CIA ALERT

Blog - Page 351 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 14, 2020
CIA_Live_Logo_New2.jpg
10min3957

Jayesh Brahmbhatt 98253 44944

તા.4થી જુન 2022ના રોજ ધો.12 કોમર્સનું ગુજરાત બોર્ડનું પરીણામ જાહેર થશે. એ પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધો.12 પછી ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રમાં કયા કોર્સમાં પ્રવેશ મેળવવો જોઇએ એ કામ એટલું અગત્યનું છે કે તેના પર વિદ્યાર્થીઓની જ નહીં બલ્કે સમગ્ર પરિવારનું ભવિષ્ય નિર્ભર રહેલું હોય છે. ધો.12 કોમર્સને આમેય સામાન્ય પ્રવાહ તરીકે જ ગણવામાં આવે છે ત્યારે ફક્ત કાગળની ડિગ્રી આપે એવા કોર્સની જગ્યાએ એવા કોર્સમાં જોડાવું જોઇએ જેનો કન્ટેન્ટ વ્યાવસાયિક કારર્કિર્દીના ઘડતરમાં ઉપયોગી થાય.

કેમ્પસ નહીં કોર્સ કન્ટેન્ટ જોઇને પ્રવેશ લેવો જોઇએ

ધો.12 કોમર્સ પછી કોલેજ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે તે કોલેજ કેમ્પસ કે તેમાં આપવામાં આવતી ફેસેલિટીઝીની જગ્યાએ કોર્સ કન્ટેન્ટ કે તેમાં શું અભ્યાસ કરાવવામાં આવશે એ જોઇને પ્રવેશ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

કોમર્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના વિકલ્પો

• B.Com. stands for Bachelor of Commerce. Generally a 3 years long course.
B.B.A. stands for Bachelor of Business Administration. 3 years course.
B.M.S. stands for Bachelor of Management Science. 3 years long course.
• L.L.B. Integrated Law course. Duration is 5 years. It is a combination of General Graduation course and Law
• B.B.S. stands for Bachelor of Business Studies. Course duration is 3 years.
B.H.M. stands for Bachelor of Hotel Management. duration is 4 year.
B.A. Eco. stands for Bachelor of Economics. Course duration is 3 years.
B.F.A. stands for Bachelor of Finance and Accounting. duration is 3 years.
B.C.A. stands for Bachelor of Computer Applications. duration is 3 years.
B.Sc.I.T. Information Technology. Course duration is 3 and 5 years.
B.Sc.Statistics Course duration is 3 years.
B.M.M. stands for Bachelor of Journalism and Mass Media. Course duration is 3 years.
B.Sc.Animation and Multimedia. Course duration is 3 years.
B.E.M. stands for Bachelor of Event Management. duration is 3 years.
B.F.D. stands for Bachelor of Fashion Design. Course is 3-4 years.
• B.El.Ed. stands for Bachelor of Elementary Education. Duration is 4 years.
B.P.Ed. stands for Bachelor of Physical Education. Course duration is 1 year.
D.El.Ed. stands for Diploma in Elementary Education. Course duration is generally 2 years.
B.SW. stands for Bachelor of Social Work. Course duration is 3 years.

ધો.12 કોમર્સ પછી એક રેગ્યુલર ડિગ્રી અને નીચેમાંથી કોઇ એક સર્ટિફિકેશન્સનું કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે

Business economics:

This would cover concepts like the laws of demand and supply, law of returns, elasticity, theory of pricing under different market forms etc.

• Financial accounting:

This subject would deal with the preparation of profit and loss statements, balance sheets and final accounts of a company, knowledge of Indian and international accounting standards, calculation of depreciation and valuation of shares and goodwill of a company.

• Cost accounting:

This would include process, job and contract costing, costing of overheads, standard and variance costing and budgetary control.
• Income tax:

This would encompass the nature and basis of charge of income tax, tax planning, tax deduction, incomes not taxable etc.

• Auditing :

This would deal with vouching, valuation and verification of transactions, assets and liabilities. It will also include studying the auditing of different organizations like clubs, hospitals and charitable concerns.

• Business finance:

This would include in its scope financial analysis as a diagnostic tool, the management of working capital and its components as well as capital structure leverages.

• Business law :

This subject would discuss the different laws in India relating to, among others, the Companies Act and the Consumer Protection Act.

• Marketing :

This subject would deal with products, pricing methods, promotion, channels of distribution, logistics etc.

PG course after graduation

Economics
Marketing
Entrepreneurship
Mathematics
Computer Applications and IT
Business Regulatory Framework
Company Laws
Corporate Accounting
Income Tax
Business Communications
Business Environment
Management Accounting
Auditing
Statistics
Human Resource Management
Banking and Insurance

Law lines

Constitutional Laws
Property Laws
Banking Laws
Environmental Laws
Company Laws
Consumer Protection Laws
Family Laws
Labour and Industrial Laws
Human Rights laws
Administrative Laws
Public International Laws

Accounts line

Accounting
Economics
Taxation
Tax Laws
Auditing
Business Laws
Financial Management
Business Communication
Corporate Laws

Management line

Financial Management
Marketing
Economics
Human Resource Management
Accounting
Statistics
Business Communications
Entrepreneurship skills

Economics Line

Agricultural Economics
Macro Economics
Principles of Economics
Indian Economics
Macro Economics
Industrial Economics
Banking Economics
Public Finance
International Trade
Regional Economics

With hospitality management
Food Production
Front Office Operations
Human Resource Management
Housekeeping and Maintenance
Communication Skills
Travel Management
Accounting

Mass communication Line

Media Ethics
Mass Communication
Editing
Reporting
Languages and Translation
Communication Skills
Electronic Media
Print Media

Event management subjects
Study of main events
Planning
Human Resource Management
Accounting
Marketing and Advertising
Public Relations
Business Law

Inbuilt with hotel management
Communication Skills
Foreign Language
Food Production
Travel Management
Front Office Operations
Housekeeping
Management
Accounting
Nutrition and Food Science
Public Relations
Marketing

Latest on This Web

June 14, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9700

ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવા કે મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસી વગેરેમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાઓ હજુ તો જુલાઇ માસના અંતમાં લેવામાં આવશે, એ પહેલા હાલ જુનના બીજા અઠવાડીયાથી જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એસસી.ના પહેલા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને રજિસ્ટ્રેશન બાદ તા.7મી જુલાઇએ પ્રવેશ કન્ફર્મ કરીને ફી ભરવા માટેની તારીખ પણ જાહેર કરી દીધી છે.

આ સ્થિતિમાં ધો.12 સાયન્સ પ્રવાહ પાસ થયેલા વિદ્યાર્થીઓ એ મૂંઝવણમાં છે કે તેઓ મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ પહેલા બી.એસસી.ના પ્રવેશ પ્રાધાન્ય કેવી રીતે આપી શકે. જો બી.એસસી.માં પ્રવેશ કન્ફર્મ કરાવે તો કોલેજો ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને પછી એ પરત મેળવવામાં ભારે ધાંધીયા થયાના દાખલા ભૂતકાળમાં નોંધાયા છે.

Options Beside B.Sc….

  • MBBS
  • Dental
  • Homeopathy
  • Aurvedic
  • Optometry
  • Nursing
  • Pharmacy
  • Agriculture
  • Physiotherapy

હવે શું થશે

વીર નર્મદ યુનિવર્સિટીએ ભલે બી.એસસી.માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી હોય. હવે એ પરિસ્થિતિ ઉદભવશે કે પ્રવેશાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે. એવા પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે જેમને નીટ કે ગુજકેટના આધારે પ્રવેશ મળવાનું નિશ્ચિત છે, આમ છતાં સેફ્ટી ખાતર મોટા ભાગના વિદ્યાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે અને જ્યાં સુધી પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહીનો પહેલો રાઉન્ડ જાહેર ન થાય ત્યાં સુધી બી.એસસી.માં એડમિશન કન્ફર્મ નહીં કરાવે. 2019માં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે.

સ્વાભાવિક છે કે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નર્સિંગ, ફાર્મસી વગેરે પ્રોફેશનલ કોર્સિસની પ્રવેશ શક્યતાઓ તપાસ્યા વિના વિદ્યાર્થીઓ બી.એસસી.ને કેવી રીતે અપનાવી શકે.

વીર નર્મદ યુનિવર્સિટીની બી.એસસી.ની પ્રવેશ પ્રક્રિયાની તારીખો

Latest on This Wen

June 14, 2020
corona-gujarat.jpg
1min5860

જૂનમાં મહિનામાં ૧૧ દિવસમાં ૫૨૭ કેસ નોંધાયા અને ૩૪૭ મૃત્યુ થયાં છે. આ કેસને દર ૧ કલાક સાથે ડિવાઇડ કરો તો ૧૧ દિવસના ૨૬૪ કલાકમાં પ્રતિ કલાકે રાજ્યમાં ૧૯.૯ એટલે કે વીસ જેટલા કેસ અને ૧.૩ એટલે કે ઍવરેજ એક મોત તો નીપજ્યું છે.

રાજ્ય સરકારે લૉકડાઉન ખોલીને અનલૉક જાહેર કરતાં તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલૉક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલૉક-1ના પ્રથમ ૧૧ દિવસમાં ૫૨૭૩ પૉઝિટિવ કેસ અને ૩૪૭ મોત થયાં છે. આ આંકડાને ૧૧ દિવસના કલાકો સાથે ભાંગીને આંકડો મેળવો તો ચોંકાવનારું તથ્ય જાણવા મળે છે.

આ સ્થિતિ ગંભીર છે અને એની ગંભીર નોંધ લેવાય એ આવશ્યક છે. જોકે વેપારધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી એમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કૅલ્ક્યુલેટેડ જોખમમાં પ્રથમ ૧૧ દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય એવું માલૂમ થઈ રહ્યું છે. કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનવતા નેવે મૂકી પ્રાઇવેટ હૉસ્પિટલો દરદીઓને લૂંટી રહી છે.

June 14, 2020
online-class-2.jpg
1min6720

કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું. 

June 14, 2020
coronaindia-1-1280x1044.jpg
1min6030

ભારતમાં કોવિડ-૧૯ના દરદીની સંખ્યા બે લાખનો આંક પાર કર્યાના માત્ર દસ દિવસ બાદ શનિવારે કુલ દરદીની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઇ હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોના વાઇરસના ૧૧,૪૫૮ નવા કેસ નોંધાવા સાથે કુલ કેસ વધીને ૩,૦૮,૯૯૩ થયા હોવાની અને ૩૮૬ દર્દીનાં મૃત્યુ સાથે કુલ આંક વધીને ૮૮૮૪ પર પહોંચ્યો હતો.

ભારતમાં કોરોનાના પ્રથમ ૧૦૦ કેસમાંથી એક લાખ કેસ નોંધાતા ૬૪ દિવસ લાગ્યા હતા અને ત્યાર બાદ પંદર દિવસમાં કોરોનાના કેસ વધીને બે લાખની સપાટીએ પહોંચ્યા હતા. હવે માત્ર દસ દિવસમાં એક લાખ કેસ વધવા સાથે ભારત વિશ્ર્વના સૌથી વધુ કોરોનાના દર્દીઓવાળા દેશોની યાદીમાં ચોથા ક્રમાંકે પહોંચ્યો છે.

જોકે, મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો ૧૫.૪ દિવસથી વધીને ૧૭.૪ દિવસ થયો છે.

હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૪૫,૭૭૯ થઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૩૨૯ વ્યક્તિ સાજી થઇ છે અને એક દર્દી અન્ય દેશમાં જતો રહ્યો છે. આ સાથે સાજા થનારા દરદીની ટકાવારી વધીને ૪૯.૯૦ ટકા થઇ છે.

કુલ નોંધાયેલા સક્રિય કેસમાં કેટલાક વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

June 14, 2020
rainingujarat-1.jpg
1min5810

ગુજરાતમાં પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. શનિવારે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વડોદરાના કરજણમાં સવા ત્રણ ઇંચ, ખેડાના માતરમાં ત્રણ ઇંચ, બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યના ૧૩ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૬૪ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના તરસડા ગામમાં નદીના વહેણમાં બળદગાડું તણાઇ જતા એકનું મોત થયું હતું. બીજી બાજુ શનિવારે સવારથી સાંજ સુધીમાં રાજ્યના છ તાલુકામાં ૫ મીમીથી ૩૬ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના નખત્રાણામાં ૩૬ મીમી વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨૧, કચ્છના માંડવીમાં આઠ, વડાદરાના પાદરા, સુરતના માંગરોળ, અને ડાંગના સુબીરમાં પણ સાંજ સુધીમાં પાંચ થી ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં શુક્રવારે મોડી સાંજથી સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો જ્યારે દાહોદમાં ત્રણ વીજ કર્મીને કરંટ લાગતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી સાત સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વડોદરા શહેર અને જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં શુક્રવારે રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વડોદરા જિલ્લાના ડભોઇમાં ૩.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દરિમયાન ગીરજંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ અને ભાવનગરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી નદી- નાળા બે કાંઠા વહેતા થયા છે. જેમાં જૂનાગઢના તરસિગડામાં એક બળદગાડું તણાતા એકને બચાવી લેવાયો હતો પરંતુ ગાડામાં બેઠેલી એક મહિલાનું તણાઇને ડૂબી જવાથી મોત થયું હતુ. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, ઉંમરાળા, ઘોઘા અને શિહોર પંથકમાં વરસાદ પડ્યો હતો.

June 13, 2020
petrol-diesel-1.jpg
1min5500

કોરોના સંકટથી ત્રસ્ત પ્રજાને માથે હવે પેટ્રોલ-ડીઝલના વધારાનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. શનિવારે પેટ્રોલમાં લિટરદીઠ 59 પૈસા તેમજ ડીઝલમાં 58 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સળંગ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંકવામાં આવતા સપ્તાહમાં પેટ્રોલ રૂ. 3.98 તેમજ ડીઝલ રૂ.4 મોઘું થયું છે.  

દેશમાં 82 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં થયા બાદ તેલ કંપનીઓ દ્વારા સળંગ સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને લિટરે રૂ. 75.16 જ્યારે ડીઝલનો ભાવ રૂ. 73.39 થયો છે.  

માર્ચના મધ્યમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ ઉપરના એક્સાઈઝ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઈંધણના દરમાં વધારો સ્થગિત કરાયો હતો. ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ગ્રાહકો પર લાદવાને બદલે તેને વહન કરી રહ્યા હતા. આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારને પગલે કંપનીઓ ઈંધણના ભાવ પોતાની રીતે નિયંત્રીત કરી શકે છે.

June 13, 2020
corona-gujarat.jpg
1min5730

ગુજરાતમાં લોકડાઉન હટ્યા બાદ કોરોના વાઈરસના કેસ અને દર્દીઓના મોતમાં ચોંકાવનારો વધારો થઇ રહ્યો છે. 11મી જૂને સાંજે 5.00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 513 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત થયેલા ચોપડે નોંધાયેલા કેસોની સંખ્યા 22ને આંબી ગઈ હતા.

રાજ્ય સરકારે લોકડાઉન ખોલીને અનલોક જાહેર કરતા તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલોક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલોક-1ના પ્રથમ 11 દિવસમાં 5273 પોઝિટિવ કેસ અને 347 મોત થયા છે.

રાજ્યમાં જૂન મહિનામાં 11 દિવસમાં 5273 કેસ નોંધાયા અને 347 મૃત્યુના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો દર કલાકે રાજ્યમાં 20 જેટલા કેસ અને 1.3 એટલે કે સરેરાશ એક મોત તો નીપજ્યું છે. જોકે, વેપાર ધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી તેમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કેલ્ક્યૂલેટેડ જોખમમાં પ્રથમ 11 દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય તેવું માલૂમ થઈ રહ્યું છે.

કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનાવતાં નેવે મુકી ખાનગી હોસ્પિટલો દર્દીઓની લૂંટી રહી છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં લોકો પાસેથી બેફામ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર પાંચ કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા હોવાનો કોરોના દર્દીના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

June 13, 2020
rain_forecast.png
1min8820

ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.

June 13, 2020
gst.jpg
1min6170

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં જીએસટી રિટર્ન્સ ફાઇલિંગના વિલંબ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જીએસટી રિટર્ન્સ મોડા ભર્યા હશે તો એના પર તેમણે અડધું એટલે કે 9 ટકા વ્યાજ ભરવું પડશે. જીએસટી કાઉન્સિલે શુક્રવારે આવા કરદાતાઓ માટેના આ વ્યાજના દરને 18 ટકાથી અડધોઅડધ ઘટાડીને 9 ટકા કરી નાખ્યો હતો. જોકે, તેમના આ રિટર્ન્સ સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાઈ ગયા હોવા જોઈશે.

એ ઉપરાંત, મે તેમ જ જૂન અને જુલાઈ માટેના રિટર્ન્સ નોંધાવવા માટેની આખરી તારીખ (કોઈ પણ વ્યાજ કે લેટ-ફી વગર) સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

‘જે રજિસ્ટર્ડ એન્ટિટીઓએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2020 વચ્ચેની શૂન્ય જવાબદારી સાથેના જીએસટી રિટર્ન્સ મોડેથી નોંધાવ્યા હશે તેમની પાસેથી કંઈ પણ લેટ-ફી નહીં લેવામાં આવે’, એવું પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

કાઉન્સિલની મિટિંગ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અન્યો માટેના માસિક સેલ્સ રિટર્ન ન નોંધાવવા વિશેની લેટ-ફી જુલાઈ 2017થી જાન્યુઆરી 2020ના સમયગાળા માટે ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરવામાં આવી છે.

આડકતરા વેરા સંબંધિત નિર્ણયો લેતી સર્વોત્તમ સંસ્થા જીએસટી કાઉન્સિલમાં શુક્રવારે કૉવિડ-19ની મહામારીની પડેલી અસર બાબતમાં ચર્ચા થઈ હતી, એવું કહીને સીતારમણે ઉમેર્યું હતું કે ‘કાઉન્સિલની મિટિંગમાં જીએસટીની આવકને ઇન્વર્ટેડ ડ્યૂટીના માળખાની થયેલી વિપરીત અસર બાબતમાં ચર્ચા થઈ હતી. પગરખાં, ખાતર અને ટેક્સટાઇલ્સમાં જકાતના દરમાં સુધારો કરવા સંબંધમાં પણ પૅનલ વિચારે છે. પાન મસાલા પરના કરવેરા વિશે જીએસટી કાઉન્સિલની આગામી રાબેતામુજબની બેઠકમાં ચર્ચા થશે એવી આશા છે.

દરમિયાન, રાજ્યની વળતરની જરૂરિયાતોના મુદ્દે ખાસ ચર્ચા કરવા જુલાઈમાં વિશિષ્ટ બેઠક યોજાવાની છે.