અમીધારા વાડી ખાતે સુરત ઓલપાડ-ચોર્યાસી કડવા પાટીદાર સમાજે જ્ઞાતિજનો માટે કોવીડ-19 આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું


રાંદેર, અડાજણ, અમરોલી, કોસાડ, મહિધરપુરા તેમજ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં બહુલ વસતિ ધરાવતા સુરતના કણબી પટેલથી ઓળખાતા સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા પોતાના જ્ઞાતિબંધુઓ માટે રાંદેર રોડ પર આવેલી અમીધારા પાટીદાર સમાજની વાડી ખાતે આજે કોવીડ-19 આઇસોલેશન સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો.

અમીધારા વાડી ખાતે કુલ 35 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઓલપાડ-ચોર્યાસી કડવા પાટીદાર સમાજના હોય અને કોવીડ-19 એસિમ્ટમેટીક પેશન્ટ હોય, એવા દર્દીઓ જેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને હોસ્પિટલના ખર્ચ ભોગવી શકે તેમ ન હોય એવા કોરોના પોઝીટીવ જ્ઞાતિજનોને અહીં આઇસોલેશનમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આ સમાજમાંથી આવતા અડાજણના કોર્પોરેટર શ્રી પી.એમ. પટેલે તેમજ સંજયભાઇ પટેલએ (ક્રિષ્ણા રેસ્ટોરેન્ટ અડાજણ) જણાવ્યું હતું.

તેમણે આપેલા માહિતી અનુસાર અમીધારા વાડી ખાતે જ્ઞાતિજનો માટે શરૂ કરવામાં આવેલા કોવીડ-19 આઇસોલેશન સેન્ટર ખાતે બે-ત્રણ ઓક્સીજન ઇનપુટ્સ ઇક્વિપમેન્ટ પણ મૂકવામાં આવશે. કેટલાક દર્દીને જો ઓક્સીજનની જરૂર પડે તો એ માટે બે-ત્રણ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. એ સિવાય બાકીના એવા જ્ઞાતિના દર્દીઓ હશે જેમના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય એ લોકો અહીં દાખલ થઇને ટ્રીટમેન્ટ કરાવી શકશે.
વધુ સમાચારો વાંચો
- આતંકવાદીઓની યોજના દેશમાં એક નહીં 32 કારથી વિસ્ફોટ કરવાની હતી
- આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાનું શાનદાર રીતે પ્રજાવાત્સલ્ય અભિવાદન કરાશે
- યાર્ન અને તેના બેઝિક રો મટિરિયલ પરથી QCO નાબૂદ
- 3800 બાળકોની હાર્ટ સર્જરીમાં મદદનો પલક મુચ્છલનો રેકોર્ડ
- બિહારમાં કોની સરકાર? Exit Pollsની આગાહી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


