CIA ALERT
29. April 2024
October 25, 20191min3210

દિવાળી વેકેશન : રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અંબાજી મંદિર

Share On :
Print Friendly, PDF & Email

શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પર્વને લઈને આરતી ને દર્શનના સમયમાં ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વને લઈને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. ૨૮ ઑક્ટોબરને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં આરતી સવારે ૬ વાગ્યે થશે. ભાવિકો સવારે સાડાછ વાગ્યાથી પોણાઅગિયાર વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. ત્યાર બાદ બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અને એ પછી અન્નકૂટ આરતી યોજાશે. બપોરે સાડાબાર વાગ્યાથી સવાચાર વાગ્યા સુધી દર્શન થશે. સાંજે સાડાછ વાગ્યે સંધ્યા આરતી થશે અને એ પછી રાત્રે ૧૧ વાગ્યા સુધી માઈભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.

તા. ૨૯-૧૦-૨૦૧૯ને ભાઈબીજથી તા. ૩-૧૧-૨૦૧૯ સુધી આરતી સવારે સાડાછ વાગ્યે થશે. દર્શન સવારે ૭ વાગ્યાથી થઈ શકશે. મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :