CIA ALERT

Blog - Page 577 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 1, 2019
Union-Budget.png
2min21160

કાર્યકારી નાણાં મંત્રી પિયુષ ગોયલે દેશના ત્રણ કરોડ જેટલા પગારદારો, નાના અને મધ્યમકદના વ્યાપારીઓને સીધો લાભ થાય તેવી કરેલી જોગવાઇ અનુસાર હાલની રૂ.2.5 લાખની આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી. આવકવેરા મુક્તિમાં પિયુષ ગોયલે સીધો બમણો વધારો કર્યો હતો. 5 લાખની આવક ટેક્સ ફ્રી થવા ઉપરાંત અન્ય દોઢ લાખ રૂપિયા સુધીનું ચોક્કસ રોકાણ કરવામાં આવશે તો રૂ.6.5 લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગશે.

અગાઉ 2.5 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લાગતો નહતો. હવે રૂ.1.5 લાખ સુધી વિવિધ ટેક્સ સેવિંગ રોકાણ કરવાથી 6.5 લાખ સુધીની ગ્રોસ આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો પડશે નહીં જે ખુશીની વાત છે.

20 ટકાનો ટેક્સ સ્લેબ

જો તમારી આવક 5 લાખથી 10 લાખની વચ્ચે હતી તો તમારે 20 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અને 4 ટકા સેસ તો ખરો જ

30 ટકાનો ટેક્સ સ્લેબ

પાછલા બજેટ પ્રમાણે જો તમારી આવક 10 લાખથી 50 લાખ વચ્ચે હોય તો તમારે 30 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. અહી પણ 4 ટકા સેસ ચૂકવવો પડે છે.

આ ઉપરાંત બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા વર્તમાન રૂ.40,000 વધારીને રૂ.50,000 કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આવક વેરા મુક્તિ મર્યાદા વધારતા તેનો લાભ ત્રણ કરોડ કરદાતાઓને મળશે તેમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રને આનાથી 18,500 કરોડનું નુકસાન થશે. દરમિયાન બેન્ક તેમજ પોસ્ટમાં મૂકેલા નાણાંના વ્યાજ પર ટીડીએસ લિમિટ રૂ. 10,000થી વધારીને રૂ. 40,000 કરાઈ હતી.

  • સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂ. 40,000થી વધારીને રૂ.50,000 કરાઈ
  • પ્રતિ વર્ષ 2.4 લાખના મકાન ભાડા પર કોઈ TDS લાગશે નહીં
  • પોસ્ટ અને બેન્ક ડિપોઝિટ પર TDS મર્યાદા રૂ.10,000થી વધારીને રૂ.40,000 કરાઈ
  • 5 લાખ સુધીની વ્યક્તિગત આવક ધરાવતા પગારદાર પર કોઈ જ ટેક્સ નહીં
  • 1.5 લાખ સુધીના રોકાણ પર 6.5 લાખ સુધીની આવક ધરાવતા પગારદારને કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે
  • 3 કરોડ લોકોને આનાથી લાભ થશે, 18,500 કરોડનું સરકારને નુકસાન થશે
  • નાણાં મંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું
  • મધ્યમ વર્ગ, ખેડૂતો અને નાના ઉદ્યોગોને લુભાવવા લોકપ્રિય પગલાંની ભરમાર
  • સરકાર પ્રધાનમંત્રી સમ્માન નીધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 6,000 રૂપિયાનો સીધો લાફ બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કરાશે. આ રકમ (રૂ. 2,000 હજાર) ત્રણ ભાગમાં આપવામાં આવશે. ડિસેમ્બર 2018થી આ યોજના લાગુ કરાશે. અંદાજીત ખર્ચ 75,000 કરોડ થશે જે સરકાર ભોગવશે.
  • પ્રધાન મંત્રી સમ્માન નીધિ યોજનાનો લાભ દેશના 12 કરોડ ખેડૂતોને મળશે
  • કુદરતી સંકટમાં નાશ થયેલા પાક બદલ ક્રોપ લોનને રીશીડ્યૂલ કરવાને બદલે ખેડૂતને 2 ટકા વ્યાજ માફી અને સમયસર લોન ભરપાઈ કરે તો વધુ 3 ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત
  • ચાલુ ખાતાની ખાધ ચાલુ વર્ષે જીડીપીના 2.5 ટકા રહી શકે, ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.4 ટકા રહેવાની વકી
  • આ દેશના સંશાધનો પર ગરીબોનો સૌપ્રથમ હક રહેલો છે
  • MNREGA હેઠળ 2019-20માં 60,000 કરોડ ફાળવાશે
  • પ્રધાન મંત્રી શ્રમયોગી માનધન નામ હેઠળ પેન્શન સ્કીમની જાહેરાત જેમાં અસંગઠીત ક્ષેત્રના કર્મીઓને 60 વર્ષની ઉંમર બાદ મહિને 3,000 રૂપિયા મળશે. 100 રૂપિયા પ્રતિ માસનું યોગદાન આપવાનું રહેશે.
  • ગરીબો, જમીન વિહોણા ખેડૂતોને યોગ્ય આવકની મદદની જરૂર છે
  • વિચરતી જાતિના લોકોના ઉત્થાન માટે સરકાર વિશેષ રણનીતિ અમલમાં લાવશે: ગોયલ
  • 22 નક્કી કરાયેલા પાક ઉપર MSP ઉત્પાદન ખર્ચ કરતા 50 ટકા વધુ
  • જન ઔષધી સ્ટોર્સમાંથી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવાશે
  • 21 AIIMS દેશમાં કાર્યરત છે જે પૈકી 2014થી અત્યાર સુધીમાં 14 AIIMSને મોદી સરકારે મંજૂરી આપી. વધુ એક AIIMS હરિયાણામાં સ્થપાશે
  • 10 લાખ દર્દીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મળી. દેશની સૌથી વિશાળ સ્વાસ્થ્ય યોજના છે
  • LED બલ્બના ઉપયોગથી 50,000 કરોડ સુધીની વીજ બિલમાં બચત થઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2014-18માં 1.53 કરોડ મકાનોનું બાંધકામ કરાયું
  • ગાયોના જતન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની બજેટમાં જાહેરાત 
  • મધ્યમ અને ગરીબ ઘરોને 143 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા
  • 2014માં 2.5 કરોડ ઘરો વીજ જોડાણ વિહોણા હતા. અમે તમામ ઘરોને વીજ જોડાણ પૂરા પાડ્યા
  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ નિર્માણમાં ત્રણ ગણો વધારો
  • ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ LPG જોડાણ ફાળવાયા જે પૈકી 6 કરોડ જોડાણો ગરીબ મહિલાઓને પૂરા પાડવામાં આવ્યા
  • મુદ્રા યોજનામાં 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે
  • ગ્રેચ્યુઈટી મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરાઈ
  • પશુપાલન અને મત્સ્ય ઉગ્યોગને સમર્થન આપવા કેન્દ્રે 750 કરોડ ફાળવ્યા 
  • પશુપાલન અને માછીમારી કરતા ખેડૂતોને 2 ટકાનું વ્યાજ વળતર
  • તમામ આવકવેરા રિટર્નને 24 કલાકમાં પ્રોસેસ કરી તેનું રીફંડ પણ ચૂકવી દેવાશે: FM
  • GSTની સરેરાશ આવક 97,100 કરોડ પ્રતિ માસ
  • ચાલુ વર્ષે વેરા વસૂલાત વધીને રૂ. 12 લાખ કરોડ થઈ, 6.85 કરોડ રિટર્ન ફાઈલ થયા 
  • ત્રણ વર્ષમાં કેન્દ્રે OROP હેઠળ 35,000 કરોડ ફાળવ્યા
  • 2019-20માં સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં 3 લાખ કરોડથી પણ વધુની જોગવાઈ, વધુ જરૂર પડે તો પણ જોગવાઈ કરાશે: ગોયલ
  • સાગરમાલા યોજનાથી ગાડીઓની આયાત-નિકાસ ઝડપી બનાવી શકાશે
  • નવ પ્રાથમિક ક્ષેત્રની ઓળખ કરાઈ, નેશનલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પોર્ટલ તૈયાર કરાશે  
  • ભારતીય રેલવેનું આ વર્ષ  ઐતિહાસિક રીતે સલામત વર્ષ રહ્યું 
  • રેલવે માટે બજેટમાં 1.58 લાખ કરોડ ફાળવાયા
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઝડપ, સલામતી અને સુરક્ષા પુરી પાડશે તેમજ મેક ઈન ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ
  • સ્થાનિક સ્તરે ઓઈલ અને ગેસનું ઉત્પાદન વધારવાની તાતિ જરૂરિયાત છે જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાય
  • 99.54 ટકા રિટર્ન કોઈપણ સ્ક્રુટિની વગર સ્વીકારાયા
  • આગામી વર્ષે રેલવેનો નાણાં ખર્ચ 1.58 લાખ કરોડ રહેવાની સંભાવના
  • આગામી બે વર્ષમાં આવકવેરા રિટર્નની સ્ક્રુટિની પણ સંપૂર્ણ ઈલેક્ટ્રોનિકલી કરાશે
  • કરદાતાઓને લાભ થાય તે માટે પ્રત્યક્ષ વેરા માળખાનું સરળીકરણ કરાશે
  • સરકાર આગામી પાંચ વર્ષમાં 1 લાખ ગામડાને ડિજિટલ બનાવશે
  • GSTની આવક 97,100 કરોડ પ્રતિ માસ જે અગાઉના વર્ષે 89,7૦૦ કરોડ હતી
  • 42 અસંગઠીત ક્ષેત્ર માટે પેન્શન યોજનાની જાહેરાત જેમાં કર્મચારીને 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ બાદ લઘુત્તમ રૂ. 3,000નું પેન્શન મળશે

ઇન્ટરિમ બજેટ 2019માં નાણામંત્રી પીયૂષ ગોયલે ઘણી મોટી જાહેરાતો કરી. કેન્દ્ર સરકારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશમાં 12 કરોજ ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે 6000 રૂપિયા પ્રતિ વર્ષ બેંકખાતામાં આપવાનું એલાન કર્યું. તે સાથે જ અસંગઠિક ક્ષેત્રમાં શ્રમિકોને મદદ પહોંચાડવા માટે સરકારે પેન્શન યોજનાની જાહેરાત કરી જે હેઠળ 3000 રૂપિયા પ્રતિમાસનું પેન્શન આપવાની જોગવાઈ છે.

 

January 31, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9150

અમેરિકન ગૃહવિભાગે એક સ્ટિંગ ઓપરેશન પછી 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. 8 રિક્રૂટર્સને પણ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 600 અન્ય વિદ્યાર્થીઓ વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ પર ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકામાં માન્ય દસ્તાવેજો વિના રહેતા લોકોને પકડવા માટે ગૃહવિભાગે એક ફેક યુનિવર્સિટી બનાવી હતી. તેના દ્વારા પહેલા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી અને પછી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા. અમેરિકા ટુંક સમયમાં આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી શકે છે.

વિદ્યાર્થીઓને અટકાયતમાં લેવાની વાત સૌથી પહેલા અમેરિકન તેલુગુ એસોસિયેશન(એટીએ) તરફથી આવી. આ ઉત્તરી અમેરિકામાં તેલુગુ મૂળના લોકોનું સંગઠન છે. એટીએએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે તેમની સામે આ મામલો અટકાયતમાં લેવામાં આવેલા વિદ્યાર્થીઓના અંગતજનો અને સંબંધીઓ દ્વારા આવ્યો.

અમેરિકન કસ્ટમ એજન્ટ્સે ઇમિગ્રેશન ફ્રોડને પકડનારા ઓપરેશનને ‘પેપરચેઝ’ નામ આપ્યું. યુનિવર્સિટીમાં 2017 પછીથી ગૃહવિભાગના અંડરકવર અધિકારીઓને રાખવામાં આવ્યા હતા, જે આરોપીઓની ઓળખ કરવામાં લાગ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત ભારતીય મૂળના આઠ એજ્યુકેશનલ કન્સલ્ટિંગ એજન્ટ્સને પણ કસ્ટમ ડિપાર્ટમેન્ટે કસ્ટડીમાં રાખ્યા છે.

ફેસબુક પર એટીએની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015ની શરૂઆતમાં આ યુનિવર્સિટીને અંડરકવર ઓપરેશન હેઠળ શરૂ કર્યું હતું. તેનો ઉદ્દેશ ઇમિગ્રેશન ફ્રોડ સાથે જોડાયેલા લોકોને પકડવાનો હતો. એટીએનું કહેવું છે કે વિદ્યાર્થીઓ તરફથી મદદની અપીલ પછી સંગઠને અલગ-અલગ શહેરોમાં હાજર પોતાની ટીમોને કામ પર લગાવી દીધી છે. એટીએની લીગલ ટીમ ભારતીય વિદ્યાર્થીઓના સંગઠન સાથે વાતચીત કરી રહી છે. એટીએના કેટલાક સભ્યોએ આ મામલે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શિંગલા સાથે પણ મુલાકાત કરી અને આ મામલા પર સંપૂર્ણ જાણકારી આપી.

January 31, 2019
government_gujarat.jpg
1min11480

ચૂંટણી અને બજેટ પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કર્મચારીઓના ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે પહેલી ફેબ્રુઆરીથી અમલી બનશે.

રાજ્ય સરકારે કરેલી આ જાહેરાતનો લાભ 9 કરોડ 61 લાખ કર્મચારીઓને મળશે, જો કે આ જાહેરાતના કારણે સરકાર પર વાર્ષિક 771 કરોડનો વધારાનો બોજ પડશે.

સરકારના આ નિર્ણયનો લાભ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને મળશે. આ પહેલા કર્મચારીઓને 7 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું જે હવે 9 ટકા થયું છે. આ નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના નિવૃત કર્મચારીઓને પણ મળશે. સરકારી કર્મચારીઓને એરિયર્સ સાથેનો પગાર માર્ચમાં મળશે.

 

January 31, 2019
social-media-1.jpg
1min5410

ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા ફેસબુક, ગુગલ જેવા સોશ્યલ મિડીયાની કંપનીઓ પર સરકાર ભારતમાં ગ્રાહકોની સંખ્યા અને વોલ્યુમના આધારે કંપનીઓ પર ટેક્સ નાખવા વિચારી રહી છે. તેના લીધે ગૂગલ અને ફેસબૂક જેવી કંપનીઓ પર ટેક્સ બોજ વધી શકે છે. વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

સરકારે ગયા વર્ષે ‘નોંધપાત્ર આર્થિક હાજરી’ અથવા ડિજિટલ પર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (પીઇ)ની આસપાસ માળખું રચ્યું છે. હવે તે આગામી બજેટમાં પોતાના નિયમ લાવવા વિચારી રહી છે, એમ આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા બે જણાએ જણાવ્યું હતું.

વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી

ભારતમાં હાલમાં કંપનીઓ પાસેથી પર્મેનન્ટ એસ્ટાબ્લિશમેન્ટના કન્સેપ્ટના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ નિષ્ણાતોએ કહ્યું કે કંપની પર ટેક્સ વસૂલવાનો અધિકાર કોની પાસે છે તે નક્કી કરવા માટે આ એક લિટમસ ટેસ્ટ હશે. સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ભારતમાં મોટો ગ્રાહક બેઝ ધરાવે છે, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે વેરા માટે એક રૂપિયો પણ ચૂકવતા નથી. ભારતીય કરવિભાગ હવે ડિજિટલ કંપનીઓને સ્થાનિક ટેક્સ જાળમાં આવરી લેવા માંગે છે.

આ હિલચાલ અંગે સીધી જાણકારી ધરાવતી વ્યક્તિએ જણાવ્યું હતું કે, “કંપનીઓ અને તેમના ક્લાયન્ટ્સ વચ્ચે અનેકવિધ વ્યવહારો થાય અથવા તો તેમની પેરેન્ટ કંપનીની સાથે ગ્રાહકોની સંખ્યા જોવી જરૂરી છે. સ્થાનિક વેરાઓ આ આંકડાથી દૂર છે. આ જટિલ વિષય છે અને તેમાં નાની કંપનીઓ નથી પણ મોટી માછલીઓ પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું હતું કે સરકાર આ માટે લાખો ભારતીય ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેના પ્રમાણના આધારે કર દર નક્કી કરશે, જેથી નાની કંપનીઓ પર અસર ન પડે.

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ કંપનીઓનું મોનિટરિંગ કરીને તેઓ નિયમોનું પાલન કરે તેની ચકાસણી કરવાની બાબત ઘણી પડકારજનક હશે. “સિગ્નિફિકન્સ ઇકોનોમિક પ્રેઝન્સ (એસઇપી)થી સોદાની સંખ્યાના આધારે બિઝનેસ કનેક્શનનો આધાર અને સોદાના કુલ મૂલ્ય અથવા તો ગ્રાહક આધાર જેવા માપદંડ ધ્યાનમાં લેવાશે.

સરકારે આના પર ટિપ્પણીઓ મંગાવી છે અને જણાવ્યું છે કે તેના અંગેના માપદંડો અને માર્ગદર્શિકાઓની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રકારના હેતુલક્ષી વિષયમાં નિરીક્ષણ મોટો પડકાર છે અને આ માટે કંપનીઓ પાસે પણ આ પ્રકારની સિસ્ટમ્સ અને પ્રક્રિયાઓ હોવી જરૂરી છે.” એમ ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસિસ અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના પાર્ટનર સમીર કાનાબારે જણાવ્યું હતું.

January 31, 2019
electric_car.png
1min10870

સરકારના ઉદાર નિયમોને કારણે 2020માં લગભગ અડધો ડઝન ઝીરો એમિશન પ્યોર ઇલેક્ટ્રિક કાર અને SUVs ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે. પોર્શે ટેકેન, મર્સિડિઝ બેન્ઝ EQC, ‌BMW ‘I’ બ્રાન્ડ, ઔડી ઇ ટ્રોન, જગુઆર આઇપ્લેસ સહિતની કાર એકાદ વર્ષમાં સ્થાનિક બજારમાં જોવા મળશે. ઉપરાંત, 25-50 ટકા ઓછા પ્રદૂષણ સાથેના ડઝન જેટલાં હાઈબ્રિડ વાહનો પણ ભારતના માર્ગો પર દોડતાં થશે.

  • 2020માં લગભગ અડધો ડઝન ઝીરો એમિશન પ્યોર ઇલેક્ટ્રિક કાર
  • પોર્શે ટેકેન, મર્સિડિઝ બેન્ઝ EQC, ‌BMW ‘I’ બ્રાન્ડ, ઔડી ઇ ટ્રોન, જગુઆર આઇપ્લેસ સહિતની કાર એકાદ વર્ષમાં સ્થાનિક બજારમાં જોવા મળશે
  • 25-50 ટકા ઓછા પ્રદૂષણ સાથેના ડઝન જેટલાં હાઈબ્રિડ વાહનો પણ ભારતના માર્ગો પર દોડતાં થશે


સરકારના તાજેતરના નિયમ મુજબ પ્રત્યેક કાર કંપની વર્ષે 2,500 વાહન આયાત કરી શકશે. તેને લીધે મર્સિડિઝ બેન્ઝની AMG, ઔડીની RS અને BMWની M કાર્સ જેવી હાઈ-પર્ફોર્મન્સ ગાડીઓને સ્થાનિક બજારમાં લાવવાનો માર્ગ મોકળો બનશે. મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, “નવા નિયમને કારણે કંપની માટે ઘણાં મોડલ્સ ભારતમાં લાવવાની શક્યતા ખૂલી છે, જે અગાઉની યોજનાનો ભાગ ન હતો, જેમ કે, મર્સિડિઝ બેન્ઝે વૈશ્વિક લોન્ચના 3 મહિનામાં જ નવી MPV ‘V ક્લાસ’ ભારતના બજારમાં મૂકી છે.

  • ભારત સરકારે સપ્ટેમ્બર 2018માં ઓટો કંપનીઓને કોઈ લોકલ હોમોલોગેશન વગર વાર્ષિક 2,500 યુનિટ્સ આયાત કરવાની મંજૂરી આપી છે
  • આયાત થનારા પેસેન્જર વ્હિકલ્સની કિંમત 40,000 ડોલરથી વધુ
  • એન્જિન ક્ષમતા 3 લિટર ડીઝલ અને 2 લિટર પેટ્રોલથી વધુ હોવી જરૂરી

ભારત સરકારે સપ્ટેમ્બર 2018માં ઓટો કંપનીઓને કોઈ લોકલ હોમોલોગેશન વગર વાર્ષિક 2,500 યુનિટ્સ આયાત કરવાની મંજૂરી આપી છે. તેને લીધે કંપનીઓ માટે ભારતમાં હાઈ-એન્ડ કાર લાવવાનો માર્ગ ખુલ્લો થયો છે. સરકારના જણાવ્યા અનુસાર ઉત્પાદન વખતે જે દેશમાં સર્ટિફિકેશન થયું હશે તે ભારતમાં જરૂરી ડ્યૂટીની ચુકવણી પછી માન્ય ગણાશે. અગાઉના નિયમોમાં હોમોલોગેશન વગર આયાત થનારા પેસેન્જર વ્હિકલ્સની કિંમત 40,000 ડોલરથી વધુ તેમજ એન્જિન ક્ષમતા 3 લિટર ડીઝલ અને 2 લિટર પેટ્રોલથી વધુ હોવી જરૂરી હતી.

ગ્રાહકને આ નિયમથી ઉત્તમ ટેક્‌નોલોજી અને વિશ્વમાં લોન્ચ થયેલાં વાહનોને ખરીદવાનો લાભ શક્ય એટલો ઝડપથી મળે છે. ઉપરાંત, બજારમાં એક મોડલ લોન્ચ કરવા માટે વાહન ઉત્પાદકને થતા ખર્ચમાં ₹2-4 કરોડનો ઘટાડો થાય છે. કાર કંપનીઓ દ્વારા લગભગ બે ડઝન જેટલાં મોડલ્સ પર કામ થતું હોવાથી એક અંદાજ પ્રમાણે તેમને માત્ર હોમોલોગેશનમાં જ ₹100 કરોડ સુધીની બચત થશે. વોલ્વો કાર ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયમને કારણે લક્ઝરી કાર ઉત્પાદકો નવી પ્રોડક્ટ્સ તેમજ વિશિષ્ટ સેગમેન્ટમાં લોન્ચ થતી કાર ભારતમાં લાવી શકશે. સરકારના પગલાથી કારના વૈશ્વિક અને ભારતીય બજારના લોન્ચિંગ વચ્ચેનો સમય ઘણો ઓછો થશે.

  • કાર કંપનીઓને હોમોલોગેશનમાં જ ₹100 કરોડ સુધીની બચત થશે
  • બજારમાં એક મોડલ લોન્ચ કરવા માટે વાહન ઉત્પાદકને થતા ખર્ચમાં ₹2-4 કરોડનો ઘટાડો

વોલ્વો આગામી વર્ષે ભારતમાં હાઈબ્રિડ વ્હિકલ્સમાં ફોર પ્લગ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની હવે પ્લગ-ઈન હાઈબ્રિડ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી શકશે. ઔડી આગામી કેટલાંક વર્ષમાં ભારતમાં ઔડી Q8 અને ઔડી ઇ-ટ્રોન લાવવાની યોજના ધરાવે છે. ઔડી ઇ-ટ્રોન સંપૂર્ણ ઇલેક્ટ્રિક મોડલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થપાયા પછી આ મોડલ ભારતીય બજારની જરૂરિયાત મુજબ યોગ્ય છે.

January 31, 2019
voterlist1-1280x720.jpg
1min9590

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણીની નવી મતદાર યાદી જાહેર

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યની નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 4 કરોડને 47 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ પહેલાની યાદી કરતા આ વર્ષે અગાઉની યાદી કરતા અંદાજે નવા સાત લાખ મતદારોનો વધારો નોંધાયો છે.

2019ની ચૂંટણી પહેલાંની આખરી મતદાન યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં સુધારા કરી શકાશે. દરેક મતદારો પોતાની મતદાન યાદીમાં ઓનલાઇન પોતાનું નામ ચૅક કરી શકશે. વેબસાઈટ, ટોલ ફ્રી નંબર તેમજ મતદાર નોંધણી કચેરી ઉપર ચેક કરી શકાશે. ૧૯૫૦ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પાર મતદાન યાદી ચકાસી શકાશે. મતદાર યાદીમાં નામ ન હોય તો 6 નંબર નું ફોર્મ ભરી નામ ઉમેરી શકાશે.

– મતદાન યાદીમાં કુલ 4 કરોડ 47 લાખ મતદારો
– કુલ મતદારો પૈકી 2 કરોડ 32 લાખ પુરુષ અને 2 કરોડ 14 લાખ મહિલાઓ સામેલ
– થર્ડ જેન્ડરના 1053 મતદારો નોંધાયા
– કુલ 51709 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
– 8 લાખ યુવા મતદારો પહેલીવાર પોતાના મતનો ઉપયોગ કરશે
– જે લોકો મૃત્યુ પામ્યા હોય અને શિફ્ટ થયા હોય એની સંખ્યા ૩૧ હજાર
-1૦૦ વર્ષથી વધુ ઉમરનાં લગભગ 1૦૦ જેટલા મતદારો.

ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 4 જાન્યુઆરીએ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી. જોકે ચૂંટણી પંચ દ્વારા આ તારીખ 31મી જાન્યુઆરી સુધી આવી છે. જે મુજબ આજે યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંપૂર્ણ રીતે ચાલી રહી છે અને આખરી તબક્કામાં પહોંચી છે. નવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવાની કામગીરી ફેબ્રુઆરી મહિનામાં પૂરી કરી દેવામાં આવશે. ચૂંટણીપંચના જોઈન્ટ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું કે, 4 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કુલ ચાર કરોડની 47 લાખ આંકડો છે. જેમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાનોની સંખ્યામાં આઠ લાખ જેટલો વધારો નોંધાયો છે. પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરતા હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે એવો ઉત્સાહિત છે.

January 31, 2019
cable_tv.jpg
1min6690

ટેલિકૉમ રૅગ્યુલૅટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડીટીએચ ઑપરેટરોને ગ્રાહકોની ઇચ્છા હોય તો તેઓના લાંબાગાળાના પ્રીપૅડ કમિટમૅન્ટ ચાલુ રાખવાની સલાહ આપી હતી અને કેબલ સેવા માટેના નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી જ થવાનો હોવાની સ્પષ્ટતા કરી હતી. પ્રસારણને લગતા નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી થવાનો છે.

ટેલિકૉમ રૅગ્યુલૅટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ આર. એસ. શર્માએ સ્પષ્ટતા કરી હતી કે પ્રસારણ અને કેબલ સેવા માટે નવા નિયમનો અમલ પહેલી ફેબ્રુઆરીથી જ કરાશે અને આ મહેતલમાં કોઇ ફેરફાર નથી કરાયો. શર્માએ આશા વ્યક્ત કરી હતી કે ડીટીએચ અને કેબલ સેવા માટેના નવા નિયમનો અમલ કરતી વખતે ગ્રાહકોને કોઇ તકલીફ નહિ પડે.

તેમણે જણાવ્યું હતું કે જો ગ્રાહકે ટૂંકા કે લાંબાગાળાના પૅક માટે નાણાં ચૂકવી દીધા હોય તો આ રકમ ભાવિ ચુકવણી સામે વાળવામાં (ઍડજસ્ટ કરવામાં) આવશે.શર્માએ જણાવ્યું હતું કે લાંબાગાળાનું પૅકૅજ પૂરું થાય ત્યાં સુધી ચાલુ રાખવું કે નવી યંત્રણા અપનાવી લેવી, એ નક્કી કરવાનો ગ્રાહકને અધિકાર રહેશે. ટૂંકાગાળાનું પૅકૅજ ધરાવતા ગ્રાહકો પણ રિચાર્જ વખતે પોતાની પસંદગી કરી શકશે.

January 30, 2019
modisurat-1280x796.jpeg
1min15250

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં ફોરેન સ્ટાઇલમાં મોદીની સભા યોજાઇ, મોદીએ કહ્યું હું થાકતો નથી. જે લોકો સ્ટેડીયમમાં નથી આવી શક્યા તેમની માફી માગું છું. દેશનો નવ જવાન દેશનું ભવિષ્ય છે. આજરોજ તા.30મી જાન્યુઆરી 2019ના રોજ સુરતના શ્રોતાઓથી ખચાખચ ભરાયેલા ઇન્ડોર સ્ટેડીયમમાં સી.એ, વકીલો, તબીબો, વ્યાપારીઓ, વ્યવસાયિકો, કોલેજીયન્સ વગેરેની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી માટે જબરદસ્ત માર્કેટિંગ કર્યું હતું. તેમણે યંગસ્ટર્સ અને નવા વોટર્સને નમો એપ ડાઉનલોડ કરીને તેમને ગમતી, સારી બાબતોને નેટ પર શેર કરવા માટે પણ આહવાન કર્યું હતું.

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં મોડી સાંજે સુરતના બુદ્ધીજીવીઓ સાથે ભારતના નરેન્દ્ર મોદીનો વાર્તાલાપ યોજાયો હતો. જે અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે.

દેશ ઝડપી ગતિએ બદલાય રહ્યો છે. આશાઓ અને અપેક્ષા સાથે 2014માં તમે મને દેશની જવાબદારી સોંપી હતી. ગુજરાતના લોકો મને મારા કામને જાણતા હતા, પણ હિન્દુસ્તાન માટે હું નવો હતો, પણ દેશે મારા પર ભરોસો કર્યો, ગુજરાતીઓએ દેશને જણાવ્યું. આજે વિકાસના કામોની વાત ચર્ચાય રહી છે. દુનિયામાં ભારતનો નકશો બદલાવા અંગે છાપ પડી રહી છે. કારણ મોદી નથી, કારણ મતદારોનો એક મત છે. તમને હવે ખબર પડી રહી છે કે તમારા વોટની તાકાત શું છે. તમારા એક મતએ 5 વર્ષ મને કામ કરવાનું બળ આપ્યું, તમારા એક મતે મને દિવસ રાત જાગીને તમારા માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. સુરત વ્યાપારીઓની ભૂમી છે, તમને લાગતું હશે કે તમે 2014માં જે વાવ્યું હતું તેનું ફળ મળ્યું હશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળ્યું હશે.

2014ના દિવસોમાં દેશમાં નિરાશા વ્યાપી હતી, દેશ નહીં બચે એવી ચર્ચાઓ ચાલતી હતી. આજે વાતાવરણ બદલાય જવા પામ્યું છે. દેશમાં આશાઓ વિશ્વાસમાં પલટાય અને આ વિશ્વાસ હિન્દુસ્તાનને બહું જ આગળ વધારવા માટે કાફી છે. કેટલાક લોકોનો સ્વભાવ છે રોયા કરવાનો, મારો રોવામાં વિશ્વાસ નથી કે રોવડાવવામાં વિશ્વાસ નથી, પણ મને આગળ ધપવામાં વિશ્વાસ છે. દેશ ચાલી નીકળ્યો છે, દરેક નવા સપનાઓ સાથે આગળ આવ્યા છે. લોકો મને પૂછે છે તમે કામો તો બહું જ કર્યા, દરેક ક્ષેત્રમાં કામ કર્યા પણ તમે લોકોમાં એટલી આશાઓ જગાડી, અપેક્ષાઓ જગાડી તેને તમે પૂરા નહીં કરી શકો. નિરાશાની જગ્યાએ આશા પેદા કરવાની વાત સારી છે. નવી આકાંક્ષા જોવી સારું છે કે ખરાબ છે. આપણને ગર્વ હોવો જોઇએ કે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેનું કામ જોઇને લોકો કહી રહ્યા છે કે મોદીજી કંઇક કરી શકતા હોય તો બીજું કોઇપણ કરી શક્શે.

આ જ તાકાત છે જે દેશને આગળ વધારે છે. સ્વચ્છતાનો વિષય દેશે સ્વીકારી લીધો છે, પહેલાના ભારતની કલ્પના કરી છે, બે શબ્દો ભારતની ઓળખ બન્યા હતા, કોઇપણ કામ લઇને જાવ તો મારું શું અને બીજો શબ્દ મારે શું. આ બન્ને વૃત્તિઓ સામે લડાઇ લડી છે, જેનુ પરીણામ છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નં. 1 ફેનિલ પરીખ

હું કમ્પ્યુટર એન્જિનિયર છું, પહેલા માનસિકતા હતી, આ દેશનું કશું નહીં થાય, પણ હવે દેખઆય રહ્યું છે કે બદલાવ થઇ રહ્યો છું. મારે જાણવું છે કે આ બદલાવ કેવી રીતે થયો

જવાબ

તમે બદલાવને અનુભવો છે એ માટે ધન્યવાદ. એ વાત સાચી છે કે સૌથી પહેલું જો કોઇ કામ કર્યું હોય અમે તો એ 2004થી 2014 કે જ્યારે રિમોટ વાળી સરકાર ચાલતી હતી એ સમયના હાલત એ હતી કે દરેકે માની લીધું હતું કે ખેલ ખતમ છે. અમે નકારાત્મક માનસિકતા ને જ ખતમ કરી દીધી છે. 2014 સુધીના અખબારો વાંચી જુઓ, પહેલા ગોટાળાઓ, કૌભાંડો જ દેખાતા, આજે 2014 પછી છાપાઓની હેડલાઇન બદલાય કે નહીં..એક નાનુ ઉદાહરણ એ છે કે 26 સપ્ટેમ્બરની ઘટના..મુંબઇમાં આતંકી હુમલો, પછી શું થયું…એ પછી અમારી સરકાર દરમિયાન ઉરી ઘટના બની, ઉરીની ઘટના પછી શું થયું એ તમે જાણો છો, મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા પણ સરકાર ઉંઘતી હતી, પણ ઉરની ઘટનાએ મને ઉંઘવા દીધો નહીં. જવાનોની શહાદત અમારા માટે પવિત્ર હતી. અને એમાંથી જ અંદરની આગ હતી કે જે આગ જવાનના દિલમાં હતી, એ જ આગ પ્રધાનમંત્રીના દિલમાં ભભૂકતી હતી. તેનું જ પરીણામ હતું , સર્જિકલ સ્ટ્રાઇક. બદલાવ આવી રીતે આવે છે. કોઇ કલ્પના કરી શકે કે કાળા નાણાં સામે કોઇ આટલી મોટી લડાઇ લડશે. બધાને હતું કે નેતા આવે છે અને પોતાનું સેટ કરી લે છે, પણ આ (હું) એવો નેતા છે જે સેટ તો થતો નથી પણ બીજાને અપસેટ કરી મૂકે છે. 3 લાખ બેનામી કંપનીઓને બંધ કરાવી દીધી, પાપમાં ડૂબેલા લોકોને ચૂં પણ બોલવા દીધી નથી. દેશ હિતમાં અંગત સ્વાર્થ ન હોય તો મોટા નિર્ણય થઇ શકે.

કલ્પના કોઇ કરી શકે છે કે હિન્દુસ્તાનમાં રોજ આંતકીઓને મારી રહ્યા છે. જવાનો શહીદ થાય છે પણ આતંકીઓ તેનાથી વધારે સફાયો થતો હતો. એ સમયે બોંબ ધડાકાઓ થતા હતા, મારા સાડાચાર વર્ષની સરકારમાં કશું થયું નથી. બધું કશ્મીરમાં સીમીત થઇ ગયું. બદલાયો કે નહીં જમાનો.

મુદ્રા યોજના હેઠળ બેકના દરવાજો ખટખટાવો એટલે જામીન વિના ધિરાણ મળે છે, આ દેશમાં બળાત્કાર પહેલા પણ થતો હતો, આજે ત્રણ દિવસમાં બળાત્કારીઓને તત્કાલ ફાંસી મળી જાય છે. બેટીઓને બચાવવા માટે મોટા નિર્ણયો લેવાય છે. ટીવી પર બળાત્કાર 7 દિવસ ચાલે પણ ફાંસીની સજાની ખબર ફટાફટ નીકળી જાય છે. ફાંસીની સજાની ખબર ફેલાવવી જોઇએ જેથી બીજા બળાત્કારની સજાથી ફફડીને આવું દૃષ્કૃત્ય ન કરે.

દેશ બદલાય રહ્યો છે, આપણો સ્વભાવ છે કે બસ, ટ્રેન, પ્લેનમાં બાજુની સીટ ખાલી પડે એટલે આપણે સામાન મૂકી દઇએ છીએ. પણ જ્યારે સીટવાળો આવે ત્યારે અમારે ચીજવસ્તુઓ પાછી લેવી પડે છે ત્યારે મોઢું પડી જાય છે. આપણી સીટ નથી હોતી છતાં ખરાબ લાગે છે, પણ કેટલાકને આ બદલાવ નથી ગમતો. દેશમાં બદલાવ આવ્યો છે, હકારાત્મક બદલાવ મળ્યો. રેલવેમાં સિનિયર સિટીઝન્સને મળતી રાહત સરન્ડર કરવાનો વિકલ્પ ઉમેરવા માટે વિકલ્પ અપાયો, ત્યારે દેશના 45 લાખ સિનિયર સિટીઝન્સે દેશ હિતમાં પોતાની રાહત આપી દેવાનો વિકલ્પ અપનાવ્યો. આ દર્શાવે છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આશાઓ, અપેક્ષાઓને અનુકુળ સરકારની ગતિ, સરકારની મતિ નવી તાકાત આપે છે.

પહેલા એવી માન્યતા હતી કે બધું સરકાર કરે છે, અમે આવીને બદલી નાંખ્યું કે નહીં લોકો જ દેશમાં બધું કરે છે અને દેશ જાતે બધું કરી શકે છે. લોકોના ભરોસે સરકાર દેશને આગળ વધારી રહી છે. એક મોદી નથી, સવાસો કરોડ મોદી છે જે દેશ બદલે છે.

પ્રશ્ન નં.2 ડો. નિશિલ શાહ

ભારતના નાગરિક હોવાનો ગર્વ છે. 2019માં મહાગઠબંધન બનાવે છે ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત વિશે શું કહેશો

જવાબ

તમે સાચું કહ્યું કે તમે સામાન્ય પરિવારમાંથી આવો છે, આટલી મોટી લડાઇ કેવી રીતે લડી રહ્યા છો, હું એટલે લડું છું કેમકે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છે. જો હું પણ અમીર પરિવારમાંથી આવ્યો હોત તો મને પણ ડર હોત કે મારા પણ રહસ્યો ખુલ્લા પડી ગયા હશે. પણ મને ડર નથી મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.14 વર્ષ ગુજરાતમાં કામ કર્યું વિરોધીઓએ કોઇ આંગળી પણ ઉઠાવી શક્યા નથી. ક્યારેય ડર નથી લાગતો. દેશ સમસ્યાઓની જડમાં ભ્રષ્ટાચાર ઉધઇની જેમ ઘૂસીને બધી વ્યવસ્થાઓ ખોરવી નાંખી હતી. હવે કોઇએ તો શરૂઆત કરવી પડે કે નહીં. મારી આત્મા કહી રહી હતી કે ક્યાંકથી તો શરૂ કરવું પડશે, અને મારે ઉપરથી શરૂ કરવું પડ્યું. ઉપર (ધનિક વર્ગ) ઠીક થઇ જશે એટલે બાકી બધું ભમાભમ થવા માંડશે. તમે જોયું જેની ચાર-ચાર પેઢીઓ, જેમનું નામ લેતા જ દેશ ધ્રુજી ઉઠતો હતો, દેશને 18 મહિનો જેલખાનું બનાવી દીધો હતો. 4-4 પેઢી ભારત પર રાજ કરનારાઓને એક ચા વાળો ચૂનોતી આપી રહ્યો છે, લોકોને આ પ્રશ્ન થઇ રહ્યો છે. તમને ખબર છે ને, કોઇએ વિચાર્યું હશે કે તેમના સાગરિતો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે, બધા જાણી લે કે તેમણે એક દિવસ જેલ જવું પડશે. દેશનું જેમણે લૂંટ્યું છે એમણે દેશને પાછું આપવુ જ પડશે. પહેલા પણ બેઇમાની કરીને લોકો દેશ છોડીને ભાગ્યા છે કે નહીં, ત્યારે શું થયું. શું કરીએ ભાગી ગયા એવી માનસિકતાથી વિપરીત અમે કાયદા બનાવ્યા, જે ભાગી ગયા છે તેની પાઇ પાઇ જપ્ત કરી લઇશું. જે ભાગી ગયા છે તેઓ પણ આઘાપાછા થઇ રહ્યા છે. 125 કરોડ લોકોના ઉજ્જળ ભવિષ્ય માટે કઠોર નિર્ણય લઇશ. 2019ની ચૂંટણીમાં શું લાગે છે એવા સવાલના જવાબમાં લોકોએ મોદી મોદીના નારા લગાડ્યા હતા. જુઓ જનતા જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે. 2019માં અમારી સામે કસોટી છે, એક દળ કે એક પક્ષના રૂપમાં કોંગ્રેસ હારી જાય એનાથી માની જવાનું નથી. કોંગ્રેસે જે પરિવારવાદ, જાતીવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, મેરા-તેરાની બિમારીમાંથી દેશને બહાર કાઢવો જ પડશે. એટલે જ અમે મંત્ર લઇને આવ્યા છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નંબર 3 શ્રીમતી ઉર્મિલા બારોટ,

હું પોલિટીક્સ ફોલો કરી રહી છું, 2014માં જે લોકો તમને હારતા જોવા માંગતા હતા, એ જ લોકો મિડીયા અને પ્રસાર માધ્યમો મારફતે નકારાત્મકતા ફેલાવીને ખોટા મેસેજ પાસ કરી રહ્યા છે, આપણો દેશ વિશ્વગુરુ બની રહ્યો છે, મહાસત્તા બની રહ્યો છે ત્યારે અરાજકતા બંધ થવી જોઇએ. નાગરીકો માટે તમારો શું સંદેશ છે

જવાબ

2013-14ના લોકસભાની ચૂંટણીના સમાચારો જોશો તો ખબર પડશે કે એક ટોળી હતી, ભોળી કે ભલી ટોળી નહીં પણ આ ટોળી એવો પ્રચાર કરી રહી હતી કે ભાજપા મોદીને પીએમ ઘોષિત કરી દેશે એટલે ભાજપા ખતમ. તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે મોદીને ગુજરાત સિવાય કોણ જાણે છે, ફરી એમણે શરૂ કર્યું કે બીજીપીને કુલ મતો જોઇને અંદાજ લગાડ્યો કે પૂર્ણ બહુમત નહીં મળે ભાજપાને. અનેક વાતો ફેલાવવામાં આવી. જનતાના ગળે એમની વાત નહીં પણ જનતાના ગળે મોદી ઉતર્યા.  2014માં જેમણે મોદીના નામનો વિરોધ કર્યો અને કશું હાથ ન લાગ્યું એવા લોકો અપમાન સહન કરતા હશે, એટલે એ લોકો મોદીને નીચા જોવડાવવાનો પ્રયાસ કરશે. આવી નકારાત્મકતાની ચિંતા કર્યા વગર તેનો ઉત્તમ ઉપાય સકારાત્મકતાનો અપનાવીને સાચી, સારી, ખરી વાતો સો વખત કરવી જોઇએ. સારી બાબતો ફેલાવવામાં તેમને કરતા વધુ પ્રયાસ કરવો પડશે. જેમને મારું મોઢું પસંદ નથી, જેમને મારું નામ પસંદ નથી. કેટલાક લોકો એવા છે કે જેને મેં જ પેદા કર્યા છે. એવા લોકો બોલશે કે મોદી બેકાર છે. પહેલા સસ્તા અનાજની દુકાનો હતી, તેમાં સરકાર 30-35 રૂપિયે ખરીદે અને ગરીબને 3-4 રૂપિયામાં આપે. પણ કેટલાક લોકો ગરીબોનું પણ ખાય જતા હતા. 6 કરોડ રેશન કાર્ડ એવા હતા જે લોકો પેદા જ થયા ન હતા, તેવા લોકોના નામ પર અનાજ પહોંચી જતું હતું. આવા 6 કરોડ લોકો જેઓ ભૂતિયા હતા, જેમનું અસ્તિત્વ ન હતું એવા વચેટાઓની દુકાન બંધ થઇ ગઇ. જેના ખિસ્સામાં દર વર્ષે 90 હજાર કરોડ રૂપિયા જતા હતા, મોદીએ તેના પર તાળાબંધી કરી દીધી તો એ લોકો મોદીને પસંદ કરશે ખરા, મોદી તેમને નહીં ગમે. દેશ માટે મારે આવા કામો કરવા જોઈએ કે નહી…મારે મારી ચિંતા છોડીને કોઇ કામ ન કરવા જોઇએ કે નહીં. એટલે જ મેં નકારાત્મકતા છોડીને દેશ હિતમાં પવિત્ર કામો કર્યા છે. તમારા તરફથી પોઝિટીવ પ્રચાર થવો જોઇએ. નમો એપ ડાઉનલોડ કરો, તેના પર તમામ સાચી, સારી અને એક એક મિનિટની જાણકારી ઉપલબ્ધ છે, જે માહિતી ગમે તે તમારા સર્કલ સુધી પહોંચાડો જુઓ પછી બદલાવ જોવાશે.

સવાલ 4 શ્રીમતી વિરાજ દિવાન

તમે અમારા જેવા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો, અનેક કામો કર્યા છે જેનાથી આવનારી પેઢી આભાર માનશે. એક સી.એ. હોવાના નાતે હું કહેવા માંગું છું કે જીએસટી બેસ્ટ પગલું છે. વોટ બેંકની પરવાહ કીયે બિના કૈસે કર શક્તે હૈ.

જવાબ

125 કરોડ લોકો મારી સાથે છે એટલે હું કરી શકું છું. સમાજ જીવનમાં ભારત આજે એવી અવસ્થામાં છે, આ તક જતી કરવી જોઇએ નહીં. જ્યારે સરકાર બની ત્યારે આપણે અર્થવ્યવસ્થામાં 10મો નંબર હતો, આજે આપણે વિશ્વમાં 6 નંબર પર આવી ગયા છે. 4 વર્ષમાં 10માં નંબરથી 6 નંબર પર પહોંચી ચૂક્યું છે. દુનિયાના સમૃદ્ધ દેશોને પાછળ મૂકી દીધા છે. દુનિયાની અનેક ગૌરવવંતી બાબતો આજે ભારત શ્રેય લઇ રહ્યું છે. પહેલાની સરખામણીમાં દેશમાં 38 ટકા જ રૂરલ સેનિટેશન હતું, આજે 98 ટકા પહોંચી ચૂક્યું છે. દેશમાં અડધા લોકો પાસે જ બેંક અકાઉન્ટ હતા, આજે લગભગ બધા લોકો પાસે બેંક અકાઉન્ટ છે. સમાજે મને અહીંયા ઉંઘવા માટે નથી મોકલ્યો. કાળી મજૂરી કરીશ પણ દેશને પાછળ નહીં પડવા દઉ.

સવાલ નં. 5 શીખા નારંગ

ભારતના વિકાસ માટે કઠોર મહેનત કરી, યોજનાઓથી ભારત દેશનું ભવિષ્ય કેવું જુઓ છો

જવાબ

હું ભારતનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય જોઇ રહ્યું છે. શાનદાર, જાનદાર ભવિષ્ય જોઇ રહ્યો છું. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે કે નહીં. અમેરીકા, યુકે. ઓસ્ટ્રેલિયા, કેનેડા સમેત દુનિયામાં ચારો તરફ ભારતના ગૌરવગાન થઇ રહ્યા છે, આટલા ઓછા સમયમાં જો આપણે દુનિયામાં ભારતના અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા એ આજે મળ્યા છે. આંતર રાષ્ટ્રીય યોગા દિવસ આખી દુનિયાએ સ્વીકાર્યો ત્યારે ગર્વ થાય કે નહીં. ઇઝરાયેલ અને પેલેન્સ્ટાઇન ભલે દુશ્મન છે, પણ બન્ને ભારતના દોસ્ત છે કે નહીં. ભારતે પોતાની જગ્યા બનાવી છે, એવી જ રીતે આર્થિક ક્ષેત્ર સમેત દરેકમાં ભારત આગળ છે. સ્ટાર્ટઅપ જે દેશ પાસે 800 મિલિયન યુથ હોય ત્યારે આ યુવાન દેશ પાસે જવાનીની તાકાત, ઉર્જા, ઉંમગ હોય તે દેશ કેવી રીતે પાછળ રહી શકે. આવશ્યકતા હોય ત્યારે અવસર આપવો જોઇએ. દુનિયાની સૌથી ઝડપે ચાલતી મોટી ઇકોનોમીમાં ભારત પહેલો નંબર છે. મારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે.

સવાલ નં. 6  આર.જે. વિશ્રુતિ

ટીવી પર જે પોલિટિકલ ડિસ્કશન ચાલતા હોય છે તેનાથી ભારતીય યુવાઓ બહું જ મૂઝાય રહ્યા છે આવા યુથને શું કહેવા માંગશો

જવાબ

આપણું લોકતંત્ર મજબૂત છે, વાઇબ્રન્ટ છે, પણ દેશના રાજનીતિક દળોની માનસિકતા આજે પણ પૂરાણી છે, એટલે સતત વિકાસના મુદ્દા પર ચર્ચા થાય, સામાજિક મુદ્દા પર ચર્ચા થાય તેની જગ્યાએ કમનસીબે અમારા વિરોધીઓ માટે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ છે, કેમકે પહેલાની સરકાર કરતા મોદીની સરકારે સારું કામ કર્યું છે એટલે તેમના માટે પરેશાની થાય છે. એટલે કમનસીબે જવાબદાર પાર્ટીઓ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજી નથી. તેમનો એક જ મુદ્દો છે મોદી. સવારે ઉઠે એટલે મોદી, મોદી અને રાત્રે પણ ઉંઘતા હશે કે કેમ એ સવાલ છે. તેમના માટે મુદ્દો મોદી છે, મારા માટે મુદ્દો સવાસો કરોડ લોકોના સપના છે., આશા, આકાંક્ષાઓ છે, જે શહેર પાસે સુવિધા છે તે ગામડાઓ સુધી પહોંચાડવાની છે. પહેલા ટીવી, છાપાઓ જે પીરસી રહ્યા હતા એ જ લેવું પડતું હતું, પણ આજે તમારી પાસે મોબાઇલ ફોન છે, હવે તમે પોતે જ વેરીફાય કરી શકો છો. નવી પેઢીના ફર્સ્ટ ટાઇમ વોટર, ગુગલ ગુરુના વિદ્યાર્થીઓ છે, તેઓ સારી નરસી બાબતો ચકાસી શકે છે, દેશની યુવા પેઢી સમાચારોને બારીકાઇથી ચકાશે. પણ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર આવી ચીજોએ દેશને બરબાદ કર્યો છે તેમની સાથે નહીં જ જવું જોઇએ. આપણા નવા વોટરને ખબર નથી કે કટોકટીકાળ શું હતો, નવી પેઢીને વાકેફ કરવી પડશે કે પહેલાની સ્થિતિ, બરબાદી શું હતી, હું એવું નથી કહેતો કે બધું કર્યું છે, પણ જે કર્યું છે એ સાચી દિશામાં કર્યું છે, મારી ચામડી બચાવવા માટે નહીં, જી જાનથી કર્યું છે, જીવન જોખમમાં મૂકીને કર્યું છે, હું ક્યારેય ઝુકવાનો નથી. મારું માથું ફક્ત સવાસો કરોડ લોકો સામે ઝુકશે, મારું રિમોટ કન્ટ્રોલ ફક્ત સવાસો કરોડ લોકો પાસે છે.

January 30, 2019
modi.jpg
1min21630

સુરત અને નવસારીની અડધા દિવસની મુલાકાતે આજે સુરત પધારેલા નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર પોતાની પહેલા જ કાર્યક્રમને સંબોધતા પૂર્ણ બહુમતવાળી સરકાર આપવા માટે સુરતવાસીઓ સમેત દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે પૂર્ણ બહુમતવાળી સરકાર હશે તો જ મોટા, કઠોર અને ત્વરીત નિર્ણય લઇ શકાશે. વાંચો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આખું ભાષણ અહીં…

પૂર્ણ બહુમતવાળી સરકાર આપજો મને, મોદીએ કહ્યું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના એક્સપાન્સના વિધિવત પ્રારંભ પ્રસંગે આજે સુરત ખાતે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા સુરતના પોંક અને ઉંધીયાનો ઉલ્લેખ કર્યો હતો. પૂ. બાપૂની પૂણ્યતિથીએ નવસારી નજીક દાંડીના નમક  સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ આજે થવાનું છે ત્યારે કર્મયોગીઓના શહેર સુરતથી સ્વ.પૂ.બાપૂને નમન. સુરતના સેંકડો સત્યાગ્રહીઓ દાંડી માર્ચમાં પૂ.બાપૂ સાથે જોડાયા છે. સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશી જેવા ગાંધીજીના ગુણોને સુરતે બખૂબી નિભાવ્યા છે. હીરા અને કપડાની સાથોસાથ અનેક નાના ઉદ્યોગોથી મેઇક ઇન ઇન્ડિયાને સુરત સશક્ત બનાવી રહ્યું છે. સુરતની સ્પિરીટને વધુ મજબૂતી મળશે જ્યારે આજે સેંકડો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ થયો છે. સુરતને સ્માર્ટ બનાવવા માટે ડઝનો પ્રોજેક્ટનું ઉદઘાટન થયું, સુરતના વિકાસને વધુ વેગ મળશે. વિકાસના પ્રોજેક્ટસ માટે સુરતી ભાઇઓને ખૂબ ખૂબ અભિનંદન.

આગામી 10-15 વર્ષમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસતા વિશ્વના જે 10 શહેરો હશે એ ભારતના છે અને તેમાં સૌથી ટોચ પર સુરત હશે. આગામી સમય સુરતનો હશે, ભારતના શહેરોનો સમય આવશે. સમગ્ર વિશ્વમાંથી સુરત સમેત ભારતના શહેરોમાં રોકાણ થશે, લાખો રોજગારીઓની તકો ઉપલબ્ધ બનશે. દુનિયા ભારતના શહેરોથી એટલી આશાવાદી છે ત્યારે આપણું દાયિત્વ છે કે શહેરોને વર્તમાનની સાથે ભવિષ્ય માટે તૈયાર કરવું જોઇએ. માળખાગત સુવિધા, વ્યવસ્થા, શિક્ષણની સાથે માનવીના મનને પણ ઉંચાઇ પર લઇ જવાનું છે.

દેશમાં દરેક પ્રકારની કનેક્ટિવિટીના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત એરપોર્ટ ગુજરાતના ત્રણ મોટા એ પોર્ટ, વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થઇ ચૂક્યું છે. એક દિવસમાં સુરતથી 1800 મુસાફરોની વિમાની અવરજવર શક્ય બનશે. સુરત એરપોર્ટની ભવિષ્યની ક્ષમતા વાર્ષિક 4 લાખથી વધીને 26 લાખ મુસાફરોની થઇ જવાનો આશાવાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો. બહારગામથી આવનારા લોકોના સમયનો પણ બચાવ થશે. થોડા દિવસોમાં સુરતથી શારજાહ ઇન્ટરનેશલ ફ્લાઇટ પહેલી શરૂ થઇ રહી છે. વ્યાપારની દ્રષ્ટીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઘણી ઉપયોગી નિવડશે.

કેન્દ્ર સરકાર હવાઇ કનેક્ટિવિટી માટે સતત પ્રયત્નશીલ છે. 17 એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી ચાર વર્ષોમાં 50 એવા એરપોર્ટને સક્રિય કરશે જ્યાં એરપોર્ટની સુવિધા

હવાઇ ચપ્પલ પહેરવાવાળા પણ હવાઇ મુસાફરી કરી શકે તેવું સપનું સાકાર કરવામાં આવશે. ઉડાન યોજનાથી દેશ  એવીએશન સેક્ટરમાં 12 લાખ વિમાની સીટ્સ ઉપલબ્ધ બની શકી, નવા 40 એરપોર્ટ એવીએશન મેપમાં ઉમેરાયા, ગુજરાતમાંથી ચાર ફ્લાઇટ્સ ઉડાન-1 અને ઉડાન-3થી ગુજરાતના ચાર નાના શહેરોને જોડી શકાયા. ઉડાન-3માં પણ ગુજરાતના નવા 4 એરપોર્ટને જુદા જુદા ભાગો સાથે જોડી દેવાશે. ગુજરાતમાં સીપ્લેન પ્રોજેક્ટસ સાકાર થશે. સાબરમતિ રિવરફ્રન્ટથી સરદાર સ્ટેચ્યુ સુધી વોટર પ્લેન દોડશે. પાસપોર્ટ માટે લોકોએ મોટા શહેરોના ચક્કર ન લગાડવા પડે એટલા માટે મુખ્ય પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા ફક્ત 80 હતી, પાછલા 4 વર્ષમાં મુખ્ય પાસપોર્ટ કચેરીઓની સંખ્યા 400નો આંકડો પાર કરી ગઇ છે. બડા સોચના, જ્યાદા સોચના, અચ્છે ઢંગ સે કરના વગેરે નીતિઓ સાથે સરકાર કામ કરી રહી છે. મોટી સંખ્યામાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરાયા જેથી પાસપોર્ટ સરળતાથી અને ઝડપથી ઇશ્યુ કરી શકાય છે.

દેશમાં ફોક્સ એપ્રોચ અને મિશન મોડ પર કામ થઇ રહ્યું છે. દરેક સ્તરના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતમાં થયેલા પ્રોજેક્ટસ તેની નિશાની છે. ગરીબોના આવાસો ગરીબ પરિવારોને સમૃદ્ધ બનાવશે. શહેરોમાં રહેવાવાળા ગરીબ પરીવારો માટે કેન્દ્ર સરકારે 13 લાખ મકાનો બનાવ્યા, 37 લાખ નવા મકાનો બની રહ્યા છે. 70 લાખ નવા આવાસો બનાવવા માટે જુદા જુદા શહેરોના પ્રોજેક્ટસને સરકારે મંજૂરી આપી દીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 1.30 કરોડ આવાસો બની ચૂક્યા છે, ગરીબો આ ઘરોમાં રહેવા માંડ્યા છે. ગ્રામીણ વિસ્તારના ઘરોની સવા કરોડની સંખ્યા પરથી જાણી શકાય છે કે કોંગ્રેસી સરકારે ફક્ત 25 લાખ ઘરો બનાવ્યા હતા, બેઘર, ગરીબોને પાકા મકાનો મળે તે માટે કેન્દ્ર સરકારે સાડા ચાર વર્ષમાં સવા કરોડથી વધુ મકાનો બનાવીને તેમને સમર્પિત કરી દેવાયા છે. મારી સરકારમાં દેશમાં પહેલી વખત મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસોની નવી કેટેગરી બનાવી, તેમના ધિરાણમાં રાહત આપવાની યોજના અમલમાં મૂકી. મધ્યમવર્ગીય પરિવાર રૂ.20 લાખની આવાસ લોન લે છે તે તેને તેના વ્યાજમાં ઘટાડો કરી આપવામાં આવશે. જ્યારે એ પરિવાર લોન પૂરી કરશે ત્યારે વ્યાજમાં રૂ.6 લાખની મોટી બચત થશે. હિન્દુસ્તાનમાં આવી લાભકારી યોજના અન્ય કોઇ સરકારે આપી નથી, ફક્ત મારી સરકારે આપી છે.

કેટલાક લોકો નોટબંધીનો ફાયદો પૂછે છે, તેમને સવાલ એવા લોકોને પૂછવો જોઇએ, જેમને નોટબંધી પછી સસ્તા મકાનો મળ્યા. મોટા મોટા બિલ્ડરો કેટલો ફાયદો ઉઠાવ્યો એ સુરતવાળા જાણે છે, નોટબંધી પછી મકાનો સસ્તા થયા તેનો શ્રેય કેમ કોઇ આપતું નથી. રેરા કાયદાથી લોકોના નાણાંનો વ્યય થતો અટક્યો. સરકારમાં ઇચ્છા શક્તિ હોય તો શું ન થાય. પહેલા જે એલ.ઇ.ડી. બલ્બ રૂ.350માં મળતો હતો એ જ બલ્બ આજે રૂ.40-50માં મળે છે. આટલો મોટો ફર્ક કેવી રીતે પડ્યો. કેન્દ્ર સરકારે 32 કરોડ એલ.ઇ.ડી. બલ્બ સસ્તા ભાવે વેચ્યા. પરિવારોને એલ.ઇ.ડી. બલ્બથી રૂ.16,500 કરોડની વીજબિલ બચત થઇ છે.

મુદ્રા યોજના લાગૂ કરીને અમારી સરકારે 15 કરોડથી વધુ લોન બેંક ગેરેન્ટી વિના યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે અપાવી છે. 7 લાખ કરોડ રૂપિયાના ધિરાણની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. 4.25 કરોડ યુવાનો એવા છે જેમણે પહેલી વખત ધંધા માટે ધિરાણ મેળવ્યું છે. આવું બધું પૂર્ણ બહુમતિની સરકારને કારણે થયું છે. ગરીબોને આવાસો ન તો મોદી, ન તો ભારત સરકાર પણ સુરતના લોકો આપી રહ્યા છે. મતદારોના એક વોટની તાકાત છે કે ગરીબને એક મત મળ્યો છે. જે પણ પરિવર્તન આપ જોઇ રહ્યા છો એ પરિવર્તન તમારા વોટની તાકાત છે. 30 વર્ષ ભારતમાં અસ્થિતરતાનો દૌર રહ્યો, ત્રિશંકુ પાર્લામેન્ટ, જોડતોડની રાજનીતિથી દેશ કેટલીક બાબતોમાં પછડાયો, છેલ્લા 4.5 વર્ષથી સ્થિરતાનું કારણ દેશના લોકોએ પરિપક્વતાથી મતદાન થયું. પૂર્ણ બહુમતવાળી સરકાર કડક અને મોટા નિર્ણયો લઇ શકાય એ તમે છેલ્લા 4 વર્ષમાં જોયું. પૂર્ણ બહુમતની સરકાર ના હોત કડક, કઠોર, મોટા નિર્ણય ન લઇ શકાયા હોત. પૂર્ણ બહુમત એટલે એક એક મતદાતા પોતાના મતની તાકાત જોઇને મતદાન કરે.

યાદ કરો અગાઉ સરકારો કેવી રીતે ચાલતી હતી. મને કહો આજે સુરત એરપોર્ટ પર 70-72 વિમાનો અવરજવર કરે છે, પણ ક્યારે આપણે ભૂલી શકીશું કે અહીંયા એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યું હતું, મેમોરેન્ડમ આપવા પડતા હતા. અનેક રજૂઆતો મારે મુખ્યમંત્રી તરીકે પણ કરવી પડતી હતી. સુરત એરપોર્ટ વિકાસ થયો એ અમે જોયું પણ અગાઉની સરકારોને કેમ ન દેખાયું. નવું ભારત બનાવવાના અમારા પ્રયાસોને કેટલાક લોકો મજાક ઉડાડી રહ્યા છે. બદલાતા ભારતને કેટલાક અદેખાઓ જોઇ શક્તા નથી. નવા ભારતની નવી ઉર્જાને વિકાસમાં લગાડવા માટે પ્રયત્નશીલ છું.

January 30, 2019
dhfl_logo.jpg
1min8080

ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો છે જે એન્ટિટીઝ તેના પ્રમોટર્સ સાથે સંકળાયેલી હતી અને પ્રમોટર્સ જ આ ફંડના વાસ્તવિક લાભાર્થી હતા. જોકે, કંપનીના ચેરમેન કપિલ વાધવાને કોઈ પણ ગેરરીતિનો ઇનકાર કરીને દાવો કર્યો હતો કે તેમણે બધા કાયદેસરનાં ટ્રાન્ઝેક્શન જ કર્યાં છે.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો

કોબ્રાપોસ્ટના એડિટર અનિરુદ્ધ બહલે આરોપ મૂક્યો હતો કે, “ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.”

બહલે કહ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે કેટલીક શંકાસ્પદ કંપનીઓનો ઉપયોગ કરીને આ ફંડને વાળવામાં આવ્યું હતું.” તેઓ પુન:ચુકવણી કરવાની ક્ષમતા ધરાવતી નથી તેથી તેઓ ડિફોલ્ટ શરૂ કરે તે પહેલાં અમે તેમને વહેલાસર ઓળખી લીધી છે.

આઇએલ એન્ડ એફએસના ડિફોલ્ટના કારણે મોર્ગેજ ધિરાણકાર માટે ફંડનો ખર્ચ વધી ગયા પછી ડીએચએફએલની નાણાકીય સ્થિતિ અંગે સવાલ પેદા થયા છે અને તેના માટે ઋણ લેવાનું મુશ્કેલ બન્યું છે. તેણે લિક્વિડિટી જાળવવા માટે હજારો કરોડ રૂપિયાની એસેટ્સ બેન્કોને વેચવી પડી હતી અને ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની લોન ફાળવણીમાં 90 ટકા કરતાં વધારે ઘટાડો થયો હતો.

બહલે દાવો કર્યો હતો કે ડીએચએફએલના પ્રાઇમરી હિસ્સેદાર કપિલ વાધવાન, અરુણા વાધવાન અને ધીરજ વાધવાન સાથે સંકળાયેલી એન્ટિટીઝને સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવા માટે જંગી રકમ મંજૂર કરીને એક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

વાધવાને ઇટીને જણાવ્યું હતું કે, “ડીએચએફએલે જેમને લોન આપી તે શેલ કંપનીઓ ન હતી. તે બધી કાયદેસરની લોન હતી અને તેના પર વ્યાજ મળે છે. મને લાગે છે કે આ બધી કાલ્પનિક ઘડી કાઢેલી વાતો છે.”

કોબ્રાપોસ્ટે જણાવ્યું કે તેણે આ શંકાસ્પદ લોન અંગે પબ્લિક રેકોર્ડ અને સરકારી એજન્સીઓની વેબસાઇટ્સ પરથી માહિતી એકત્ર કરી છે. બહલે દાવો કર્યો હતો કે તપાસકર્તા એજન્સીઓ નાણાં ક્યાંથી ક્યાં ગયાં તે વિશે ફોરેન્સિક ઓડિટ કરે ત્યાર પછી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ કાઢી શકાશે.

પોર્ટલના દાવા પ્રમાણે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા જેવી સરકારી બેન્કોએ ડીએચએફએલને ₹11,000 કરોડ અને ₹4,000 કરોડની એડ્વાન્સ્ડ લોન આપી હતી. તેણે કહ્યું કે કંપનીએ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ₹90,000 કરોડની લોન લીધી હતી. વાધવાને દાવો કર્યો હતો કે તેમનું એસેટ કવર બમણા કરતાં વધુ છે અને તેની સામે કરવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.