ગુજરાતી સંસ્કૃતિનું સર્વોત્તમ પ્રતિક ગણાતા ગરબા મહોત્સવ એટલે કે નવરાત્રી દરમિયાન સ્કુલ-કોલેજોથી લઇને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નવ દિવસનું વેકેશન જાહેર કરવાનો આરંભ આ વર્ષથી રાજ્ય સરકારે કર્યો છે. પરંતુ, સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી વેકેશન માત્ર નામનું વેકેશન અને તેમાં પણ ગરબા ઘૂમવાની જગ્યાએ વાંચનમય રહેવું પડે તેવી સ્થિતિ છે કેમકે નોરતાં પૂર્ણ થાય એટલે તરત જ શાળાકીય પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થશે.
રાજ્યમાં ૧૦થી ૧૮ ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનો પર્વ ઉજવાશે અને એ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને તા. ૧૮ ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. જેના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગતા નવરાત્રી વેકેશન પરીક્ષા પહેલા સ્ટડી હોલીડે બની રહે તો નવાઇ નહીં. હવે રાજ્યના વાલીઓ તેમજ શિક્ષકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ક્યાં તો પરીક્ષાનું શિડ્યુલ બદલવાની મંજૂરી આપવામાં આવે અગર તો સત્રાંત કસોટી વહેલી યોજવામાં આવે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલો શરૂ થઈ ત્યારે જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે, જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે અને પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે તે અંગેની તારીખો જાહેર કરી દેવાય છે. જેના પગલે રાજ્યની તમામ સ્કૂલોમાં એકસુત્રતા જળવાય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
