જીએસટી રિફંડ માટે આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત

Share On :

સરકારે જીએસટી રિફંડનો દાવો કરવા માટે કરદાતાઓના આધાર ઑથેન્ટિકેશનને ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટીના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં જીએસટી માત્ર પાન કાર્ડ સાથે લિંક થયેલા બૅંક ખાતામાં જ જમા થાય (જે ખાતા સાથે જીએસટી રજિસ્ટ્રેશન થયું હોય) સહિતના વિવિધ કરચોરી ડામવાના પગલાં લેવામાં આવ્યા છે. 

જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી જે ઉદ્યોગોએ સમરી રિટર્ન ફાઇલ કરવામાં અને માસિક જીએસટી ભરવામાં ડિફોલ્ટ કર્યું છે, તેઓ આગામી મહિનાનું જીએસટીઆર-૧ વેચાણ રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. આ જાહેરનામું ૧૭ સપ્ટેમ્બરે લખનઊ જીએસટી કાઉન્સિલની બેઠકમા ંલવાયેલા નિર્ણયોને અનુસરે છે.  

‘કરચોરીને પકડવા માટે, સરકારે માલિક, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અને અધિકૃત હસ્તાક્ષરકર્તા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે,’ એમ એએમઆરજી ઍન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું.   ઇવાયના ટૅક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું કે, ‘આવક લીકેજ અટકાવવાના ઉદ્દેશથી સરકારે કરદાતાને રિફંડનો દાવો કરવા માટે આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે.                            

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :