અભૂતપૂર્વ માનવ મેદની વચ્ચે સંપન્ન થયેલા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ બદલ ભાજપ સુરત મહાનગર દ્વારા ઋણસ્વીકાર
સુરત શહેરમાં ગઇ તા.24મી નવેમ્બરે સાંજે અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ અભૂતપૂર્વ માનવ મેદની અને વડીલોના આશીર્વચન વચ્ચે પૂર્ણ થયો. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે આપેલા અમૂલ્ય માર્ગદર્શન અને આશીર્વચનને કારણે સમગ્ર સમારોહને ચારચાંદ લાગી ગયા છે. સમગ્ર ગુજરાતમાં સુરત ભાજપાના સ્નેહમિલન સમારોહની ચર્ચા ચાલી રહી છે. આવા અદભૂત કાર્યક્રમ બદલ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમારોહને સફળ બનાવવામાં પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ રીતે સહભાગી થનાર નામી, અનામી દરેકનો જાહેર ઋણસ્વીકાર કરવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now