CIA ALERT

Blog - Page 679 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 14, 2018
rath3.jpg
1min8680

અષાઢ સુદ બીજના રોજ ગજ કેસરી યોગ અને પવિત્ર પુષ્ય નક્ષત્રમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા, અમદાવાદ જમાલુપર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે રંગેચંગે પ્રારંભ થયો. સવારના ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રના નેત્રો ખોલવામાં આવ્યા હતા. રજવાડી વાઘા અને સાજા શણગાર સાથે સવારે છ વાગ્યાથી ભગવાનને રથમાં આરૂઢ કરાયા હતા ત્યારદમાં સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

યુનેસ્કો દ્વારા અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના ધ્યાનમાં રાખીને આ વર્ષે 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે. જેમાં ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના અનેક હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.
આ સાથે ભગવાન જગ્ગનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે રજવાડી વેશ ધારણ કર્યા છે. જેમાં ભગવાને મોરપીંછ રંગના વાઘા ધારણ કર્યા છે. ભગવાન જગન્નાથજી મથુરા-બનારસથી લવાયેલા રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં પાઘડી સાથે સજ્જ થઈને નગરચર્યાએ નીકળી લોકોના ખબર-અંતર પૂછશે. જેમાં 18 શણગારેલાં ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા 30 અખાડા, 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા પણ સામેલ છે.
આજે રથયાત્રાના અવસર પર બે લાખ ઉપરણાનો પ્રસાદ વહેંચાશે. જેમાં ભાવિકોને 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે. ભગવાનને જે વિશિષ્ટ ભોગ ધરાવાશે તેમાં 2500 કિલો ચોખા, 600 કિલો દાળ, 1400 કિલો ડ્રાયફ્રૂટ અને 151 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રથયાત્રાનો રૂટ
સવારે 7 વાગ્યે નિજ મંદિરથી રથયાત્રાનો આરંભ
સવારે 9 વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 12 વાગ્યે સરસપુર
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી પરત
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમદરવાજા
બપોરે 3.15 વાગ્યે દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે શાહપુર દરવાજા
સાંજે 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ
સાંજે 5 વાગ્યે ઘીકાંટા
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા
સાંજે 6.30 વાગ્યે માણેક ચોક
રાત્રે 8.30 વાગ્યે નિજ મંદિરે પરત
July 13, 2018
gaya2.jpg
1min6660

પોતાનો રાજકીય હેતુ સાધવા હિંદુ અને મુસ્લિમોના મનમાં વેર વધારતા ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઇચારાના ઉદાહરણ તરીકે બિહારના ગયા જિલ્લામાં આવેલા બુધપુર ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ બાંધવો માટે નાણાં ભેગાં કરીને મંદિર બાંધી આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાના દેવતા માટે બિહારના ગયા જિલ્લાના બુધપુર ગામના હિંદુઓ મંદિર બાંધી નથી શકતા અને ભગવાનનું નામ લખેલા પાણાની પૂજા કરતા હોવાની વાત ગામનાં મુસ્લિમોના ધ્યાનમાં આવી હતી. ગામના એક રહેવાસી મોહંમદ અઝહરુદ્દીને જણાવ્યું હતું કે મંદિરના અભાવે અમારા હિંદુ ભાઇઓ પૂજાપાઠ કરવામાં તકલીફ અનુભવતા હતા અને માટે અમે નાણાં ભેગાં કરીને એમને માટે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. બધાએ મળીને ત્રણ લાખ રૂપિયા ભેગાં કર્યાં હતાં અને એક મુસ્લિમ બાંધવે મંદિર બાંધવા માટે પોતાનો જમીનનો ટુકડો પણ દાનમાં આપ્યો હતો.

એક જમાનામાં નક્સલવાદીઓ અને માઓવાદીઓનું ઠેકાણું ગણાતા આ ગામમાં આજે મુસ્લિમોની બહુમતી છે અને અહીંના રહેવાસીઓ ગર્વથી કહે છે કે બંને કોમ હંમેશ હળીમળીને રહી છે તથા એકબીજાના તહેવારોમાં ભાગ પણ લે છે.

July 13, 2018
carlile.jpg
1min6340

બ્રિટિશ સાંસદ અને બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલેદા ઝીયાના વકીલ લોર્ડ એલેકઝાંડર કાર્લાઇલ યોગ્ય વીઝા ન હોવાના કારણસર ભારતમાં પ્રવેશ નકારાયા બાદ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એ ભારત-બંગલાદેશના સંબંધો બગાડવાનો પ્રયત્ન કરતો હતો. અત્યાર સુધી આપણને એવા જ ન્યુઝ મળતા હતા કે ફલાણા ઇન્ડિયનને  ફલાણા એરપોર્ટ પરથી ભારત પાછો રવાના કરી દેવાયો. પહેલી વખત એવા સમાચાર મળ્યા કે ભારતે અંગ્રેજ સાંસદ એલેકઝાંડર કાર્લાઇલને દિલ્હી એરપોર્ટ પરથી પાછો મોકલી આપ્યો હતો.

ગૃહ મંત્રાલયના અધિકારીએ પણ જણાવ્યું હતું કે કાર્લાઇલ પત્રકાર પરિષદ સંબોધીને રાજકારણ કરવા માગતો હતો, જે વીઝાના નિયમની વિરુદ્ધ છે.


કાર્લાઇલને તા.11 જુલાઇને બુધવારે રાતે નવી દિલ્હી હવાઇમથકેથી યુકે પાછો રવાના કરાયો હતો. એણે યુકેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે બાંગલાદેશની સરકારના દબાણ હેઠળ એને ભારતમાં પ્રવેશ નકારાયો હતો. ભારત સરકારે એના વીઝા નકારવા માટે ખરું કારણ ન આપ્યું હોવાનો દાવો પણ એણે કર્યો હતો.

દિલ્હીમાં એ જે નિવેદન આપવાનો હતો એ એણે જાહેર કરતા જણાવ્યું હતું કે ઝીયા સામેના આરોપ રાજકીય પ્રેરિત હતા અને એ માટેના કોઇ પૂરાવા નથી.

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે એ અહીં જે કરવા માગતો હતો, એ વાત વીઝામાં જણાવેલ કારણ સાથે મેળ નહોતી ખાતી. એણે જે નિવેદન આપ્યું છે એ પરથી તમે સમજી જશો કે એ શા કારણસર અહીં આવવા માગતો હતો, એના વીઝા પર વ્યાપારી કારણ દર્શાવાયું હતું.

July 13, 2018
fakfb.jpg
1min14860

ફેસબુક ફેક ન્યુઝ અને ફેક વસ્તુઓ પોસ્ટ કરતી ફેક આઇડી પ્રોફાઇલને ઓળખી શકાય તે માટે નવું ફિચર વિકસાવી રહ્યું છે અને એના આધારે તેઓ ફેસબુક ‘ફેક લીંક્સ’ની ઓળખ કરીને ફેક ન્યૂઝ અને અફવાઓના ફેલાવાને કાબૂમાં લેવા કોશિશ કરશે.

અમેરિકન મિડીયાના અહેવાલો મુજબ આ નવા ફીચરથી અજાણ્યા નંબરથી મેસેન્જર પર આવનાર મેસેજની ઓળખ કરશે અને એ અંગે યુઝર્સને વધુમાં વધુ જાણકારી આપશે. જેમકે એ એકાઉન્ટ ક્યારે બન્યું?, એ એકાઉન્ટનો કયા દેશમાં ઉપયોગ થઈ રહ્યો છે?, શું એ ફેસબુક એકાઉન્ટ ધરાવે છે? કે પછી ફક્ત ફોન નંબર જ છે? જેવા સવાલો તેમાં આવરી લેવાયા છે.

ફેસબુકે પણ વ્હોટ્સ એપની જેમ હવે ફેક ન્યૂઝ અને બોગસ પ્રોફાઈલ ધરાવતા લોકો પર સકંજો મજબૂત બનાવ્યો છે. ફેસબુકે ‘ફેક એકાઉન્ટ’ પર સકંજો કસવા એક નવા ફીચરનો ટેસ્ટ શરુ કરી દીધો છે. જેના દ્વારા એ સરળતાથી ઓળખી શકાશે કે મેસેન્જર પર મોકલાતા મેસેજ ફેક એકાઉન્ટ પરથી મોકલાઈ રહ્યાં છે કે સાચા એકાઉન્ટ માંથી?

આ સિવાય ફેસબુક એ પણ માહિતી આપશે કે જે વ્યક્તિ તમારો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે, એના નામનો તમારા કોઈ ફેસબુકના નામ સાથે મેળ બેસે છે પરંતુ વાસ્તવમાં મેસેજ એ એકાઉન્ટથી આવી રહ્યો નથી. આ ફીચર અંગે મેસેન્જર ટીમ સાથે સંકળાયેલા ડાલ્યા બ્રાઉને જણાવ્યું કે,‘અમે એક એવા ફીચરનો ટેસ્ટ કરી રહ્યાં છીએ જે અમારા યુઝર્સને અજાણ્યા લોકો દ્વારા મળતા મેસેજ અંગે પૂરેપૂરી જાણકારી આપશે.’

July 13, 2018
gst.jpg
1min15730

સેનિટરી નેપકીન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની વસ્તુઓ વગેરે પર તા.21 જુલાઇએ મળનારી મિટીંગમાં જીએસટી ઘટાડવા અંગેનો નિર્ણય લેવાશે

જીએસટી કાઉન્સિલની આગામી ૨૧મી જુલાઈએ બેઠક મળશે, જેમાં વધુ કેટલીક વસ્તુઓ પર રેટ ઘટાડવામાં આવશે. ખાસ કરીને જે વસ્તુ પર જીએસટીથી ખાસ આવક નથી તેના રેટ ઘટાડાશે.

આવી વસ્તુઓમાં સેનિટરી નેપકીન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની વસ્તુઓ અને કેટલીક સેવાઓનો સમાવેશ થાય છે. વિવિધ ઉદ્યોગ સંગઠનો અને હિતધારકો સરકાર સમક્ષ જીએસટી ઘટાડવાની માગણી કરી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સંબંધિત ક્ષેત્ર અને રોજગારનું સર્જન કરે તેવા બિનસંગઠિત ક્ષેત્રમાંથી આવી માગણી વધુ પ્રમાણમાં થઇ રહી છે.

લોકોને મોટા પાયે સીધી સ્પર્શે તેવી વસ્તુઓ પર અને જેમના પર રેટ ઘટાડવાથી સરકારને થતી આવક પર ખાસ અસર નહીં થાય તેવી વસ્તુઓ પર રેટ ઘટાડાશે.

મોટાભાગની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ તથા સેનિટરી નેપકીન પર હાલમાં 12 ટકા જીએસટી લાગુ છે. આ વસ્તુઓ પર જીએસટી શૂન્ય કરી દેવાની માગણી થઈ રહી છે.
જીએસટી કાઉન્સિલની જાન્યુઆરી-2018માં મળેલી બેઠકમાં 54 સેવાઓ અને 29 વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા હતા. તે અગાઉ નવેમ્બર-2017માં 178 વસ્તુઓને સૌથી વધુ 28 ટકાના સ્લેબમાંથી હટાવીને તેમના પરના ટેક્સ ઘટાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તમામ રેસ્ટોરન્ટ્સ પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો હતો. માત્ર સ્ટાર હોટેલો પર જ વધુ જીએસટી લાગુ છે. જીએસટીના પ્રથમ વર્ષ 2017-18માં સરકારને ટેક્સ પેટે ₹7.41 લાખ કરોડની આવક થઇ હતી. જીએસટી જુલાઇ 2017માં લાગુ પડ્યો હતો. સરેરાશ માસિક કલેક્શન ₹89,885 કરોડ હતું. એપ્રિલ મહિનામાં કલેક્શન ₹1.03 લાખ કરોડને સ્પર્શ્યું હતું. મેમાં તે ₹94,106 કરોડ અને જૂનમાં ₹95,610 કરોડ હતું.

July 13, 2018
nalinkotadia1.jpg
1min14220

બીટકોઇનના કરોડોના કૌભાંડમાં પોલીસની ધરપકડથી નાસતા ફરતા આરોપી એવા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેનું જાહેરનામું આજે ગુજરાતના વિવિધ અખબારોમાં રાજ્યના માહિતી ખાતા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે સી.આઇ.ડી. ક્રાઇમ તપાસ હેઠળના ગાંધીનગર ઝોન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 02-2018ના કેસમાં સંડોવાયેલા આરોપી નલીન કોટડીયા વિરુદ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ 82 મુજબ નામદાર સિટી સેસન્સ કોર્ટ, નવરંગપુરા, અમદાવાદ દ્વારા કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે જાહેરનામું પ્રગટ કર્યું છે.

July 13, 2018
aamir.jpg
1min14320

આમિર ખાન હાલમાં ઓશોની બાયોપિક માટે લુક-ટેસ્ટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને ‘કપૂર ઍન્ડ સન્સ’નો ડિરેક્ટર શકુન બત્રા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ માટે આમિર હા પાડે એ પહેલાં તે લુક-ટેસ્ટ કરવા માગે છે. જો તે લુકમાં આચાર્ય રજનીશ જેવો દેખાયો તો જ તે આ ફિલ્મ માટે હા પાડશે. આ લુક માટે તે હાલમાં પ્રોસ્થેટિક એક્સપર્ટને મળી રહ્યો છે. આમિરને સ્ક્રિપ્ટ પસંદ પડી છે, પરંતુ તે લુકને લઈને થોડો ચિંતિત છે. આ ફિલ્મમાં આમિરે ચાર લુક કરવા પડશે અને એથી જ તે ફિલ્મ માટે હા પાડે એ પહેલાં દરેક લુકને ટેસ્ટ કરવા માગે છે. આ ફિલ્મ માટે આમિર માથાના આગળના ભાગમાં વાળ વગરના લુકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઓશોની શરૂથી લઈને અંત સુધીની તમામ વાતો કરવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે બનાવવામાં આવેલી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’માં જે નહોતું દેખાડવામાં આવ્યું એ પણ આ બાયોપિકમાં દેખાડવામાં આવશે.’

આ ફિલ્મમાં મા આનંદશીલાનું પાત્ર આલિયા ભટ્ટ ભજવશે એવી ચર્ચા છે.

July 12, 2018
mitishmody.jpg
1min27570

લેખકઃ શ્રી મિતિશ મોદી

આપ દક્ષિણ ગુજરાતના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં સુગર ફેક્ટરીઝ, બેંક વગેરેના એક્સપર્ટ સી.એ. તરીકે ખ્યાતિપ્રાપ્ત છે.

શ્રી મિતેશ મોદી સી.આઇ.એ. લાઇવ માટે નિયમિત રીતે બ્લોગ લખશે.

 

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીસ, ન્‍યુ દિલ્‍હીએ ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલ ફાઈલ કરવાની નાણાંકીય મર્યાદા વધારી કાનૂની દાવાઓ ઘટાડવાની દિશામાં લીધેલું ખૂબજ આવકારદાયક પગલું

નાણાં મંત્રાલયના નેજા હેઠળ કામ કરતાં સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીસ, ન્‍યુ દિલ્‍હી ઘ્‍વારા તાજેતરમાં તાઃ 11મી જુલાઈ, ર018ના રોજનો સરકયૂલર નં. 3/ર018 જારી કરવામાં આવ્‍યો છે. અગાઉના તાઃ 10-1ર-ર01પના સરકયૂલરને નાબૂદ કરી તેને સ્‍થાને આ નવો સરકયૂલર તાત્‍કાલીક અસરથી અમલમાં આવે તે રીતે ઈન્‍કમટેક્ષ ખાતાને સૂચિત કરવામાં આવ્‍યુ છે કે હવેથી ઈન્‍કમટેક્ષ ખાતાએ એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલ ફાઈલ કરતી વેળા જે તે કેસની કે કરદાતાની લાગુ પડતાં આકારણી વર્ષની “ટેક્ષ ઈફેકટ”ની નાણાંકીય રકમ મર્યાદા ઘ્‍યાનમાં લઈ અપીલ ફાઈલ કરવી.    આ સરકયૂલર ઘ્‍વારા ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા થતી અપીલોની નાણાકીય મર્યાદા નીચે મુજબ વધારવામાં આવી છેઃ

(1)     જો અપીલ કે ક્રોસ ઓબ્જેકશન એપેલેટ ટ્રિબ્‍યુનલ સમક્ષ હોય તો તે નાણાંકીય મર્યાદા રૂા. 10 લાખથી વધારીને 20 લાખ કરી છે.

 (ર)     જો અપીલ કે રેફરન્સ હાઈકોર્ટ સમક્ષ હોય તો તે નાણાંકીય મર્યાદા રૂા.20 લાખથી વધારીને 50 લાખ કરી છે.

 (3)     જો અપીલ કે એસ.એલ.પી. સુપ્રિમકોર્ટ સમક્ષ હોય તો તે નાણાંકીય મર્યાદા રૂા. 25 લાખથી વધારીને 1 કરોડ કરી છે.

વધુમાં, “ટેક્ષ ઈફેકટ” ની આપેલી વ્‍યાખ્‍યા મુજબ, તેમાં વિવાદી મુદ્દાઓ પર ગણતરી કરતાં ભરવાના થતા ટેક્ષની જવાબદારી ઉપરાંત તેમાં સરચાર્જ અને સેશ પણ આવરી લેવાશે. જો ટેક્ષની જવાબદારી પર ચડાવેલ વ્‍યાજની જવાબદારી પણ વિવાદી મુદ્દામાં આવરી લેવાયેલ હોય તો તેનો પણ સમાવેશ ટેક્ષ ઈફેકટની નાણાંકીય મર્યાદામાં કરવાનો રહેશે.  જે કિસ્‍સાઓમાં કરદાતાએ “લોસ”નું રીટર્ન ભર્યુ હોય અને જો વિવાદી મુદ્દાઓને લીધે આકારણીની આવક વધી હોય તો તેવા કિસ્‍સાઓમાં, વિવાદી મુદ્દાઓની આકારાયેલી રકમ પર જે ટેક્ષ આવે તે “ટેક્ષ ઈફેકટ” ગણાશે.  વળી, પેનલ્‍ટીના ઓર્ડરના કિસ્‍સામાં, જેટલી રકમ પેનલ્‍ટીની ઓછી કરી હોય અથવા તો રદ કરી હોય તેટલી રકમ “ટેક્ષ ઈફેકટ” ગણાશે.  ટૂંકમાં, ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા જયારે કમિશ્‍નર ઓફ ઈન્‍કમટેક્ષ (અપીલ્‍સ)ના ઓર્ડરની સામે એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ સમક્ષ અપીલનો વિષય હોય ત્‍યારે ઉપર મુજબ “ટેક્ષ ઈફેકટ”ની ગણતરી કરી જો તેની રકમ ઉપરની મર્યાદાથી વધે તો જ અપીલ ફાઈલ કરવાની રહેશે.

કેન્‍દ્ર સરકારના નાણાં મંત્રાલય ઘ્‍વારા લેવાયેલું આ પગલું કાનૂની દાવાઓ અને તેની પાછળ થતો ખર્ચ અને સમય ચોકકસપણે ઘટાડશે અને સામાન્‍ય કરદાતાઓ માટે ખૂબજ લાભદાયક નીવડશે, એ વાત ચોકકસ છે. અલબત્‍ત, ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા, દરેક કિસ્‍સાઓમાં વર્ષવાર અલગ અલગ અને જે તે કરદાતાઓ માટે અલગ અલગ નિર્દિષ્‍ટ સૂચના પ્રમાણે “ટેક્ષ ઈફેકટ” ગણીને જો ઉપર મુજબ નાણાંકીય મર્યાદાઓની ઉપર ન થતી હોય તો અપીલ ફાઈલ કરી શકાશે નહી. પરીણામે કરદાતાઓ આવા કિસ્‍સાઓમાં કાનૂની દાવાઓના માનસિક બોજ, કાનૂની ખર્ચાઓ અને પોતાના કિંમતી સમય બચાવી છુટકારો મેળવી શકશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે આ સરકયૂલરમાં ખૂબજ સ્‍પષ્‍ટપણે સૂચિત કરેલ છે કે ફકત હવેથી દાખલ કરવાની થતી અપીલોના કિસ્‍સામાં જ આ નાણાંકીય મર્યાદા લાગુ પડશે, તે ઉપરાંત ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા અગાઉ જેટલી પણ અપીલો કે ક્રોસ ઓબ્જેકશન, રેફરન્સ એપેલેટ ટ્રિબ્‍યુનલ, હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ સમક્ષ આજની તારીખે પેન્‍ડીંગ છે, તે તમામ અપીલોને પાછી ખેંચવાની રહેશે. આમ, આજની તારીખે પણ ઈન્‍કમટેક્ષ ખાતા ઘ્‍વારા કરાયેલી અપીલો ટ્રિબ્‍યુનલો કે કોર્ટ સમક્ષ અનિર્ણાયક રીતે પડી હોય તો તેવી તમામ અપીલોને પણ ઉપરોકત સુધારેલી નાણાંકીય મર્યાદા લાગુ પડશે અને જો ઉપરોકત નાણાંકીય મર્યાદા સુધી દરેક અપીલની “ટેક્ષ ઈફેકટ” રહેતી હોય તો તેવી તમામ અપીલો હવે પરત ખેંચાઈ જશે અને કરદાતાઓ એમાંથી માનસિક અને આર્થિક રીતે રાહત મેળવી શકશે.  આમ, આ સરકયૂલર દેશના કરદાતાઓ માટે ખૂબજ લાભદાયક સાબિત થનાર છે અને તે માટે સરકારને અભિનંદન આપવા ઘટે.

 

Blog 01

નાણામંત્રીશ્રીએ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ભરવાના થતા નાણાંકીય વર્ષ 2017-18ના વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં થયેલા વિલંબ પર ફરજિયાતપણે લાદેલી પેનલ્ટીની જોગવાઇઓ પર પુનઃવિચારણા કરવી આવશ્યક

ધી ફાઇનાન્સ એક્ટ, 2017 દ્વારા આકારણી વર્ષ 2018-19 (નાણાંકીય વર્ષ 2017-18) ને લગતા ઇન્કમ ટેક્સના રિટર્ન્સ ભરવામાં જો મોડું થાય તો નવી કલમ 234 એફ હેઠળ હવેથી ફરજિયાતપણે પેનલ્ટી (લેટ ફી) વસુલ કરવામાં આવશે.

ઇન્કમ ટેક્સની કલમ 139(1) ની જોગવાઇઓ મુજબ, જે કરદાતાઓની આવક ઓડિટને પાત્ર નથી તેઓએ તા.31મી જુલાઇ સુધીમાં પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું રહે છે. સામાન્યતઃ આ જોગવાઇ પગારદાર, નિવૃત્ત પેન્શનરો, નાના ધંધાદારીઓ તેમજ સ્ત્રી વર્ગના કરદાતાઓને લાગૂ પડે છે. નોંધપાત્ર બાબત એ છે કે ટી.ડી.એસ.ના રિટર્ન ભરવાની આખરી અવધિ તા.31મી મે છે અને ટીડીએસના સર્ટિફિકેટ્સ આપવાની આખરી તા.15મી જુન છે, તે ઉપરાંત એડવાન્સ્ડ ટેક્સના પ્રથમ હપ્તાની તારીખ પણ 15મી જુન છે. વળી, નાના ધંધાદારી કરદાતાઓએ ઇન્કમટેક્સ અને ટીડીએસ ઉપરાંત પ્રોફેશનલ ટેક્સ, પ્રોવિડન્ટ ફંડ, ઇ.એસ.આઇ. વગેરે જેવા અન્ય કાયદાઓની જોગવાઇઓનું પણ સમયસર પાલન કરવાનું ભારણ ઉઠાવવું પડે છે. વળી,  જે કરદાતાની આવક ઓડિટને પાત્ર છે તેઓએ તેઓનું ઇન્કમટેક્સ રિટર્ન તા.30મી સપ્ટેમ્બર સુધીમાં ભરવાનું રહે છે, પરંતુ, તેઓને પણ અન્ય કાયદાની તમામ જોગવાઇઓનું પાલન પણ સમયસર કરવાનું  પણ હોય છે.

જ્યારે કેન્દ્ર સરકાર, દરેક કરદાતા પોતાનું ઇન્કમટેક્સનું રિટર્ન નિયત સમયમર્યાદામાં ભરી દે એવું ઇચ્છે છે, એ સારી વાત છે પરંતુ, સાથોસાથ કેન્દ્ર સરકારના નેજા હેઠળનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સમયસર ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મનું જાહેરનામું જારી કરતી નથી. જો, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ન્યુ દિલ્હીએ ઇન્કમટેક્સના ફોર્મ આઇટીઆર-1થી આઇટીઆર-7 તેની વેબસાઇટ પર મુકેલા નવા રિટર્ન ફોર્મમાં મે ની 15 તારીખ પછી 29 જુન સુધી તેમાં સુધારો કરતી રહી છે અને તેથી કરદાતાઓ પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જો નાણાં મંત્રાલય પોતે જ ઇન્કમટેક્સના ફોર્મ સમયસર જારી નહીં કરી શકતું હોય અને પરીણામે જો કરદાતાને રિટર્ન ભરવામાં મોડું થાય તો તેના પર ફરજિયાતપણે લાદેલી દંડનીય લેટ ફી કેટલે અંશે વ્યાજબી ગણાય

જો કલમ 234 એફ ને ચકાસીએ તો જે કરદાતાની વાર્ષિક કરપાત્ર આવક રૂ.5,00,000થી વધુ ના હોય તેને રૂ.1000 ફરજિયાત લેટ ફી ભરવી પડે. પરંતુ જો કરદાતાની વાર્ષિક કરપાત્ર આવક રૂ.5,00,000થી વધુ હોય અને તે તા.31મી ડિસેમ્બર પહેલા પોતાનું રિટર્ન ભરી દે તો આવી દંડનીય લેટ ફી રૂ.5,000 અને જો ત્યાર પછી ભરશે તો તેવા કિસ્સામાં આવી દંડનીય લેટ ફી રૂ.10,000 ફરજિયાત વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જો કોઇપણ કરદાતા પોતાનું રિટર્ન કલમ 139 (1) હેઠળની સમય મર્યાદામાં (એટલે કે તા.31મી જુલાઇ અથવા તા.30મી સપ્ટેમ્બર જે લાગુ પડતી હોય તે ) ન ભરે તો જેટલા મહિના મોડું થયુ હોય તેટલા મહિનાનું દંડનીય વ્યાજ તો ભરે જ છે. તો પછી તેના પર વધારાનું દંડનીય લેટ ફી નું ભારણ કેટલે અંશે વ્યાજબી ગણાય? અને તે પણ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સના નિયત ફોર્મને આખરી ઓફ આપવામાં અને તેને જાહેર કરવામાં વિલંબ થતો હોય ત્યારે શું સરકાર દેશના સુજ્ઞ નાગરિકો પાસે દંડનીય લેટ ફી યોગ્ય ગણાય?

આદરણિય નાણાંમંત્રીશ્રી ને આ બાબત ધ્યાન પર લાવી નમ્ર વિનંતી કરીએ છીએ કે નવી દાખલ કરેલી કલ 234 એફ દ્વારા ફરજિયાત દંડનીય લેટ ફી ની જોગવાઇઓમાં સાનૂકુળ સુધારો કરી નાના કરદાતાઓ તેમજ પગારદાર અને પેન્શનરો ને રાહત મળે તેવા કોઇ તાકીદે સુધારાત્મક પગલાં લે.

 

July 12, 2018
collector_mamlatdar.jpg
1min11400

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત કલેક્ટર તરીકે સનદી અધિકારી મહેન્દ્ર પટેલના અનુગામી તરીકે આવેલા ડો.ધવલ પટેલની હાક-ધાકનો પરીચય કર્મચારીઓથી લઇને  મુલાકાતીઓને થઇ ચૂક્યો છે, પણ ડો. ધવલ પટેલ સારી કામગીરીની પણ ભરપૂર પ્રશંસા કરે છે એનો પરિચય તેમણે મહુવા મામલતદાર શ્રીમતી બી.આર. રાણા અને તેમની ટીમ દ્વારા કરાયેલી કામગીરી અંગે કરેલા ટ્વીટ પરથી થાય છે.

કલેક્ટરે ટ્વીટ માં જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં મહુવા મામલતદાર કચેરીની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમની માન્યતા અને અપેક્ષાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી તેનું સુખદ આશ્ચર્ય છે.

કલેક્ટરના આ ટ્વીટની ખાસ્સી ચર્ચા કલેક્ટરેટની જુદી જુદી કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં જોવા મળે છે. કલેક્ટરનો આ અભિગમ કર્મચારીઓનો જુસ્સો વધારનારો છે. તેમણે મહુવા મામલતદાર શ્રીમતી બી.આર. રાણાની આ કામગીરીનો તેમને તેમની સર્વિસમાં પણ લાભ મળે રીતની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

મહુવા મામલતદાર કચેરીની સરપ્રાઇસ મુલાકાત બાદ કલેક્ટર-સુરત ડો.ધવલ પટેલએ કચેરીમાં જે કામગીરી જોઇ-જાણી-નિહાળી અને બાદમાં તેને બિરદાવી એ અભિગમ તેમના તાબા હેઠળની કચેરીના સ્ટાફ માટે દાખલો બેસાડે તેવી ઘટનાથી કમ નથી. જ્યારે કોઇ આઇ.એ.એસ. અધિકારી તેમના સ્ટાફને મોટીવેટ કરવા માટે આ પ્રકારે દાખલો બેસાડે એ અન્ય સનદી અધિકારી માટે પણ પ્રેરણાયાદી થઇ પડશે.

July 12, 2018
pilot-1.jpg
1min7090

ભારતીય વિમાની કંપનીઓ આગામી વર્ષોમાં સેંકડો વિમાનની ડિલિવરી લેવાની છે ત્યારે તેમને મોટાપાયા પર પાઇલટ્સની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરેવેઝ, ગોએર, વિસ્તારા અને એરએશિયા જેવી એરલાઇન્સ માર્ચ 2019 સુધીમાં લગભગ 100 પ્લેનની સંયુક્ત ડિલિવરી મેળવશે, તેમ એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇન્સને એક જ વર્ષની અંદરના સમયગાળામાં 800થી 1000 પાઇલટ તથા તેનાથી અડધી સંખ્યામાં ફર્સ્ટ ઓફિસર્સ અને કમાન્ડર્સની જરૂર પડશે. હાલમાં ફર્સ્ટ ઓફિસર્સ વિપુલ પ્રમાણમાં છે. પરંતુ પ્લેનની ડિલિવરી મળશે ત્યારે સૌથી મોટી તકલીફ કમાન્ડરને લગતી છે.

ભારતીય એરલાઇન્સને આગામી એક વર્ષમાં 800થી વધુ કમાન્ડરની જરૂર પડશે, તેમ સિડની સ્થિત કન્સલ્ટન્ટ કાપા સેન્ટરના સાઉથ એશિયાના સીઇઓ કપિલ કૌલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે 30 ટકા કે 240 જેટલા પાઇલટની ઘટ પડશે તેમ લાગે છે. એરલાઇન ફર્સ્ટ ઓફિસર્સથી કેપ્ટનને તાલીમ આપી અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે અને ઘણી એરલાઇનને આગામી વર્ષોમાં તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કમાન્ડરની ભરતી કરવાની જરૂરિયાત લાગતી નથી.

તેના પરિણામે પાયલોટોએ વધુ કામ કરવું પડશે, તેમના કામકાજના કલાકો વધી જશે અને તેમને આરામનો ઓછો સમય મળસે. વિકસતા અર્થતંત્રમાં સતત વિકસતા મધ્યમ વર્ગ અને વધતી જતી વ્યક્તિગત આવકે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બનાવી દીધું છે. આગામી દાયકામાં ભારતીય વિમાની કંપનીઓ એક હજારથી વધારે પ્લેનની ડિલિવરી લેવાની છે ત્યારે આ જરૂરિયાત 8,000થી 10,000 પાઇલોટ્સની હશે.

એકબાજુ ઘરઆંગણે કમાન્ડરોની મર્યાદિત સંખ્યા અને સરકાર દ્વારા વિદેશી પાઇલટને લેવા સામેની અનિચ્છાના લીધે આ સ્થિતિ વધુ વણસી શકે છે, તેમ એરલાઇન એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇનો જે રીતે વૃદ્ધિ પામી છે તેની સામે સ્થાનિક સ્તરે વિકસેલા પાઇલોટ્સનો ખાસ પ્રવાહ નથી. તેને ધ્યાનમાં રાખતા  વિદેશી પાઇલોટ્સ પર જ આધાર રાખવો પડશે. અમલદારશાહી અને આકરી નિયમનકારી નીતિના લીધે વિદેશી પાઇલટ લાવવા મુશ્કેલ પડી શકે છે. રેગ્યુલેટરી મંજૂરીમાં 40થી 60 દિવસ લાગી જાય છે. બીજા દેશો કરતાં ભારતમાં રેગ્યુલેટરી પ્રક્રિયા વધારે આકરી છે. ડીજીસીએ ભારતીય હવાઈદળના પાઇલોટ માટે જે મેડિકલ ધોરણો હોય તેવા ધોરણોની અપેક્ષા કોમર્સિયલ પાયલોટ પાસે પણ રાખે છે.

યાદ રાખો, ભારતીય કંપનીઓને અમેરિકન કે યુરોપીયન પાઇલોટ પોસાઇ શકે તેમ નથી. તેઓ મુખ્યત્વે રશિયા, યુક્રેન કે મેક્સિકોના પાયલોટ્સની ભરતી કરે છે. તેઓને સરેરાશ ભારતીય કમાન્ડરને ચૂકવાતા વેતન કરતાં 30થી 35 ટકા વધારે માસિક બેઝિક પગાર ચૂકવવો પડે છે. ભારતીય પાયલોટને મહિને ₹6,50,000 પગાર મળે છે જ્યારે વિદેશી પાયલોટને ₹8,84,000 (13,000 ડોલર) ચૂકવવા પડે છે.