CIA ALERT

Blog - Page 175 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 28, 2021
aryan.jpg
1min537

ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબર 2021ના રોજ પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે આર્યનના જામીન અંગે સુનાવણી આજે તા.28 ઓક્ટોબરને ગુરુવાર માટે મુલતવી રાખી છે. આજે તા.28મી ઓક્ટોબરને ગુરુવારે બપોરે 2.30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે. સુનાવણી ટળતાં આર્યનને આર્થર રોડ જેલમાં રાત વિતાવવી પડી હતી.

આર્યન ખાનની જામીન અરજી અંગે તા.27મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થઈ ગઈ હતી. વકીલ અમિત દેસાઈ અને મુકુલ રોહતગીએ જજ સાંબ્રે સમક્ષ જામીનની તરફેણમાં કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. તા.27મીએ કોર્ટમાં અરબાઝ મર્ચન્ટનો કેસ લડી રહેલા વકીલ અમિત દેસાઈએ આર્યન ખાનના જામીનનો પક્ષ રાખીને પોતાની દલીલો શરૂ કરી હતી. જ્યારે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ એનસીબી દ્વારા આર્યનની ધરપકડના આધાર પર વાત મૂકી હતી.

વકીલ અમિત દેસાઈએ જામીનની તરફેણમાં દલીલ કરતાં કહ્યું કે, તમે આર્યન ખાનનો અરેસ્ટ મેમો જુઓ. NCB પાસે ધરપકડ માટે નક્કર પુરાવા નથી. ધરપકડ એવા ગુના માટે કરવામાં આવી છે જે બન્યો જ નથી. અરબાઝ પાસેથી માત્ર 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. NCB જે ષડયંત્રની વાત કરી રહ્યું છે તેને સાબિત કરવા માટે NCBએ કોર્ટ સમક્ષ વોટ્સએપ ચેટ રજૂ કરી છે. આ ચેટ્સને ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી. 65B હેઠળ કોર્ટમાં એનસીબીના આ પૂરાવા માન્ય નથી.

જ્યારે વકીલ મુકુલ રોહતગીએ સુનાવણી દરમિયાન જામીન મંજૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે, આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ વસૂલાત (નશીલા પદાર્થ) થઇ નથી. તેણે ડ્રગ્સનું સેવન પણ કર્યું ન હતું, તેથી તેની ધરપકડ જ ખોટી હતી.

October 26, 2021
Amit-Shah.jpg
1min429

કાશ્મીર પ્રવાસના ત્રીજા-છેલ્લા દિવસે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં જનસભા સંબોધી હતી. મંચ ઉપર તેમની સુરક્ષા માટે લગાવવામાં આવેલા બુલેટપ્રૂફ ગ્લાસને દૂર કરાવી કહ્યું કે હું તમારી સાથે ખુલ્લી રીતે વાત કરવા ઈચ્છું છુ. મનમાંથી દરેક લોકો ભય કાઢી નાખે.

જનસભામાં ઉપસ્થિત લોકોએ ભાજપના સમર્થનમાં નારેબાજી કરી હતી. સંબોધનમાં શાહે કહ્યું કે કાશ્મીરની શાંતિ અને વિકાસ યાત્રાને હવે કોઈ અવરોધી નહીં શકે.આજે કાશ્મીરના યુવાઓને હું પૂછવા આવ્યો છું કે તેમણે તમારૂ શું ભલું કર્યું જેમણે તમારા હાથમાં પથ્થરો અને હથિયાર આપ્યા ? કાશ્મીરમાં વિકાસને અવરોધવા ઈચ્છનારાઓ કયારેય સફળ નહીં થાય. પાકિસ્તાનની વાત કરનારા ઈચ્છે છે કે અહીંના યુવાઓ બેરોજગાર રહે અને હાથમાં પથ્થરો ઉઠાવે. તેનાથી તેમની રાજનીતિ ચાલશે.

October 26, 2021
piyushgoyal.jpg
1min414

ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગ અને સરકારના સામૂહિક પ્રયાાસો થકી ટૅક્સ્ટાઈલ મશીનરી સેગ્મેન્ટની આયાતનિર્ભરતા દૂર કરવા દેશના ૧૦૦ ટૅક્સ્ટાઈલ મશિનરી ક્ષેત્રના માંધાતાઓને કેન્દ્રીય ટૅક્સ્ટાઈલ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે આહ્વાન કર્યું છે. 

ટૅક્સ્ટાઈલ ક્ષેત્રને વાઈબ્રન્ટ બનાવવા માટે ગોયલે ગત રવિવારે Dt.24/10/21 વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ટૅક્સ્ટાઈલ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ ટૅક્સ્ટાઈલ તેમ જ ટૅક્સ્ટાઈલ મશીનરી ઉત્પાદકો સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મશીનરી ઉત્પાદકોને આદેશ અને નિયંત્રણોની માનસિકતામાંથી બહાર આવીને પ્લગ ઍન્ડ પ્લે દ્વારા કામ કરવા જણાવ્યું હતું.  

ઉક્ત કોન્ફરન્સમાં ૧૫ વિદેશી ટૅક્સ્ટાઈલ મશીન ઉત્પાદકો, ૨૦ સ્થાનિક ઉત્પાદકો અને સાત ટૅક્સ્ટાઈલ મશીનરી અને સંલગ્નિત ઔદ્યોગિક સંગઠનોએ ભાગ લીધો હતો તેમ જ તેનાં મંતવ્યો આપ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પરિસંવાદનો મુખ્ય આશય મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ટૅક્સ્ટાઈલ એન્જિનિયરિંગ ઉદ્યોગની વૃદ્ધિ માટે અસરકારક ઈકોસિસ્ટમ વિકસાવવાનો અને વ્યૂહ ઘડવાનો હતો. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં મૂડીગત્ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નેશનલ કેપિટલ ગૂડ્સ પૉલિસી અમલી બનાવી છે. આ નીતિ હેઠળ દેશમાં મૂડીગત્ માલનું ઉત્પાદન જે વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૧ અબજ ડૉલરનું હતું તે વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને ૧૦૧ અબજ ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

October 26, 2021
rajnikanth.jpg
1min443
Rajinikanth surprises after receiving Dadasaheb Phalke award

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તને સોમવારે દેશના સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે ફિલ્મ એવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. ૬૭મા નેશનલ ફિલ્મ એવૉર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાન્તને આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાન્તને ૫૧મો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવ્યો હતો. 

મનોજ બાજપેયી, કંગના રનૌત અને ધનુષને શ્રેષ્ઠ અભિનય બદલ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.  નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે રજનીકાન્તે ઉપરાષ્ટ્રપતિ એમ. વોકૈયા નાયડુના હાથે આ એવૉર્ડ સ્વીકાર્યો હતો. 

ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે અગાઉ રજનીકાન્ત બસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. 
રજનીકાન્તે તેના જૂના બસ ડ્રાઈવર મિત્રને આ એવૉર્ડ સમર્પિત કર્યો હતો.  આ બસ ડ્રાઈવર મિત્રએ જ રજનીકાન્તને ફિલ્મમાં કામ કરવાનું સૂચન કર્યું હતું. 

રજનીકાન્તની પ્રથમ ફિલ્મ અપૂર્વ રાગાન્ગલના દિવંગત નિર્માતા-નિર્દેશક કે. બાલાચંદર, ભાઈ સત્યનારાયણ રાવ તેમ જ અન્ય નિર્માતા, નિર્દેશક, થિયેટર માલિકો, ટૅક્નિશિયન અને પ્રશંસકોને દાદાસાહેબ ફળકે એવૉર્ડ સમર્પિત કર્યો હતો. 

અસૂરન ફિલ્મમાં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મેળવનાર જમાઈ ધનુષ સાથે રજનીકાન્તે એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી.  રજનીકાન્તની પત્ની લતા અને ધનુષ સાથે પરણેલી પુત્રી ઐશ્ર્વર્યાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.

October 24, 2021
karva.jpg
1min1057
करवा चौथ के दिन नहीं भूलकर भी न करें ये 8 काम

 કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

આ સિવાયે રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુભ પ્રભાવ પણ આ વ્રત પર પડશે. આ નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વ્રત કરનારી દરેક સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખશે અને રાતે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલશે.

મહિલાઓ રાખશે નિર્જળા વ્રત
માતા પાર્વતી, ભગવાન શિવ, કાર્તિકેય અને ગણેશ સહિત શિવ પરિવારનું પૂજન કરી મહિલાઓ માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યની કામના કરે છે. સાથે જ વ્રત દરમિયાન કરવામાં જળ ભરીને કથા પણ સંભળશે. મહિલાઓ સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે. આજે ચંદ્રોદય કેટલા વાગ્યે થશે, સૌથી વધારે રાહ તેની જ જોવામાં આવે છે.

મુંબઇમાં ચંદ્રોદયનો સમય
મુંબઇમાં ચંદ્રોદય 8.45 વાગ્યે થવાની શક્યતા છે. જો કે, ચંદ્રદર્શન 10-15 મિનિટના અંતરાળમાં થઈ શકે છે.

કરવાચૌથના શુભ મુહૂર્ત
કૃષ્ણ  પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ- રવિવારે સવારે 3 કલાક 1 મિનિટે
ચતુર્થી તિથિ સમાપ્ત- સોમવાર સવારે 5 કલાક 43 મિનિટે.

કરવાચૌથ પૂજન મુહૂર્ત
અમૃત મુહૂર્ત – 10.40થી 12.05 સુધી
શુભ મુહૂર્ત – 1.29થી 2.54 સુધી શિવ પરિવારનું પૂજન
સાંજે-  શુભ મુહૂર્ત- 5.43થી 7.18 સુધી કરવા ચૌથ કથા પૂજન
અમૃત મુહૂર્ત- 7.18થી 8.54 સુધી ઇંદ્ર ઇંદ્રાણી, ચંદ્ર પૂજન

October 24, 2021
indopak.jpg
1min438

ટી-ર0 વિશ્વકપમાં તા.ર4ને રવિવારે સાંજે 7:30 કલાકથી દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મહામુકાબલો થશે. પ વર્ષના લાંબા સમય બાદ ટી-ર0 વર્લ્ડકપમાં બન્ને ટીમ આમને સામને આવી હોવાથી બંન્ને દેશના ક્રિકેટપ્રેમીઓ આ હાઈવોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર આ મેચનું જીવંત પ્રસારણ થશે. સાંજે 7 કલાકે ટોસ ઉછાળાશે. સુપર-1રમાં બંન્ને ટીમનો આ પહેલો મેચ છે.

મેચના એક દિવસ અગાઉ પાકિસ્તાને 1ર સભ્યોની ટીમ જાહેર કરી હતી જેમાંથી 11 ખેલાડીને મેદાનમાં ઉતારશે ભારતે છેલ્લી ઘડીએ પ્લેઈંગ-11 જાહેર કરવાની રણનીતિ ઘડી છે. ભારત સામેના મુકાબલા પહેલા પાકિસ્તાનની ટીમે આત્મવિશ્વાસના અતિરેક જેવું વલણ દર્શાવ્યું છે.
બીજીતરફ પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિકની વાપસી થઈ છે. જેણે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. સાથે મોહમ્મદ હાફિઝ જેવા સિનિયર પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરફરાઝ અહેમદને ટીમમાં સામેલ કરાયો નથી.

અમારૂં ફોકસ મેચ પર, શ્રેષ્ઠ રમીશું: કોહલી
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ શનિવારે પત્રકાર પરિષદમાં કહ્યંy કે અમારૂ ફોકસ સંપૂર્ણ રીતે મેચ પર છે અને અમે અમારી શ્રેષ્ઠ રમત બતાવીશું. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા રમવા માટે સંપૂર્ણ ફિટ છે. કોહલીએ પાકિસ્તાનની ટીમને મજબૂત ગણાવી કહ્યું કે તેની સામે બેસ્ટ રમવું પડશે. તેમની પાસે પણ ગેમ ચેન્જર્સ ખેલાડીઓ છે. અમારે પ્લાન પર ધ્યાન આપવું પડશે.

ઈમરાન ખાને ‘અનુભવ’ શેર કર્યો : બાબર
યુએઈ જવા રવાના થતાં પહેલા પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં ખુલાસો કર્યો કે 199ર વર્લ્ડકપ વિનિંગ ટીમના કેપ્ટન રહી ચૂકેલા વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત વખતે તેમણે (ઈમરાન ખાને) પોતાના અનુભવ શેર કર્યા હતા. જો કે તેમણે ટીમને કોઈ સંદેશો આપ્યો નથી. બાબરે કહ્યું કે અમે ઈતિહાસને બદલે ભવિષ્ય પર ધ્યાન આપવાનું પસંદ કરીશું.

ટીમ ઈન્ડિયા સ્કવોડ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

પાકિસ્તાની સ્કવોડ : બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, હસન અલી, હરીસ રઉફ, હૈદર અલી

October 24, 2021
unitels.jpg
1min640

આજકાલ રસોઈમાં પ્લાસ્ટિકનાં વાસણોનો પ્રયોગ વધ્યો હોવાને કારણે તેની વિપરીત અસર આરોગ્ય પર પડી રહી છે. ખાવાનું ખાવા અને બનાવવા માટે યોગ્ય વાસણોનો ઉપયોગ કરી તો જુઓ.

માટી ધરતી સાથે સીધી રીતે સંકળાયેલી છે. પૃથ્વીનો સંબંધ કફ, દોષ સાથે હોય છે. આ ઉપરાંત માટીમાં કુદરતી મિનરલ્સ (ખનિજ) હોવાને કારણે એમાં બનાવવામાં આવેલું ખાવાનું પોષણથી ભરપૂર હોય છે. માટીના વાસણમાં ખાવાનું ધીમે ધીમે બને છે એ કારણે તેમાં તૈયાર કરવામાં આવેલા ભોજનની પૌષ્ટિકતામાં ઘટાડો નથી થતો. 

દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ માટે માટીનું વાસણ ઉત્તમ મનાય છે

માટીના વાસણમાં બનાવેલું ભોજન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને બીમારીઓ તમારી આસપાસ નથી ભટકતી. માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતું ભોજન ધીમે ધીમે તૈયાર થતું હોવાને કારણે તેમાંનાં પોષક તત્ત્વો નાશ નથી પામતાં. 
માટીના ક્ષારીય ગુણોને કારણે માટલાના પાણીનું પીએચ સંતુલિત રહે છે. માટીના ઘડાના પાણીની તાસીર ઠંડી હોવા છતાં તેના કારણે શરીરમાં વાત નથી વધતો. ગરમીની મોસમમાં માટીના વાસણનું પાણી પીવાથી લૂથી બચી શકાય છે. માટીના ઘડાનું પાણી પીવાથી એસિડિટી નથી થતી. માટના વાસણ પાણીની અશુદ્ધિઓ પણ દૂર કરે છે. માટીની તાવડી પર બનેલી રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે

આયુર્વેદમાં તાંબાને અગ્નિતત્ત્વ સાથે સંકળાયેલું દર્શાવવામાં આવ્યું છે, જે શરીરના મૅટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા)ને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પાચનશક્તિ સારી રહે છે. આંતરડા પણ યોગ્ય રીતે કામ કરે છે. તાંબાનાં વાસણોનો ઉપયોગ કરવાથી રક્તકણોની માત્રા પણ વધે છે. સ્થૂળ શરીર ધરાવતા લોકો પણ જો તાંબાનાં વાસણોનો ઉપયોગ કરે તો તેમને અનેક લાભ થશે. તાંબાના વાસણમાં બનેલું ભોજન આરોગવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. ત્વચા માટે પણ તે લાભકારક છે. 

તાંબાનાં વાસણોનો સૌથી વિશેષ ગુણ એ છે કે તે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટાડે છે અને સાંધાના દરદમાં પણ રાહત પહોંચાડે છે. જેમને બ્લડપ્રેશરની સમસ્યા છે તેમણે સવારે ઊઠીને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. શરીર પર તેની ખૂબ જ સારી અસર થાય છે. તાંબામાં શરીર પરના સોજા દૂર રાખવાના પણ ગુણ હોય છે અને એટલે જ તે આર્થ્રાઈટિસ કે સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે. તાંબાના વાસણને ચોખા રાંધવા માટે સૌથી સારું માનવામાં આવે છે. તાંબાને સૂરજ અને આગ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. તાંબું શરીરમાં અગ્નિતત્ત્વ વધારે છે. ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે. 

પ્રાચીન સમયથી લોખંડની કડાઈ અને ચાકુનો ઘરમાં ઉપયોગ થતો આવ્યો છે. લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી શરીરની તાકાત વધે છે. તે ઊર્જા આપે છે. વાસણોના સ્વરૂપે લોખંડનો ઉપયોગ કરવાથી શરીરમાં લોહતત્ત્વની પૂર્તિ થતી રહે છે અને તેને કારણે એનિમિયા જેવી બીમારી દૂર રહે છે. ગર્ભવતી યુવતીઓ માટે પણ લોખંડના વાસણમાં બનાવેલું ભોજન લાભકારક હોય છે. 

લોખંડનાં વાસણોની એક ખાસિયત એ પણ છે કે તે કમળા જેવી બીમારીને દૂર રાખે છે. ત્વચા સંબંધિત સમસ્યામાં પણ લોખંડનાં વાસણોનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. આ વાસણોનો ઉપયોગ કરવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. 

ચાંદીમાં શીતળતા પ્રદાન કરવાના ગુણ હોય છે. ચાંદી શરીરમાં પિત્તનો પ્રભાવ ઓછો કરે છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેમને ચાંદીનાં વાસણોનો ઉપયોગ કરવાથી લાભ થઈ શકે છે. ચાંદીને મસ્તિષ્ક માટે સારી માનવામાં આવે છે. ચાંદીના ઉપયોગથી સ્વભાવનું ચીડિયાપણું ઓછું થાય છે.

જેમની દૃષ્ટિ નબળી પડી ગઈ છે તેમને ચાંદીના વાસણમાં ભોજન કરવાથી લાભ થાય છે. જે યુવતીઓને માસિક સંબંધિત સમસ્યા હોય છે તેમના માટે ચાંદીના વાસણમાં પાણી પીવું સારું રહે છે. ગુસ્સાવાળા સ્વભાવના લોકો માટે પણ ચાંદીના વાસણમાં પાણી પીવું સારું રહે છે. 
ચાંદીના વાસણમાં રાખેલું પાણી દરરોજ સવારે ખાલી પેટે પીવામાં આવે તો પેટને લગતી સમસ્યાઓ દૂર રહે છે. આ ધાતુ લિવર અને કિડની જેવાં શરીરનાં અન્ય અંગોને પણ ઠીક રાખે છે. એકંદરે આ ધાતુ શરીરને બીમારીથી દૂર રાખવામાં અસરકારક રહે છે. 

કાચનાં વાસણોને લઈને આયુર્વેદમાં કોઈ ખાસ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ પ્લાસ્ટિકની સરખામણીએ કાચની બાટલી અને ગ્લાસને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. 

ફળોનો રસ કાચના ગ્લાસમાં પીઓ
ઘરમાં પિત્તળની પરાંતનો ઉપયોગ ખૂબ થાય છે. પિત્તળનાં વાસણોમાં રાખેલું 
પાણી પીવાથી શરીરને તાકાત મળે છે. 
રોગ સામે લડવામાં પણ તે મદદ કરે છે. પિત્તળની થાળીમાં ભોજન કરવાથી અનેક લાભ થાય છે. 
આ વાસણોનો ઉપયોગ કરો છો તો તેની સાથે સંકળાયેલી અમુક ખાસ 
વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો શરીરને નુકસાન થઈ શકે છે 

* તાંબાના વાસણમાં દૂધ, દૂધની બનાવટની વસ્તુઓ તેમ જ ખાટી વસ્તુ ન રાખવી જોઈએ. 
* તાંબાનાં વાસણ વજનદાર અને ભેળસેળયુક્ત ન હોવાં જોઈએ. તાંબાનાં વાસણ કોઈ વિશ્ર્વાસુ દુકાનમાંથી જ ખરીદો. 
* તાંબાના ગ્લાસ કે વાસણ પર લોહચુંબક લગાડવામાં આવે અને જો તે ચીટકી જાય તો સમજી લેવું કે વાસણમાં ભેળસેળ છે. 
* જો તાંબાના ગ્લાસને લીંબુથી ધોવામાં આવે અને તેનો રંગ ગુલાબી થઈ જાય અને ચમકવા લાગે તો સમજી લેવું આ ગ્લાસ શુદ્ધ તાંબાનો બનેલો છે. 
* તાંબાના વાસણમાં ઓછામાં ઓછા આઠ કલાક રાખ્યા બાદ પાણી પીવાથી જ શરીરને વધુમાં વધુ લાભ થશે. 
* દિવસમાં બેથી ત્રણ વાર પણ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવામાં આવે તો તે પૂરતું છે. 
* ચાદીનાં વાસણોનો ભોજન માટે ઉપયોગ કરવો આજે શક્ય નથી જણાઈ રહ્યો એટલે વધુ સારું તો એ હશે કે ચાંદીના વાસણને બદલે શુદ્ધ ચાંદીનો સિક્કો કે ચમચી પાણીના પાત્રમાં રાખી મૂકો. તેનો થોડોક અંશ પણ પાણીની ગુણવત્તામાં સુધારો કરશે. 
* માટીના વાસણમાં ખાવાનું બનાવતી વખતે તેને ધીરે ધીરે ગરમ થવા દેવું. 
* જે લોકોને ભૂખ ઓછી લાગે છે તે જો પતરાળાની થાળીમાં ભોજન કરે તો તેમની ભૂખ વધશે. પેટમાં થતી બળતરાથી પણ છુટકારો મળશે.

October 23, 2021
textilemarket.jpg
1min901

તા.15મી નવેમ્બરથી ટેક્ષટાઇલ મિલ માલિકો જોબ ચાર્જિસમાં વધુ 15 ટકા ભાવ વધારો અમલી કરશે, ભાવ વધારા અંગે ટ્રેડર્સને કરાયેલી આગોતરી જાણ

Jayesh Brahmbhatt 98253 44944

કોલસો, ડાઇઝ, કેમિકલ વગેરે રો મટિરિયલમાં થઇ રહેલા ભાવ વધારાના વિરોધમાં આગામી તા.1લી નવેમ્બરથી એક મહિનો ટેક્ષટાઇલ મિલો બંધ રાખવી કે નહીં તે અંગે સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની આજે તા.23મી ઓક્ટોબર 2021ની સાંજે યોજાયેલા બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા સભામાં પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયા, પાંડેસરા એસોસીએશનના પ્રમુખ કમલવિજય તુલસિયાન તેમજ એસજીટીપીએના વાઇસ પ્રેસિડેન્ટ વિપુલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગત મીટીંગમાં નક્કી થયા મુજબ આગામી નવેમ્બર માસમાં સંપૂર્ણ યુનિટો બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ હતું પરંતુ, હાલ વાતાવરણમાં સુધારો થઇ રહ્યો હોઇ, તેમજ ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટકોના હિતને ધ્યાનમાં રાખીને મિલો બંધ કરવાના નિર્ણયમાં આજરોજ ફેર વિચારણા કરવામાં આવી હતી. જેમાં પ્રોસેસર્સ એસોસીએશનના તમામ સભ્યોએ જણાવ્યું હતું કે તેમના ગ્રાહકો મિલ બંધ નહીં રાખવા માટે આગ્રહ કરી રહ્યા છે, જેને પ્રતિસાદ આપતા એક મહિનો ટેક્ષટાઇલ મિલો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજની મિટીંગમાં મિલો બંધ રાખવી કે કામકાજ ચાલુ રાખવું એ સંદર્ભે તંદુરસ્ત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કુલ 195 જેટલા મિલ માલિકો અને તેના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા પ્રોસેસર્સ એસોસીએશનની ભરચક સભામાં કેટલાક પરિપકવ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોટા ભાગે પ્રોસેસર્સ દ્વારા પોતાના ગ્રાહકોના હિતમાં મિલ બંધ નહીં કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.

તા.15મી નવેમ્બરથી અમલમાં આવે એ રીતે જોબ ચાર્જિસમાં વધુ 15 ટકાનો વધારો

ટેક્ષટાઇલ મિલ માલિકોની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયમાં આગામી તા. ૧૫-૧૧-૨૦૨૧થી અમલમાં આવે એ રીતે હયાત જોબ ચાર્જ ઉપર ૧૫% નો વધારો કરવાનું નક્કી કરવામાં આવેલ છે, ઉપરાંત તા. ૧૫-૧૧-૨૧ નાં રોજ સામાન્ય સભા બોલાવી નક્કી કરવામાં આવશે.

October 23, 2021
ss1.jpeg
1min545

સુરતની અઠવા લાઇન્સ ખાતે આવેલી વનિતાવિશ્રામ આર્ટ ગેલેરીમાં જાણીતા તબીબ અને કલાપ્રેમી ડો સમીર શાહ અને ડો રુજુલ શાહના કલાત્મક આર્ટ પેઇન્ટિંગનું “બિયોન્ડ ઇમેજિનેશન” પ્રદર્શન યોજાયું છે. ડો. સમીર શાહ છેલ્લા ચાળીસથી વધુ વર્ષોથી ચિત્રો દોરી રહ્યા છે. વ્યવસાયે તબીબ હોવા છતાં તેમનો આર્ટ પ્રત્યેનો અતૂટ નાતો જોવા જાણવો હોય તો તેમણે દોરેલા અને તેમની તબીબ દિકરી ડો. રુજુલે દોરેલા ચિત્રોની પ્રદર્શની અવશ્ય નિહાળવી પડે.

સુરતના જાણિતા તબીબ ડો.સમીર શાહ અને પુત્રી ડો. રુજુલ શાહે દોરેલા ચિત્રોની પ્રદર્શની, રવિવારે છેલ્લો દિવસ

તા. 22મી ઓક્ટોબરથી રવિવાર તા. 24મી ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ ચિત્ર પ્રદર્શન મા ભાત ભાત ના વિષયો અને ભાવ (land scape, portrait, religion, pet love, philosophy, abstract, shlok, temple, surreal) આધારીત ચિત્ર ને પ્રદર્શિત કરવા મા આવ્યા છે. આ સુંદર પ્રદર્શન તેના નામ પ્રમાણે કલ્પનાતીત છે.

150 થી વધારે આકર્ષક ચિત્રો આ પ્રદર્શનમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

સર્વ કલા પ્રેમી નાગરિકો ને આ પ્રદર્શન ની મુલાકાત લેવા ડૉ. સમીર શાહે જાહેર આમંત્રણ આપ્યુ છે. આવતીકાલે 24/10/2021 રવિવારે આ ફોટો પ્રદર્શન સવારે 11થી સાંજના 8 વાગ્યા સુધી નિહાળી શકાશે.

October 23, 2021
Amit-Shah.jpg
1min413

કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ અને તણાવના માહોલ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જવાના છે. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત વધારી દેવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સુરક્ષા અધિકારીઓ સાથે અત્યંત મહત્વની બેઠક પણ કરશે. અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન જ્યાં પણ રોકાવાના છે, ત્યાં અનેક કિલોમીટર સુધી સુરક્ષા બમણી કરી દેવામાં આવી છે.

Image
J&K Police शहीद जवान परवेज अहमद दार के घर जाकर उन्हें श्रद्धांजलि दी। मुझे व पूरे देश को उनकी बहादुरी पर गर्व है। उनके परिजनों से भेंट की और उनकी पत्नी को सरकारी नौकरी दी। मोदी जी ने जो नए J&K की कल्पना की है, उसको साकार करने के लिए J&K पुलिस पूरी तन्मयता से प्रयासरत है।

અમિત શાહ ઘાટીમાં ત્રણ દિવસ રહેવાના છે. ઘાટી પહોંચ્યા પછી તે રાજભવન જશે. રાજભવનમાં સુરક્ષા અને સિક્રેટ એજન્સીઓના ચીફની હાજરીમાં ઉચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શક્ય છે કે અમિત શાહ તે પરિવારોની મુલાકાત પણ કરે જેમને ઉગ્રવાદીઓએ નિશાન બનાવ્યા હતા. આ સિવાય અમિત શાહ જમ્મુમાં બીજેપીના નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. પ્રવાસના ત્રીજા દિવસે અમિત શાહ એક જનસભાને પણ સંબોધિત કરશે.

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમિત શાહ જમ્મુ અને કાશ્મીરમાં પોતાની સ્પેશિયલ ટીમ અગાઉથી જ મોકલી ચૂક્યા છે.