સુબોધ કુમાર જયસ્વાલ CBIના નવા વડા નિયુક્ત, બે વર્ષનો કાર્યકાળ રહેશે

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના નવા વડા અંગે મંગળવારે મોડી રાત્રે નિર્ણય લેવાય છે. આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી. જયસ્વાલ 1985 બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રમાં ડારેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટર બન્યા તે અગાઉ તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ હતા.
કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. અગાઉ ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. શુક્લાની નિવૃતિ બાદ એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા વચગાળાના પ્રમુખ તરીકે સીબીઆઈના કેસો પર ધ્યાન આપી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જયસ્વાલ, એસએસબીના ડાયરેક્ટર જનરલ રાજેશ ચંદ્રા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વી એસ કે કૌમુદીના નામની યાદી તૈયાર કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્ના પણ હાજર હતા. આ બેઠક વડાપ્રધાન નિવાસે યોજાઈ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
