરત ફરવાનો પણ સંકેત આપી દીધો છે. આઝાદે કહ્યું કે, હું જમ્મુ પણ આવીશ, કાશ્મીર પણ આવીશ. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે પોતાની પાર્ટી બનાવીશું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે પણ નજર આવીશું.

શું બીજેપીમાં સામેલ થશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મારા વિરોધીઓ આ વાત 3 વર્ષથી કહી રહ્યા છે. તેઓએ મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને કોઈ બીજેપી નેતાનો ફોન આવ્યો? આ સવાલના જવાબ પર આઝાદે કહ્યું કે, ભાજપના નેતા મને શું કામ ફોન કરે અમે બીજેપીમાં નથી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા બધી પાર્ટીઓ સાથે સારા સબંધ છે. અમે કોઈને પણ અપશબ્દો નથી કહ્યા. અમે બધા પક્ષોનું સમ્માન કરીએ છીએ. એટલા માટે બધા પક્ષોનું મારા પ્રત્યે સમ્માનનો ભાવ છે.

ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી પર લગાવેલા આરોપોના સવાલ પર કહ્યું કે, ગાંધી પરિવાર સાથે અંગત રીતે મારા ઘણા સારા સંબંધો છે. પરંતુ તે પર્સનલ રિલેશનની વાત નથી આ તો આપણે કોંગ્રેસના ડાઉનફોલની વાત કરી રહ્યા છીએ અને જેણે કોંગ્રેસમાં 50 વર્ષ વિતાવ્યા તેમને કેવું લાગી રહ્યું છે તે જણાવી રહ્યા છે.