Gujarat : લેબ રિપોર્ટ વગર કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાશે, બહારગામના દર્દીને પણ સારવાર
ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અંગે રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે RT-PCR રિપોર્ટની જરૂર નહીં રહે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ થવા માટે RT-PCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ ફરજિયાત હતો, પરંતુ આ નિર્ણયથી કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારને વધુ રાહત મળશે.
કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની સરકારની નવી પોલીસી મુજબ 108 કે ખાનગી વાહનો એમ ગમે તે વાહનમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. ઉપરાંત હવેથી RT-PCR રિપોર્ટ વિના પણ કોઈ દર્દીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તો તેને પણ દાખલ કરીને સારવાર આપવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


