પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટની શરતી મંજૂરી
ઓરીસ્સાના જગન્નાથ પુરીમાં તા.23મી જુન 2020ને મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રાને ચોક્કસ શરતોને આધીન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ વિતેલા સપ્તાહે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં ભારતમાં કરોડોની આસ્થાનું પ્રતિક સમી જગન્નાથપૂરીની રથયાત્રા પર સ્ટે મૂક્યો હતો.

પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં 3 જજોની બેન્ચે સોમવારે રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનું સમર્થન કર્યું હતું.
સર્વોચ્ચ કોર્ટે હવે કહ્યું છે કે હવે આ જગન્નાથ ટેમ્પલ મેનેજમેન્ટ ટ્રસ્ટ અને ઓડિશા સરકારની જવાબદારી છે કે તેઓ ભક્તોની ભીડ એકઠી થયા વગર કેવી રીતે રથયાત્રાનું આયોજન કરે છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તેઓ રથયાત્રા મામલે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરશે.
અગાઉ કેન્દ્રએ સુપ્રીમને કહ્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરીમાં રથયાત્રાને ભક્તોની હાજરી વગર મંજૂરી આપવી જોઈએ અને કહ્યું હતું કે સદીઓ જૂની આ પરંપરાને રોકવી જોઈએ નહીં. ઓડિશા સરકારે પણ કેન્દ્રની વાતનું સમર્થન કર્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


