CIA ALERT

લોન મોરેટોરિયમ : ચક્રવૃદ્ધિ વ્યાજ, પેનલ્ટી ભરવામાંથી મુક્તિ

Share On :

લોન મોરેટોરિયમ (લોન ભરવામાંથી મુક્તિ) ૩૧ ઑગસ્ટ ૨૦૨૦ પછી નહીં લંબાવવાના કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયાના નિર્ણય બાબતમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈનકાર કર્યો હતો.

છ મહિનાના લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન ઋણધારકો પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા પેનલ્ટી લેવી નહીં તેવા નિર્દેશ સુપ્રીમે આપ્યા હતા. બદઈરાદાવાળી અથવા મનસ્વી ન હોય તે સિવાયના કેન્દ્ર સરકારની નાણાકીય નીતિની ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ નહીં કરી શકે તેવું ન્યાયમૂર્તિ અશોક ભૂષણના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું. ‘લોન મોરેટોરિયમ’ સમયગાળો લંબાવવા રિયલ એસ્ટેટ ક્ષેત્ર, વીજ ક્ષેત્ર સહિતના વેપારી સંગઠનોએ કરેલી અરજીના સંદર્ભમાં ખંડપીઠે આ પ્રકારનો ચૂકાદો આપ્યો હતો.

ખંડપીઠના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડી, ન્યાયમૂર્તિ એમ. આર. શાહ પણ સભ્ય હતા.

સંપૂર્ણ વ્યાજ માફ કરવાથી અર્થતંત્રને અને બૅંકિંગ ક્ષેત્રને ફટકો પડશે તેવી કેન્દ્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :