CIA ALERT

Blog - Page 126 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 25, 2022
murmu.jpeg
1min593

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સર્વોચ્ય બંધારણીય પદ માટેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, વડાપ્રધાન, અનેક રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અનેક દેશોના રાજદૂત તથા ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે.

સીજેઆઈ એન.વી.રમણાએ સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મુર્મુને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે સમારંભના સમાપન બાદ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે અને ત્યાં તેમને ઈન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, 26મી જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ ભારતીય સેનાઓના શૌર્ય અને સંયમનું પ્રતીક છે. હું તમામ નાગરિકો અને સેનાઓને કારગિલ દિવસની શુભેચ્છા પાઠવું છું.

‘ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે’

મહામહિમ મુર્મુએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. તે ભારતના પ્રત્યેક ગરીબની ઉપલબ્ધિ છે. મારી પસંદગીએ એ વાતનો પુરાવો છે કે, ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, ‘મેં મારા જીવનની સફર ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું ત્યાં મારા માટે પ્રારંભિક શિક્ષણની પ્રાપ્તિ પણ એક સ્વપ્ન સમાન હતી. પરંતુ અનેક અડચણો છતાં મારો સંકલ્પ દૃઢ રહ્યો અને હું કોલેજ જનારી મારા ગામની પહેલી દીકરી બની. આ આપણી લોકશાહીની જ તાકાત છે જેમાં એક ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ય બંધારણીય પદ સુધી પહોંચી શકે છે.’

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘દેશે મને એક એવા મહત્વપૂર્ણ કાલખંડમાં રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજથી અમુક દિવસો બાદ દેશ સ્વાધીનતાના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ એક સંયોગ કહી શકાય કે, દેશ જ્યારે પોતાની આઝાદીના 50મા વર્ષનો પર્વ ઉજવી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષે મને આ નવી જવાબદારી મળી છે.’

પોતાના સંબોધન દરમિયાન દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, હું દેશની પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. સ્વતંત્ર ભારતના નાગરિકો સાથે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે આપણાં પ્રયત્નો તેજ કરવા પડશે. મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો હતો પરંતુ દેશની લોકશાહીમાં એ તાકાત છે કે, મને અહીં સુધી પહોંચાડી.

રામનાથ કોવિંદ તથા તેમના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે નિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી હતી.

July 24, 2022
monkeypox-virus-1280x720.jpg
1min503

દિલ્હીમાં તા.24મી જુલાઇને રવિવારે મંકીપોક્સનો ભારતમાં નવો અને દિલ્હીમાં પહેલો કેસ નોંધાયો હતો. આ સાથે દેશમાં મંકીપોક્સ કેસનો ભાર વધીને ચાર થઈ ગયો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 34 વર્ષીય વ્યક્તિ કે મન્કી પોક્સ ટેસ્ટીંગ પરીક્ષણ પોઝીટીવ જાહેર થયું છે, તેનો વિદેશ પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી. તેમણે તાજેતરમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં એક સ્ટેગ પાર્ટીમાં હાજરી આપી હતી, એમ તેઓએ ઉમેર્યું હતું.

લગભગ ત્રણ દિવસ પહેલા તેમને મંકીપોક્સના લક્ષણો દેખાતા મૌલાના આઝાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના સેમ્પલ શનિવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પુણેમાં મોકલવામાં આવ્યા હતા જે પોઝિટિવ આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. “સંપર્ક ટ્રેસિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે,” તેઓએ ઉમેર્યું.

Explained: How fast does monkeypox spread and should India worry?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ મંકીપોક્સ બીમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. મંકીપોક્સ અત્યાર સુધીમાં વિશ્વના 80 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કુલ 16,886 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ બીમારીના અત્યાર સુધીમાં 3 કેસ જાહેર કરાયા છે.

WHOનું એલાન : ભારતમાં 3 સહિત 80 દેશમાં કુલ 16,886 કેસ

ડબલ્યુએચઓની એક વિસ્તૃત બેઠક બાદ મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. અમેરિકા, યુરોપ સહિત દેશોમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. અમેરિકામાં બાળકોમાં પણ આ કેસ મળ્યા છે. 8 વર્ષ સુધીના બાળકો પર મંકીપોક્સ સંક્રમણનું જોખમ હોવાનું જણાવાયું છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર અત્યાર સુધીમાં બે બાળકમાં મંકીપોક્સના કેસ મળ્યા છે. બન્ને બાળકની હાલત સ્થિર છે. આ બીમારીમાં એન્ટિવાયરલ ટેકોવિરિમૈટ અપાઈ રહી છે.
મંકીપોક્સના લક્ષણો સામાન્ય રીતે બેથી ચાર સપ્તાહ સુધી રહે છે અને તેમાં મુખ્યત્વે શરીર પર લાલ ફોડલા ઉપસી જવા, માથાનો દુ:ખાવો, તાવ, થાક, સાંધામાં દુ:ખાવો, ગળામાં સોજો, કંપારી થવી, પીઠ-કમરનો દુ:ખાવો મુખ્ય છે. મંકીપોક્સ વાનરમાંથી મનુષ્યોમાં ફેલાયેલું સંક્રમણ છે. મોટાભાગના દર્દીઓ યુવા છે.

મન્કીપોક્સ અંગે વધુ જાણકારી

મંકીપોક્સ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી માણસોમાં પરોક્ષ અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. માનવ-થી-માનવ ટ્રાન્સમિશન ચેપી ત્વચા અથવા જખમ સાથે સીધા સંપર્ક દ્વારા થઈ શકે છે, જેમાં ચહેરા-થી-ચહેરા, ત્વચા-થી-ત્વચા અને શ્વસન ટીપાંનો સમાવેશ થાય છે.

મંકીપોક્સનો ઇતિહાસ

શીતળા જેવું વાઇરલ ઇન્ફેક્શન અને 1970માં મનુષ્યમાં સૌપ્રથમવાર જોવા મળ્યું હતું, મંકીપોક્સ શીતળા કરતાં ઓછું ખતરનાક અને ચેપી છે, જેને 1980માં નાબૂદ કરવામાં આવ્યું હતું.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત 16 દેશોમાં 528 લોકોના અભ્યાસ મુજબ, 95 ટકા કેસ જાતીય પ્રવૃત્તિ દ્વારા પ્રસારિત થયા છે – જે અત્યાર સુધીનું સૌથી મોટું સંશોધન છે. એકંદરે, 98% ચેપગ્રસ્ત લોકો ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો હતા, અને લગભગ ત્રીજા લોકોએ પાછલા મહિનાની અંદર સેક્સ-ઓન-સાઇટ સ્થળો જેમ કે સેક્સ પાર્ટી અથવા સૌનાની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

July 24, 2022
Shamshera.jpg
1min646

રણબીર કપૂર અને સંજય દત્તની બહુ ગાજેલી ફિલ્મ શમશેરાને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો છે.

મળતી વિગતો પ્રમાણે પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સવારે ફિલ્મના શોમાં થોડી ઘણી ગીરદી જોવા મળી હતી પણ સાંજ પડતા સુધીમાં  ફિલ્મની કમાણીમાં ઓટ આવી ગઈ હતી.

જાણકારોનુ માનવુ છે કે, શમશેરાએ નિરાશાજનક શરૂઆત કરી છે અને આ પ્રકારના ઓપનિંગ સાથે ફિલ્મની બમ્પર કમાણી મુશ્કેલ બનશે.

શમશેરા ફિલ્મ પર બોલીવૂડને ઘણી આશાઓ છે. કારણકે તેમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ છે. કોરોના મહામારી બાદ બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી આ બીજી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ ભારતમાં 4000 કરતા વધારે સ્ક્રીન પર રિલિઝ કરાઈ છે. તેના પહેલા કેજીએફ પાર્ટ ટુને જ વધારે સ્ક્રીન મળ્યા હતા.

મુંબઈ સરકીટમાં શમશેરાએ ખાસ બિઝનેસ કર્યો નથી. હવે શનિવાર અને રવિવારના વીકએન્ડમાં થનારી કમાણી ફિલ્મનુ ભવિષ્ય નક્કી કરશે.

July 24, 2022
niraj.jpg
2min494

ટોક્યો ઓલમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરૂષોની જેવલિન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. નીરજે ચોથા પ્રયત્નમાં 88.13 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાની ઝોળીમાં મેળવ્યો છે. 

નીરજ ચોપરાના કારણે 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે. અગાઉ 2003માં અંજૂ બોબી જોર્જે મહિલા લોન્ગ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

નીરજ ચોપરાની પહેલી એટેમ્ટ ફાઉલ રહી હતી જ્યારે બીજી એટેમ્પ્ટમાં તેમણે 82.39 મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ઘણું દૂર હતું. બીજી બાજુ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ  એટેમ્પ્ટમાં જ 90 મીટર પાર કરી લીધા હતા. તેમણે સતત 3 એટેમ્પ્ટમાં 90.46, 90.21 અને 90.46 મીટરનો થ્રો કરીને પોતાનો મેડલ લગભગ પાક્કો કરી લીધો હતો. 

નીરજે ત્રીજી એટેમ્પ્ટ દરમિયાન પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો અને 86.37 મીટરના થ્રો સાથે ચોથા નંબરે પહોંચી ગયા હતા. ભારતીય સ્ટાર નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટનરો થ્રો કરીને બીજો નંબર મેળવ્યો છે. નીરજનું આ પ્રદર્શન ઓલમ્પિક કરતાં પણ શાનદાર રહ્યું. ઓલમ્પિકમાં નીરજે 87.58 મીટરના જેવલિન થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 

અમેરિકાના યુજીન ખાતે રમાયેલી ચેમ્પિયનશિપની ફાઈનલમાં નીરજે સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું છે. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરા ઉપરાંત રોહિત યાદવ પણ આ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઉતર્યા હતા. જોકે તેઓ 10મા નંબર પર રહીને ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થયા હતા. 

નીરજના 3 થ્રો રહ્યા ફાઉલ

પહેલો થ્રો- ફાઉલ

બીજો થ્રો- 82.39 મીટર

ત્રીજો થ્રો- 86.37 મીટર

ચોથો થ્રો- 88.13 મીટર

પાંચમો થ્રો- ફાઉલ

છઠ્ઠો થ્રો- ફાઉલ

એન્ડરસને 90.54 સાથે જીત્યો ગોલ્ડ

એન્ડરસન પીટર્સે ફાઈનલમાં શરૂઆતના 2 થ્રો સતત 90થી વધુ મીટર સુધીના કર્યા હતા. આ સાથે જ તેણે ફાઈનલમાં 90.54 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં નીરજના સાથે અન્ય એક ભારતીય રોહિત યાદવ હતા. તેઓ શરૂઆતના 3 થ્રો બાદ ટોપ-8માં સ્થાન નહોતા મેળવી શક્યા અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા.

July 23, 2022
india-wi.jpg
1min551

ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં વિજય સાથે રમતની મહેફિલનો આરંભ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 3 મેચની વનડે સીરિઝના પહેલા મુકાબલામાં વેસ્ટઈન્ડીઝને 3 રનથી હરાવ્યું છે. આ વિજયના મુખ્ય હીરો શિખર ધવનથી વધુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વિકેટકીપર સંજૂ સેમસન પણ છે. 

97 રનની ઈનિંગ બાદ ધવન પ્લેયર ઓફ ધ મેચ તરીકે ઉભરી આવ્યા હતા. પરંતુ સિરાજે છેલ્લી ઓવરમાં વિન્ડીઝ ટીમને જીતવા માટે 15 રન નહોતા કરવા દીધા અને મેચ પલટી દીધી હતી. અંતિમ ઓવરમાં સેમસને પણ શાનદાર ડાઈવ લગાવીને 4 રન બનાવ્યા હતા. જો સેમસન એમ ન કરી શકેત તો મેચ હાથમાંથી નીકળી જાત. 

મેચમાં 309 રનના ટાર્ગેટનો પીછો કરીને વિન્ડીઝ ટીમે 49 ઓવરમાં 6 વિકેટમાં 294 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી અને ક્રીઝ પર રોમારિયો શેફર્ટ 31 તથા અકીલ હુસૈન 32 રન બનાવીને રમી રહ્યા હતા. 

સંજૂએ ડાઈવ મારીને મેચ બચાવી

ત્યારે અંતિમ ઓવર લઈને આવેલા મોહમ્મદ સિરાજે માત્ર 11 રન બનાવવા દીધા હતા. સિરાજની તે ઓવરમાં માત્ર એક જ બાઉન્ડ્રી (4) લાગી હતી જે શેફર્ટે લગાવી હતી. જોકે જોવા જેવી વાત એ છે કે, વિન્ડીઝ ટીમને અંતિમ 2 બોલમાં 8 રનની જરૂર હતી. ત્યારે શેફર્ડ રણનીતિ પ્રમાણે લેગ સાઈડમાં વધુ પડતું પાછળ રહીને રમી રહ્યા હતા. તે સમયે સિરાજે શેફર્ડને ફોલો કરીને પગ તરફ બોલ નાખ્યો હતો પરંતુ તે વધુ પડતો લેડ સાઈડ જતો રહ્યો હતો. 

આ કારણે બોલ વાઈડ થઈ ગયો અને ચોગ્ગા માટે જવાનો જ હતો કે, વિકેટકીપર સંજૂ સેમસને પોતાની પૂરી તાકાત લગાવીને ડાઈવ મારી હતી. સંજૂએ પોતાની સ્ટ્રેચનો પરચો બતાવીને બોલને ઝડપી લીધો હતો અને વિન્ડીઝને વાઈડનો માત્ર એક જ રન મળી શક્યો હતો. જો તે 4 જાત તો તેમને 5 રન મળી જાત.. તેવામાં પછી અંતિમ 2 બોલમાં જીતવા માટે માત્ર 3 જ રનની જરૂર રહેત પરંતુ સંજુએ 4ને રોકીને મેચ પોતાની કરી લીધી. 

July 23, 2022
Cia_business_news-1280x936.jpg
1min445

તા.23મીને શનિવારથી સુરતના સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીવનીટ ફેબ્રિક એક્સ્પોનો આરંભ થઇ રહ્યો છે. વીવનીટ એક્ષ્પોમાં અનેક આકર્ષણો પૈકી સૌથી મોટું આકર્ષણ ફેબ્રિક બાયર્સ માટે એ છે કે સુરતમાં ઉત્પાદિત થતા 1000થી વધુ જાતોના કાપડની વિશાળ રેન્જ ડિસ્પ્લેમાં મૂકાશે.

ચેમ્બરના નવનિર્વાચીત પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા, આશિષ ગુજરાતી, રમેશ વઘાસીયા, ભાવેશ ટેલર, બિજલ જરીવાલા, મયુર ગોલવાલા, દિપુ અગ્રવાલ, આકાશ ભાદાણી વગેરેએ વીવનીટની માહિતી આપવા માટે યોજેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વીવનીટ એક્ષ્પોમાં દુબઇ અને ચીનથી આંતર રાષ્ટ્રીય બાયર્સ આવી રહ્યા છે આ ઉપરાંત ભારતના કુલ 125 જુદા જુદા શહેરો, નગરોમાંથી કાપડના રિટેલ વેપારીઓ વીવનીટ એક્ષ્પોમાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ કે જેઓ સૌથી વધુ કાપડ ખરીદતા હોય છે એના સંગઠનના 4 હજારથી વધુ મેમ્બર્સને વીવનીટમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. વીવનીટ એક્ષ્પો જેટલી મોટી રેન્જમાં કાપડ ભારતમાં અન્ય ક્યાંય જોવા કે ખરીદવા નહીં મળી શકે.

કમળની ડાળીમાંથી કાપડ, આખી ટેક્નોલોજીનો લાઇવ ડેમો
વીવનીટ એક્ષ્પોમાં સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જેમાં કમળ (લોટસ) સ્ટેમ ડાળીમાંથી ઉપલબ્ધ થતા ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ ખાસ કોઇમ્બતુરથી આવીને આ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

સુરતીઓની જુગાડ ટેક્નોલોજી, દેશી શટલ લૂમ્સ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરે છે
સુરતના કેટલાક વીવીંગ કારખાનેદારોએ દાયકાઓ જૂની કાપડ બનાવવાની ટેક્નોલોજી અને મશીનરી કે જેને દેશી શટલ લૂમ્સ કહેવાય છે, આ શટલ લૂમ્સ પર અખતરાઓ કરીને તેમાંથી એક આધુનિક પ્રકારના કાપડનું ઉત્પાદન શરૂ કર્યું છે અને હવે એ જુગાડ ટેક્નોલોજીની મદદથી કમર્શિયલ બેઝ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરી રહ્યા છે અને આ કાપડ પણ વીવનીટ એક્ષ્પોમાં ડિસ્પ્લે થવા જઇ રહ્યું છે. આ પ્રકારની દેશી જુગાડ ટેક્નોલોજીથી કાપડ તૈયાર કરી રહેલા આકાશ ભાદાણીએ જણાવ્યું હતું કે દેશી શટલ લૂમ્સ પર તૈયાર થતા એમ્બ્રોઇડરી સાથેના ફેબ્રિકનો હોલસેલ રેટ પ્રતિ મીટરના રૂ.75થી 150-200 જેવી રેન્જ અને ક્વોલિટી એવો ભાવ મળે છે. સ્થાનિક બજારમાં ખરીદારો ન હોવાથી આ પ્રકારનું કપડું વિદેશી ખરીદારો જ ખરીદ કરે છે અને તેના મોટા ઓર્ડર પણ મળી રહ્યા છે.

July 23, 2022
cia_edu-1280x925.jpg
1min540

સુરત શહેર અને જિલ્લામાં સેન્ટ્રલ બોર્ડની 48 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ કાર્યરત છે. તા.23મી જુલાઇ 2022ના રોજ સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીણામનું એનાલિસીસ કરતા ઉડીને આંખે વળગે તેવી વિગત એ સપાટી પર આવી છે કે સુરત શહેરમાં ઉમરા ખાતે આવેલી ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી, સેગવાછામા ખાતે આવેલી કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ જેવી ઇમર્જિંગ (ઉભરતી જતી) શાળાઓના વિદ્યાર્થીઓનું ઓવલઓલ પરફોર્મન્સ જોરદાર રહ્યું છે. આ બન્ને શાળાઓના પહેલા બેચના વિદ્યાર્થીઓએ 2022માં ધો.10ની પરીક્ષા આપી હતી. બન્ને શાળાનું પહેલા જ બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે.

ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમીના ફર્સ્ટ બેચનું 100 ટકા રિઝલ્ટ

ચાલુ વર્ષે સુરતના ઉમરા ખાતે આવેલી ઉમરીગર મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ એકેડેમી સ્કુલનો પહેલવહેલા બેચના વિદ્યાર્થીઓએ 2022માં સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપી હતી. ઉન્નતી એકેડેમી સાથે સંકળાયેલા કિંજલ ઉમરીગરે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્કુલનું પહેલા જ બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે. પહેલા બેચમાં 24 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજે જાહેર થયેલા પરીણામમાં તમામે તમામ વિદ્યાર્થીઓ ઉતિર્ણ ઘોષિત થયા છે. ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમીના ટોપ-5 વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ આ મુજબ રહ્યું છે.

CIS કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલનું પરીણામ પણ 100 ટકા

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતની કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ ઉભરતી શાળા તરીકે ખ્યાતિપ્રાપ્ત બની રહી છે. શાળામાં વહીવટી સંચાલન વલ્લભાઇ પટેલ અને એકેડેમિક સંચાલન સંજયભાઇ મહેતાની રાહબરી હેઠળ શાળામાં જે પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે એ જોતા વાલીઓની પહેલી પસંદ બની રહી છે. ધો.10ના સેન્ટ્રલ બોર્ડના પરીણામમાં કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલના સૌથી પહેલા બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે.

July 22, 2022
cia_edu-1280x925.jpg
2min573

સેન્ટ્રલ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. સુરતની 40થી વધુ સ્કુલોનું પરીણામ સરેરાશ 95 ટકાથી 100 ટકા વચ્ચે રહ્યું છે. ધો.12નું પરીણામ જાહેર થયું હોવા છતાં વિદ્યાર્થીઓમાં કોઇ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો, કેમકે ધો.12ના પરીણામથી ઇચ્છીત કોલેજ કે કોર્સમાં પ્રવેશ મળવાનો નથી, સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની નજર નીટ, જેઇઇ કે આઇપી મેટ જેવી પ્રવેશ પરીક્ષાઓના પરીણામ પર ટકી હોવાનું જાણવા મળ્યું હતું.

CBSE એ ધો.12ના વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે માર્ક આપ્યા, ઓવરઓલ 92.71% પરીણામ

ચાલુ વર્ષે ફેઝ-1 અને ફેઝ-2 એમ બે તબક્કામાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેનાર સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઇ)એ આજે ધો.12નું પરીણામ જાહેર કર્યું હતું. સમગ્ર દેશમાંથી કુલ 14 લાખ 35 હજાર 366 વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડમાંથી સાયન્સ, આર્ટસ, કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી, આજે જાહેર કરાયેલા પરીણામમાં કુલ 13 લાખ 30 હજાર 662 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા છે. સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે સેન્ટ્રલ બોર્ડે ધો.12ના વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે માર્કસ આપ્યા અને એટલે જ ધો.12નું ઓવરઓલ પરીણામ 92.71 ટકા જેટલું વિશાળ આવ્યું છે. સુરત-ગુજરાત જેમાં આવે છે એ સેન્ટ્રલ બોર્ડના અજમેર રિજિયનનું પરીણામ તો નેશનલ એવરેજ કરતા પણ વધુ 96 ટકા આવ્યું છે.

CBSE Results Overall

July 21, 2022
Arvind-kejriwal.jpg
2min484

અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.

કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને  એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.

સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની  જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના  મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ  પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા. 

આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ?   દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી  નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.

હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી. 

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે  તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.

આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના  પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા   જુદા જવાબ આપી તેમના ડબલ   સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા. 

દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે. 

અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. 

સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.

July 21, 2022
cia_edu-1280x925.jpg
1min528

Jayesh Brahmbhatt 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી સી.એ.ના દ્વિતીય ચરણ, સી.એ. ઇન્ટરમિડીએટની પરીક્ષાનું પરીણામ આજે તા.21મી જુલાઇએ ઘોષિત કરવામાં આવ્યું હતું. ઓવરઓલ પરીણામની વાત કરીએ તો ઇન્ટરમિડીએટ સિસ્ટમ અમલમાં આવી ત્યાર પછીનું સૌથી નીચું પરીણામ આવ્યું છે.

સી.એ. ઇન્ટરમિડીએટમાં બન્ને ગ્રુપમાં પાસ થનારા ઉમેદવારોની ટકાવારી ફક્ત 5.46 ટકા જ છે. સમગ્ર દેશમાંથી સી.એ. ઇન્ટરમિડીએટની બન્ને ગ્રુપની પરીક્ષા કુલ 24,475 ઉમેદવારોએ આપી હતી. તેમાંથી ફક્ત 1337 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે.

સુરતની વાત કરીએ તો સુરતમાં મધ્યમવર્ગીય રાજસ્થાની પરિવારના પર્વ જૈન નામના વિદ્યાર્થીએ કુલ 800માંથી 615 માર્કસ મેળવીને સમગ્ર ભારતમાં 8મો ક્રમ અને સુરતમાં સર્વપ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યો છે.

રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટનો દેખાવ ઝળહળતો રહ્યો

સી.એ. કોચિંગ માટે દેશભરમાં ખ્યાતિપ્રાપ્ત સુરતના રવિ છાવછરીયા પાસે ઇન્ટરમિડીએટનું કોચિંગ લેનારા ત્રણ વિદ્યાર્થીઓએ આજે તા.21મી જુલાઇએ જાહેર થયેલા ઇન્ટરમિડીએટ પરીક્ષા મે-ના પરીણામમાં ઓલ ઇન્ડિયા ટોપ-50માં રેન્ક પ્રાપ્ત કર્યા હતા. Photo – www.cialive.in.

સમગ્ર દેશમાં સી.એ. કોચિંગ માટે જાણિતા સુરતના રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇ રહેલા ત્રણ ઉમેદવારોએ આજે સીએ ઇન્ટરમિડીએટમાં ઓલ ઇન્ડિયા ટોપ ફીફ્ટીમાં સ્થાન મેળવ્યા છે. રવિ છાવછરીયાના વિદ્યાર્થી ઋુષિકેશ દેસાઇ, (મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના)એ 800માંથી 574 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 25મો રેન્ક, મૂળ રાજસ્થાની પરિવારના શુભમ ચોપરાએ પણ 800માંથી 574 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 25મો રેન્ક તથા મૂળ સુરતી પરિવારના, ગુજરાતી માધ્યમમાંથી ધો.12 પાસ કરનાર મોહિત મેવાવાલાએ 800માંથી 573 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 26મો રેન્ક હાંસલ કર્યો છે.