CIA ALERT

30/4 Gujarat : 5 દિવસમાં કોરોના રિકવરી રેટ 53% વધ્યો

Share On :

ગુજરાતમાં બુધવારે મોડી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાછલા ચોવિસ કલાકના ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા હતા આ સાથે રાજ્યમાં કુલ કોરોનાનો આંકડો ૫.૩૮ લાખ થઈ ગયો હતો. જોકે છેલ્લા ૨૭ દિવસમાં પહેલીવાર કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ભલે તે ઘટાડો ખૂબ સામાન્ય ૧.૬ ટકા જેટલો હોય પરંતુ ઘટાડો થયો તે મહત્ત્વની વાત છે. તો સામે પક્ષે આ જ ૨૪ કલાકના સમય દરમિયાન ૮૫૯૫ લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જે સાથે રાજ્યનો રિકવરી રેટ ૬૧ ટકાએ પહોંચ્યો છે. જે પાંચ દિવસ પહેલા ૨૩ એપ્રિલના રોજ ૪૧ ટકા હતો. એબ્સોલ્યુટ ટર્મમાં વાત કરીએ તો દૈનિક ડિસ્ચાર્જ એટલે કે રિકવરી થવાનો આંકડો ૫૬૧૮ અંક વધ્યો છે જે ૫૩ ટકા જેટલો વધારો છે. બીજી તરફ વધુ એક રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી તેમાં હાઈ કોર્ટની ઝાટકણી પછી કોર્પોરેશને બુધવારે જાહેર કર્યું હતું કે કોઈપણ વાહનમાં પહોંચેલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે પરંતુ તે માટે દર્દી તરફથી કોઈએ હોસ્પિટલના ગેટ પર મળતા ફોર્મ ભરી તેની સાથે આરટીપીસીઆર રિપોર્ટની નકલ જોડવાની રહેશે જે બાદ હોસ્પિટલમાં જે પ્રમાણે બેડ ખાલી થશે તે મુજબ તંત્ર તરફથી દર્દીનો સંપર્ક સાધીને તેમને દાખલ કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :