CIA ALERT

કઠોળ, કાંદા, બટાટા, તેલ હવે ભારતમાં જીવનાવશ્યક નહીં ગણાય

Share On :

સંસદના ઇતિહાસમાં સૌથી વધુ ખરડા પસાર થયા હોય એવા દિવસોમાંના એક એવા મંગળવારે રાજ્યસભામાં સાડા ત્રણ કલાકમાં મુખ્ય સાત ખરડા મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં કડધાન્ય, કઠોળ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદબાકી કરતા ખરડાનો તથા કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા ખરડાનો સમાવેશ થાય છે. તેલ, કઠોળ, કાંદા અને બટાટાના સંગ્રહની મર્યાદા પણ હટાવાતા કાળાબજારિયાઓ અને સંગ્રહખોરોને લાભ થવાનો ભય વ્યક્ત કરાય છે.

આ સિવાય કોંગ્રેસ, ડાબેરી, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને એનસીપી જેવા વિરોધ પક્ષોએ સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોના વિરોધમાં ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે સત્તાધારી ભાજપ અને તેના સાથી પક્ષ જનતા દળ-યુ અને અણ્ણાદ્રમુક, ભારતીય જનતા દળ (બીજેડી), વાયએસઆર-કોંગ્રેસ અને ટીડીપી જેવા પક્ષોએ વિવિધ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને ખરડા માટેની ચર્ચામાં ભાગ લીધો હતો.

મોટા ભાગના ખરડામાં સભ્યોની સહભાગી બહુ ઓછી હતી અને પ્રધાનોના જવાબ પણ ટૂંકા હતા. પ્રથમ પાંચ નવી બનાવવામાં આવેલી સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇઆઇઆઇટી)ને રાષ્ટ્રની મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરાતા ખરડાને મંજૂર કરાયો હતો. ત્યાર બાદ કડધાન્ય, કઠોળ, તેલિબીયા, ખાદ્ય તેલ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદ કરતા તથા તેમનો સંગ્રહ કરવાની મર્યાદાને દૂર કરતા મહત્ત્વના એસેન્શિયલ કોમોડિટિસ (અમેન્ડમેન્ટ) બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. કૃષિ આવક વધારવા માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલા કૃષિ સુધારા ખરડાનો આ એક ભાગ છે.

રવિવારે મંજૂર કરાયેલા ખરડામાં ખેડૂતોને તેમના ઉત્પાદનો દેશમાં ક્યાંય પણ વેચવાની તથા કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવાની છૂટ આપવામાં આવી હતી.

આ સિવાય રાજ્યસભામાં આરબીઆઇના નિરીક્ષણ હેઠળ કાર્ય કરતી કો-ઓપરેટિવ બેંકોના બેંક રેગ્યુલેશન એક્ટમાં કરાયેલા સુધારાને પણ ડિપોઝિટરોના હિત માટે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા કંપનીસ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ને પણ મંજૂર કરવામાં આવ્યું હતું.

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ને પણ ઝડપથી મંજૂર કરી દેવાયા હતા.

આ સિવાય જીએસટીની ચુકવણી અને ફાઇલિંગ તથા અન્ય વેરાની ચુકવણીઓ માટે કંપનીઓને આપવામાં આવેલી સમયમર્યાદામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક છૂટછાટ આપવા માટેના ટેક્સેશન એન્ડ અધર લોઝ (રિલેકશન એન્ડ અમેન્ડમેન્ટ ઓફ સર્ટન પ્રોવિઝન્સ) બિલ, ૨૦૨૦ને મંજૂર કરાયું હતું.

ખરડાઓ મંજૂર કરવા માટે રાજ્યસભાની કાર્યવાહી એક કલાક વધારવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી સવારે ૧૦.૨૯ કલાકે શરૂ થઇ હતી અને બપોરે ૨.૦૩ કલાકે પૂરી થઇ હતી એટલે કે ૨૧૪ મિનિટ સુધીમાં તમામ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :