Traders in MSME : રિટેલ, હોલસેલ વેપારીને મળશે સસ્તા ધિરાણ
કોરોનાની બીજી લહેરમાં આર્થિક સંકટમાં ઘેરાયેલા છૂટક અને જથ્થાબંધ વેપારીઓને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે રિટેલ અને હોલસેલ વેપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં એકમો એટલે કે એમએસએમઈનાં દાયરામાં સમાવવાની ઘોષણા કરી છે. જેનાં હિસાબે વેપારીઓને બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓમાંથી ધિરાણ મેળવવું આસાન બની જશે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે ટ્વિટર ઉપર આની જાણકારી આપતાં કહ્યું હતું કે, આ નિર્ણય પછી રિટેલ અને હોલસેલ વેપારીઓ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ આસાનીથી’ લોન લઈ શકશે. સરકારનાં આ ફેંસલાથી લગભગ અઢી કરોડ જેટલા વેપારીઓને ફાયદો થશે. રિઝર્વ બેન્ક તરફથી એમએસએમઈ જેવા પ્રાયોરિટી સેક્ટરને આસાન શરતોથી લોન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે.
ગડકરીએ પોતાનાં ટ્વિટમાં એમએસએમઈને સેક્ટર ગ્રોથનું એન્જીન ગણાવતાં કહ્યું છે કે, કોવિડની બીજી લહેરથી રિટેલ અને હોલસેલ વેપારીઓની નુકસાની ધ્યાને લેતાં તેમને પણ એમએસએમઈનાં વ્યાપમાં લાવવામાં આવ્યા છે. તેમને ધિરાણમાં અગ્રતા આપીને આર્થિક સહાય પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ફન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા આને ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડલવાલે કહ્યું હતું કે, તેમનાં તરફથી છેલ્લા એકાદ વર્ષથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. આઠેક કરોડ નાના વેપારીઓ હવે સસ્તી લોન મેળવી શકશે. આ ઉપરાંત એમએસએમઈની અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ તેમને મળતો થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


