સોમનાથ મહાદેવનું મંદિર આજથી LED લાઈટ્સ ઝળહળી ઉઠશે
દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શનિવારથી જ 2000 જેટલી એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે. મંદિરને રંગબેરંગી એલઈડીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. જેટલી પણ કામગીરી થઈ છે તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે.
સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. 2000 જેટલી એલઈડી લાઈટો લગાવવામાં આવી રહી છે. રોજ રાત્રે 45 મિનિટ સુધી લગાવાયેલી એલઈડી લાઈટની રોશનીથી મંદિરની શોભા ચાર ગણી વધી છે જ્યારે કામગીરી પૂરી થશે ત્યારે મંદિર જોઈને ભક્તો પણ દંગ રહી જશે. છેલ્લા 4 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. મુખ્ય પ્રવેશદ્વારને પણ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવી રહ્યું છે. કુલ 6 કરોડનો ખર્ચ લાઈટિંગ બ્યુટીફિકેશન માટે થશે. મંદિર ફરતે 1400 એલઈડી ફિક્ચર્સ અને 600 હાઈ એલઈડી લાગી રહી છે. નાના નાના હજારો બલ્બથી મંદિરનાં પગથિયાંથી 151 ફૂટની ઊંચાઈ ધરાવતા ઊંચા શિખર સુધી લાઈટોના વિવિધ રંગ જોવા મળશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
