Blog - Page 414 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 22, 2019
crimeagainstwomen.jpg
1min5890

મહિલા સામેના ગુનાઓ આચર્યાના આરોપોવાળા કેસ જેઓ વિરુદ્ધ નોંધાયા છે તેવા અનેક સાંસદો/વિધાનસભ્યો છે.
એક તરફ ન્યાયનો સિદ્ધાંત જણાવે છે કે જયાં સુધી આરોપ સાબિત ન થયો હોય ત્યાં સુધી જે તે આરોપી વ્યકિતને અપરાધી ન ઠરાવી શકાય. સાથે એક કડવું સત્ય એ ય છે કે બળાત્કારનો આરોપી કોઈ ચૂંટાયેલો લોકપ્રતિનિધિ હોય તે તેની તપાસપ્રક્રિયાને ચોકકસપણે પ્રભાવિત કરતો હોય છે.

બળાત્કારના આરોપી એવા 3 ઉમેદવારો 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવામાં તથા રાજયોની ચૂંટણીઓમાં આવા આરોપીસરના છ ઉમેદવાર વિધાનસભ્ય બનવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં 76 જનપ્રતિનિધિઓ-18 સાંસદ અને 58 વિધાનસભ્યો-મહિલાઓ સામેના ગુના આચરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષં (’10-’19) સાંસદો પરના મહિલા-અપરાધો સબબ નોંધાયેલા મામલામાં 8પ0 ટકા વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા અપરાધીઓના આરોપી ઉમેદવારોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે.

કુલ એવા 17 રાજકીય પક્ષો છે જેઓના સાંસદ કે વિધાનસભ્ય વિરુદ્ધ મહિલા સામે અપરાધ આચરવાના આરોપ નોંધાયા છે. તેમાં એસિડ વડે એટેક, બળાત્કાર, યૌન ઉત્પીડન, મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાનો કે સગીરાઓની હેરાફેરીના આરોપસરના કેસોનો સમાવેશ થાય છે. આવા કુલ આરોપીઓના પચાસ’ ટકા કોંગ્રેસ અને ભાજપના છે.

December 22, 2019
senameal.jpg
1min4920

વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ મુંબઈગરા માટે ૧૦ રૂપિયામાં જમવાની થાળીની જાહેરાત કરી હતી, તેની શરૂઆત મુંબઈ મહાનગરપાલિકાથી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની કૅન્ટિનમાં માત્ર ૧૦ રૂપિયામાં થાળી આપવાના પ્રોજેક્ટનો ગુરુવારે મેયર કિશોરી પેડણેકરને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પાલિકામાં દસ રૂપિયામાં થાળી ચાલુ કરવામાં આવી છે, જોકે તેનો લાભ ફક્ત પાલિકા કર્મચારીઓને જ મળવાનો છે. અન્ય લોકોને જોકે કેન્ટિને નક્કી કરેલા દરે જ થાળી મળશે. ગુરુવારે બપોરે પાલિકાની કૅન્ટિનમાં દસ રૂપિયાની થાળીની યોજનાનું ઉદ્ઘાટન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. મુંબઈમાં દસ રૂપિયામાં થાળી આપવાની યોજના શક્ય છે કે નહીં તે બાબતે પાલિકા વિચાર કરી રહી છે આ દરમિયાન પાલિકાના અન્ય વોર્ડમાં પણ દસ રૂપિયામાં થાળી આપવાની યોજના બહુ જલદી ચાલુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાંં રાજ્યમાં દસ રૂપિયાની થાળી આપવાની યોજનાની જાહેરાત કરી હતી.

December 22, 2019
pakwindies.jpg
1min4760

ભારતીય ક્રિકેટ ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે લાગલગાટ ૧૦મી ટેસ્ટ-સિરીઝ જીતવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. કૅરેબિયનો ભારતના પ્રવાસમાં આવ્યા ત્યાર બાદ ભારતીય ટીમે ફીલ્ડિંગમાં થોડી કચાશ બતાવવા ઉપરાંત એકંદરે સુંદર ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું છે અને એ જોતાં આજે કટકના બારામતી સ્ટેડિયમ ખાતેની નિર્ણાયક વન-ડેમાં કીરોન પૉલાર્ડ ઍન્ડ કંપની સામે વિરાટસેના જીતશે એવી પાકી સંભાવના છે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત સામે ૧૩ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીતી શકી. એ જોતાં, તેમને આજે એ પરંપરા તોડવાની તક છે.

બન્ને ટીમો શ્રેણીમાં ૧-૧ની બરાબરીમાં છે અને આજે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) વેસ્ટ ઇન્ડિયન ટીમ આ પ્રવાસની આખરી મૅચ રમશે.

વિશાખાપટનમ ખાતેની બીજી વન-ડેમાં વિરાટ કોહલી અને કીરોન પોલાર્ડ, બન્ને હરીફ કૅપ્ટન પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયા હતા. વિરાટ માટે એ લકી ગ્રાઉન્ડ હતું, પણ એના પર જ તે સાવ ફ્લૉપ ગયો હતો. જોકે, રોહિત શર્મા (૧૫૯) તથા કે. એલ. રાહુલ (૧૦૨) વચ્ચેની ૨૨૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપે ટીમની લાજ રાખી હતી અને છેવટે કૅરેબિયનો ૩૮૮ રનના તોતિંગ લક્ષ્યાંક સામે દબાઈ ગયા હતા અને ૨૮૦ રને ઑલઆઉટ થતાં ૧૦૭ રનથી હારી ગયા હતા.

રોહિત શર્માને ત્રણેય ફૉર્મેટમાં ઓપનર તરીકે હાઇએસ્ટ રન-સ્કોરર બનાવનાર સનથ જયસૂર્યાનો બાવીસ વર્ષ જૂનો વિક્રમ તોડવાનો આજે મોકો છે અને એ માટે રોહિતને ફક્ત ૯ રનની જરૂર છે.

શ્રેયસ ઐયર અને રિષભ પંતની મિડલ-ઑર્ડરની જોડી પણ ભારતીય ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

પેસ બોલર દીપક ચહર ઈજા પામતાં દિલ્હીના પેસ બોલર નવદીપ સૈનીને ટીમમાં સમાવાયો છે. તે આજે વન-ડેમાં ડેબ્યૂ કરી શકે એમ છે.

વેસ્ટ ઇન્ડિઝને ઓપનર અને વિકેટકીપર શાઇ હોપ તથા શિમરોન હેટમાયર પર આધાર છે. શાઇ હોપને તાજેતરમાં આઇપીએલ માટેની હરાજીમાં કોઈ પણ ટીમે નહોતો ખરીદ્યો, જ્યારે હેટમાયરને દિલ્હી કૅપિટલ્સ ટીમે ૭.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે હોપ નારાજગીમાં જબરદસ્ત રમીને આઇપીએલની ટીમોના માલિકોને બતાવી દેવા કોઈ કસર નહીં છોડે. બીજી તરફ, હેટમાયર પોણાઆઠ કરોડ રૂપિયાના પોતાના ખરીદભાવને સાર્થક ઠરાવવાના પ્રયાસમાં આજે ભારત સામે જોરદાર પર્ફોર્મ કરશે તો નવાઈ નહીં લાગે.

કટકમાં છેલ્લે ૨૦૧૭માં વન-ડે રમાઈ હતી જેમાં ભારતે ઇંગ્લૅન્ડને ૩૮૩ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ૧૫ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

ભારત છેલ્લે વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે ૧-૨થી હારી ગયું હતું, પરંતુ આજે કૅરેબિયનો સામે ૨-૧થી જીતવાનો ચાન્સ છે.

વિરાટ કોહલી માટે કટકનું બારામતી સ્ટેડિયમ નસીબવંતુ નથી. અહીં તેણે ત્રણ વન-ડે તથા એક ટી-ટ્વેન્ટીમાં કુલ મળીને માત્ર ૩૪ રન બનાવ્યા છે. તેના આ ચાર મૅચના સ્કોર આ મુજબ રહ્યા છે: ૩, ૨૨, ૧, ૮.

બન્ને દેશોની સંભવિત ઇલેવન

ભારત: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહંમદ શમી, નવદીપ સૈની તેમ જ શાર્દુલ ઠાકુર અથવા યુઝવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઇન્ડિઝ: કીરૉન પોલાર્ડ (કૅપ્ટન), શાઇ હોપ (વિકેટકીપર), એવિન લુઇસ, શિમરોન હેટમાયર, રૉસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ, ખેરી પિયેર અને શેલ્ડન કૉટ્રેલ.

December 22, 2019
nrc.jpg
1min10560

સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.

December 22, 2019
dada_amitabh.jpg
1min5540

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

અહીંના વિજ્ઞાનભવનમાં યોજાનારા વાર્ષિક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાય છે. આમ છતાં, આ વખતે રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ માત્ર વિજેતાઓ માટે ‘ચા-નાસ્તા’નો કાર્યક્રમ યોજવાના છે.

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઇ છે.

વિકી કૌશલને ‘ઉરી’ અને આયુષ્માન ખુરાનાને ‘અંધાધુન’ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાની ટ્રૉફી અપાશે.

કીર્તિ સુરેશને તેલુગુ મુવી ‘મહંતી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાયા છે.

આદિત્ય ધારે ‘ઉરી’ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો છે.

December 21, 2019
navy.jpg
1min5100

ભારતીય નૌસેનામાં જાસૂસીનાં મોટા ષડયંત્રનો ભાંડો ફૂટયો છે. આંધ્રપ્રદેશની પોલીસ, ગુપ્તચર તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓએ એક સંયુક્ત ઓપરેશન પાર પાડતાં જાસૂસીનાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને નૌસેનાનાં 7 કર્મચારીઓની ધરપકડ કરી લીધી છે.

આંધ્રની પોલીસે હવે આ મામલે કેસ નોંધીને ધરપકડ કરવામાં આવેલા તમામ નૌકાદળનાં કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી અધિકૃત જાણકારી અનુસાર પોલીસ, કેન્દ્રીય અને નૌસેનાની ગુપ્તચર શાખાઓએ સાથે મળીને ઓપરેશન ડોલ્ફીન નોઝ ચલાવ્યું હતું અને આ જાસૂસીનાં કૌભાંડને ઉઘાડું કર્યુ છે.

જેમાં નૈસેનાનાં 7 કર્મચારી અને હવાલા ઓપરેટરને દેશનાં વિભિન્ન ભાગોમાં પકડી પાડવામાં આવ્યા છે. અન્ય કેટલાંક શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વિશે વધુ કોઈ વિગતો આપવાનો ઈનકાર કરતાં પોલીસે કહ્યું હતું કે આની વધુ તપાસ ચાલી રહી છે. આ જાસૂસી રેકેટનાં તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાની પૂરી આશંકા છે.

December 21, 2019
yashawi.jpg
1min5200

ક્રિકેટ કલબના ટેંટમાં રાત પસાર કરવાથી લઇને ગુજરાન ચલાવવા અર્થે પાણીપૂરી વેંચવા સુધીને સંઘર્ષમય સફર કાપનાર યશસ્વી જાયસ્વાલને તેના જન્મદિવસના 9 દિવસ પહેલા મોટી ભેટ મળી ચૂકી છે. તે 28 ડિસેમ્બરે 18 વર્ષનો થવાનો છે. મુંબઇના આ પ્રતિભાશાળી બેટધરને આઇપીએલની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડ રૂપિયાની કીંમત ચૂકવીને ખરીદ કર્યોં છે.’

યૂપીના ભદોહી સાથે નાતો ધરાવનાર યશસ્વીએ આ વર્ષે વિજય હઝારે વન ડે ટ્રોફીમાં ઝારખંડ વિરૂધ્ધ 1પ4 દડામાં 203 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે તે પ્રથમ કક્ષાના મેચમાં ડબલ સેન્ચૂરી કરનારો સૌથી નાની વયનો ભારતીય ખેલાડી બની ગયો હતો. હવે આઇપીએલમાં 20 લાખની બેઝ પ્રાઇસ સામે તેને 2.4 કરોડનો જેકપોટ લાગ્યો છે. આ વિશે યશસ્વી જયસ્વાલ કહે છે કે હાલ તો મારા મગજમાં આઇપીએલ નથી. મારું પૂરું ધ્યાન અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર દેખાવ કરવા પર છે. જેથી ભારત ચેમ્પિયન બને.

December 21, 2019
net_off.jpg
1min5180

ગુજરાતમાં નાગરિકતા કાયદાનો વિરોધ થવા સામે બંધના એલાન બાદ અમદાવાદ અને વડોદરામાં થયેલા તોફાનોને ગંભીરતાથી લઇને રાજ્ય સરકાર અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. સરકારે ઇન્ટરનેટ બંધ કરવાની સત્તા એડી.જીપીને આપવામાં આવી હોવાની વાત ફેલાઇ હતી. જોકે, ખુદ ગ્ાૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ આખી વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, આવી કોઇ સૂચના આપી નથી અને ઇન્ટરનેટ ચાલુ જ છે અને આવતીકાલે પણ ચાલુ જ રહેશે.

બીજી બાજુ સરકારે કરેલા આદેશ મુજબ ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ રાખવા ઈન્ટેલિજન્સના એડીજીપીને અધિકાર અપાયા છે. રાજ્યમાં ઉગ્ર દેખાવો અને ક્ધટ્રોલ બહાર જતી દેખાય તેવી સ્થિતિ હોય ત્યારે ઈન્ટરનેટ બંધ કરાશે. જે વિસ્તારમાં તંગદિલીભરી સ્થિતિ હોય ત્યાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં છે જ્યારે વડોદરામાં થયેલા જુમ્માની નમાઝ બાદ થયેલા પથ્થરમારા બાદ પોલીસ ઘટનાસ્થળે છે અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. રાજ્યમાં આવી કોઈ ઘટનાઓ બને અને સ્થિતિ વણસતી જણાય તો જ ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવશે. આ અંગે એક પરિપત્ર વાયરલ થયો હતો.

December 20, 2019
liquor.jpg
1min7830

સૂરત સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના કામમાં ધરબાયેલા કોઠાકબાડા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ઠેકઠેકાણે કોન્ટ્રાક્ટ, ટેન્ડર અને કામો કરાવવામાં જે પ્રકારે ભ્રષ્ટ રીતરસમો અપનાવવામાં આવી રહી છે તેના કારણે સમગ્ર સૂરતનું નામ બદનામ થઇ રહ્યું છે. સૂરતની સિવિલ હોસ્પિટલમાં દારૂના (હેલ્થ પરમિટ) પરવાના માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના પ્રમાણપત્ર પર સહી સિક્કા કરી-કરાવી આપવાની આડમાં કેટલી તોતિંગ રકમનો ભ્રષ્ટાચાર છેલ્લા ત્રણ મહિનામાં આચરવામાં આવ્યો તેની સિલસિલાબદ્ધ વિગતો જેની સરકારમાં રજૂઆત કરવામાં આવી છે એ અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી વિભાગની નીતિમાં ફેરફારમાં દસેક મહિના જેટલો સમય લિકર પરમિટનું કામ બંધ રખાવ્યા બાદ ગત ઓગસ્ટ 2019થી નવી લિકર પરમિટ કાઢી આપવા તેમજ જૂની લિકર પરમિટ રિન્યુઅલની કાર્યવાહી ફરીથી શરૂ કરાવી હતી. સૂરતની વાત કરીએ તો સૂરતમાં નવેમ્બર 2019 સુધીમાં કહેવાય છે કે 1820 પરમિટ રિન્યુ કરી આપવામાં આવી જ્યારે 250 જેટલા અરજદારોને નવી લિકર પરમિટ ઇશ્યુ કરવામાં આવી.

હેલ્થ પરમિટ માટે સર્ટિફિકેટના રિન્યઅલના રૂ.1500 અને નવીના રૂ.2500નો ધારો પાડી દેવામાં આવ્યો હતો

સૂત્રો જણાવે છે કે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા વચેટીયાઓએ લિકર હેલ્થ પરમિટ માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના તબીબી પ્રમાણપત્ર, ફાઇલ પ્રોસેસિંગ માટેના ભાવો બાંધી દીધા હતા એ મુજબ રિન્યુ પરમિટ માટે રૂ.1500 જ્યારે નવી પરમિટ માટે રૂ.2500 પ્રતિ અરજદાર ખંખેરી લેવામાં આવતા હતા. શોખીન સૂરતીઓ માટે ભલે આ રકમ નાની હોય. પણ જ્યારે આનો સરવાળો કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં કહેવાય છે કે રિન્યુ કરાયેલી 1820 પરમિટ માટે રૂ.27 લાખ 30 હજાર જ્યારે નવી પરમીટ પેટે રૂ.6 લાખ 25 હજાર મળીને રૂ.33.55 લાખ રૂપિયાનો મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ રૂપિયાની વહેંચણીમાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે મોટી ગોલમાલ થઇ અને સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને એ પછી સૂરતની સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે ચાલતા કૌભાંડને ડામી દેવા માટે શ્રેણીબદ્ધ આવકારદાયક પગલાં ભરવાનો આરંભ કરવામાં આવ્યો હતો.

કડીરૂપ ગણેશ પરમિટ કહે નહીં ત્યાં સુધી રોગી કલ્યાણ સમિતિના સ્ટાફર રશીદો પણ ન ફાડતા

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ પરમિટ કે ગણેશ સાઇકલના નામથી જાણીતા એક કડીરૂપ વ્યક્તિને એટલો પાવર આપી દેવામાં આવ્યો હતો કે સિવિલ સુપરિટેન્ડન્ટની કચેરીમાં લિકર પરમિટના કામ માટે જતા અરજદારો કંઇપણ પૂછો તે કહેવાતું કે ગણેશને મળો, એ કહેશે પછી જ કામ થશે. એ ત્યાં સુધી કે પ્રોસેસ થયેલી ફાઇલના રોગી કલ્યાણ સમિતિમાં નાણા જમા કરાવવા જતા લોકોને પણ સ્ટાફ, કેશીયર એવું કહે કે ગણેશ કહેશે પછી જ રૂપિયા જમા લઇને રશીદ આપવામાં આવશે. સિવિલમાં હંગામી સ્ટાફર પણ ન હોવા છતાં આ કડીરૂપ વ્યક્તિ ગણેશ સિવિલ સુપરિટેન્ડન્ટની ઓફિસની બાજૂમાં બેસીને પરમિટની ફાઇલોનું કામ કરતો, નોટિંગ કરતો, રૂપિયા ઉસેટતો, વહેવારો કરતો હતો. આટલો પાવર કડીરૂપ વ્યક્તિ ગણેશને આપવામાં આવ્યો હોવાના વિડીયો સ્ટીંગ સરકારને મોકલવામાં આવ્યા હતા. એ પછી સરકારે સિવિલ સુપરિટેન્ડન્ટને કહીને કડીરૂપ વ્યક્તિ ગણેશને સુપરિટેન્ડન્ટની કચેરીની આસપાસ ફરકવા પણ ન દેવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.

લિકર પરમીટ કૌભાંડ : પ્રોસેસિંગ વગર 30 ફાઇલો સિવિલ હોસ્પિટલથી નશાબંધી ખાતામાં પહોંચી ગઇ

સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આચરવામાં આવી રહેલા લિકર પરમિટના મહાભ્રષ્ટાચારમાં રોજેરોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરના સમયમાં ગણેશ નામના વચેટીયાએ દારુની પરમિટના અરજદારો પાસેથી ઉઘરાવેલા રૂપિયા વહેંચવાની તકરાર છેક રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચી જતા રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડ પર સ્ટીમ રોલર ફેરવીને ડો.ગણેશ ગોવેકરને તાત્કાલિક અસરથી બદલી કરી દીધી હતી.

પરમિટ કૌભાંડમાં એક એવી પણ વિગત પ્રકાશમાં આવી છે એ મુજબ ગઇ તા.1લી ડિસેમ્બર 2019ના રોજથી તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગોવેકરે રાજ્ય સરકારની કડક સૂચના બાદ એવી સિસ્ટમ અમલમાં મૂકી કે લિકર પરમિટના દરેક અરજદારોએ ફિઝિકલ વેરિફિકેશન માટે રૂબરૂ નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટની કચેરીમાં આવવું અને ત્યાંથી પ્રોસેસિંગ થાય બાદ જ અરજી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવી સૂચના છતાં લિકર પરમિટની 30 ફાઇલો કે જેના અરજદારો નવી સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ આવ્યા નથી, ફિઝિકલ વેરિફિકેશન થયું નથી આમ છતાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે નવી સિવિલ હોસ્પિટલમાંથી નશાબંધી ખાતામાં પંહોચી ચૂકી છે. જો તા.1લી ડિસેમ્બર 2019થી તા.16મી ડિસેમ્બર 2019 સુધીના સીસી ટીવી ફુટેજિસ ચેક કરવામાં આવે તો 30 પરમિટ ધારકો ક્યાંયે હાજર નહીં થયાનું ફલિત થઇ જાય તેમ છે.

આમ તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે ખુદ સૂચના બહાર પાડી અને પડદા પાછળ સૂચનાનો જાતે જ ભંગ કરીને અરજદારો રૂબરૂમાં હાજર નહીં થયા હોવા છતાં તેમની પરમિટ પર સહીસિક્કા કરીને નશાબંધી વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. આ ગેરકાનૂની કામની પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ રાજ્યના આરોગ્ય વિભાગને કરવામાં આવી છે.

December 20, 2019
itc.jpg
1min5520

જીએસટી લાગુ થયો ત્યારથી વેપાર – ઉદ્યોગની એક અથવા બીજા કારણોસર પરેશાન થઇ રહ્યા છે. ટેક્સની આંટીઘૂંટી અને દિર્ઘદૃષ્ટિ વિનાના નિર્ણયોને લીધે પાછલા અઢી વર્ષમાં તમામ વર્ગ કોઇને કોઇ રીતે મુશ્કેલીમાં મુકાયો જ છે. તા.18મી ડિસેમ્બર 2019ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની ટકાવારી 20 ટકામાંથી 10 ટકા સુધી મર્યાદિત કરી દેવાતા હવે વેપારીઓ અને ડીલરોની કાર્યશીલ મૂડી બ્લોક થઈ જવાની છે જેને કારણે મંદીના માહોલમાં સ્થિતિ વધુ કથળે એમ છે. નાના વેપારીઓનો ધંધો પણ પીંખાઈ જાય તેમ છે.

કાઉન્સિલની જાહેરાત અનુસાર માલના સપ્લાયર દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતોમાં કોઈ મિસમેચ હોય, ભર્યા ન હોય કે કોઇ વિગત ન આપવામાં આવી હોય તેવા સંજોગમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ 10 ટકા કરતા વધારે આપવામાં આવશે નહીં. સરકાર આ નિયમ ઓક્ટોબરમાં ચાલુ વર્ષે લાવી હતી પણ દર 20 ટકા ફિક્સ કરવામાં આવ્યો હતો. હવે 10 ટકા ઘટાડવામાં આવતા પેઢી કે કંપનીઓની મોટી રોકડ રકમ ફસાયેલી રહેશે.

એક અભ્યાસુ કહે છે, દાખલા તરીકે નવેમ્બર મહિનામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ રૂ. 1500ની ચોપડા પ્રમાણે થાય છે. આમાંના કેટલાક વેન્ડરે જીએસટીઆર-1માં રૂ. 500ની ક્રેડિટ ફાઇલ નથી કરી. એ કિસ્સામાં હવે નવા નિયમ મુજબ ખરીદનારને ફક્ત રૂ. 1100ની મર્યાદામાં જ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકશે. (રૂ. 1000ના 10 ટકા પ્રમાણે). આગઉની સ્થિતિમાં રૂ. 1500 પૂરા મળતા હતા. હવે બાકીની રકમ સરકાર પાસે પડતર રહેશે.

એક ટેક્સ પ્રેક્ટિશનરે કહ્યું કે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિએ રૂ. 100નો માલ ખરીદ્યો હોય તો 18 ટકા લેખે રૂ. 18 જીએસટી બીજી વ્યક્તિ ભરતી હતી. તેના ઉપર 20 ટકા અર્થાત્ રૂ. 18 ઉપર રૂ. 3.6 ક્રેડિટ ખરીદનારને મળતી. હવે કોઇ વેચનાર ઇનવોઇસ અપલોડ ન કરે તો તેવા કિસ્સામાં રૂ. 1.80 જ ક્રેડિટ મળશે. આ બચેલી પૂરેપૂરી ક્રેડિટ ફરી મેળવતા લગભગ 19 મહિના લાગી જશે. આ નિયમથી ત્રિમાસિક રીટર્ન ભરતો હોય તેવો વેચનાર કે ખરીદનાર બન્ને હેરાન થશે.

સરકાર નવો ફેરફાર કરવા માગતી હોય તો તે નવા નાણાકીય વર્ષથી કરવો જોઈએ. અધવચ્ચે અમલ કરવાથી નાણાકીય અંધાધૂંધી સર્જાશે. ત્રિમાસિક ફાઇલ કરતો વેપારી હવે મંથલીમાં જવા ઇચ્છે તો તે નવા નાણા વર્ષથી જ કરી શકે છે એટલે તેનો ઉકેલ આવશે નહીં. જો સરકાર ત્વરિત માસિક રીટર્ન તરફ વેપારીને જવા દેશે તો મુશ્કેલી હળવી થઈ જશે. રોકડની વ્યાપક અછતથી વેપાર-ઉદ્યોગ પરેશાન છે ત્યારે સરકારે આ નવી મુસિબત ખડી કરી દીધી છે.