Blog - Page 419 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 12, 2019
alang.jpg
1min6430

સંસદમાં શિપ રિસાઇક્લિંગ બિલ-2019 પસાર થવાને પગલે ભાવનગરના અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડનું કામકાજ વધવાની શક્યતાઓ વધી ચૂકી છે. યુરોપ અને જાપાન જેવા દેશોના જહાજો અંતિમ સફર માટે હાલ ચીન અને તુર્કી જાય છે એ હવે ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ સુધી દોરાય આવે તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. અલંગના શિપરિસાઇક્લિંગ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓના મતે આ બિલ દ્વારા ટર્નઓવર વધશે.

અલંગમાં દર વર્ષે સરેરાશ 250થી 280 શીપ ભાંગવા કે રિસાઇક્લિંગ માટે આવે છે. આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે.

જાણકારો કહે છે કે સંસદે પાસ કરેલા બિલને પગલે ચોક્કસપણે અલંગના શિપ રિસાઇક્લરને મોટા પાયે ફાયદો કરાવશે. આ ખરડો પસાર થવાને પગલે હોંગકોગ કન્વેન્શન એડોપ્ટ કરવાનો રસ્તો હવે સાફ થયો છે. તેનાથી પર્યાવરણ અને સુરક્ષાને લગતી બાબતો પર ભાર મુકાશે, જેનો લાભ ભારતના ઉદ્યોગને થશે. નવી શરતોને પગલે યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળશે. અગાઉ આ જહાજો તુર્કી અથવા ચીન જતા હતા. અલંગ અગાઉ કરતાં પણ મોટા પાયે શિપ રિસાઇક્લિંગ ડેસ્ટિનેશન તરીકે ઊભરશે.

શિપ રિસાઇક્લિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ સેક્રટરી નીતિન કણકિયાએ જણાવ્યું હતું કે, “આ બિલ પાસ થવું અમારી માટે સારી બાબત છે. હોંગકોગ કન્વેન્શનનો સ્વીકાર થતા હવે શિપ રિસાઇક્લિંગ ક્ષેત્રે સેફટી અને પર્યાવરણ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. તેથી વિદેશી જહાજો અલંગ આવશે અને અહીં વધુ લોકોને રોજગારી મળશે.”

અગાઉ સુરક્ષા કે પર્યાવરણ જેવા ઇશ્યૂનો ઉલ્લેખ ન હતો. એટલું જ નહીં, હવે યુદ્ધજહાજોને પણ તેમાં સમાવી લેવાને પગલે હવે વોરશિપ પણ રિસાઇક્લિંગ માટે અલંગ આવી શકશે. અગાઉ વોરશિપ અંગે આપણે પ્રતિબંધ રાખ્યા હતા. હવે અનેક નવાં ક્ષેત્રોમાંથી શિપ આવશે. એટલું જ નહીં જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની સાથે ગુજરાતમાં અલંગને વિકસાવવાના વિશાળ પ્લાન ચાલી રહ્યા છે.

જાયકા સાથે રહીને કરોડોના રોકાણ સાથે રિસાઇક્લિંગ યાર્ડ તેમજ અન્ય ફેસિલિટી ઊભી કરાવામાં આવનારી છે. તેમાં કારીગરોને પણ સેફટીને લગતી યોગ્ય દેખરેખ રાખવાનું આયોજન છે. આ તમામ બાબતો અને આ બિલનું પાસ થવું બંને સાથે જોઈએ તો હવે ગુજરાતના અલંગ ખાતેના શિપ રિસાઇક્લિંગ યાર્ડ માટે વિપુલ તક આગામી દિશામાં ઊભી થવાની છે.

December 12, 2019
nirbhaya1.jpg
1min5600

તિહાર જેલમાં સજા કાપી રહેલા દિલ્હીની નિર્ભયા રેપ કેસના ચારેય નરાધમ હરામખોર અપરાધીઓને આગામી તા. 16મી ડિસેમ્બરના દિવસે અથવા તો 29મી ડિસેમ્બરના દિવસે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. તિહારમાં ફાંસીનો તખતો જેલ નંબર -3માં રાખવામાં આવ્યો છે.

ફાંસી આપવા સાથે સંબંધિત દયાની અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ તરફથી કોઇ અંતિમ ફેંસલો આવ્યો નથી. તેમના ફેંસલાની રાહ જોવામાં આવી રહી છે. આમ છતાં, તિહાર જેલમાં ફાંસીવાળા રૂમ અને અન્ય ચીજોની તૈયારી કરવામાં આવી ચૂકી છે. તિહાર જેલમાં નંબર-3માં તમામને ફાંસી આપવામાં આવનાર છે.

એક અહેવાલ પ્રમાણે દોષિતોને ફાંસી આપવા માટે મેરઠથી જલ્લાદ આવશે. આ માટે યુપી જેલના ડીજીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે.

નિર્ભયાના ચારે દોષિત પણ શાંત ભાવમાં દેખાઈ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે જેમાં સંસદના હુમલાના દોષિત ત્રાસવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો. બીજી બાજુ અપરાધી નર્વસ થવા લાગી ગયા છે. હાલમાં તો સામાન્ય રીતે અપરાધી ભોજન કરી રહ્યા છે. જો કે તેમના ચહેરા પર ચિંતાના ભાવને જોઈ શકાય છે.

December 11, 2019
sumul_dairy.jpg
1min5490

સુરત જિલ્લાની સુમુલ ડેરી દ્વારા સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જે કાલ ૧૧ ડિસેમ્બરથી અમલમાં આવશે. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં ચિંતિત બની હતી.

સુરત શહેરમાં રોજ ૯ લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થાય છે જેમાં સુમુલ ગોલ્ડ અને સુમુલ તાજા દૂધની માંગ વધુ રહે છે. સુમુલ ડેરીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસુ છ મહિના ચાલતા ઘાસચારાની તંગી ઊભી થઈ છે. સાથે દૂધની પણ અછત જોવા મળી રહી છે. જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રો-મટિરિયલ્સ અને પશુપાલકોની માગને ધ્યાનમાં રાખીની સુમુલ દ્વારા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સુમુલ ગોલ્ડનો લિટરનો હાલનો ભાવ ૫૬ રૂપિયા છે. જેમાં બે રૂપિયાનો વધારો કરી ૫૮ રૂપિયામાં મળશે. જ્યારે સુમુલ તાજાની હાલના ભાવ ૪૪ રૂપિયામાં ૨ રૂપિયાનો વધારો કરી ૪૬ રૂપિયામાં મળશે. દૂધના ભાવ વધારાને લઈ શહેરના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

December 11, 2019
kalbadevi.jpg
1min4870

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ કાલબાદેવીના ૨૩ વર્ષના ઝવેરીની સોમવારે ધરપકડ કરી હતી. પકડાયેલા ઝવેરીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૮૦ કિલો સોનું દાણચોરીથી મેળવ્યું હતું, જેની કિેંમત રૂ. ૫૪ કરોડ જેટલી છે. ઝવેરીની ઓળખ સાહિલ જૈન તરીકે થઇ હોઇ ડીઆરઆઇએ સાહિલની સાથે ગોપારામ (૩૬) નામના શખસની પણ ધરપકડ કરી હતી. બંને જણ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ડીઆરઆઇના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે રવિવારે કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતેથી ગોપારામને ઝડપી પાડ્યો હતો. તે હાવડા એક્સપ્રેસમાં કોલકાતાથી મુંબઈ આવ્યો હતો. ગોપારામ પાસેથી રૂ. ૨.૭૧ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું હતું, જે જેકેટમાં છુપાવાયું હતું અને તે દાણચોરીથી લાવવામાં આવ્યું હતું.

આ સોનું તે મુંબઈમાં સાહિલ જૈન નામના ઝવેરીને આપવાનો હતો, એવું ગોપારામે પૂછપરછમાં જણાવ્યા બાદ ડીઆરઆઇએ ઝવેરીને તાબામાં લીધો હતો. ઝવેરીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે આ પ્રમાણે છેલ્લા દસ મહિનામાં ૧૮૦ કિલો સોનું મેળવ્યું હતું.

દરમિયાન સોનાના દાણચોરીના રેકેટની તપાસ કરી રહેલા ડીઆરઆઇના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે કોલકાતા, રાયપુરથી સોનું મુંબઈમાં લાવવામાં આવતું હતું. આ રેકેટ સાથે સંકળાયેલા વધુ આઠ જણની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા અને રાયપુરથી ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગોવિંદ માલવિયા, અન્ના રામ, મહેન્દ્ર કુમાર, ફિરોઝ મુલ્લા, સૂરજ મુલ્લા, કૈલાશ જગતાપ અને વિશાલ અંકુશ તરીકે થઇ હોઇ અત્યાર સુધીમાં રૂ. ૧૬.૫ કરોડની કિંમતનું ૪૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

December 11, 2019
assam.jpg
1min7720

નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ આવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પ્રદર્શન વધતા દિબ્રુગઢમાં સેના પણ બોલાવવામાં આવી છે અને ઘણી ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે અને કેટલાકના રૂટ બદલી દેવામાં આવ્યા છે. ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં વિરોધ પ્રદર્શન વધારે ઉગ્ર બની રહ્યું છે. બુધવારે પ્રદર્શનકારીઓએ રાજધાની દિસપુરમાં જનતા ભવન નજીક બસોમાં આગ ચાંપી દીધી હતી. અહેવાલ પ્રમાણે વિરોધ પ્રદર્શન હિંસક બનતા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને પ્રદેશના 10 જિલ્લામાં બુધવારે સાંજે સાત વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ઈન્ટરનેટ સેવાઓ 12 ડિસેમ્બર સાંજે સાત વાગ્યા સુધી લખીમપુર, તિનસુકિયા, ઢેમાજી, દિબ્રુગઢ, ચરાયદેવ, શિવસાગર, જોરહાટ, ગોલઘાટ, કામરૂપ મેટ્રો અને કામરૂપ જિલ્લામાં બંધ કરવામાં આવી છે.

રાજધાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને સચિવાલય તરફ આગળ વધતા જોયા બાદ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ જીએસ રોડ પર રાખવામાં આવેલા બેરિકેડ્સ તોડી દીધા હતા અને તે જોતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

December 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7880

અડાજણ-પાલ-રાંદેરના ધો.10ના વિદ્યાર્થીઓ માટે દાળીયા સ્કુલ યોજી રહી છે માર્ગદર્શક સંવાદ

આજે ઇન્ટરનેટના જમાનામાં બધી માહિતી હાથવગી છે પણ એના અર્થઘટન અને વર્ગીકરણમાં મોટાભાગના મુશ્કેલીઓ અનુભવે છે. પરીક્ષા પદ્ધતિ બદલાય છે, આર્ટ્સ ,કોમર્સ ,સાયન્સ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ વગેરે ટ્રેન્ડ પણ બદલાય છે! ત્યારે દસમા ધોરણ પછી પોતાના રસ-રુચિ મુજબનું કયું ફિલ્ડ પસંદ કરવું? કયા ક્ષેત્રે પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકાય જેવા ઘણા પ્રશ્નોથી વિદ્યાર્થી અને વાલીઓને ખૂબ જ મૂંઝવણ થાય છે.

વાલી અને વિદ્યાર્થીઓની આ અકળામણ અમે અનુભવી છે અને એટલે જ ધોરણ 10 પછી બાળકોને પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ મળી રહે, એમને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી સાર્વજનિક કેળવણી મંડળ, અડાજણ સંચાલિત શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલમાં આગામી ૧૪ ડિસેમ્બર શનિવારે સાંજે 6:30 કલાકે “ધોરણ 10 પછી પ્રગતિનો રાજમાર્ગ ” વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય વક્તા તરીકે ખૂબ જ જાણીતા કારકિર્દી માર્ગદર્શક શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ:શૂલ્ક રહેશે. સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા પણ ભેટ રૂપે આપવામાં આવશે તો આસપાસની શાળાના તથા ક્લાસીસોના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને સેમિનારમાં ઉપસ્થિત રહી આ નિ:શૂલ્ક સેમિનારનો લાભ લેવા માટે વિનંતી.

December 10, 2019
pm_insurance.jpg
1min6490

પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ પ.૯૧ કરોડ લોકોએ નોંધણી કરી છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૫.૪૭ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. બંને સામાજિક સુરક્ષા સ્કીમ ૨૦૧૫માં શરૂ કરાઈ હતી. બંને યોજના મળીને ૨૧.૩૮ કરોડ લોકોએ નોંધણી કરી છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં સોમવારે જણાવ્યું હતું.

તમામ ભારતીયો માટે સમાન સામાજિક સુરક્ષા સિસ્ટમ ઊભી કરવા માટે વડા પ્રધાન મોદીએ ૯ મે, ૨૦૧૫ના વીમાની બે યોજના શરૂ કરાવી હતી. બૅન્કો તરફથી મળેલી માહિતી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ બંને યોજનામાં અનુક્રમે ૫.૯૧ કરોડ અને ૧૫.૪૭ કરોડની નોંધણી થઈ હતી. પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ ૧૮થી ૫૦ વર્ષના વયજૂથની વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો બે લાખનું વીમા કવચ મળે છે જેનું બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ એકાઉન્ટ હોવું જરૂરી છે. વર્ષે રૂ. ૩૩૦નું પ્રીમિયમ ઓટો-ડેબિટ થઈ જાય તે માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે.

પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે રૂ. બે લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતા માટે રૂ. એક લાખની ઓફર થાય છે. ૧૮ થી ૭૦ વર્ષના વયજૂથની વ્યક્તિને આ યોજના લાગુ પડે છે. આમાં વર્ષે ફકત રૂ. ૧૨નું પ્રીમિયમ છે.

December 10, 2019
sana_marin-1280x720.jpg
1min7080

ફિનલૅન્ડની સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટીએ વડા પ્રધાનપદ માટે ૩૪ વર્ષનાં ભૂતપૂર્વ પરિવહનપ્રધાન સના મરીનને પસંદ કર્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં તે સૌથી યુવા વડાં પ્રધાન બન્યાં છે. મરીને રવિવારે થયેલું મતદાન જીતીને નેતા ઍન્ટિ રિનેનું સ્થાન લીધું હતું. જેણે પોસ્ટ હડતાળને સમેટવા માટે સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતું.

મરીને પત્રકારોને કહ્યું કે ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહુ કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેમણે કહ્યું કે મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને કારણે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં જ મરીને રાજનીતિમાં પગ મૂક્યો હતો અને એ જ સમયથી તે લોકોમાં ખાસ્સી ફેમસ થઈ ગઈ હતી.

ફિનલૅન્ડના પ્રમુખ અખબાર અનુસાર મરીન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જૅકિંડા આર્ડેન ૩૯ વર્ષ, યુક્રેનના પીએમ ઓલેક્સી હોન્ચારુક ૩૫ વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૩૫ વર્ષના છે.

December 10, 2019
panipat.jpg
1min6070

ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી.

રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેદ્રાસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે’ છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.

December 10, 2019
russia.jpg
1min5520

વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. આનો મતલબ એ થયો કે રશિયા આવતા ચાર વર્ષ સુધી કોઇ પણ પ્રકારના આંતરરષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લઇ શકશે નહીં. રશિયા પરના પ્રતિબંધને લીધે તે આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક અને કતારમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ-2022માંથી પણ બહાર થઇ ગયું છે.

વાડાએ રશિયા પર આકરો પ્રતિબંધ ડોપિંગ વિરોધી પ્રયોગશાળાના ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના લીધે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. વાડાના પ્રવકતાએ કહયું છે કે આ ફેંસલો સર્વસમંતિથી લેવામાં આવ્યો છે. રશિયા પર ભલે પ્રતિબંધ મુકાયો, પણ તેના ખેલાડીઓને ડોપિંગ મામલે વાડા તરફથી કલીન ચિટ મળશે તો તેઓ તટસ્થ ધ્વજ હેઠળ ઓલિમ્પિક સહિતના વૈશ્વિ રમતોત્સવમાં ભાગ લઇ શકશે. વાડાની સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં રશિયા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.

વાડાના આ પ્રતિબંધ પર રશિયા 21 દિવસની અંદર અપીલ કરી શકે છે. જો તે આવું કરશે તો મામલો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)ને મોકલવામાં આવશે. વાડાના’ ઉપાધ્યક્ષ લિંડા હેલેલેડએ કહયું છે કે રશિયા પર આ પ્રતિબંધ પર્યાપ્ત નથી. પ્રતિબંધને લીધે રશિયા ઓલિમ્પિક-2032ના યજમાનપદ માટે દાવો પણ નોંધાવી શકશે નહીં.