Congress : સંગઠનાત્મક ફેરબદલ : નબી આઝાદ થયા
કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનાર પત્ર બોમ્બનાં પડઘા હવે પક્ષમાં કરવામાં આવેલી સંગઠનાત્મક ફેરબદલમાં પડયા છે. વિવાદાસ્પદ પત્રમાં મહત્વની ભૂમિકા નિભાવનાર પક્ષનાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ પાસેથી મહાસચિવ પદ છીનવી લેવામાં આવ્યું છે. તેઓ હરિયાણા કોંગ્રેસનાં પ્રભારી હતાં. કોંગ્રેસે આજે સંગઠનમાં કરેલી ઉલટફેરમાં સૌથી મોટો ફાયદો રાહુલ ગાંધીનાં વફાદાર રણદીપસિંહ સુરજેવાલાને થયો છે. સુરજેવાલાને હવે કોંગ્રેસ અધ્યક્ષની ઉચ્ચસ્તરીય છ સદસ્યની બનેલી સલાહકાર સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે પક્ષનાં મહામંત્રી પણ બનાવી દેવામાં આવ્યા છે. તેમની પાસે કર્ણાટકનો પ્રભાર રહેશે.
મધુસૂદન મિત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિનાં અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે પ્રિયંકા ગાંધીને યુપીનાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કે.સી.વેણુગોપાલને પણ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસનાં મહાસચિવોમાં મુકુલ વાસનિકને મધ્યપ્રદેશની, હરીશ રાવતને પંજાબ, ઓમાન ચંડીને આંધ્રપ્રદેશની, તારીક અનવરને કેરળ અને લક્ષદ્વીપની, જીતેન્દ્રસિંહને આસામ, અજય માકનને રાજસ્થાનની જવાબદારીઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત જિતિન પ્રસાદને કોંગ્રેસે પશ્ચિમ બંગાળ, અંદામાન-નિકોબારનાં પ્રભારી નિયુક્ત કર્યા છે. સંગઠનમાં તેમના માટે આ મોટી બઢતી ગણવામાં આવે છે. અત્રે ખાસ નોંધનીય એ પણ છે કે વિવાદાસ્પદ પત્રમાં હસ્તાક્ષર કરનાર નેતાઓમાં જિતિન પ્રસાદનો પણ સમાવેશ થતો હતો. આ નવા ફેરફારો બાદ પવન કુમાર બંસલ સચિવ પ્રભારી રહેશે. આ ઉપરાંત રાહુલનાં જ અન્ય એક વફાદાર મનકીમ ટાગોરને તેલંગણનાં પ્રભારી સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


