Corona : Gujarat 50,000 Plus : નવા ૧૦૨૬ કેસ અડધા
ગુજરાતમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ નોંધાયાના ૧૨૫મા (21મી જુલાઇ 2020) દિવસે નવા વિક્રમી ૧૦૨૬ કેસ ઉમેરાતા કુલ આંક અડધા લાખને પાર થઇ ૫૦૪૬૫ સુધી પહોંચી ગયા છે એ જ રીતે છેલ્લા પખવાડિયાથી સતત ઘટી રહેલા મૃત્યુ આંકમાં ચોવીસ કલાકમાં જ એક સાથે ૩૪ દર્દીના કોવિડ-૧૯ના મૃત્યુ થતાં હડકંપ મચી ગયો છે. સૌથી વધારે મૃત્યુ સુરતમાં ૨૧ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૬ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.
આ સિવાય ભાવનગર અને જામનગર મહાનગરોમાં તેમજ ગીર સોમનાથ, પાટણ અને કચ્છ જિલ્લામાં પણ એક એક દર્દીના મૃત્યુ થયા છે. આઠ મુખ્ય મહાનગરોમાંથી ૫૭૬ અને જિલ્લાઓમાંથી ૪૫૦ કેસ નવા ઉમેરાયા છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વ્યાપક બની રહ્યું છે.
૧૯ માર્ચે રાજ્યમાં કોરોનાના કેસની ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થઇ હતી. આ તીવ્ર અને ખતરનાક મીજાજ ધરાવતા વાયરસથી રાજ્યમાં મૃત્યુ પામાનર દર્દીઓની સંખ્યા ૨૨૦૧ થઇ ગઇ છે અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૪૪ દર્દીઓના ડિસ્ચાર્જ સાથે કુલ રિવકર થનાર દર્દીઓની સંખ્યા પણ ૩૬૪૦૩ સુધી પહોંચી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી ૨૨૫ નવા કેસ અને જિલ્લામાંથી ૭૩ કેસ મળી આવ્યા છે જ્યારે શહેરમાં સારવાર હેઠળના ૧૪ દર્દીઓ તેમજ જિલ્લાના ૭ મળી ૨૧ દર્દીઓના મૃત્યુ કોવિડથી થયાનું સરકારે સ્વીકાર્યું છે. અમદાવાદમાં જિલ્લાના ૧૨ કેસ, એક મૃત્યુ તેમજ મહાનગરના ૧૮૭ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ મળી કુલ ૧૯૮ કેસ અને ૬ના મૃત્યુ જાહેર કરાયા છે. અલબત્ત, આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે વધુ ૧૭૩ તેમજ ૨૦૫ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.
વડોદરા શહેરમાંથી નવા ૬૦ કેસ સાથે જિલ્લાના મળી કુલ ૭૫ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં ૪૫ સાથે કુલ ૫૮ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી નવા ૨૬ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે આ સિવાય જિલ્લામાંથી ૧૨ નવા દર્દી સંક્રમિત હોવાનું જાહેર કરાયું છે. જામનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લાના નવા ચાર કેસ નોંધાયા છે. ગાંધીનગર મહનગરમાંથી ૧૨ અને જિલ્લાના ૧૯ કેસ નવા છે જ્યારે જૂનાગઢમાં પાંચ મળી કુલ ૧૨ કેસ ઉમેરાયા છે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વલસાડ, નવસારી, પછી હવે દાહોદ જિલ્લામાં એક સાથે ૩૯ કેસ મળી આવ્યા છે. બનાસકાંઠામાંથી ૨૫, સુરેન્દ્રનગરમાંથી ૨૧, પાટણ ૨૦, નર્મદા ૧૯, ગીર સોમનાથ અને મહેસાણા ૧૮-૧૮, નવસારી અને પંચમહાલ ૧૭-૧૭, ભરૂચ ૧૬, ખેડા ૧૪, વલસાડ ૧૩, કચ્છ ૯, આણંદ અને બોટાદ ૮-૮, અમરેલી ૭, મહીસાગર, મોરબીમાંથી ૬-૬, સાબરકાંઠામાંથી ૫, તાપી ૪, પોરબંદરમાંથી ૨ અને અરવલ્લી, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૬૯૩ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૫,૬૨,૬૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ ૧૧૮૬૧ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૧૭૭૯ સ્ટેબલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


