CIA ALERT

Blog - Page 172 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min872

Jayesh Brahmbhatt 98253 44944

એલ.એન્ડ ટી.માં અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણ ટાઢાણી અને હાઉસવાઇફ અસ્મિતા ટાઢાણીના પુત્ર તરંગ ટાઢાણીએ આજે નીટ-2021માં સુરત ફર્સ્ટ આવીને ઇતિહાસ સર્જ્યો છે. મૂળ રાજકોટના ટાઢાણી પરિવારના તરંગ ટાઢાણીએ મેડીકલ-ડેન્ટલમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીમાં કુલ 720 માર્કસની પરીક્ષામાં 702 માર્કસ મેળવીને સુરતના તમામ વિદ્યાર્થીઓમાં સર્વપ્રથમ ક્રમ મેળવ્યો છે.

તરંગ ટાઢાણી નીટમાં 702 માર્કસ

તરંગ ટાઢાણીનો ઓલ ઇન્ડિયા રેન્ક 107 મેળવ્યો છે અને તેની સફળતા પાછળ તેની માતા અસ્મિતા ટાઢાણીનો સિંહફાળો રહ્યો છે.

તરંગ ટાઢાણી હવે દિલ્હી એઇમ્સ અથવા તો પછી મૌલાના આઝાદ મેડીકલ કોલેજ નવી દિલ્હીમાંથી એમ.બી.બી.એસ. કરવાનું આયોજન ધરાવે છે.

સુરત કેન્દ્રમાંથી નીટમાં ઝળહળતો દેખાવ કરનાર વિદ્યાર્થીઓની યાદી

  • તરંગ ટાઢાણી 702-720 એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ
  • આદર્શ મંડલ 701-720 શ્રી સરસ્વતિ વિદ્યાલય
  • અંશ ડોડીયા 700-720
  • નવનીત અણઘણ 695-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • લખાણી શ્રીલ 682-720 સરસ્વતિ વિદ્યાલ, એકે રોડ
  • પ્રતિક નાયક 680-720 શ્રીશ્રી રવિશંકર વિદ્યામંદિર
  • દિયા સંઘાણી 670-720 મિલેનિયમ સ્કુલ, સુરત
  • હડીયા જયદીપ 670-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • દેસાઇ કર્ણવી 666-720 ટેકરાવાળા ઇન્ટીગ્રેટેડ સ્કુલ
  • ગાંગાણી કશ્યપ 665-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • કિર્તન નસીત 663–720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • ધ્રુવિન અંકોલિયા 659-720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • જસાણી પરિ 654–720 એસ્પાયર સ્કુલ
  • મૌલિક માણીયા 652–720 એસ્પાયર સ્કુલ
  • સાહિલ કથીરીયા 651–720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • જીગર ભટવાર 642-720 સંસ્કારભારતી વિદ્યાલય
  • અંટાળા હર્ષિત 635–720 કૌશલ વિદ્યાભવન
  • ચાહોડીયા દિપ 611– 720 શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, વેડરોડ
  • કેરીવાલા નંદિની દિવ્યપ્રકાશ 559–720 ભૂલકાભવન સ્કુલ
  • મુસ્કાન પટેલ 543-720 એમયુએસ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ
  • નિખિલ પટેલ 523–720 વિદ્યામંગલ કામરેજ, સુરત

અહીં અમને જે સંસ્થાઓએ માહિતી મોકલી છે તેના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે, આપની સંસ્થામાં જો કોઇ વિદ્યાર્થીએ ઉપરોક્ત રેન્જમાં માર્કસ મેળવ્યા હોય તો અમને 98253 44944 પર જાણ કરશો જેથી યાદીને અદ્યતન બનાવી શકાય

November 2, 2021
Dhanteras.png
1min464

આજે ધનતેરસથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવારે દરેક પ્રકારની ખરીદદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી ત્રણ ગણો ફાયદો મળવાની શક્યતા છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધન્વંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધન્વંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

ધનતેરસના દિવસે ત્રિપુષ્ક યોગ બની રહ્યો છે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણ, ખરીદદારી અને શરૂઆતમાં ત્રણ ફાયદો મળશે. આ યોગ સવારે 6..35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. પરંતુ ખરીદી માટે વણજોયું મુહૂર્ત હોવાના કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ તેના ઉપર રહેશે. આ સ્થિતિ પણ સુખ-સમૃદ્ધિ અને શુભફળ આપનારી રહેશે.

સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયાં હતાં. જેમાં અમૃત હતું. તેમના બીજા હાથમાં ઔષધી હતી અને તેમને આયુર્વેદનું જ્ઞાન હતું. આ કારણે જ આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.

ધન્વંતરિના હાથમાં સોનાનો કળશ હતો એટલા માટે આ દિવસે વાસણ અને સોવું ખરીદવાની પરંપરા શરૂ થઈ. તે પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણાંની ખરીદદારી કરવામાં આવે છે. સાથે જ પીત્તળ, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પરંપરા છે.

ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરિ સાથે જ લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ સાંજે 5.35 થી રાતે 8.10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે.

સ્કંદ પુરાણ પ્રમાણે, ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં બીમારી આવતી નથી અને અકાળ મૃત્યુનો ભય પણ રહેતો નથી.

સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન માટે લોટનો દીવો બનાવવો. તેમાં સરસિયાનું અથવા તલનું તેલ મિક્સ કરીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આવું કરીને યમરાજ પાસે પરિવારના લોકોની લાંબી ઉંમર માટે કામના કરવી જોઈએ.

November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min791

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.1લી નવેમ્બરની રાત્રે જાહેર કરાયેલા નીટ યુજીના પરીણાનું એનાલિસીસ કરતા રસપ્રદ વિગતો સપાટી પર આવી રહી છે. 2021માં તા.12મી સપ્ટેમ્બરે લેવાયેલી નીટ પરીક્ષા દેશ અને દુનિયાભરમાંથી કુલ 15 લાખ 44 હજાર 275 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી કુલ 56.34 ટકા પરીક્ષાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય (લાયકાતપાત્ર) જાહેર કરવામાં આવ્યા છે.

નીટ ક્વોલિફિકેશન ગયા વર્ષ કરતા 5થી 9 માર્ક નીચું ગયું, કટ ઓફ મેરીટ પણ નીચું જશે

ગુજરાતમાં નીટથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા ત્રણ ગણા વધુ (42હજાર ઉપરાંત) ક્વોલિફાય થયા

ગુજરાત રાજ્યમાંથી કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. આ પૈકી ક્વોલિફાય થવાની નેશનલ એવરેજ 56 ટકા પ્રમાણે અંદાજ મૂકાય તો ગુજરાતમાંથી કુલ 42000 ઉપરાંત વિદ્યાર્થીઓ મેડીકલ, પેરામેડીકલ કોર્સ માટે ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં મેડીકલની 5508 અને ડેન્ટલની 1255 આયુર્વેદિકની 2242 અને હોમિયોપેથી કોલેજોની કુલ 3710 સીટ મળીને નીટના સ્કોરથી પ્રવેશ મળે તેવી રાજ્યમાં કુલ સીટોની સંખ્યા 12715ની છે. આટલી સીટોની સામે નીટ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 42000 ઉપરાંત છે. આમ ગુજરાતમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેના કરતા સવા ત્રણ ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

છોકરાઓ કરતા 1.19 લાખ છોકરીઓ વધુ ક્વોલિફાય થઇ

છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતો ગર્લ્સ (કન્યા) ઉમેદવારો હાવી રહેવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહ્યો છે. આ વર્ષે પણ નીટ ક્વોલીફાઇ કરનારા બોયઝની સંખ્યા કરતા ગર્લ્સની સંખ્યા 1.19 લાખ વધારે છે.

n all, 8,70,074 (56.34%) of the 15,44,275 candidates who appeared for the test qualified. In continuation of the trend in the past, the number of female candidates who qualified is 1.19 lakh higher than male candidates.

Reported @ 10pm 1/11/2021

ગત 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેડીકલ પેરામેડિકલ કોર્સમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2021નું પરીણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ તા.1લી નવેમ્બર 2021ના રોજ જાહેર કરી દીધું હતું. પરીણામના થોડા કલાકો સુધી ફક્ત ઇમેલથી જ પરીણામ મેળવી શકાયાના અહેવાલો મળ્યા હતા, બાદમાં નીટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ઉમેદવારો નીટની સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જો કે એનટીએ દ્વારા તમામ ઉમેદવારોને તેઓના રજિસટર્ડ ઇ-મેઇલ ઉપર પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે એનટીએએ તમામ ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે રિઝલ્ટ મોકલી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

November 1, 2021
societynews-1280x1040.jpg
1min477

સમૂહલગ્ન પ્રવુતિના માધ્યમથી જનજાગૃતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરત ખાતે દર વર્ષે સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૧૯૮૩ થી અત્યાર સુધીમાં ૫૧૧૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. સમાજ તરફથી આગામી મહા વદ ૪ ને રવિવાર તા. ૨૦/૦૨/૨૦૨૨ ના રોજ ૬૩માં સમૂહલગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ભાગ લેવા માટે લગ્ન નોંધણીના ફોર્મ વિતરણ ૧૦૧/૧૦૨, સુપર ડાયમંડ માર્કેટ, વરાછા રોડ, ખાતે શરૂ થઇ ચૂક્યું છે. તે સમયે કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી વિવિધ વિકલ્પો સાથે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ભારતને આર્થિક વ્યવસ્થા તંત્રની સ્થિતિ જોતા આર્થિક અસમાનતા વધતી જાય છે. ક્યારેક જન સમાજ માટે નાણાકીય જાગૃતતા ખુબ જરૂરી છે. તે બાબતને ધ્યાનમાં રાખી બચત ની  થીમ ઉપર સમગ્ર આયોજનની વિચારણા કરવામાં આવી રહી છે. શક્ય તેટલા ખોટા ખર્ચ બંધ કરી તે રકમની બચત થાય તે બાબત માં માહિતી સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો. કરકસર સાથે બચત કરી સુખી અને સલામત જીવન જીવતા રોલ મોડલ પરિવારોનું સન્માન કરવામાં આવશે.

જે અન્ય માટે પ્રેરણા બનશે. સમૂહલગ્ન પ્રવૃત્તિ માં જોડાનારા પરિવારો ખર્ચ ઓછો કરી દીકરી ના નામે બચત કરે તે માટે પ્રોત્સાહન તથા સહાય આપવામાં આવશે. વધુમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા તથા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા અને ખજાનચીશ્રી મનહરભાઈ સાસપરા એ જણાવ્યું હતુ કે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સાથે જરૂરી ૨૦૦ સેવા ભાવી સંસ્થા અને ૧૦૦૦ યુવાનો જોડાયેલા છે. તેઓ દ્વારા જેટલા ૨૦૦ થી વધુ સભાઓ કરી આર્થિક બચત માટે વ્યાપક જન જાગૃતિ નો પ્રયાસ કરી સમાજ ને દિશા આપવામાં આવે છે.              

તાજેતર માં જ સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ૨૦૦ કરોડ ના ખર્ચે હોસ્ટેલ પ્રોજેક્ટ નું ખાતમુહુર્ત થયું છે. તેનું બાંધકામ કાર્ય દિવાળી પછી તરત શરુ કરવામાં આવનાર છે. લોક સહયોગથી નિર્માણ થનાર આ સુવિધા ના માધ્યમથી જન સમાજ ના સુખાકારી  માટે પ્રયાસ થશે. સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા શ્રી કાન્તીભાઈ ભંડેરી અને હરિભાઈ કથીરીયા તથા ભવાનભાઈ નવાપરા તથા સમાજની યુવા ટીમ સમુહલગ્ન આયોજન ની તૈયારી માં લગ્ન થયા છે. વહેલા તે પહેલા ના ધોરણે ૧૫૧ યુગલો ની નોંધણી કરાશે. કોવીડ-૧૯ ની જે પરિસ્થિતિ હશે તે પ્રમાણે સમારોહ નું આયોજન થનાર છે.

દરેક કન્યાને રૂ. ૩૦૦૦૦/- ની સહાય

બચત જાગૃતિ ના ભાગરૂપે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કરિયાવર અને અન્ય વ્યવસ્થા ખર્ચમાં કાપ મૂકી રૂ. ૧૦૦૦૦ કન્યાને બચત સ્વરૂપે આપવાનું નક્કી કરેલ છે. ઉપરાંત ગુજરાત સરકારશ્રી ની કુંવરબાઈ મામેરું યોજના માંથી રૂ. ૧૦૦૦૦ અને સાતફેરા સમુહલગ્નના યોજના માંથી રૂ. ૧૨૦૦૦ ની સહાય મળવા પાત્ર છે. કન્યાને કુલ રૂપિયા ૩૦ હજાર મળવા પાત્ર છે.

November 1, 2021
Cia_business_news-1280x936.jpg
1min403

જયેશ બ્રહ્મભટ્ટ – 98253 44944

હાલ ગુરુપુષ્ય નક્ષત્ર, આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોની ઘરાકીમાંથી છૂટા થયા બાદ સુરતના મોટા ભાગના જ્વેલરી મેન્યુફેકચરર્સ (ઝવેરીઓ) મોટા કામમાં જોતરાઇ જશે. આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સુરતમાં જ્વેલરીના બે મેગા એક્ષ્પો યોજાઇ રહ્યા છે.

ઝવેરાત ઉદ્યોગ માટે એક પછી એક એમ બે મોટી ઇવેન્ટ સુરતમાં પહેલી વખત યોજાઇ રહી છે. બિઝનેસ એક્સપર્ટસ કહી રહ્યા છે કે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ કયા લેવલનું કામ કરી રહ્યા છે તેનો પરચો આ બે એક્ષ્પોથી સમગ્ર વિશ્વને થશે. સમગ્ર ઝવેરાત ઉદ્યોગને આ બન્ને એક્ષ્પો ટોપ ગીયરમાં મૂકીને વેગ આપશે.

GJM Show = 27 to 29 November 2021 @ SIECC

મળતી માહિતી મુજબ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા આગામી તા.27થી 29મી નવેમ્બરના રોજ સુરતના સરસાણા સ્થિત કન્વેન્સન સેન્ટર ખાતે Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show)નું આયોજન હાથ ધર્યું છે. સ્થાનિકથી લઇને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના બાયર્સ એન્ડ સેલર્સ આ એસજેએમ શૉમાં આવશે. Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show) બીટુ બી કક્ષાનો છે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ કક્ષાનો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉના આયોજક જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે અત્યારથી જ તમામ સ્ટોલ્સનું બુકિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે, હજુ અનેક જ્વેલર કંપનીઓ સ્ટોલ રાખવા માગે છે પરંતુ, હવે પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ નથી. આ એક્ષ્પોમાં રિટેલ કે સેલિંગને અવકાશ નથી.  સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (એસજેએમએસ) આ શૉમાં સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વિશાળ રેન્જમાં પોતાની જ્વેલરી, ડિઝાઇન, કન્સેપ્ટ વગેરેનું ડિસ્પ્લે તેમજ એક્ઝિબિશન કરીને ભવિષ્યના ઓર્ડર્સ મેળવશે.

Signature Sparkle = 25 to 27 December 2021 @ SIECC

એવી જ રીતે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા.25થી 27 ડિસેમ્બર દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જ સિગ્નેચર સ્પાર્કલથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો બીટુ સી એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર્સ મોડમાં આ એક્ષ્પોમાં પણ સ્થાનિકથી લઇને આંતર રાષ્ટ્રીય સ્તરના જ્વેલર્સે સ્ટોલ બુક કરાવ્યા છે. ચાર વર્ષ બાદ એવું બની રહ્યું છે સ્પાર્કલમાં રિટેલ ખરીદારોને પણ આમંત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી સ્પાર્કલ બીટુબીમાં જ યોજાતું હતું.

November 1, 2021
cia_multi-1280x1045.jpg
1min877

સુરતના અઠવાલાઇન્સ સ્થિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી માટે આ એક ગર્વની ક્ષણ છે જેમાં SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકની ટીમને 10મી કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા – ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021 માં “પ્રથમ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે.

ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021ની સ્થાપના નવીન સોફ્ટવેર એપ્લિકેશનો વિકસાવવામાં અસાધારણ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે.કરવામાં આવી હતી. આ એવોર્ડની પસંદગી પ્રક્રિયા 6 મહિનાની લાંબી પ્રક્રિયા હતી જેમાં વિશ્વભરના 2000 થી વધુ પ્રતિસ્પર્ધીઓ દ્વારા સબમિટ કરાયેલા 600+ પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં એલિમિનેશનના 3 રાઉન્ડ હતા જે થકી ક્વોલિફાઇ થઇને પ્રથમ પુરસ્કાર મેળવવું એ કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટ- સ્કેટ ના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ છે.

શરૂઆતમાં સ્પર્ધા કરતી 600+ ટીમોમાંથી, પસંદગીના 2 રાઉન્ડ હતા. 20મી ઓક્ટોબર 2021ના રોજ રાજભવન, ત્રિવેન્દ્રમ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં અંતિમ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી અને કેરળના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને વિજેતાઓને ઈનામો એનાયત કર્યા હતા.

SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી ટીમના સભ્યો છે:

  • નિનાદ અંકલેસરિયા,
  • ધ્યેય નિકલવાલા,
  • યશવી માલુ,
  • ઉર્મિ પાઠક અને
  • જીનલ પટેલ.

આ વિદ્યાર્થીઓને SCET ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ડો. નિરાલી નાણાવટી અને સુશ્રી પ્રીતિ શ્રીનિવાસન (IIT મંડીમાં માસ્ટર્સ રિસર્ચ સ્કોલર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપરસ્કેન સુરત સાથે સંકળાયેલા રેડિયોલોજિસ્ટ એવા ડૉ. નિપુન જિંદલ દ્વારા અભ્યાસ હેતુ માટે MRI ડેટા પ્રદાન કરવામાં આવ્યો હતો.

SCET ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ પ્રથમ પુરસ્કાર વિજેતા પ્રોજેક્ટનું નામ- “મેડિકલ ઇમેજ ટ્રાન્સલેશન” છે. આ પ્રોજેક્ટમાં MRI ઇમેજને એક પ્રકારની ઇમેજમાંથી બીજી પ્રકારની ઇમેજમાં અનુવાદિત કરવા માટે ડીપ લર્નિંગ ફ્રેમવર્કનો ઉપયોગ કરાય છે.

આ પ્રોજેક્ટ નો ફાયદો છે કે – આનાથી રેડિયોલોજિસ્ટના  સંસાધનો અને સમય બચશે , દર્દીઓ માટે ખર્ચ ઓછો થશે , રેડિએશનની શરીર પરની અસર ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ના કારણે -એમઆરઆઈ સ્કેનનો સમય ઓછો થશે અને જેથી ખર્ચો પણ ઓછો થશે, તદુપરાંત થોડા રીસોર્સીસ-સમયમાં – વધુ એમઆરઆઈ પરીક્ષણ  થઇ શકશે. આ પ્રોજેક્ટ બાળકો માટે પણ ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના એમઆરઆઈ માટે જરૂરી રેડિએશન નો સમય ઘટાડશે.

November 1, 2021
indian-flag.png
1min461

 ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે OTPની જરુર

ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ આવતા મહિને એટલે કે 1લી નવેમ્બરથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

BOB બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી 1લી નવેમ્બરથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.

ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે મોટો ફેરફાર

ભારતીય રેલ્વેએ 1લી નવેમ્બરથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. લગભગ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશની લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

November 1, 2021
t20_world.jpg
1min575

પહેલા પાકિસ્તાન અને હવે ન્યૂઝીલેન્ડ સામે હારીને વિરાટ કોહલીની ટીમ ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી હતી, ન્યૂઝીલેન્ડ સામે જીતની આશા હતી પરંતુ તેમા પણ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠ્યા છે.

બંને મેચમાં હારથી વિરાટ કોહલી દુઃખી છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા’.

કોહલીએ આગળ કહ્યું હતું કે ‘જ્યારે તમે ભારતીય ક્રિકટ ટીમ સાથે રમો છો ત્યારે માત્ર ફેન્સ નહીં પરંતુ બાકીના પ્લેયર્સની પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષા હંમેશા રહેશે અને આટલા વર્ષોથી અમે તેનો સામનો કરતા આવ્યા છીએ. ભારત માટે રમતા દરેક ખેલાડીને તેનો સામનો કરવો પડે છે’.

‘જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં’, તેમ કોહલીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી રહેલા કોહલીએ કહ્યું હતું કે ‘તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો. અમે ઠીક છીએ અને હજી આગળ ઘણી ક્રિકેટ મેચ રમવાની છે’.

October 31, 2021
sardar.jpg
1min2126

જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.

Sardar Vallabhbhai Patel death anniversary: Twitterati pay tributes to the  statesman | India.com

આપણે આજે જે વિશાળ ભારતને જોઈને ગર્વ અનુભવીએ છીએ તેની કલ્પના પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિના શક્ય નથી. આ સરદાર પટેલની મજબૂત ઇચ્છાશક્તિ અને નેતૃત્વ કૌશલ્યનું પરિણામ છે, જેણે દેશના નાના રજવાડાઓ અને રાજવીઓને ભારતમાં એક કર્યા હતા. આજે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે લોખંડી પુરુષ અને આધુનિક ભારતના શિલ્પકાર સરદાર પટેલની જન્મજયંતિ ૧૪૬મી જન્મ જયંતી છે.

આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાહિત્યકાર અને ‘મહામાનવ સરદાર’ના લેખક દિનકર જોશી સાથે વાતચીત કરી હતી. સરદાર પટેલના જીવન મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “સ્વને ઓગળી સામાજિક પ્રવૃત્તિ કરવી અને કામને મહત્ત્વ આપવાનો ગુણ છે, તે દરેકે ખાસ શીખવા જેવો છે.” તેમણે ઉમેર્યું કે “સરદાર પટેલની અદ્ભુત કામગીરી વિશે જાણવું હોય તો તેમના વિશે અચૂક વાંચવું જોઈએ. ઉપરાંત સરદાર પટેલ અને તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિશેની વાર્તા પણ વાંચવા જેવી છે.”

આ દિવસે જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.

૧. મહામાનવ સરદાર

સરદાર પટેલ વિશેની અજાણ સત્ય હકીકતો અને ઘટનાઓને સાર્થક કરતું આ અજોડ પુસ્તક ગુજરાતી ભાષામાં જાણીતા સાહિત્યકાર દિનકર જોશીએ લખ્યું છે. વર્ષ ૧૯૪૦થી ૧૯૫૦ના સમયની ઘણી નાની-મોટી રાજકીય વાતો કે જે કોઈક ખૂણે ખોવાય ગઈ છે. તેનું સચોટ વર્ણન આ પુસ્તકમાં છે. સાથોસાથ સરદાર સરદાર પટેલની વિચારધારનું સ્પષ્ટ દર્શન આ પુસ્તક કરાવે છે. આ પુસ્તકનો ગુજરાતીમાંથી હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.

૨. સફળ નેતૃત્વની કથા સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર

અખંડ ભારતના મહાશિલ્પી સરદાર વલ્લભાઈ પટેલનું જીવનચરિત્ર આ પુસ્તકમાં યશવંત દોશીએ લખ્યું છે. સરદારનું વિગતવાર જીવનચરિત્ર રસપ્રદ રીતે આ પુસ્તકના બે ભાગ દ્વારા લેખકે રજૂ કર્યું છે. આ પુસ્તકમાં તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીની કથા વિગતે આલેખવામાં આવી છે.

૩. સરદાર પટેલ – એક સમર્પિત જીવન

રાજમોહન ગાંધીના પુસ્તક ‘પટેલ – અ લાઈફ’નો ગુજરાતી અનુવાદ ‘સરદાર પટેલ – એક સમર્પિત જીવન’ નગીનદાસ સંઘવીએ કર્યો છે. સરદાર સહિત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય નેતાઓની કામગીરીની પણ માહિતી છે. સ્વતંત્રતા પહેલાના ભારતમાં બિરલા અને સારાભાઈની ભૂમિકાની પણ આ પુસ્તકમાં રસપ્રદ છણાવટ છે. ઉપરાંત ગાંધી, નહેરુ અને સરદારના પણ અનેક પ્રસંગ આ પુસ્તકમાં છે. પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

૪. સરદાર એટલે સરદાર

ગુણવંત શાહે લખેલા આ પુસ્તકમાં સરદારના જીવનનાં સાતથી આઠ વર્ષની ક્રર્મક્રિયા ઉપર વિગતવાર પ્રસંગો છે. એમાંના રાજકારણને લગતા પસંગોને સારી રીતે બિરદાવવામાં પણ આવ્યા છે. આ પુસ્તક લેખક દ્વારા કરવામાં આવેલા વિવિધ લેખો અને ભાષણોનો સંગ્રહ છે જે સાચા સંદર્ભ સાથે સરદાર સાથે બનેલી ઘટનાઓનું સચોટ વર્ણન કરે છે.

૫. હિંદના સરદાર

 ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વિશે આ પુસ્તકમાં ઘણી ન જાણીતી વાર્તાઓ છે, જેને કારણે બ્રિટિશ રાજનો અંત આવ્યો હતો. આ પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલને લઈને ભારતીયોમાં ઉદભવેલા અનેક વિવાદો અને શંકાઓને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા અને એકીકરણમાં સરદારના યોગદાન વિશે આ પુસ્તકમાં સંપૂર્ણ માહિતી છે.

October 31, 2021
kutchh.jpg
1min464

ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક એક ગામમાં એક મંદિરમાં પ્રવેશવાની બાબતે દલિત પરિવારના છ લોકોને 20 જેટલા લોકોએ ઢોર માર માર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસ નાયબ અધિક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કથિત બનાવ મંગળવાર (26/10/21)ના ભચાઉ સ્ટેશનની હદના નેરગામમાં બન્યો હતો, પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

પોલીસ નયાબ અધિક્ષકના જણાવ્યા મુજબ આ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગોવિંદ વાઘેલા અને તેના પિતા જગભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બન્નેએ દાવો કર્યો છે કે લગભગ 20 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓને પકડવા માટે આઠ જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પાબા રબારી અને કાના કોળી સહિત 20 જેટલા શખ્સોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસ, લૂંટ, મારપીટ અને એસસી/એસટી કાયદા સંલગ્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

એફઆઈઆર મુજબ ફરિયાદી ગોવિંદ વાઘેલા અને તેનો પરિવાર 20 ઓક્ટોબરના નેરગામના રામ મંદિરમાં પૂજા કરવા ગયો હતો જેનાથી આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી મારપીટ કરી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તેઓ દર્શન કરવા ગયા હતા. 26 ઓક્ટોબરના ગોવિંદ તેની દુકાને હતો ત્યારે કેટલાક લોકોએ તેના ખેતરમાં ઢોર છોડી દીધા હતા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. 

જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા ખેતરમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પાઈપ, લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ એક મોબાઈલ ફોન પણ ચોરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ફરિયાદીની રિક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 

આરોપીઓએ ફરિયાદીની માતા, મોટાબહેન, પિતા જગભાઈ અને અન્ય બે સંબંધીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.