નરેન્દ્ર મોદી તા. 23મી ઑગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે
નરેન્દ્ર મોદી 23મી તારીખના તેમના તમામ કાર્યક્રમો પૂરા થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ ભાજપના નેતાઓ સાથે ટૂંકી ચર્ચા પણ કરશે.

બેઠક દરમિયાન આગામી ચૂંટણીથી લઈને અનેક મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. 23મી ઑગસ્ટે વલસાડ અને જૂનાગઢનો કાર્યક્રમ પૂરો થયા બાદ સાંજે ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનર દરમિયાન વડા પ્રધાન લોકસભાની તૈયારીઓ, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે. તા.23મી ઑગસ્ટના નરેન્દ્ર મોદી સવારે 9.30 વાગ્યે સુરત ઍરપોર્ટ આવી પહોંચશે અહીં તેમનું સ્વાગત કરવામાં આવશે. સુરત ઍરપોર્ટ પરથી તેઓ સીધા હેલિકૉપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. અહીં યોજાયેલા કાર્યક્રમમાં બપોરના 12 વાગ્યા સુધી હાજરી આપશે. વલસાડમાં કાર્યક્રમ પૂરો કરીને તેઓ હેલિકૉપ્ટર મારફતે જ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ ખાતે હૉસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમને પૂરો કરીને વડા પ્રધાન ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 3 વાગ્યા બાદ તેઓ ગાંધીનગર એફએસએલના કાર્યક્રમમાં હાજરી આપશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


