સુરતના હૃદય રોગ નિષ્ણાંત ડૉ. અતુલ અભ્યંકરનો આર્ટિકલ ‘ઇન્ડિયન હાર્ટ જર્નલ’માં પ્રકાશિત

ઇન્ડિયન હાર્ટ જર્નલમાં સુરતના હૃદયરોગ નિષ્ણાંતનું સંશોધન પ્રકાશિત થયું
હૃદય રોગમાં આશીર્વાદ રૂપ નીવડતી પદ્ધતિ જેમકે ‘એન્જીઓપ્લાસ્ટી’ અને ‘સ્ટેન્ટ પ્રત્યારોપણનો સફળતા આંક માપવા માટે જે-તે દર્દીઓને લાંબા સમય સુધી ફોલો-અપ કરવા જરૂરી બને છે. તાજેતરમાં એક પ્રતિષ્ટિત નેશનલ જર્નલ ‘ઇન્ડિયન હાર્ટ જર્નલ’માં સુરતના અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ડૉ. અતુલ અભ્યંકરનું સંશોધન પ્રકાશિત થયું છે. જે મુજબ હૃદય રોગના દર્દીઓ પર થયેલી અન્જીઓપ્લાસ્ટી અને સ્ટેન્ટ વિષયક ઓપરેશનનો ડેટા ભેગો કરીને સંશોધન કરવામાં આવ્યું હતું. તેનું તારણ એવું આવ્યું કે ૮૭.૫ ટકા દર્દીઓને પહેલું સ્ટેન્ટ મૂક્યાના સાત વર્ષ પછી પણ હૃદયરોગનો હુમલો થયો નથી. તેમને ફરી એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટ રોપણની જરૂર પણ પડી નથી.
ડોક્ટર અભ્યંકરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થયેલી વિગતોની સરખામણીએ આપણો ડેટા હાલ સૌથી સારો ગણી શકાય તેવો છે.
સૂરત માટે ગૌરવની વાત એ છે કે એ તમામ શસ્ત્રક્રિયાઓ સૂરતમાં જ, પ્રતિષ્ટિત હોસ્પિટલમાં, સુરતના જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડોક્ટર અતુલ અભ્યંકર દ્વારા સૂરતમાં જ નિર્માણ પામેલા સ્ટેન્ટ દ્વારા કરવામાં આવી હતી. ‘મેક ઇન ઇન્ડિયા’ની મુહિમ અંતર્ગત સૂરતમાં જ નિર્મિત ખાસ પ્રકારના ‘બાયોડીગ્રેડેબલ પોલિમર’ સ્ટેન્ટની સફળતાએ સુરતને હૃદયરોગની સારવાર ક્ષેત્રે અગ્રિમ હરોળમાં મૂકી દીધું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
