લોક કલ્યાણના અનેક કાર્યો સાથે AIMJF – ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની AGM સુરત ખાતે સંપન્ન

સમગ્ર ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં જુદા જુદા દેશોમાં વસેલા સમસ્ત મેમણ સમાજની 500 જમાતને આવરી લેતા ઓલ ઇન્ડીયા મેમણ જમાતની વાર્ષિક સાધારણ સભા તા.8મી ઓગસ્ટ 2021ને રવિવારે સુરતના ચોકબજાર સ્થિત મેમણ હોલ ખાતે હર્ષોલ્લાસભેર યોજવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એજીએમમાં હાજરી સ્વૈચ્છીક કરી દેવામાં આવી હતી. આમ છતાં ભારતના ખૂણેખૂણામાંથી અંદાજે 450થી વધુ જમાતના પ્રતિનિધિઓ, ડેલિગેટ્સ, આમંત્રિતો જોડાયા હતા.
ઓલ ઇન્ડિયા મેમણ જમાતના અધ્યક્ષે એજીએમને સંબોધતા સમગ્ર વર્ષ દરમિયાન થયેલી પ્રવૃતિઓ અને ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. એજીએમ પ્રસંગે અંદાજે પોણા બે કરોડ રૂપિયાની રકમ લોક કલ્યાણના કાર્યોને સમર્પિત કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના ચીપલુન અને મહાડમાં આવેલા વિનાશક પૂરગ્રસ્તોને મદદથી લઇને સમાજના ગરીબ વર્ગના પરિવારોને મકાન મરામત તથા અન્ય ચીજવસ્તુઓની સહાય સમાજ તરફથી આપવામાં આવી હતી.
એજીએમની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો કરનારા, સેવાકીય પ્રવૃતિઓમાં તન, મન, ધનથી મદદ કરનારા, વિવિધ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરનારા વિવિધ જમાતના ઉમેદવારોનું જાહેર અભિવાદન કરીને તેમને મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા.
સુરતમાંથી મોહસિનભાઇ લોખંડવાલા, અફરોઝભાઇ ફત્તા સમેત અનેક લોકોનું તેમણે કરેલી કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
