CIA ALERT

Blog - Page 562 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 14, 2019
holi1.jpg
1min16030

જ્યારે આજથી એટલે કે તા.૧૪મી માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને તા.૧૫મી માર્ચથી મીનાર્ક કમુર્તાનો પ્રારંભ થાય છે અને તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૯ સુધી આ કમુર્તા રહે છે એટલે કે આ વર્ષે રામનવમીએ આ કમુર્તા પૂર્ણ થશે. આ સમયગાળામાં લગ્નાદિ સંસ્કાર કાર્યો કરી શકાતા નથી, પરંતુ આ સમયગાળામાં ભક્તિકાર્યો કરી શકાય છે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ તથા વાર્ષિક ઉત્સવ, માતાજીની નવચંડી જેવા ધર્મકાર્યમાં કમુર્તાનો દોષ આવતો નથી. એટલે કે આ સમયગાળા દરમિયાન ચૈત્ર માસમાં આવતા નવરાત્રિ, રામનવમી જેવા પ્રસંગોમાં યજ્ઞક્રિયાઓ મોટી સંખ્યામાં થતી હોય છે, તેવા ધર્મકાર્યો કરવામાં કોઇ જ પ્રકારનો દોષ આવતો નથી.

  • તા. 14 માર્ચથી 14 એપ્રિલ 2019 સુધી હોળાષ્ટક, શુભ કાર્ય વર્જિત
  • તા. 20મી માર્ચને બુધવારે હોલિકા દહન
  • તા.21મી માર્ચને ગુરુવારે ધૂળેટી
  • તા.23 મી માર્ચે ચોથો શનિવાર
  • તા.24મી માર્ચે રવિવાર

શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય (હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના 16 સંસકારો વર્જિત માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.

દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

આ વર્ષે એટલે કે વિક્રમ સંવત-૨૦૭૫માં ફાગણી પૂનમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીનું પ્રાગટ્ય રાત્રે ૮.૫૮ પછી જ ઉત્તમ છે, એ પહેલાં નહીં. કેમકે આ દિવસે વિષ્ટિ-ભદ્રા ત્યારબાદ પૂર્ણ થાય છે. 
આ વખતે હોળી-ધૂળેટીના પર્વ પછી શનિ રવિની રજાઓ વચ્ચે ફક્ત એક દિવસ 22મી માર્ચ શુક્રવાર આવે છે, ઘણાં કર્મચારીઓ, વ્યવસાયિકો, બિઝનેસમેન એક દિવસની રજા મૂકીને લોંગ વીકએન્ડ પર ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે.
March 14, 2019
fraud.jpg
1min8330

અમરેલીમાં આવેલી પ્રતાપરાય કોલેજના સંજય દવે નામના પ્રોફેસર સામે સરકારી નોકરીની લાલચ આપીને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવડાવી રૂ. પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમ ગજવે ઘાલીને છેતરપીંડી કરી હોવાની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવવામાં આવી છે. સંજય દવે ભાવનગરનાં ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મધુ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 111 બેરોજગાર યુવકો પાસેથી 5 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ઉસેટી લઈને છેતરપિંડી કર્યાની ફરીયાદને પગલે શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભાવનગર જિલ્લામાં આવેલા શિહોર તાલુકાના અગિયારી ગામમાં રહેતા કૌશિક જોશી એ નોંધાવેલી એફ.આઇ.આર.માં આક્ષેપ કર્યો છે કે અમરેલી કોલેજના અધ્યાપક સંજય દવેએ સરકારી નોકરી અપાવવાનું વચન આપી તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. પણ ઘણાં મહિનાઓ સુધી કોઇ જ પ્રતિસાદ નહીં મળતા કૌશિકએ સંજય દવે પણ દબાણ વધાર્યું હતું. જેને પગલે પ્રો.સંજય દવેએ કૌશિક જોશીને એક ઉપજાવી કાઢેલો બોગસ અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો.

બોગસ એપોઇન્ટમેન્ટ લેટરમાં કૌશિક જોશીને શ્રમ અને રોજગાર વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનો નિર્દેશ કરાયો છે.

ભાવનગર બી ડીવીઝન પોલીસ ને કૌશિક જોશીએ જણાવ્યુ કે લેટર અંગે તપાસ કરાતાં જાણવા મળ્યું કે એ લેટર સાવ બોગસ છે. વધુ તપાસ દરમિયાન એવી પણ સ્ફોટક વિગતો બહાર આવી કે સંજય દવેએ આ પ્રકારે જ સૌરાષ્ટ્રના અન્ય યુવકો સાથે પણ આ રીતે છેતરપિંડીં કરી છે. સૌરાષ્ટ્રના કુલ 111 યુવકો સાથે અધ્યાપક સંજય દવેએ છેતરપીંડી કરીને રૂપિયા ઉસેટી લીધાનું જણાય આવ્યું છે.

 

March 14, 2019
chabil.jpg
1min6790

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપાના વિવાદાસ્પદ નેતા જયંતિ ભાનુશાળીના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલે સીઆઈડી ક્રાઈમ સમક્ષ સરેન્ડર કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. ભાનુશાળીનું મર્ડર થયું ત્યારે છબીલ પટેલ અમેરિકામાં હતા. સીઆઈડી ક્રાઈમના દાવા અનુસાર, તેઓ તા.12મી માર્ચે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.

ગઇ તા.8મી જાન્યુઆરીએ ભાજપાના પ્રાદેશિક નેતા જંયતિ ભાનુશાળીનું ભૂજ-દાદર એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ કોચમાં મધરાતે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાતના પોલિટીકલ પ્લેટફોર્મને હચમચાવતી આ રાજકીય હત્યામાં ભાજપના જ અન્ય નેતા અને જયંતિ ભાનુશાળી સાથે દુશ્મનાવટ ધરાવતા છબીલ પટેલનો હાથ હોવાનો સીધો આક્ષેપ ભાનુશાળીના પરિવારજનોએ કર્યો હતો. પરીણામે પોલીસે આ કેસમાં અગાઉ છબીલ પટેલના દીકરાની ધરપકડ કરી લીધી છે

અત્યારસુધી છબીલ પટેલ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપનારા શશિકાંત કાંબલે અને અશરફ શેખ નામના શાર્પશૂટર્સની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ભાજપાના નેતા છબીલ પટેલ ઉપરાંત મનિષા નામની મહિલાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

March 14, 2019
hardik-1.jpg
1min5670
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
March 14, 2019
hardik.jpg
1min15900
લોકસભાની આગામી ચૂંટણી માટે જામનગરની બેઠક માટે હાર્દિક પટેલની સંભવિત ઉમેદવારીના વિરોધમાં પાટીદાર સમાજના કેટલાંક કાર્યકરો દ્વારા ‘ હાર્દિક પટેલ હાય હાય’ના સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાં પ્રવેશ કરતા અને રાજકારણમાં પડતા જામનગરના પાટીદાર સમાજના કેટલાય કાર્યકરો નારાજ થયા છે.
તા.13 માર્ચ 2019ની બપોરે શહેરના રણજીતનગર પટેલ સમાજના ચોકમાં એકત્ર થયાં હતાં અને હાર્દિક પટેલ વિરૂધ્ધ નારા લગાવી હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જામનગર બેઠક માટે હાર્દિક પટેલ ઉમેદવારી કરશે તો પૂરો વિરોધ કરવામાં આવશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
સમાજ સાથે કોઇ દ્રોહ નથી કર્યો : હાર્દિક પટેલ
પાસ કન્વીનર હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યો છે. કોંગ્રેસમાં એન્ટ્રી લેતા જ કોંગ્રેસ પક્ષમાં હાર્દિકનું મહત્વ જણાઇ આવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠકમાં પણ પહોંચ્યો હતો, તો સાથે જ તેને જનસભામાં મંચ પર દિગ્ગજ નેતાઓની વચ્ચે સ્થાન મળ્યું હતું. હાર્દિક પટેલની એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત થઇ હતી ત્યારે કોંગ્રેસમાં અચાનક હાર્દિકનું કદ વધુ ગયુ છે  ત્યારે પક્ષ મોવડીઓથી પહેલેથી જ નારાજ અલ્પેશ ઠાકોર અને હાર્દિક વચ્ચે ઘર્ષણ ઉભું થઇ શકે છે.
જો પક્ષમાં હાર્દિકનું કદ વધ્યું તો અલ્પેશ ફરીથી કોંગ્રેસ સામે બાંયો ચઢાવી શકે છે. અહીં નોંધવુ ઘટે કે, લોકસભા ચૂંટણીમાં પોતાના માટે પાટણની અને પત્ની માટે પોતાની વિધાનસભા બેઠકની માંગણી કરવા માટે અલ્પેશ ઠાકોરે છેક દિલ્હી સુધી ધામા નાખ્યા હતા.
દરમિયાન હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે, હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું. પાટીદાર સમાજ સાથે મેં કોઇ દ્રોહ નથી કર્યો. તેણે એમ પણ કહ્યુ ંકે, જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
March 14, 2019
income_tax-1280x853.jpg
1min6730

લોકસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીખર્ચ મોનિટરિંગના ભાગરૂપે રોકડ રકમની હેરફેર પર નજર રાખવા અને બિનહિસાબી રોકડ જપ્ત કરવા માટે આવકવેરા વિભાગે રાજ્યના 33 જિલ્લામાં ટીમની રચના કરી છે. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આપવામાં આવતા કેસ ઉપરાંત કન્ટ્રોલ રૂમ તથા એર ઇન્ટેલિજન્સ દ્વારા પર આવકવેરા વિભાગ બિનહિસાબી રોકડ અને મૂલ્યવાન ધાતુઓની હેરફેર પર નજર રાખશે.

આવકવેરા વિભાગના ડિરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈને બુધવારે જણાવ્યું હતું કે, “લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીખર્ચ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના ભાગરૂપે તમામ રોકડની હેરફેર પર નજર રાખવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી રોકડ રકમ હિસાબી હોવાના પૂરતા પુરાવા આપે તેમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જો બિનહિસાબી રોકડ પકડાશે તો તે નાણાં જપ્ત કરવામાં આવશે અને તેનું એસેસમેન્ટ હાથ ધરાશે અને આવકવેરા કાયદાની કલમ 153(એ) મુજબ નોટિસ, પ્રોસિક્યુશન, પેનલ્ટી અને વ્યાજ સહિતનાં પગલાં લેવામાં આવશે. 1 કિગ્રાથી વધુ મૂલ્યના સોનાના દાગીના કે બુલિયન અને ₹10 લાખથી વધુની રોકડ પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સા ફરજિયાતપણે આવકવેરા વિભાગને સોંપવાના રહે છે.”

આવકવેરા વિભાગે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ ₹4.66 કરોડની રોકડ પકડી હતી જેમાંથી ₹1.39 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને 27 કિગ્રા સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે સમગ્ર રાજ્યમાં છ ઝોનલ હેડ ઓફિસર અને એક સ્ટેટ હેડ ઓફિસની નિમણૂક કરી છે. અમદાવાદમાં બે અને રાજકોટ, સુરત, વડોદરા, વાપીમાં એક-એક ઝોનલ હેડની નિમણૂક કરીને તેમના વિસ્તારના જિલ્લાની વહેંચણી કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક ટીમ બનાવવામાં આવી છે. આવકવેરા વિભાગે 24 કલાક કાર્યરત એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે અને તેમાં જે જિલ્લામાં રોકડની હેરફેર અંગે માહિતી આવે તે રિયલ ટાઇમ તે જિલ્લાની ટીમને ટ્રાન્સમિટ કરવાની સિસ્ટમ રચી છે. રાજ્યનાં 11 એરપોર્ટ પર પણ સર્વેલન્સ માટે એર ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. ચૂંટણી સુધી રોકડની હેરફેર પર નજર રાખવા માટે વિભાગના કુલ ૪૦૪ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઇ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં ₹50,000 કરતાં વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા તેવાહનમાં કોઈ પણ પ્રકારનાં ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે.

આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

March 14, 2019
gst.jpg
1min6300

ચૂંટણી પંચે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નીચા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) દરોના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે વિચારણા કરવા આગામી 19મી માર્ચે નિયત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી બતાવી છે. આ મીટિંગ વિડિયો કૉન્ફરન્સિંગ મારફત યોજાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ચૂંટણી પંચની મંજૂરી મળી જવાને પગલે જીએસટી કાઉન્સિલના સચિવાલય ખાતેથી રાજ્યોને 19મી માર્ચે યોજાનારી કાઉન્સિલની 34મી બેઠકમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. રવિવારથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી ચૂંટણી પંચની મંજૂરી જરૂરી હતી.

અગાઉની મીટિંગમાં ઉચ્ચ-સ્તરીય જીએસટી કાઉન્સિલે બાંધકામ હેઠળના ફ્લૅટો પરના વેરાનો દર પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો હતો તેમ જ નીચલા વર્ગોને પરવડી શકે એવા ભાવના ઘરો પરના ટેક્સનો દર ઘટાડીને એક ટકો કરી નાખ્યો હતો.

હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટી કે રહેવા માટે તૈયાર ફ્લૅટો માટેના પેમેન્ટ પરની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) સાથે 12 ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તૈયાર ફ્લૅટો એવા હોય છે જેમાં વેચાણના સમયે પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું હોતું. પરવડી શકાય એવી રહેવાલાયક યુનિટો (ઘરો) માટે 8 ટકાનો ટેક્સનો દર અત્યારે પ્રવર્તમાન છે.

ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને 97,247 કરોડ રૂપિયા હતું જે આગલા મહિને 1.02 લાખ કરોડ એકત્રિત થયું હતું. ફેબ્રુઆરીના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ 17,626 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) 24,192 કરોડ રૂપિયા, ઇન્ટીગ્રેટેડ જીએસટી 46,953 કરોડ રૂપિયા અને સેસ 8476 કરોડ રૂપિયા હતું.

વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 10.70 લાખ કરોડ રૂપિયાનો જીએસટી એકત્રિત થયો છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક સુધારિત અંદાજોમાં 13.71 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી નાખ્યો છે.

એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા, મેમાં 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઈમાં 96,483 કરોડ રૂપિયા, ઑગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 94,442 કરોડ રૂપિયા, ઑક્ટોબરમાં 1,00,710 કરોડ રૂપિયા, નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 94,725 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતું.

આગામી નાણાકીય વર્ષ (2019-’20) માટે જીએસટી કલેક્શન ટાર્ગેટ 13.71 લાખ કરોડ રૂપિયા નિયત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

March 13, 2019
SGCCI.jpg
1min7800
  • SGCCI મેનેજિંગ કમિટીમાં 13 નવા ચહેરાઓને સ્થાન
  • સત્તાધારી પક્ષ તરફથી 7 નવા ચહેરા સમાવાશે
  • બીએસ અગ્રવાલ જૂથના 6 ચહેરાઓ અને એ નવા અને જેન્યુઇન વ્યવસાયિક કે ઉદ્યોગપતિ છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક તરફ આજના અખબારોમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી અંગેની નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી તો બીજી તરફ સાંજના સુમારે એવા સમાચાર આવ્યા હતા કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ચીફ પેટ્રનની 12, પેટ્રનની 6 અને લાઇફ મેમ્બરની કુલ 46 બેઠકો માટેની ચૂંટણી ટળી જવા પામી છે. માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલ કેમ્પ દ્વારા સમાધાનકારી વલણ અપનાવીને સત્તાધારી પેનલ સાથે સમાધાનની ફોર્મ્યુલા પર સંમતિ આપવામાં આવી હતી.

સાંજે 5 વાગ્યે ચેમ્બર કાર્યાલય ખાતે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે કંઇક નવીન કાર્ય કરવા જઇએ એટલે સ્વાભાવિક વિરોધ થાય. હું તો પ્રમુખ બની ચૂક્યો છું, આમ છતાં મેં કેમ મેનેજિંગ કમિટીની ચૂંટણી થાય તેવો અભિગમ અપનાવ્યો એ બાબતે મને લોકો સવાલો કરતા હતા. બી.એસ. અગ્રવાલે કહ્યું કે ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં નવા ચહેરાઓ ખાસ કરીને જેન્યુઇન બિઝનેસમેન, વ્યવસાયિકોને સ્થાન મળે તેવા પ્રયાસ માટે મેં આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું કે આ વખતની મેનેજિંગ કમિટીમાં ઘણાં નવા ચહેરાઓ આપને જોવા મળશે.

સત્તાધારી પેનલ સાથે કેટલી બેઠકો પર સમાધાન થયું એ અંગે બીએસ અગ્રવાલે કોઇ ફોડ પાડ્યો ન હતો. પરંતુ, સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બી.એસ. અગ્રવાલ જૂથના 6 જેટલા પ્રતિનિધિઓને મેનેજિંગ કમિટીમાં સ્થાન મળશે એ નિશ્ચિત મનાય છે. આ વખતની ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં કુલ 13 નવા ચહેરાઓ જોવા મળશે. બીએસ જૂથ ઉપરાંત સત્તાધારી જૂથ દ્વારા પણ કેટલાક જૂના નેતાઓને પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

જોકે, ચૂંટણી ટળવાની આધિકારીક ઘોષણાં મોડી સાંજે કરવામાં આવશે એમ મનાય છે. તા.13મી માર્ચ 2019ને બુધવારે સાંજે 5.10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે ચેમ્બરની ચૂંટણી ટળી ગયાના પહેલા સમાચાર સી.આઇ.એ. લાઇવને મૌખિક રીતે મળ્યા હતા.

ટૂંકમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી હવે ટળી જવા પામી છે. હવે પછીનો જંગ વાઇસ પ્રેસિડેન્ટશીપ માટે લડાશે.

March 13, 2019
google.jpg
1min10500

તા.13મીએ મધરાતથી વિશ્વમાં ગૂગલ સર્વિસીઝમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓને કારણે વિશ્વભરના કરોડો ગુગલ સર્વિસ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. જો તમે ગઇકાલ એટલે કે મંગળવારે રાતથી બુધવારે સવાર સુધીમાં ગુગલની સર્વિસીઝ જેવી કે ગુગલ મેલ- જીમેલ, ગુગલ મેપ, ગુગલ ડ્રાઇવ, યુ ટ્યુબ વગેરે ઓપરેટ કરવામાં તકલીફ અનુભવતા હોવ તો તમે એકલા નથી, આખા વિશ્વએ આ મુશ્કેલી અનુભવી ત્યારે ગુગલ સત્તાવાળાઓએ પણ એ વાતનો એકરાર કરવો પડ્યો હતો કે ગુગલ સર્વિસમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ છે અને બુધવારે ભારતીય સમય પ્રમાણે સવારે 11.14 વાગ્યા સુધીમાં ગુગલ તેની ભૂલોને રેક્ટીફાય કરી દેશે.

ગુગલ સર્વિસીઝમાં કયા પ્રોબ્લેમ્સ થઇ રહ્યા છે

  • ગુગલ સર્વિસીઝમાં એટેચમેન્ટસ
  • ડાઉનલોડિંગ પ્રોબ્લેમ
  • સેન્ડ અને રિસિવિંગ પ્રોબ્લેમ
  • ઓપરેટિંગ પ્રોબ્લેમ 

ભારતમાં બુધવારે સવારે સાડા સાત વાગ્યાથી ગુગલ સર્વિસ, ગુગલ પ્લે સ્ટોરના ઓપરેટિંગમાં હજારો નહીં પણ લાખો ગુગલ યુઝર્સે મુશ્કેલી પડતી હોવાની ફરીયાદો કરી હતી. સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝ ઓપરેશનમાં મુશ્કેલીની ફરીયાદ આવતા અમેરિકામાં મધરાત હોવા છતાં ગુગલ એ તેની વર્કફોર્સ કામે લગાડીને વૈશ્વિક પ્રોબ્લેમને સુધારવા માટે યુદ્ધના ધોરણે  કામગીરી શરૂ કરી હતી. કેમકે વિશ્વમાં કરોડો લોકો ગુગલની સર્વિસીઝના બંધાણી થઇ ચૂક્યા છે. સૌથી મોટી તકલીફ ગુગલ મેલ તેમજ ક્લાઉડ અને ડ્રાઇવમાં એટેચમેન્ટસમાં આવી રહી હતી.

સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝની ફરીયાદો ઉઠતા ગુગલ સત્તાવાળાઓએ તેમના ઓફિશ્યલ સોશ્યલ મિડીયા પર કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે.

 

March 13, 2019
SpiceJet-MAX2.jpg
2min18550
  • બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ મૂકાયા પછી પણ સ્પાઇસ જેટ એ દિલ્હી સુરત રૂટની સાથે દેશમાં 6-6 લોકેશન્સ પર ઉડતા કોફીન સમાન બોઇંગ 737 મેક્સ વિમાનો બેરોકટોક ઉડાડ્યા
  • ભારતમાં બોઇંગ 737 મેક્સ વિમાન પર પ્રતિબંધ મૂકાયા પછી તમામ એરલાઇન્સ એ આ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા ફક્ત સ્પાઇસ જેટએ 6-6 ફ્લાઇટ્સ ઉડતા કોફિન જેવા વિમાનોમાં ઉડાડીને હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા
  • બુધવારે સવારે 11 વાગ્યે સ્પાઇશ જેટ તરફથી કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી જે આ સમાચારના અંત ભાગમાં રજૂ કરવામાં આવી છે

(ઉડતા કોફીન મનાય રહ્યા છે બોઇંગ 737 મેક્સ વિમાનો)

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એરલાઇન કંપનીઓ પોતાના બિઝનેસને જતો ન કરવો પડે તેટલા માટે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતી નથી, આ બાબતની પ્રતીતિ કરાવતી ઘટના તા.13મી માર્ચ 2019ના રોજ દિલ્હી સુરત ફ્લાઇટમાં બની છે. આજે તા.13મી માર્ચને બુધવારે સવારે દિલ્હીથી સુરત આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ 737 બોઇંગ મેક્સ વિમાનમાં મોકલવાની હતી. હજુ તા.12મીએ રાત્રે જ ડીજીસીએ સમેત ભારતીય ઉડ્ડયન ઓથોરિટીએ બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાંથી ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને એ મુજબ ભારતની સ્પાઇસ જેટ સિવાયની તમામ એરલાઇન્સ કંપનીઓએ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા હતા. પરંતુ, એકમાત્ર સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની ફ્લાઇટ બોઇંગ 737 મેક્સ વિમાન સાથે 189 પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા છે. એથી વિશેષ દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટ સુરતથી પરત દિલ્હી જવા માટે પણ એ જ પ્લેનનો ઉપયોગ કર્યો હતો.

રવિવાર. 11મી માર્ચ 2019ના રોજ ઇથોપિયાનું બોઇંગ 737 મેક્સ વિમાન તૂટી પડવાની ઘટના બાદ સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોએ બોઇંગ 737 મેક્સ મોડેલના વિમાનોને ઉડાડવા પર તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે પ્રતિબંધ લાદી છે. ભારતે પણ તાકીદની અસરથી સરકારી અને પ્રાઇવેટ બન્ને એરલાઇન્સને બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાં કોઇપણ સંજોગોમાં ઉપયોગમાં નહીં લેવાની કડક સૂચના જારી કરી છે.

અત્યાર સુધી ક્રેશ થયેલા મોટા ભાગના વિમાનો આ મોડેલના હોઇ આખી દુનિયામાં એ પુરવાર થઇ ચૂક્યું છે કે બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડતા કોફિન જેવા છે. આમ છતાં તા.12મી માર્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની પોતાની ફ્લાઇટ બોઇંગ મેક્સ 737 મોડેલમાં જ રવાના કરી હતી. જે લોકો સ્પાઇસ જેટની આ હરકતને પામી ચૂક્યા હતા તેમણે તાત્કાલિક ટ્વીટ કરીને પ્રાઇમ મિનિસ્ટર તેમજ ડીજીસીએને જાણ કરી હતી. સ્પાઇસ જેટ એ દિલ્હીથી સુરતની ફ્લાઇટ માં પ્રતિબંધિત બોઇંગ 737 મેક્સ વિમાન ઉડાડીને પેસેન્જરોનો તો જીવ જોખમમાં મૂક્યો હતો પરંતુ, નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના નીતિ નિયમોના પણ ધજ્જીયા ઉડાડી મૂક્યા છે.

સુરતના એવીએશન ક્ષેત્રના એક્સપર્ટ રાજેશભાઇ મોદીએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તા.12મીએ સાંજે ડીજીસીએ એ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને ભારતમાં સ્પાઇસ જેટ સિવાય બાકીની તમામ કંપનીઓએ આજે સવારથી બોઇંગ 737 મેક્સ વિમાનોમાં એકેય ફ્લાઇટ ઉડાડી ન હતી. પરંતુ, સ્પાઇસ જેટની સુરત દિલ્હી રૂટ ઉપરાંત દેશમાં 6 ફ્લાઇટ્સ પ્રતિબંધિત 737 બોઇંગ મેક્સ વિમાનોમાં ચાલી રહી હતી. રાજેશ મોદીએ સી.આઇ.એ.ને બોઇંગ 737 મેક્સ વિમાનોમાં ઉડતી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સની ઇમેજ પણ શેર કરી હતી.

ભારત સરકારે બોઇંગ 737 મેક્સ વિમાનોને પ્રતિબંધિત કર્યા પછી એક સાથે 6-6 ફ્લાઇટ્સ બેરોકટોક પણે ઉડાડનાર સ્પાઇસ જેટના સંચાલકોએ હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે. સુરતના રાજેશ મોદીએ કહ્યું કે તેઓ આ મુદ્દે ડીજીસીએ સાથે પત્ર વ્યવહાર કરીને આવું કેમ થયું તેનો જવાબ માગવાના છે.

ડરી રહી છે દુનિયા બોઈંગ 737થી

ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

માત્ર 6 મહિનામાં જ બોઈંગ 737 મેક્સ 8ના બે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાથી હવે વિશ્વભરના દેશો તેનાથી ડરી રહ્યા છે. ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના નિવેદન પ્રમાણે જ્યાં સુધી આ વિમાનની સુરક્ષા અંગેની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેની ઉડાન પર પ્રતિબંધ રહેશે. મુસાફરોની સુરક્ષા સર્વોપરિ છે. DGCAએ કહ્યું કે તેઓ એરલાઈન્સ અને એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ તમામ એરલાઈન્સની ઈમરજન્સી મીટિંગ બોલાવી છે, જેમાં મુસાફરોની પરેશાની પર ચર્ચા થશે.

DGCA has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. These planes will be grounded till appropriate modifications and safety measures are undertaken to ensure their safe operations. (1/2)

આ પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, આયરલેન્ડ, આઈસલેન્ડ, ઓમાન, ચીન, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને આર્જેન્ટિના જેવા દેશો પણ બોઈંગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. આ વિમાનનો ખૌફ એટલો જબરજસ્ત છે કે યુકેએ તો પોતાની એરસ્પેસમાં પણ બોઈંગના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

At 11 a.m. on 13 March 2019 Spice Jet has made a Clarification, As Given Below.