Gujarat : 20 શહેરોમાં આજ(7/4/21)થી રાત્રી કર્ફ્યૂ 8pm to 6pm
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે કોરોનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પાલન કરતા ગુજરાતના 20 શહેરોમાં તા.૭મી એપ્રિલથી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રિ કરર્ફ્યુ (રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી)નો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
વીસ શહેરોમાં ગુજરાતની આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશન (રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર) બાકીના ૧૨ શહેરોમાં આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ રાત્રિ કરફ્યુમાં કરવામાં આવ્યો છે. આ અંગેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
