CIA ALERT

રેલ્વે કેન્સલ ટિકીટનું રિફંડ 9 મહિના સુધી આપશે : અત્યાર સુધી 6 જ મહિનાની મુદત હતી

Share On :

ભારતીય રેલવેએ બુધવારે 6 જાન્યુઆરી 2020એ મહત્વની જાહેરાત કરતા રેલવે મુસાફરો જોગ જણાવ્યું હતું કે હવે કેન્સલ કરવામાં આવેલી ટિકીટનું રિફંડ 6 મહિનાની જગ્યાએ 9 મહિના સુધી મળવાપાત્ર થશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે હજારો મુસાફરો કોરોના કાળ દરમિયાનમાં તેમની બુક્ડ કરેલી ટિકિટ કૅન્સલ કરાવી શક્યા નથી. હાલના છ મહિનાના ગાળામાં રિફન્ડ મેળવવા સક્ષમ નથી, પરીણામે હવે 9 મહિના સુધી કેન્સલ્ડ ટિકીટનું રિફંડ કરવામાં આવશે.

ભારતમા મોટી સંખ્યામાં બુક્ડ કરાયેલી ટ્રેન ટિકીટો હજુ સુધી પેસેન્જરોએ કેન્સલ કરાવી છે પરંતુ, હજી તેમની કેન્સ્લ થયેલી ટિકિટો માટેનું રિફન્ડ મેળવવું બાકી છે, તેથી ઘણી ઝોનલ રેલવેએ સૂચનો અને વિનંતી કર્યાં હતાં, જેને પગલે ટિકિટ કૅન્સલ કરવા માટે અને રિફન્ડ મેળવવા માટે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે, તેમ ભારતીય રેલવેએ યાદીમાં જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જરોએ નાણાં ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય રેલવે મહામારીને કારણે કૅન્સલ થયેલી ટ્રેનોનું પૂરું રિફન્ડ ચૂકવશે. સ્ટેશન પર બુકિંગ કરનારા પેસેન્જરો કાઉન્ટર પર તેમની ટિકિટો જમા કરાવીને ડિપાર્ચર ડેટ (ટ્રેન ઉપડવા તારીખ)ના નવ મહિનાની અંદર રિફન્ડ મેળવી શકશે. ઑનલાઇન ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો ભારતીય રેલવે જ્યારે પણ ટ્રેન રદ કરે ત્યારે ઑટોમેટિક ઑનલાઇન રિફન્ડ મેળવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :