આંતરરાજ્યોમાં લોકોની અવર-જવર પર કોઇ રોકટોક ન રાખવા કેન્દ્રનો આદેશ
કોરોના મહામારીને લીધે લોકડાઉન કરાયેલા ભારતમાં અનલોકની સામાન્ય સ્થિતિ આવતા સમય લાગશે, પરંતુ આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો સરકારોને આદેશ આપ્યા છે કે અનલોકની પ્રક્રિયા દરમિયાન કોઇપણ રાજ્યની અંદર અથવા આંતરરાજ્યોમાં વ્યક્તિઓ અને સામાનની અવર-જવર પર રોકટોક કરવી નહીં.
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ હતું કે, કેટલાક જીલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, અનલોકના દિશા-નિર્દેશને ધ્યાનમાં રાખતા ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ કે, આવા પ્રતિબંધોથી માલસામાન અને સેવાઓમાં આંતરરાજ્યો અવર-જવરમાં સમસ્યાઓ પેદા થઇ રહી છે અને પૂરવઠા પર વિપરીત અસર પડી રહી છે. જેની સીધી અસર આર્થિક અને રોજગાર તંત્ર પર પણ જોવા મળી રહી છે. મુદ્દાઓને ધ્યાનમાં રાખતા તેમણે રાજ્યોને આ પ્રકારના પ્રતિબંધો ન મૂકવાના આદેશ આપ્યા હતા. અનલોક 3 ના નિયમો મુજબ આંતરરાજ્યોમાં વેપાર અને આવાગમન માટે કોઇપણ મંજૂરી કે ઇ પરમિટની જરુર હવે રહી નથી.
કેન્દ્ર સરકારે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને તોડવા માટે 25 માર્ચે લોકડાઉન પ્રક્રિયા લાગૂ કરી હતી, જે પછી લંબાવીને 31મે સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ એક જૂનથી દેશમાં અનલોક પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


