‘છડી મુબારક’ની સ્થાપના સાથે અમરનાથ યાત્રા સંપન્ન
મુદ્રના સ્તરથી ૧૪,૫૦૦ ફૂટ ઊંચે આવેલી અમરનાથ ગુફામાં સ્વયંભૂ હિમલિંગની પૂજાઅર્ચના, દર્શન કરવા માટે યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા શ્રાવણી પૂનમના દિને છડી મુબારક નામક વિધિ સાથે સંપન્ન થઈ હતી. રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ પૂર્ણિમા અને રક્ષા બંધનના દિને અંદાજે ૧૫૦ શ્રદ્ધાળુઓએ ગુફાના દર્શન કર્યા હતા. બે માસની અમરનાથ યાત્રામાં અંદાજેે ૨.૮૫ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા. આ ફેરે અમરનાથ યાત્રામાં ૩૪ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા હતા. છડી મુબારકની અમરનાથની પવિત્ર ગુફામાં સ્થાપના સાથે યાત્રાની સમાપ્તી થઇ હતી. વર્ષ ૨૦૧૭માં અમરનાથ યાત્રા કરનાર ભાવિક ભક્તોની સંખ્યા ૨.૬૦ લાખ હતી તેમ જ વર્ષ ૨૦૧૨માં ૬.૨૧ લાખ હતી.

આ વખતે ખરાબ મોસમ અને કાશ્મીરના સંજોગો જોતાં અમરનાથ યાત્રામાં ઓછા યાત્રાળુ આવ્યા હતા.
ઉત્તર ભારતમાં શ્રાવણ માસ પૂરો થવા અવસરે પવિત્ર ‘છડી મુબારક’ને રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ અમરનાથ ગુફામાં સ્થાપિત કરવામાં આવી હતી. દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગીરીના નેજાં હેઠળ સાધુઓનું એક દળ શ્રીનગરના દશનામી અખાડાથી નીકળ્યું હતું. પૂજાઅર્ચના બાદ છડી મુબારકને ફરીથી તે અખાડામાં જ સ્થાપિત કરી દેવાયું હતું. ‘બર્ફાની બાબા કી જય,’ ‘જય બાબા અમરનાથ બર્ફાની, ભૂખે કો અન્ન, પ્યાસે કો પાની’,‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી પોકારોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


