CIA ALERT

Blog - Page 630 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 3, 2018
onlinedogs.png
1min6400

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ઓનલાઇન શોપિંગમાં કેવા કેવા ફ્રોડ થાય છે, રોજેરોજ ઓનલાઇન ક્રાઇમ બહાર આવે છે અને આપણને સૌને નવી નવી બાબતો જાણવા મળે છે. રાજકોટમાં એક પરિવાર સાથે કૂતરાના બચ્ચાની ઓનલાઇન શોપિંગમાં રૂ.60 હજારનો ફ્રોડ થયો હોવાની ફરીયાદ રાજકોટના પ્રધુમનનગર પોલીસ મથકમાં નોંધાયો છે.

(આવા કૂતરાંની ઓનલાઇન ખરીદી કરવામાં આવી હતી.)

રાજકોટમાં રહેતા એક આર્કિટેક્ટ પરિવારની દિકરીએ થોડા દિવસો અગાઉ મુંબઇમાં ડોંબીવલી ખાતે આવેલા મિડો ગ્રીન બંગલોમાં રહેતા શેલ્ડન વાઝ નામની વ્યક્તિએ તેણે વેબસાઇટ પર Maltese નામના કૂતરાની ખરીદીની જાહેરાત બાદ સંપર્ક કર્યો હતો. શેલ્ડન વાઝે તેની પાસેનો Maltese ડોગ રૂ.60 હજારમાં વેચવાની વાત કરી હતી. જેના અનુસંધાને રાજકોટના આર્કિટેક્ટ વિપુલ સંઘવીની દિકરી શ્રેયાએ રૂ.60 હજારની રકમ નેફ્ટ મારફતે મુંબઇના શેલ્ડન વાઝ નામની વ્યકિતના ખાતામાં જુલાઇ 2018માં ટ્રાન્સફર કરી દીધા હતા.

રકમ ટ્રાન્સફર કર્યા પછીના એક અઠવાડીયામાં શેલ્ડન વાઝએ મેઇલ પણ કર્યો હતો કે 10 દિવસમાં કુતરો તેમના સુધી પહોંચાડી દેવામાં આવશે. આમ છતાં દિવસો સુધી ઓર્ડર કરાયેલા કૂતરાની ડિલિવરી રાજકોટ ખાતે નહીં થતાં ફરીથી સંઘવી પરિવારે શેલ્ડન વાઝનો સંપર્ક કર્યો હતો. એથી વિશેષ શેલ્ડન વાઝએ સંઘવી પરિવારના ફોન કોલ્સનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમિયાન વ્હોટ્સએપ પર શેલ્ડન વાઝ કૂતરાની ડિલિવરી અંગે ગલ્લાં તલ્લાં કર્યા કરતો હતો.

શેલ્ડન વાઝની પ્રવૃત્તિથી વાકેફ થઇ ચૂકેલા સંઘવી પરિવારે તેની પાસે રકમ પરત માંગતા શેલ્ડન વાઝે નાણાં આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે સંઘવી પરિવારે રાજકોટના પ્રધુમન નગર પોલીસ મથકમાં કૂતરાના ઓનલાઇન શોપિંગમાં ફ્રોડની ફરીયાદ નોંધાવી હતી.

October 3, 2018
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min12240

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી સૌથી વધુ બેઠકો મળે એવી ગણતરી સાથે કેન્દ્રીય ભાજપના નેતાઓ ગુજરાત પર મોટો દાવ રમી રહ્યા છે એવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપા પાસે જીત (જીતુ વાઘાણી) અને વિજય (વિજય રૂપાણી) બન્ને છે આમ છતાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ બન્ને ગુજરાતના આ જીત અને વિજયથી નાખુશ છે અને સંભવ એ પણ છે કે કોઇક મોટા નો ભોગ પણ લેવાય જાય.

વાત જાણે એમ બની કે

વડાપ્રધાન મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત આવ્યા હતા એ પછી તાબડતોડ ભાજપ સેન્ટ્રલ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. આ દરમિયાન ચર્ચા હતી કે પીએમ મોદીના કાર્યક્રમમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરી કેમ હતી, ખુરશીઓ, બેઠકો ખાલી હતી. ખુદ મોદીને આ વાત અપમાનજનક લાગી હતી. આ બાબતથીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ એ વાત જાહેર થઇ ગઇ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે સ્થાનિક નેતાઓનો ઉધડો લીધો અને આવું કેમ થયું તેની તપાસ શરૂ કરાવડાવી છે. એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ અમિત શાહને ધ્યાન દોરતા શાહે ભાજપના નેતાઓને યોગ્ય કાર્યવાહી માટે કડકાઈ સૂચના આપી છે એ જોતા આગામી દિવસોમાં એકાદ બે નેતાઓની જવાબદારી લઇને બીજા કોઇ નેતાને સુપરત કરવામાં આવે.

જાણકારોનું કહેવું છે કે ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ હવે આગામી દિવસોમાં ગુજરાત ભાજપામાં સંગઠન સ્તરે અને રાજ્ય સરકારમાં પરિવર્તનની વકી સ્પષ્ટ છે.

ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ પર નિર્ભર

નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલ્યા છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે પ્રજાનો વિશ્વાસ અને રોષ કેવો છે તે અંગેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે. ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.

નારાજગીનો સૂર તો પહેલેથી છે જ

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણી અને મંત્રીમંડળની કામગીરી સામે ભાજપના જ ધારાસભ્યોની નારાજગી વારતહેવારે સામે આવી ચૂકી છે. તો મંત્રીઓ વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી કામગીરી અટકતી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.  ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા અને શહેર પ્રમુખ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાથી સરકારની કામગીરી પ્રજા સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. આમ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનના અભાવ અને પ્રજા સાથે સંપર્ક કરવામાં ભાજપ ઉણો ઉતરતાં હાઈકમાન્ડે પણ તેની ગંભીર નોંધ લીધી છે.

October 3, 2018
logo-google-maps.jpg
1min12900

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ગઇ તા.21 સપ્ટેમ્બર 2018ના રોજ સુરતમાં

હજુ ગઇ તા.21મી સપ્ટેમ્બર 2018ના દિવસે જ ગુગલ મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુ સુરત આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં એટલી મોટી મોટી હાંકી હતી કે જાણે આખી દુનિયાને સરનામું બતાવવાનો ઠેકો તેમને મળ્યો હોય અને સૌથી લેટેસ્ટ રોડ રસ્તાની માહિતી ઉપરાંત ટ્રાફિક જામની પણ આગોતરી માહિતી જો કોઇ આપી શકે તો ગુગલ જ આપશે. આ ગુગલ્યા મેપના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષ બાબુએ આવી વાતો સુરત શહેર અને સુરત મહાનગરના લોકોને ઉદ્દેશીને કરી હતી. સૌથી લેટેસ્ટ માહિતી અને અપડેટ સાથે ગુગલ મેપ સુરતીઓની સેવા કરશે એવું તેમનું કહેવું હતું.

ગઇકાલ તા.2 ઓક્ટોબર 2018ના રોજ સુરતમાં

પણ હવે જુઓ આ ગુગલ્યા બાબાને ખબર જ નથી પડી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે. એક દિવસમાં એ બ્રિજ પરથી 3 લાખથી વધુ વાહનો પસાર થઇ ચૂક્યા છે અને અંદાજે 7 લાખ લોકો આ બ્રિજ પરની પ્રત્યક્ષ મુલાકાત લઇ ચૂક્યા છે. આ એક વિશ્વ વિક્રમ હશે, ભલે સુરત મહાનગરપાલિકાએ આ બાબતને નજર અંદાજ કરી હોય. પણ વિશ્વમાં સૌથી લેટેસ્ટ અને સૌથી અપડેટેડ સાઇટ હોવાનો દાવો કરતા આ  ગુગલ બાબાને હજુ સુધી માહિતી મળી નથી કે સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયો છે અને શરૂ પણ થઇ ગયો છે.

આજે તા.3 ઓક્ટોબર 2018ના રોજ સુરતમાં

આજે સવારે એક મિત્ર બહારગામથી સુરત આવ્યા હતા અને તેમને વાયા કેબલ સ્ટેઇડ બ્રિજ અડાજણ આવવા માટે મેં ટેલિફોનિક જાણ કરી. એ મિત્રએ ગુગલ મેપમાં કેબલ સ્ટેઇડ બ્રિજ સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે હજુ ગુગલ બાબા જુની પૂરાણી માહિતી જ આપી રહ્યા છે. જુઓ ગુગલ મેપ પર  કેબલ સ્ટેઇડ બ્રિજ, સુરતના કેવા રસ્તા મળે છે.

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ પર આજે સવારે લેવાયેલા સ્ક્રીન શોટની કોપી

ગુગલ મેપ્સના પ્રોગ્રામ મેનેજર આનલ ઘોષે સુરતમાં કંઇક આવું કહ્યું હતું.

Google showcased the latest features available in Google Maps that can help people get around more easily. Two-wheeler mode, Public Transport with real-time bus information, Plus codes, Maps Go, local languages on Maps, Exploring local places, real-time location sharing, Multi-stop directions, Real-time traffic (including traffic alerts) and Local Guides — all offerings that make getting around in Surat quicker and more conveniently.

આપણે યુઝર્સે નક્કી કરવાનું કે ગુગલ મેપ્સના મેનેજરો કે ગુગલ પોતે ભલેને કહ્યા કરે અમે સૌથી વધુ અપડેટેડ છીએ પણ જો ગુગલના રવાડે ચઢી જઇશું તો કેબલ સ્ટેઇડ બ્રિજની જગ્યાએ નદીમાં વાહન ચલાવવાનો વારે આવશે.

ગુગલ ભલેને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને એકાદ મહિના પછી મેપ પર અપડેટ કરે આપણે આમાંથી બોધપાઠ એ લેવાનો કે ગુગલ્યા જેવી એપ્લિકેશન્સ ફક્ત આપણી માહિતીઓ એકત્રિત કરીને વેચવાના ધંધામાં છે, તેમના પર નિર્ભર રહેવું ન જોઇએ.

October 2, 2018
gst.jpg
1min4580

જીએસટી સંગ્રહ સપ્ટેમ્બરમાં થોડો વધીને રૂા.94442 કરોડ રૂપિયા પહોંચ્યો છે. આ ઓગસ્ટ 2018 મહિનામાં આ આવક રૂ.93690 કરોડ રૂપિયા થઇ હતી.

  • સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ કરવામાં આવ્યાં હતાં. સરકારી આંકડા અનુસાર કુલ જીએસટી સંગ્રહમાંથી કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) 15,318 કરોડ રૂપિયા, રાજ્યનો જીએસટી (એસજીએસટી) 21,061 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 50,070 કરોડ રૂપિયા જેમાં આયાતથી 25308 કરોડ રૂપિયાના સંગ્રહનો સમાવેશ છે અને સેસના 7993 કરોડ રૂપિયા રહ્યા છે. સેસમાં 769 કરોડ રૂપિયા આયાત પર કરવામાં આવેલો સંગ્રહ સામેલ છે.

 

October 2, 2018
HARDIK_kalsaria.jpg
1min6020
  • ખેડૂતોને દેવા માફી
  • પાટીદારોને અનામત
  • રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ

HARDIK

19 દિવસના ઉપવાસ પછી બેંગાલુરુમાં નેચરોપથીની સારવાર દીધા બાદ ફરી એકવાર પાસ કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં આવી ચૂક્યા છે. હાર્દિક પટેલે તા.2જી ઓક્ટોબર 2018ને ગાંધી જયંતીથી ફરી એકવાર ઉપવાસની શરૂઆત કરી છે. મોરબીના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત અને રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ સાથે હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.

HARDIK1

હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. તો હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા. ઉપવાસ શરૂ કરવાની સાથે હાર્દિક પટેલે કહ્યું,’મે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમને રાજ્યના દરેક તાલુકાઓ સુધી લઈ જવામાં આવશે.’

October 2, 2018
farmer.jpg
1min12640

મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.

ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી. ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલ માંગણીઓ: 
  • -ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવાની માંગ
  • – ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’માં કેટલાક ફેરફાર કરવાની માંગ 
  • – શેરડીની કિંમતોની ચૂકવણી ઝડપથી કરવા અંગેની માંગ
  • – ખેડૂતોનાં દેવા માફ કરી દેવાની માંગ
  • – ખેતી કરવા માટે ખેડૂતોને વીજળી મફતમાં આપવાની માંગ 
  • – ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ પર વ્યાજ મુક્ત લોન આપવાની માંગ 
  • – જંગલી પશુઓનાં ત્રાસથી ખેડૂતોનાં પાકને બચાવવા માટેની માંગ 
  • – દરેક પાકની ખરીદી કરવાની માંગ
  • – ‘કિસાન સ્વાભિમાન કમિટી’નો રિપોર્ટ લાગૂ કરવાની માંગ

એ પૂર્વે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત સમાચાર

  • 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો
  • ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
  • ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકાશે

દિલ્હીને અડીને આવેલા ગાઝીપુરમાં ખેડૂતો પોતાના આંદોલનને લઈ અડગ છે. કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. શેખાવતે ખેડૂતો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ ખેતીને મનરેગામાં સામેલ કરવા માટે 6 સીએમની એક પેનલ બનાવવાની જાહેરાત કરી છે.

શેખાવતનું કહેવું છે કે ખેડૂતોની મોટા ભાગની માગ માની લેવાઈ છે. ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. NGTએ પોતાના એક આદેસમાં ખેતી માટે 10 વર્ષથી જૂના ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદાનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તો શેખાવતના કહેવા મુજબ ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકવામાં આવશે.

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં યોગીએ કહ્યું, ‘છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહી છે. દેશની આઝાદી બાદ મોદી સરકાર સૌથી સંવેદનશીલ સરકાર છે.’

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત વિશે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું,’હકીકતમાં 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો. સરકારનું કહેવું છે કે આગામી બેઠકમાં તેનું સમાધાન શોધી શકાશે, કારણ કે આ મુદ્દા આર્થિક છે.’

તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકૈતે પણ કહ્યું,’સરકારની દાનત સાફ નથી. અમારી કોઈ પણ માગ પૂરી નથી થઈ. વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોની માગ મનાઈ છે, પણ આવું કશું નથી.’

ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો. જો કે યુપી દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી ખેડૂતોને રોકવાની કોશિશ કરી. પરંતુ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન પોલીસે વોટર કેનની મદદથી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો, તો ટિયર ગેસના સેલ પણ છોડાયા.

October 2, 2018
cable_1stday.jpg
1min26160

બ્રિજ ખુલ્લો મુકાતા જ જાણે સુરતીઓ ઉમટી પડ્યા, અઠવાથી અડાજણ આવવા માટે જાણે મોટરકારોનો કાફલો વેઇટિંગમાં હતો

આજે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે અડાજણ અને અઠવાલાઇન્સને જોડાતા કેબલ સ્ટેઇડ બ્રિજનો ખુલ્લો મૂકાયો અને લોકોની અવરજવર શરૂ કરી એની 5મી જ મિનીટે બ્રિજ પર એટલા વાહનો આવી ગયા કે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય જવા પામી હતી. ખાસ કરીને અઠવા લાઇન્સથી અડાજણ આવવા માટે હજારો મોટરકારો, ટુ વ્હીલર્સ જાણે વેઇટિંગમાં હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અઠવાથી અડાજણના ટ્રેક પર વાહનોના કતાર લાગી ગઇ અને એક પછી એક વાહનો ગોઠવાય ગયા હતા. એ સમયે ટ્રાફિકની ગતિ માંડ 10 કિ.મી. પ્રતિ કલાકની હતી. જે આપ આ તસ્વીરથી જોઇ શક્શો.

બ્રિજ ખુલ્લો મૂકાતા જ લોકો ઉમટી પડ્યા હતા. એમાં પણ આજે 2જી ઓક્ટોબર 2018 ગાંધીજયંતિની રજા હોવાથી લોકો મિત્રમંડળ કે પરિવારજનો સાથે બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા. કેબલ સ્ટેઇડ બ્રિજની રાઉન્ડ ટ્રીપ માટે નીકળેલા સુરતીઓએ બ્રિજના બન્ને છેડે અડાજણ સ્ટાર બજાર સામે અને અઠવાલાઇન્સ ખાતે યુ ટર્ન લેવામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જી દીધી હતી. ટ્રાફિક પોલીસે બન્ને પોઇન્ટ પર ટ્રાફિક સરળ બનાવવા માટે આકરાં તાપમાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

એવી જ રીતે અડાજણ છેડેથી કેબલ સ્ટેઇડ બ્રિજ પર જવા માટે એલ.પી. સવાણી રોડ પર છેક ચોર આમલા ઝાડ સુધી વાહનોની આ રીતે કતારો સર્જાય જવા પામી હતી.

Posted by Tejash Modi on Tuesday, 2 October 2018

સુરતના જાણીતા પત્રકાર તેજસભાઇ મોદીએ ટ્રાફિક જામનો વિડીયો આ પ્રકારે લીધો હતો.

તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સી.આઇ.એ. લાઇવ વેબસાઇટે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે આજે રિયાલિટીમાં જોઇ શકીએ છીએ

કાલે પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી 3 લાખ વાહનો પસાર થઇ જશે

 

એ પૂર્વે આ પ્રકારે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ અડાજણ અને અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ પરની તક્તીનું  અનાવરણ કર્યું હતું.

 

કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ રિબન કાપીને કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારે બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું હતું.

બ્રિજનું ઉદઘાટન કરવા માટે જઇ રહેલા મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે સ્થાનિક આગેવાનો દ્રશ્યમાન છે

October 2, 2018
operacoes.jpg
1min9510

ગુજરાતમાં ચાલુ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં પૂરતો વરસાદ વરસ્યો નથી તેમ જ હજુ પણ ખેડૂતોને નર્મદાનું પૂરતું સિંચાઇનું પાણી પણ આપવામાં આવતું નથી. બીજી બાજુ ખેતપેદાશોના ભાવ પણ તળિયે છે આવી અનેક સમસ્યાઆઓથી ઘેરાયેલા ખેડૂતોના માથે શિયાળુ સિઝનના જીરુ, ઘઉં, ઇસબગુલ, ચણા વરીયાળી અજમો સહિતના પાકોના વાવેતર પહેલા જ સરકારે આ પાકોમાં સૌથી વધારે વપરાતા રાસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ ભાવવધારો કર્યો છે.

  • ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 રૂપિયા
  • એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા
  • પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા

ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવો તો આપી શક્તી નથી, તેની સાથે ખેત ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓના પણ ભાવમાં વધારો કરી રહી છે. આમ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો યોજનો દૂર રહી પણ જગતનો તાત દિવસેને દિવસે દેવાંના ડુંગર તળે તો ચોક્કસ દબાઈ રહ્યો છે. સરકારી અને સહકારી ખાતર કંપનીઓએ એનપીકે ખાતરમાં પ્રતિ બેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા થઈ ગયો છે.

જ્યારે ડીએપી ખાતરમાં પ્રતિબેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 થયો છે. આ સાથે જ પોટાશ ખાતરની બેગમાં 230 રૂપિયાનો વધારો થતાં પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા થયો છે. ખેડૂતોને મદદની બાબતે સરકારે હાથ અધ્ધર કરી દીધા હોય તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલના ભાવ વધવાથી કદાચ વધારો થયો હોઇ શકે.

October 2, 2018
gir_lion.jpg
1min5360
ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વનવિભાગ હેઠળના દલખાણિયા રેન્જના સરસીયા વીડીના સમરડી વિસ્તારમાં વસતા ર૧ ગીર કેસરીની ડણક કાયમ માટે શાંત બની ગયાની વનતંત્રએ સોમવારે નફ્ફટ કબૂલાત આપી હતી. ૧૯ સપ્ટેમ્બર 2018 થી ૧ ઓકટોબર 2018 એટલે કે ૧ર દિવસમાં ર૧ સિંહોના રામ રમી ગયા છે. ગીર જંગલના ઇતિહાસમાં ટૂંકાગાળામાં ર૧ સાવજોનું ગ્રુપ આખે આખું ઇન્ફેકશન અને ઇનફાઇટમાં મોતના મુખમાં ધકેલાઇ ગયાનો વનવિભાગે એકરાર કર્યો છે.
દલખાણિયા રેન્જ હેઠળના સરસીયા વીડી પાસેના સમરડી વિસ્તારમાં ટહેલતા ર૧ ડાલામથ્થાઓનું જૂથ ૧ર દિવસના ટૂંકાગાળામાં તરફડીને મોતને ભેટયા હતા. વનવિભાગે ર૦ સપ્ટેમ્બરે ૧૧ સિંહોના મોત થયાનું જાહેર કર્યુ હતું.
ત્યારબાદ આ ગ્રુપના અન્ય સિંહોને સારવાર માટે જશાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરિમયાન 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં ૧૬ સાવજોની ગર્જના કાયમી માટે શાંત બની ગઇ હતી. દરમિયાન તા.30મી સપ્ટેમ્બર 2018ના રોજ વનવિભાગે ૧૯ સપ્ટેમ્બરથી થી ૧ ઓકટોબર દરમિયાન ર૧ સિંહોના મોત થયાનું નફ્ફટ કબૂલાત કરી હતી. તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સિંહ-સિંહણ અને સિંહ બાળ મળી ર૧ના મોત થયાની જાહેરાત કરી હતી.
બીજી બાજુ જશાધાર રેન્જમાં સારવાર હેઠળ રહેલા અને મોતને ભેટેલા ૪ ડાલામથ્થાના મૃતદેહમાંથી વાયરસ મળી આવ્યા હતા. જેની ચકાસણી માટે એફએસએલમાં મોકલાયા છે. દલખાણિયા વિસ્તારના ટહેલતા ૭ સિંહોના સમરડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ૧૪ સિંહના જશાધાર રેન્જમાં સારવાર દરમિયાન મોત થયાનું સોમવારે વનવિભાગે સ્વીકાર્યુ હતું.
October 1, 2018
tgb.jpg
1min10650

સુરત.  સુરતની સ્વાદ પ્રિય જનતા વિવિધ દેશોની ખાણી-પીણી નો ઘરગણે જ જયાફત માણી શકે તે માટે ડૂમ્મસ રોડની ટીજીબી હોટલ સતત અવનવા ફૂડફેસ્ટીવલનું આયોજન કરતી રહે છે. ટીજીબીની જીબારે સ્ટોરન્ટ ખાતે પેન એશિયન ફૂડ ફેસ્ટીવલનો આરંભ થયો છે. જેમાં એશિયાના વિભિન્ન દેશોનીઅલગ-અલગ 22 જેટલી વાનગીઓનો સ્વાદ માણી શકાશે.

ટીજીબીના પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે પેન એશિયન ફૂડ ફેસ્ટીવલનો આજથી આરંભ થયો છે જે આગામી એક સપ્તાહ સુધી ચાલશે. ફેસ્ટીવલમાં જાપાનીઝ, ઇન્ડોનેશિયન, મલેશિયા, થાઇલેન્ડ, બર્મા, વિએતનામ સહીતના એશિયન દેશોની વિખ્યાત વાનગીઓ  અને સ્ટ્રીટફૂડની 22 જેટલી ડિશેસ પીરસવા આવી રહી છે. એટલું જ નહિ પણ આગંતુકોને જે તે દેશના માહોલની અનુભૂતિ થાય તે માટે રેસ્ટોરન્ટને પણ અલગ-અલગ થીમ મુજબ સજાવવામાં આવી છે.

એશિયાના વિવિધદેશોના વ્યંજનોની જયાફત માણવા સુરતીઓને અવસર