સેંકડો યુવાનોને IAS-IPS બનાવનાર શંકર ‘સર’ નો આપઘાત
ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં યુવાનો અને માબાપમાં સૌથી પ્રચલિત શૈક્ષણિક સંસ્થા શંકર આઇ.એ.એસ. એકેડેમીના સ્થાપક શંકર સર એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. શંકર IAS એકેડમીના સ્થાપક અને સીઈઓ પ્રોફેસર શંકર દેવરાજને 45 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. ચેન્નાઈના માઈલપુર સ્થિત ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો. એવું માનવામાં આવે છે કે શંકર સર એ 500થી વધુ સનદી અધિકારીઓ ભારતને આપ્યા છે. તેમના ક્લાસીમાં અાપવામાં આવતી કોચિંગથી વિદ્યાર્થીઓ બહુ જ પ્રભાવિત થતા હતા. જે વિદ્યાર્થીઓ શંકર એકેડેમીનું કોચિંગ લઇને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા હોય એ ફરીથી શંકર એકેડેમીમાં ક્લાસ લેવા સ્વેચ્છાએ આવતા હોય છે.

પ્રોફેસર શંકર દેવરાજન તમિલનાડુ દક્ષિણ ભારતમાં જ નહીં બલ્કે ભારતભરમાં ‘શંકર IAS એકેડમી’ થી જાણીતા હતા, જેની સ્થાપના 2004માં ચેન્નાઈમાં થઈ હતી. ત્યારથી આજ સુધી એમની એકેડમીમાં તૈયારી કરીને 900 યુવાનો IAS, IPS કે રાજ્ય સરકારની ક્લાસ-1-2 અધિકારી બનવામાં સફળ રહ્યાં છે.
આ રાજ્યની પ્રથમ એકેડમી હતી, જેનું લક્ષ્ય IAS અને IPS બનવા ઈચ્છતા યુવાનો તૈયારીની ટ્રેનિંગ આપતી હતી. આ એકેડમી ખાસ કરીને પછાત સમુદાયના યુવાનો પર ખાસ ધ્યાન આપતી હતી, જેથી એ ભવિષ્યમાં સફળતા હાંસલ કરી શકે. શંકર દેવરાજનના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે.
તમિલનાડુના કૃષ્ણગિરીમાં રહેતા શંકરનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો હતો, તેમના પિતા બાળપણમાં અવસાન પામ્યા હતાં.
શંકર દેવરાજને એગ્રી કલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


