સંયુક્ત રાષ્ટ્રસંઘનો સ્ફોટક અહેવાલ : ISનો ગઢ કેરળ-કર્ણાટક
આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં આઈએસ આઈએસ આતંકવાદીઓની ‘ઘણી સંખ્યા’ હોઈ શકે છે અને એ બાબતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકવાદી સંગઠન હુમલાનું કાવતરું રચી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી જૂથમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને મ્યાંમારના 150થી 200 આતંકવાદી છે.

આઈએસઆઈએસ, અલ-કાયદા અને સંબદ્ધ વ્યક્તિઓ તથા સંસ્થાઓથી સંબંધિત વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધ નિરીક્ષણ દળના 26મા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા (એક્યૂઆઈએસ) તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમંદ અને કંધાર પ્રાન્તમાં કામ કરે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સમાચારો અનુસાર સંગઠનમાં બાંગલાદેશ, ભારત, મ્યાંમાર અને પાકિસ્તાનના 150થી 200 વચ્ચે સભ્ય છે. એક્યૂઆઈએસનો વર્તમાન વડો ઓસામા મહેમૂદ છે જેણે માર્યા ગયેલા આસીમ ઉમરની જગ્યા લીધી છે. એવા પણ અહેવાલો છે કે સંગઠન પોતાના પૂર્વ આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


