બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેલફેરની ફી ન ભરવાના મુદ્દે એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ગુજરાત હાઇકોર્ટને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ નિર્ણય અંગે જાણ કરી છે.
મહત્વનું છે કે, એકસાથે 6 હજાર 238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જે શહેરોમાં વકીલોને સસ્પેન્ડ કર્યા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 2409 વકીલોનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલીમાં 53, આણંદના 331, બનાસકાંઠાના-76, ભરૂચના 149, ભાવનગરના-148, દાહોદના-28, ડાંગના-2, ગાંધીનગરના-121, જામનગરના-162, જૂનાગઢના-179, ખેડાના-227, કચ્છના-81 વકીલોનો સમાવેશ થાય છે.
જ્યારે મહેસાણાના 155, મોરબીના 376, નર્મદાના 16, નવસારીના 105, પંચમહાલના 91, પાટણના 68, પોરબંદરના 44, સાબરકાંઠાના 106, સુરતના 494, સુરેન્દ્રનગર 141, વડોદરાના 509 અને વલસાડના 104 મળી 6238 વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944