ભારતમાં દૈનિક કોરોના કેસનો નવો વિક્રમ 52,000 પ્લસ કેસ
ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ કેસ બુધવાર તા.30મી જુલાઇ 2020ના રોજ નોંધાયા છે, ભારતમાં પહેલીવાર દૈનિક કેસોની સંખ્યા 52,000 પ્લસ પર નોંધાઇ છે. બુધવારે આવેલા નવા કેસોમાં સૌથી વધારે નવા કેસ આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ એવું રાજ્ય બન્યું છે જ્યાં મહારાષ્ટ્ર પછી એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
પાછલા કેટલાક દિવસોથી આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો હતો. જેમાં બુધવારે 10,093 કેસ નોંધાય છે, આ સાથે આંધ્રપ્રદેશનો કુલ આંકડો 1,20,390 પર પહોંચ્યો છે, જે દિલ્હીના કુલ કેસ 1,33,310ને જલદી પાર કરી શકે છે.
આંધ્રપ્રદેશમાં વધુ 65 લોકોના મોત સાથે અહીંનો કુલ મૃત્યુ આંક 1,213 થઈ ગયો છે, જે આંઠ સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંથી એક બન્યું છે.
52,898 નવા કેસ સાથે બુધવારે કુલ કેસ 15,83,483 થઈ ગયા છે અને જેમાં પાછલા 29 દિવસમાં 10 લાખ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના કેસને જોતા જુલાઈ વધારે ગંભીર મહિનો સાબિત થયો છે, જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસ દેશમાં આવ્યા તે પછીના 63% કેસ આ મહિનામાં નોંધાયા છે. બુધવારે 771 લોકોના વાયરસના કારણે મોત થયા છે- જે બીજા નંબરનો એક દિવસનો સૌથી મોટ મૃત્યુઆંક છે. આ પહેલા મંગળવારે 781 લોકોના મોત થયા હતા. ભારતમાં કુલ 34,950 લોકોના મોત થઈ ગયા છે. આમાંથી અડધાથી વધારે મોત જુલાઈ મહિનામાં નોંધાયા છે.
દેશમાં ફેલાયેલા કરોના વાયરસ વચ્ચે સકારાત્મક પાસું જોઈએ તો, 10 લાખ કરતા વધારે લોકો સાજા થઈ ગયા છે, પાછલા 24 કલાકમાં 32,371 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 10,19,081 થાય છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર થઈ છે, રાજ્યમાં આંધ્રપ્રદેશ પછી બીજા નંબરે 9,211 નવા કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,00,651 થયો છે. આં આંકડો મેક્સિકોના કેસ (4,02,697)ની નજીક પહોંચી ગયો છે. દુનિયાના કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં ભારત છઠ્ઠા નંબર પર છે. મહારાષ્ટ્રમાં વધુ 293 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દક્ષિણ ભારતની સ્થિતિ પર નજર કરીએ તો કર્ણાટકામાં 92 લોકોના સૌથી વધારે મોત બુધવારે નોંધાયા છે, જે પછી તામિલનાડુમાં 82, આંધ્રપ્રદેશમાં 65 અને તેલંગાણામાં 12નાં મોત થયા છે. આંધ્રપ્રદેશની સાથે દેશના અન્ય 4 રાજ્યોમાં એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ બન્યો છે, જેમાં રાજસ્થાનમાં 1,144, ગુજરાતમાં 1,114, મધ્યપ્રદેશમાં 917 અને ઝારખંડમાં 791 કેસ નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


