મધ્ય પ્રદેશમાંથી વરસાદના પાણીની આવક થતાં નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધી
ગુજરાતના સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માંથી 7257 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો નોંધાયો છે અને 10 દિવસમાં 1.12 મીટરનો વધારો નોંધાયો હાલ ડેમની સપાટી 106.43 મીટર થઇ છે જેમાં વધારો થઇ રહ્યો છે, હાલ મધ્ય પ્રદેશમાં અને નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ બે દિવસમાં પડ્યો જે વરસાદી પાણી મધ્યપ્રદેશ ના ડેમમાં આવતા હાલ ડેમ ના પાવર હાઉસના ટર્બાઇન ચાલુ કરાતા ધીરે ધીરે સરદાર સરોવરમાં આવી રહ્યા છે જેને લઈને સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે .
નર્મદા બંધની આઇબીટીપી ટનલ માંથી કેનલ માંથી ગુજરાત ને પીવા માટે હાલ પણ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે સપાટી 110 મીટર પર જતા આઇબીટીપી ના ગેટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે હાલ મેન કેનલ માં 6000 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જોકે મધ્યપ્રદેશમાં વરસાદને પગલે હવે નર્મદા બંધની સપાટીમાં સતત વધારો નક્કી છે.. ઇંંદીરા સાગર ડેમનું રૂલ લેવલ વધતા અને વરસાદ પહેલા ડેમ ખાલી કરવા માટે હાલ વિજ મથકો દ્વારા પાની છોડાઇ રહ્યું છે.
1 જુલાઇ થી 30 જુન વચ્ચે ઇન્દીરાસાગર ડેમમાં થી 10 હજાર પાણી છોડવું એવો જળ વિવાદ પંચ નો ચુકાદો છે. જેને લઈને 11 જુન 2018નાં રોજનું ઇંદીરાસાગર ડેમનું રૂલ લેવલ 248.77 મીટર છે અને હાલમા પાનીની સપાટી 2.49.17 મીટર છે. જેથી પાણી છોડાઇ રહ્યું છે ત્યારે નર્મદા ડેમ પર આવતા પ્રવાસીઓ પણ ગાઈડ દ્વારા હાલ ડેમ ની સપાટી માં વધારો સાંભળતા ખુશ નજરે પડી રહ્યા છે આજે ડેમ પર છેલ્લા 6 મહિનાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચોમાસું આવતા પ્રવાસીઓ પણ વધી રહ્યા છે જેને લઈ ડેમ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરદાર ડેમના ઉપરવાસમાંથી સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે જેને કારણે પ્રવાસીઓમાં પણ વધારો થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
